1. Home
  2. ગુજરાતી
  3. સદાશિવ અમરાપુરકરની જન્મજ્યંતિ, વિલનની એક્ટિંગ કરીને કરોડો દિલ પર કર્યુ રાજ
સદાશિવ અમરાપુરકરની જન્મજ્યંતિ, વિલનની એક્ટિંગ કરીને કરોડો દિલ પર કર્યુ રાજ

સદાશિવ અમરાપુરકરની જન્મજ્યંતિ, વિલનની એક્ટિંગ કરીને કરોડો દિલ પર કર્યુ રાજ

0
Social Share
  • સદાશિવ અમરાપુરકરની આજે જન્મજયંતિ
  • બોલિવૂડમાં વિલનની એક્ટિંગ કરીને મેળવ્યુ નામ
  • 100થી વધારે ફિલ્મોમાં કર્યું છે કામ

મુંબઈ: બોલિવૂડમાં કેટલાક એક્ટર એવા છે કે જેમણે પોતાની મહેનત અને પોતાની ડાયલોગ ડિલવરીથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યુ. આવા એક્ટરોમાં એક છે સદાશિવ અમરાપુરકર કે જેમણે વિલનની એક્ટિંગ કરીને અને પોતાના ડાયલોગ ડિલવરીથી પોતાનું નામ બનાવ્યું હતું. સદાશિવ અમરાપુરકરે પોતાના જીવનમાં ધર્મેન્દ્રથી લઈને ગોવિંદા અને આમીરખાન સુધી તમામ હિરોના ફિલ્મમાં વિલેન તરીકેનો રોલ પ્લે કર્યો હતો.

કેટલીક ફિલ્મો તો એમની એવી હતી કે જેમાં લોકોએ હીરો કરતા સદાશિવ અમરાપુરકરની વિલેનની એક્ટિંગના વખાણ વધારે કર્યા હોય. જો વાત કરવામાં આવે સદાશિવ અમરાપુરકરના જીવનની તો તેમનો જન્મ અહમદ નગરમાં 11 મે ના દિવસે વર્ષ 1950માં થયો હતો.

બોલિવૂડમાં તેમની એન્ટ્રી અર્ધસત્ય ફિલ્મથી થઇ હતી અને તેમાં તેમનો નાનો રોલ એટલો સારો હતો કે, તેમને તેના માટે ફિલ્મ ફેયર એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. વિલનના રૂપમાં પડદા પર એન્ટ્રી તેમણે સડક ફિલ્મથી કરી હતી તે બાદ વિલનની એક્ટિંગ માટે તેઓ ખુબ ફેમસ થયા હતા. સદાશિવ અમરાપુરકર તેમના ફેમસ ડાયલોગના કારણે આજે પણ લોકોને યાદ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code