1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્ર તા. 27મી સપ્ટેમ્બરથી યોજાશે
ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્ર તા. 27મી સપ્ટેમ્બરથી યોજાશે

ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્ર તા. 27મી સપ્ટેમ્બરથી યોજાશે

0
Social Share

ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભાનુ ચોમાસુ સત્ર તા.27-28 સપ્ટેમ્બરના રોજ મળશે. જેમાં રાજય સરકાર ચાર મહત્વના વિધેયકો પણ ગૃહમાં મંજુરી માટે મુકાશે.
ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આગામી તા. 27મી સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. બે દિવસીય સત્રમાં ચાર જેટલા વિધેયકોને ગૃહની મંજુરી માટે મુકાશે. આ બે દિવસનું ટુંકુ વિધાનસભા સત્ર તોફાની બની રહે તેવી ધારણા છે. ખાસ કરીને જે રીતે સરકાર અને વિપક્ષ વચ્ચે ટક્કર ચાલી રહી છે તે જોતાં બે દિવસના સત્રમાં શોકાંજલીના ખરડા સિવાય સરકાર અને વિપક્ષ વચ્ચે અથડામણ થશે. જે ચાર ખરડા રજૂ કરવાના છે તેમાં ગુજરાત પ્રોફેશનલ મેડીકલ એજયુકેશન કોલેજ ઓર ઇન્સ્ટીટયુટ રેગ્યુલેશન એમેન્ડમેન્ટ એકટ કે જેમાં વિદ્યાર્થીઓના સ્ટાઇપન્ડ અને ફીનો મુદ્દો છે. ઉપરાંત ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ બીલ 2021 ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એેમેડમેન્ટ એકટ 2021 અને ઇન્ડિયન પાર્ટનરશીપ બીલ 2021 જેમાં ગુજરાત સરકારે સુધારા કરવાના છે તે રજૂ થશે.

રાજ્યના અનેકવિધ પ્રશ્નોની વિધાનસભામાં રજુઆત કરાતી હોય છે. ત્યારે માત્ર બે દિવસીય સત્રમાં તારાંકિત પ્રશ્નોત્તરી બાદ ચાર વિધેયકોની ચર્ચામાં જ સમય પસાર થઈ જશે.એટલે ગૃહના કામકાજના દિવસો વધારવા વિપક્ષ કોંગ્રેસ દ્વારા માગણી કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા ખેડુતો, બેરોજગારી, મોંઘવારી, વગેરે પ્રશ્નો ઉઠાવીને સરકારને ભીંસમાં લેવાના પ્રયાસો કરવામાં આવશે. ઉપરાંત સરકારની ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટીઓને પધરાવી દેવાના બીલનો પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code