
મુંબઈ: બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલા વિવાદો છે, અને કોણ સારુ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી તો કોઈની પાસે હશે નહી, પરંતુ આ એક એવી ઈન્ડસ્ટ્રી છે કે જ્યાં હંમેશા કોઈને કોઈ વિવાદ સામે આવતા જ રહેતા હોય છે. આવામાં અત્યારે વધુ એક સમાચાર એવા મળ્યા છે કે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ બોલિવૂડને અલવિદા કહી દીધુ છે અને તેના પાછળ કેટલાક કારણો પણ બતાવ્યા છે.
વિવેક અગ્નિહોત્રીએ બોલિવૂડ કલાકારોને મૂર્ખ ગણાવ્યા છે અને કહ્યું છે કે તેઓ આવા લોકો સાથે કામ કરી શકતા નથી અને બોલિવૂડ માંથી રાજીનામું આપી રહ્યા છે. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે તે કોમર્શિયલ ફિલ્મોમાંથી બ્રેક લઈ રહ્યો છે. તેનું કારણ બોલિવૂડના અભણ કલાકારો છે જેમની પાસે દુનિયા વિશે કોઈ વિચાર કે દૃષ્ટિકોણ નથી.
કોમર્શિયલ ફિલ્મોથી બોલિવૂડમાં પદાર્પણ કરનાર વિવેક અગ્નિહોત્રીએ ચોકલેટ, ધન ધના ધન ગોલ અને હેટ સ્ટોરી જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે પરંતુ વર્ષોથી વિવેક અગ્નિહોત્રીએ સમાજને અરીસો બતાવતી ઉત્તમ ફિલ્મો બનાવી છે જેમાં ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’નો સમાવેશ થાય છે. અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જેવી શાનદાર ફિલ્મોનો સમાવેશ થાય છે.
વિવેકે કહ્યું હતું કે આજે આપણું સિનેમા બોલિવૂડ કલાકારોને કારણે સાવ મૂંગું થઈ ગયું છે. ભારતીય સિનેમા આટલું મૂર્ખ કેમ છે? આનું કારણ આપણા કલાકારો છે. આ કલાકારો દિગ્દર્શકો અને લેખકોને પણ મૂર્ખ બનાવે છે. કોમર્શિયલ સિનેમામાંથી રાજીનામું આપવા પાછળનું કારણ જણાવતાં વિવેકે કહ્યું હતું કે, ‘ફિલ્મ ક્યારેય મારા કારણે જાણીતી નથી, ફિલ્મ હંમેશા મૂર્ખ અભિનેતાને કારણે જાણીતી છે. એટલા માટે મેં માનસિક રીતે બોલિવૂડ માંથી રાજીનામું આપ્યું છે.