
દેશમાં 740 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલને કાર્યરત કરાશે
નવી દિલ્હીઃ આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે, 2025-26 સુધીમાં દેશભરમાં 740 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલને કાર્યરત કરવામાં આવશે.
યુનિયન આદિજાતિ બાબતોના પ્રધાન અર્જુન મુંડાએ કહ્યું છે કે 2025-26 સુધીમાં સમગ્ર દેશમાં 740 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલને કાર્યરત કરવામાં આવશે.
નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, તેમાંથી 401 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે આ શાળાઓ માટે દસ હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં વધુ દસ હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, આદિજાતિ બાબતોના મંત્રાલયે સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને કૌશલ્ય તાલીમ આપવા માટે ભારતીય વિજ્ઞાન સંસ્થાન બેંગલુરુ સાથે સહયોગ કર્યો છે.