1. Home
  2. ગુજરાતી
  3. વાળની સમસ્યાઓ દુર કરવી છે? લીંબુનો રસ અને સરસવના તેલ કરો ઉપયોગ
વાળની સમસ્યાઓ દુર કરવી છે? લીંબુનો રસ અને સરસવના તેલ કરો ઉપયોગ

વાળની સમસ્યાઓ દુર કરવી છે? લીંબુનો રસ અને સરસવના તેલ કરો ઉપયોગ

0
Social Share

જ્યારે પણ લોકોને વાળને લગતી સમસ્યા થાય ત્યારે લોકો વધારે ચિંતિત થઈ જતા હોય છે. લોકો આ બાબતને લઈને ક્યારેક એટલા બધા સતર્ક પણ થઈ જતા હોય છે કે મોટી રકમ પણ ખર્ચ કરી નાખતા હોય છે. આવામાં જો કોઈ વ્યક્તિને આ બધા પ્રકારના ઉપાય પછી રાહત ન મળતી હોય તો આ એક ઉપાય પણ કરવા જેવો છે.

લીંબુનો રસ અને સરસવના તેલનો ઉપયોગ કરીને પણ રાહત મળી શકે છે જેમ કે વાળના ભાગમાં લોહીનું પરિભ્રમણ ન થતા વાળ ખરવા લાગે છે. વાળને ખરતા અટકાવવા માટે લોહીનું પરિભ્રમણ જરુરી છે. સરસવના તેલમાં લીંબુનો રસ ઉમેરીને વાળના ભાગે મસાજ કરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે. આ ઉપરાંત સરસવનું તેલ વાળને પોષણ આપવાની સાથે સાથે ઠંડક પણ આપે છે. તેની મદદથી વાળ સોફ્ટ બને છે.

જો વાત કરવામાં આવે વાળને સારુ પોષણની તો માર્કેટમાં મળતા પ્રોડક્ટસની જગ્યા એ જો પ્રાકૃતિક રીત અપનાવવામાં આવે તો વાળને વધારે લાભ થશે. આયુર્વેદની સાથે સાથે એલોપોથી એક્સપર્ટસ પણ એવું માને છે કે, સરસવનું તેલ વાળને જરુરી પોષણ આપવામાં કારગર છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code