1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાશે
અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાશે

અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને યુવાધન નવરાત્રીની ઉજવણી કરવા માટે થનગની રહ્યાં છે. બે વર્ષથી કોરોના મહામારીને પગલે નવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી કરી શકાઈ ન હતી. જો કે, ચાલુ વર્ષે ધામધૂમથી ઉજવણી કરવાની તૈયારીઓ કરી રહ્યાં છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર અંબાજી, બહુચરાજી, પાવાગઢ સહિત 9 શક્તિ કેન્દ્ર સહિત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વાઈબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવશે એવો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. બે વર્ષથી નવરાત્રિમાં મા અંબાની આરાધના માત્ર ઘરમાં જ થતી હતી. આ વખતે સરકારે મંજૂરી આપતાં ગરબાની મજા માણી શકાશે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં નવરાત્રિ અંગે જાહેરાત કરશે.

નવરાત્રિને લઈને ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ વર્ષે રાજ્યમાં અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિપીઠો પર ગરબાનું આયોજન કરાશે. તદુપરાંત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન થશે. આ વખતે નવરાત્રિનું મહાપર્વ આગામી 26 સપ્ટેમ્બરના રોજ સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબરના રોજ બુધવાર સુધી ઊજવાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code