1. Home
  2. ગુજરાતી
  3. આજરોજથી કેદારનાથ ધામ અને યમનોત્રી ધામના કપાટ થશે બંધ
આજરોજથી કેદારનાથ ધામ અને યમનોત્રી ધામના કપાટ થશે બંધ

આજરોજથી કેદારનાથ ધામ અને યમનોત્રી ધામના કપાટ થશે બંધ

0
Social Share
  • આજે ગુરુવારથી કેદારનાથના કપાટ થશે બંધ
  • શિયાળામાં દર વર્ષે આ સમયગાળા પર કપાટ બંધ કરાય છે

દહેરાદૂરઃ- હવે દેશભરકમાં શિયાળાની ગુલાબી ઠંડીની શરુાત થઈ ચૂકી છે ત્યારે ભારતના જગપ્રખ્યાત ગણાતા અને ઉત્તરાખંમડમાં આવેલા મંદિરના કપાટ પણ બંધ થવા જઈ રહ્યા છે ,પ્રાપ્ત જાણકારી પ્રમાણે  ભાઈ બીજ નિમિત્તે ભગવાન કેદારનાથ ધામના દરવાજા સવારે 8:30 કલાકે બંધ કરવામાં આવશે.

આ સાથે જ 29 ઓક્ટોબરના રોજ, ડોલી શિયાળાની પૂજા બેઠક, ઓમકારેશ્વર મંદિર, ઉખીમઠમાં બિરાજમાન થશે. બીજી તરફ, બપોરે 12:9 વાગ્યે, યમુનોત્રી ધામમાં મા યમુના મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવશે અને માતાની ડોલી તેમના માતુશ્રી ઘરસાલી જવા રવાના થશે.

શિયાળા માટે વિજયાદશમીના તહેવાર પર ગંગોત્રી ધામના દરવાજા બંધ કરવાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. અન્નકૂટ ઉત્સવ પર વિતેલા દિવસે બુધવારે  બપોરે 12:01 કલાકે શિયાળા માટે ગંગોત્રી ધામના દરવાજા બંધ કરવામાં આવ્યા છે.આ સાથે જ આજ રોજ ગુરુવારે સવારે 4 વાગ્યાથી મુખ્ય પૂજારી ટી ગંગાધર લિંગ દ્વારા કેદારનાથ મંદિરમાં વિશેષ પૂજા શરૂ કરવામાં આવી હતી.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code