1. Home
  2. ગુજરાતી
  3. મિઝોરમના ચમ્ફાઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા નોંધાઈ
મિઝોરમના ચમ્ફાઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા નોંધાઈ

મિઝોરમના ચમ્ફાઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા નોંધાઈ

0
Social Share
  • મિઝોરમમાં ભૂકંપના આંચકા
  • 4.2ની નોંધાઈ તીવ્રતા
  • કોઈ નુકશાન કે જાનહાનિ નહીં

આઈઝોલ:મિઝોરમના ચમ્ફાઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, લગભગ 1:43 વાગ્યે ભૂકંપના આંચકાને કારણે ધરતી ધ્રૂજી ગઈ હતી. ભૂકંપનું કેન્દ્ર ચમ્ફાઈથી 56 કિમી દક્ષિણપૂર્વમાં હતું. જો કે ભૂકંપના આ આંચકાને કારણે હજુ સુધી કોઈ જાનહાનિ કે માલ મિલકતને નુકશાન થયાના અહેવાલ નથી.

આ મહિને 11 ડિસેમ્બરે મિઝોરમના આઈઝોલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, લગભગ 12:49 વાગ્યે ભૂકંપના આંચકાના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code