1. Home
  2. ગુજરાતી
  3. અંતે પેગાસસ જાસૂસી મામલે સરકારે તોડ્યું મૌન, જાણો સંરક્ષણ રાજ્ય મંત્રીએ શું કહ્યું?
અંતે પેગાસસ જાસૂસી મામલે સરકારે તોડ્યું મૌન, જાણો સંરક્ષણ રાજ્ય મંત્રીએ શું કહ્યું?

અંતે પેગાસસ જાસૂસી મામલે સરકારે તોડ્યું મૌન, જાણો સંરક્ષણ રાજ્ય મંત્રીએ શું કહ્યું?

0
Social Share
  • પેગાસસ જાસૂસી મામલે મોદી સરકારે કર્યો ખુલાસો
  • CPMના એક સાંસદના સવાલનો જવાબ આપ્યો સંરક્ષણ રાજ્ય મંત્રીએ
  • સરકારે પેગાસસ બનાવતી NSO સાથે ક્યારેય વ્યવહાર કર્યો જ નથી

નવી દિલ્હી: દેશ અને દુનિયામાં ખળભળાટ મચાનવાર પેગાસસ જાસૂસી મામલે હવે મોદી સરકારે પ્રથમ વાર નિવેદન આપ્યું છે.

પેગાસસ જાસૂસી મામલે સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, પેગાસસનું નિર્માણ કરનાર ઇઝરાયલી કંપની NSO સાથે સરકારે કદી પણ વ્યવહાર રાખ્યો નથી, ઇઝરાયલી કંપની સાથે સરકારને કોઇ નિસ્બત નથી.

આ અંગે સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભાટે જણાવ્યું હતું કે, સરકારે NSO સાથે ક્યારેય વ્યવહાર કર્યો નથી. ડૉ. વી. શિવદાસનના એક સવાલના જવાબમાં રાજ્યસભામાં મંત્રાલયના જવાબનું આજે નિવેદન હતું. CPM સાંસદે સવાલ કર્યો હતો કે શું સરકાર NSO ગ્રૂપ સાથે કોઇ નિસ્બત ધરાવે છે અને જો એવું હોય તો તેની વિગતો આપે.

સરકારે વધુ સ્પષ્ટતા કરી હતી કે, અત્યારસુધી કોઇ ગેરકાયદેસર દેખરેખ હાથ ધરવામાં આવી નથી. પરંતુ પ્રતિભાવ વિપક્ષને સંતોષવામાં નિષ્ફળ રહ્યો છે.

કાયદા અનુસાર સર્વેલન્સના કિસ્સામાં – ચેક અને બેલેન્સ સાથે સંકળાયેલી એક જટિલ પ્રક્રિયા – તે સંરક્ષણ મંત્રાલય નથી, પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય છે.

વૈશ્વિક મીડિયા કન્સોર્ટિયમે અહેવાલ આપ્યો હતો કે ઘણા ભારતીય રાજકારણીઓ, પત્રકારો અને અન્ય લોકો ઇઝરાયેલી સ્પાયવેર દ્વારા દેખરેખનું લક્ષ્ય બની શકે છે ત્યારથી વિપક્ષ સરકાર પાસેથી જવાબોની માંગ કરી રહ્યો છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે, જેમાં NSO સાથેના કથિત કરાર સહિતના મુદ્દાની સ્વતંત્ર તપાસની માંગણી કરતી અરજીઓ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code