1. Home
  2. ગુજરાતી
  3. યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને રશિયા સહીસલામત બહાર કાઢશે
યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને રશિયા સહીસલામત બહાર કાઢશે

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને રશિયા સહીસલામત બહાર કાઢશે

0
Social Share

નવી દિલ્હીઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે રશિયા પણ આગળ આવ્યું છે. રશિયા દ્વારા 130 બસો તૈયાર કરવામાં આવી છે. આ બસો ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેન સરહદ પાર લઈ જશે. તેને રશિયાના બેલગોરોડ લાવવામાં આવશે. રશિયન નેશનલ ડિફેન્સ કંટ્રોલ સેન્ટરના વડા કર્નલ જનરલ મિખાઇલ મિગિતસેવે જણાવ્યું હતું કે ભારતીય અને અન્ય વિદેશી વિદ્યાર્થીઓને 130 બસો દ્વારા ખાર્કિવ અને સુમીથી રશિયા લાવવામાં આવશે.

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત ભારત સરકાર ઘણા દેશો સાથે સંપર્ક કરી રહી છે. આ ક્રમમાં ભારતે રશિયન એમ્બેસીનો પણ સંપર્ક કર્યો છે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે આ વાતની પુષ્ટિ કરી હતી. અલીપોવે કહ્યું હતું કે અમે ખાર્કિવ અને પૂર્વ યુક્રેનના અન્ય વિસ્તારોમાં ફસાયેલા ભારતીયો માટે અધિકારીઓના સંપર્કમાં છીએ. અમને ભારત તરફથી રશિયાના પ્રદેશ દ્વારા ત્યાં ફસાયેલા તમામ લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાની વિનંતીઓ મળી છે.

યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે યુક્રેને લગભગ 3,000 ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવ્યા છે. અમે ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. રશિયન સૈન્ય રહેણાંક વિસ્તારો પર હુમલો કરતું નથી. યુક્રેને આ વિસ્તારોમાં સૈનિકો અને ટેન્ક તૈનાત કરી છે. પુતિને કહ્યું કે યુક્રેનની સેના વિદેશીઓને જવા દેતી નથી. રશિયન સૈનિકોએ બંધકોને મુક્ત કર્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code