આ છે એક એવું કઠોળ જેને ખાવાથી અનેક લાભ થાય છે …સોયાબીનમાં સમાયેલા છે અનેક ગુણો
- જુંસોયાબીન આરોગ્યને કરે છે ફાયદો
- અશ્થમાની બીમારીમાં દવાનું કામ કરે છે સોયાબીન
આમ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કઠોર ખાવાથી આરોગ્ય તંદુરસ્ત રહે છે,શરીરમાં પુરતા પ્રમાણમાં વિટામિન્સ, પ્રોટીન આયરન કઠોળમાંથી પ્રાપ્ત થાય છે, જેમાં સોયાબીન એક એવું કઠોળ છે કે જેનું થોડુ ઘણું પણ સેવન જો કરવામાં આવે તો ઘણી બઘી બીમારીઓમાં રાહત મળી જાય છે, તો ચાલો જાણીએ સોયાબીનને કઈ રીતે ખોરાકમાં સામેલ કરવું જોઈએ અને તેને ખાવાથઈ શું શું ફાયદાઓ થાય છે.
કંઈ કંઈ રીતે સોયાબીનનું કરી શકાય છે સેવન જાણો
સૌ પ્રથમ સોયાબીનનું ડાયરેક્ટ શઆક બનાવાને ખાવું ભાવતું હોતું નથી, ઘણા જૂજ લોકો જ તેનું શાક બનાવતા હશે, પરંતુ તમે તેને બાફીને ચાટ બનાવીને ખાય શકો છો,
સૌયાબીને બાફતા પહેલા 6 થી 7 કલાક પાણીમાં પલાળી રાખો, ત્યાર બાદ તેમાં મીઠૂં નાખીને તેને બરાબર બાફીલો.
બાફેલા સોયાબીનમાં મકાઈના દાણા, મીઠું,મરીનો પાવડ, અને લીંબિનો રસ તથા સલાડ એડ કરીને ચાટ બનાવી તેનું સવારના નાસ્તામાં સેવન કરવું, આ ચાટથી આખો દિવસ એનર્જીભર્યો રહે છે, અને શરીર તંદુરસ્ત રહે છે.
આ સાથે જ તમે સોયાબીનને પલાળીને તેને મિક્સરમાં ક્રસ કરી તેવી વડી બનાવીને સુકવી દો, ત્યાર બાદ આ વડીનું શાક બનાવીને ખાઈ શકો છો.આ સાથે જ બાફેલા સોયાબીન પણ તમે ખાઈ શકો છો.તમે દિવસમાં 100 ગ્રામ સોયાબીન પણ ખાઈ શકો છો. 100 ગ્રામ સોયાબીનમાં પ્રોટીનનું પ્રમાણ લગભગ 36.5 ગ્રામ છે. દિવસમાં એકવાર તેનો ઉપયોગ કરવાથી તમારા શરીરને ઘણો ફાયદો થાય છે.
સોયાબીન ખાવાથી આરોગ્યને થાય છે લાભ-જાણો
સોયાબીન આપણા હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.તેમાં ભરપુર પ્રોટીન સમાયેલપું હોય છે. સોયા ચંક્સમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ રહેલા હોય છે અને તે આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે હૃદયને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે.
આ સાથે જ તમે અસ્થમા માટે સોયાબીનનું સેવન લાભદાયક ગણાય છે. જે ઇઓસિનોફિલ્સ સાથે સંકળાયેલ સોજાને ઘટાડવામાં સોયાબીન મદદ કરે છે .
પ્રોટીનની ઉણપને પહોંચી વળવા માંસાહારી લોકો ઈંડા, માછલી અને માંસનું સેવન કરે છે, પરંતુ જે લોકો શાકાહારી છે તેઓ પ્રોટીનયુક્ત ખોરાકની શોધમાં હોય છે. આવી સ્થિતિમાં, સોયાબીન તેમના માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થાય છે, કારણ કે તે ઇંડા, દૂધ અને માંસ કરતાં વધુ પ્રોટીન ધરાવે છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે સોયાબીન આ સાથે જ સોયાના કેટલાક ઘટકો એન્ટિ-એલર્જિક તરીકે કાર્ય કરે છે,સોયામાં જોવા મળતો આથા યુક્ત ફાઈબર એલર્જીક અસ્થમા મોડલમાં અસરકારક સાબિત થઈ શકે છે.
સોયાબીનમાં મળતા પોષક તત્વો હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે.
આ સાથે જ પ્રોટીનયુક્ત સોયાબીનનું સેવન મેટાબોલિક સિસ્ટમને સ્વસ્થ રાખે છે.સોયાબીનનું સેવન કોષોના વિકાસમાં અને ક્ષતિગ્રસ્ત કોષોના સમારકામમાં મદદ કરે છે.સોયાબીનનું સેવન માનસિક સંતુલન સુધારીને મનને તેજ કરવાનું કામ કરે છે.