1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજધાની દિલ્હી: કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં આવતા 50 ટકા ક્ષમતા સાથે ખૂલશે રેસ્ટોરંટ
રાજધાની દિલ્હી: કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં આવતા 50 ટકા ક્ષમતા સાથે ખૂલશે રેસ્ટોરંટ

રાજધાની દિલ્હી: કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં આવતા 50 ટકા ક્ષમતા સાથે ખૂલશે રેસ્ટોરંટ

0
Social Share

નવી દિલ્લી: દેશમાં કોરોનાવાયરસનું સંક્રમણ ઓછુ થતા તથા દેશની રાજધાનીમાં કોરોનાવાયરસનું સંકટ હવે પહેલા જેવુ રહ્યું નથી. આ સાથે દિલ્લીના મુખ્યમંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. કેજરીવાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શહેરમાં 50 ટકાની ક્ષમતા સાથે રેસ્ટોરન્ટને ખોલવામાં આવશે.

આ ઉપરાંત ખાનગી કચેરીઓ પણ સવારે 9 થી સાંજના 5 સુધી 50 ટકાની ક્ષમતા સાથે કાર્ય કરશે. તે જ સમયે, બજારો, મોલ્સ અને માર્કેટ સંકુલની તમામ દુકાનો સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલી શકે છે. એટલે કે ઓડ-ઈવન ફોર્મુલા હવે સમાપ્ત થઈ ગયું છે.

જો કે, તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, જો કોવિડ -19 ના કેસો આવતા સપ્તાહમાં વધશે, તો દિલ્હીના બજારો અને રેસ્ટોરાંમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવામાં આવશે. આવશ્યક સેવાઓ પહેલાની જેમ ચાલુ રહેશે. આ સિવાય 20 લોકો સાથે ઘરે અથવા કોર્ટમાં લગ્ન કરાવી શકાય છે. તે જ સમયે, ધાર્મિક સ્થળો ખોલવામાં આવી રહ્યા છે, પરંતુ ભક્તોને જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્ય પ્રધાને કહ્યું કે શાળા-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક મેળાવડા, સ્વિમિંગ પુલ, સ્ટેડિયમ, રમત-ગમત સંકુલ, સિનેમા, થિયેટરો, મનોરંજન પાર્ક, ભોજન સમારંભ, ઓડિટોરિયમ, સ્પા, જીમ , જાહેર ઉદ્યાનો અને બગીચા સંપૂર્ણ બંધ રહેશે.

કેજરીવાલ દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે કોરોનાવાયરસની ત્રીજી લહેરને લઈને પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code