1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં 98 ટકા વસતીને 4જી મોબાઈલ કવરેજ પુરુ પડાયુઃ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ

ભારતમાં 98 ટકા વસતીને 4જી મોબાઈલ કવરેજ પુરુ પડાયુઃ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ

0
Social Share

નવી દિલ્હીઃ ભારતમાં હાઈકેટ ટેકનોલોજીની સાથે સતત આગળ વધી રહ્યું છે અને દેશની મોટાભાગની જનતા સ્માર્ટફોનનો વપરાશ કરી રહી છે. દરમિયાન દેશની 98 ટકા વસતીને 4જી મોબાઈલ કવરેજ પુરુ પાડવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં હાલ દેશમાં 5જી ટેકનોલોજીને લઈને કામગીરી કરવામાં આવી રહી છે.

ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (TSPs) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભારતની 98% વસતીને 4G મોબાઈલ કવરેજ પૂરું પાડવામાં આવ્યું છે. આ મોટા પાયે 4G રોલ-આઉટથી સમગ્ર દેશમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે, જેના પરિણામે વૃદ્ધિ અને રોજગારીની તકોનું સર્જન થયું છે. જ્યાં સુધી 5G નો સંબંધ છે, ભારતીય TSP ને 5G ટેક્નોલોજીના ઉપયોગ અને એપ્લિકેશન માટે ટ્રાયલ કરવા માટે પરવાનગીઓ આપવામાં આવી છે. ટેક્નોલોજી ડેવલપમેન્ટના આગલા તબક્કામાં નવીનતાઓને લીડ કરવાના હેતુથી, ટેલિકોમ્યુનિકેશન વિભાગે 6G પર ટેક્નોલોજી સ્ટડી ગ્રુપની રચના કરી છે.

સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે લોકસભામાં જણાવ્યું હતું કે, ભારતમાં ઈન્ટરનેશનલ મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન્સ (IMT)/5G માટે ઓળખવામાં આવેલા ફ્રીક્વન્સી બેન્ડ્સમાં સ્પેક્ટ્રમની હરાજી અંગે સરકારે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઈન્ડિયા (TRAI) પાસેથી ભલામણો માંગી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી શિક્ષણને ભારે અસર થઈ છે. કોરોના કાળમાં શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન પુરુ પાડવામાં આવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code