1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2.86 લાખ કેસ, સાજા થનારા દર્દીઓનો આંકડો 3 લાખથી વધુ
દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2.86 લાખ કેસ, સાજા થનારા દર્દીઓનો આંકડો 3 લાખથી વધુ

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2.86 લાખ કેસ, સાજા થનારા દર્દીઓનો આંકડો 3 લાખથી વધુ

0
Social Share
  • દેશમાં કોરોનાના કેસમાં રાહત
  •  સાજા થનારા દર્દીઓની સંખ્યા 3 લાખને પાર

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે કોરોનાના કેસોમાં દરરોજ વધઘટ દેખાઈ રહી છે, જો છેલ્લા 24 કલાની વાત કરવામાં આવે તો 2 લાખ 86 હજાર નવા કેસો સામે આવ્યા છે.જ્યારે 573 કોરોનાના દર્દીઓના મોત પણ થયા છે.જો કે આ સમગ્ર સ્થિતિ વચ્ચે એક સારી બબાત પણ સામે આવી છે,જે પ્રમાણે કોરોનાના 3 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 86 ગજાર 384 નવા કેસ નોંધાયા છે અને 573 લોકોના મોત થયા છે. આ દરમિયાન 3 લાખ 6 હજાર 357  લોકોએ કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે.

દેશમાં હવે  સક્રિય કેસની સંખ્યા વધીને 22 લાખ 23  હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખ 99 હજાર 73 લોકો કોરોનાથી સાજા થયા છે, આ સાથે જ દેશમાં હાલમાં રિકવરી રેટ 93.23 ટકા જોવા મળે છે. દૈનિક સંક્રમણ દર 16.16 ટકા અને સાપ્તાહિક સંક્રમણ દર 17.33 ટકા જોવા મળે  છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code