1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિજયભાઈ રૂપાણીની રાજકીય સફર  

વિજયભાઈ રૂપાણીની રાજકીય સફર  

0
Social Share

વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની જગ્યાએ તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ અમિત શાહના નજીકના માનવામાં આવે છે અને સંઘની પૃષ્ઠભૂમિમાંથી આવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 16 મહિના પહેલા રૂપાણીના રાજીનામાએ લોકોને ચોંકાવી દીધા છે.તેમના રાજીનામા પાછળનું કારણ બહુ સ્પષ્ટ નથી. જોકે તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે,તેઓ સંસ્થા માટે કામ કરવા માગે છે.

વિજય રૂપાણીની ગણતરી ભાજપના તે ખાંટી નેતાઓમાં થાય છે, જેઓ શરૂઆતથી જ પાર્ટી સાથે જોડાયેલા રહ્યા અને ક્યારેય વિચારધારા બદલી નથી. વિદ્યાર્થી જીવનથી જ તેમનો ઝુકાવ જનસંઘ તરફ હતો. રાજ્યમાં ધારાસભ્ય, મંત્રી બન્યા, રાજ્યસભાના સાંસદ પણ રહ્યા અને પછી ભાજપે તેમના હાથમાં રાજ્યની કમાન સોંપી. સંગઠનમાંથી ઉભરી આવેલા રૂપાણી હવે ફરીથી સંગઠનમાં પરત ફરી રહ્યા છે.

વિદેશમાં થયો જન્મ, પછી પિતા ગુજરાત પરત ફર્યા

વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956 ના રોજ મ્યાનમારની રાજધાની રંગૂનમાં થયો હતો. તેના પિતા ધંધા માટે ત્યાં ગયા હતા, જે 1960 માં 4 વર્ષ પછી રાજકોટ પરત ફર્યા. રૂપાણી જૈન વાણીયા સમુદાયના છે. ગુજરાત પરત ફર્યા બાદ તેમનો અભ્યાસ અહીં જ શરૂ થયો.

એબીવીપીમાં જોડાયા અને પછી જનસંઘ સાથે રહ્યા 

તેમના વિદ્યાર્થી જીવન દરમિયાન, વિજય રૂપાણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલા હતા અને એક વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.વર્ષ 1971 માં તેઓ જનસંઘમાં જોડાયા અને સ્થાપના કાળ થી જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઇ ગયા.

ઈમરજન્સીમાં જેલમાં જનાર એકમાત્ર નેતા 

ઈમરજન્સી દરમિયાન જેલમાં ગયેલા રાજ્ય સરકારના વિજય રૂપાણી એકમાત્ર નેતા છે. તેઓ 1976 માં ઈમરજન્સી દરમિયાન ભાવનગર અને ભુજની જેલમાં 11 મહિના સુધી કેદ રહ્યા હતા. વર્ષ 1987 માં તેમણે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીથી શરૂઆત કરી હતી. તેઓ 1996 થી 1997 સુધી રાજકોટના મેયર હતા.

1998 માં તેમને ભાજપના ગુજરાત એકમના મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. 2006 માં તેઓ ગુજરાત પ્રવાસન પ્રમુખ તરીકે નિયુક્ત થયા. તેઓ 2006 થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય પણ હતા.

2014 માં વિધાનસભાની ચૂંટણી જીતી, 2016 માં મુખ્યમંત્રી બન્યા 

વર્ષ 2014 માં તેમણે પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી જીતી હતી. વજુભાઈ વાળા ગવર્નર બન્યા પછી તેમણે પોતાની બેઠક છોડી દીધી અને તે પછી પેટા ચૂંટણી યોજાઈ, જેમાં તેઓ જીત્યા. નવેમ્બર 2014 માં જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રથમ મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું ત્યારે તેમને મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમને પરિવહન, પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર મંત્રાલયની જવાબદારી આપવામાં આવી હતી. તેઓ ફેબ્રુઆરી 2016 થી ઓગસ્ટ 2016 સુધી ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ હતા. 5 ઓગસ્ટ 2016 ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

દોઢ દાયકા પહેલા રાજકારણ છોડવા માંગતા હતા 

કહેવાય છે કે વિજય રૂપાણી 15 વર્ષ પહેલા રાજકારણ છોડવા માંગતા હતા. પછી તેના પરિવારમાં બનેલી એક દુખદ ઘટનાથી તે ખૂબ જ દુઃખી થયા. હકીકતમાં, તેના પુત્રનું છત પરથી પડ્યા બાદ મૃત્યુ થયું હતું. પછી બધાએ મળીને તેમની સંભાળ લીધી. તેમના પુત્રના નામે હજુ પણ ટ્રસ્ટ ચાલે છે જે ગરીબ બાળકોને મદદ કરે છે. તેને લંડનમાં એક પુત્રી છે અને એક પુત્ર હાલમાં અભ્યાસ કરે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code