Homeગુજરાતીહાથમાં ભગવો ધ્વજ લઈને પગપાળા અયોધ્યા પહોંચશે શબનમ ખાન, સપનામાં આવ્યા હતા...

હાથમાં ભગવો ધ્વજ લઈને પગપાળા અયોધ્યા પહોંચશે શબનમ ખાન, સપનામાં આવ્યા હતા પ્રભુ શ્રીરામ

બદાયૂં: માનવાધિકાર એક્ટિવિસ્ટ શબનમ ખાન પોતાના નિવેદનોને લઈને પહેલેથી જ ચર્ચામાં રહ્યા છે. હવે તેઓ દિલ્હીથી અયોધ્યાની પદયાત્રા પર છે. તેમનું કહેવું છે કે સપનામાં પ્રભુ રામ આવ્યા હતા, કહેવા લાગ્યા કે પગપાળા અયોધ્યા આવ. બસ બોરિયા-બિસ્તરા બાંધીને નીકળી પડી. હવે તો અયોધ્યા પહોંચીને જ ચેન મળશે.

હાથમાં ભગવા ધ્વજ અને જીભ પર જય શ્રીરામનો ઉદઘોષ કરતા શબનમ ખાન સોમવારે જિલ્લામાં કસ્બા નાધા પહોંચ્યા. અહીં હિંદુવાદી સંગઠનોના લોકોએ તેમનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે સપનામાં પ્રભુ શ્રીરામ આવ્યા હતા, તેમણે કહ્યુ હતુ કે જ્યારે મંદિર બન્યું ન હતું, ત્યારે તમે લડા હતા. હવે મંદિર બની ગયું છે, પગપાળા અયોધ્યા આવી જા. તેના પછી બોરિયા-બિસ્તરા બાંધીને અયોધ્યા માટે પગપાળા નીકળી પડી.

કેટલાક લોકોને અયોધ્યા જનારાઓને ટ્રેનમાં નહીં જા માટે ભડકાવવાના સવાલ પર કહ્યુ કે કોઈ કોઈને ભડકાવી શકતું નથી, જ્યાં સુધી આપણે ખુદ ગુમરાહ ન થઈએ. રાજનીતિના કારણે અત્યાર સુધી મુસ્લિમોને ડરાવાયા છે. ભારતના મુસ્લિમોની બાબર સાથે શું લેવા-દેવા.

જ્યારે મુંબઈથી અયોધ્યા યાત્રા પર આવી રહેલી શબનમ શેખને મળી રહેલી ધમકીને લઈને તેમણે કહ્યુ છે કે તે શબનમ શેખ સાથે છે. તેમણે કહ્યું છે કે ધમકી કોણ આપી રહ્યું છે. અલ્લાહનો ઈસ્લામ માનો, મુલ્લાઓની વાત સાંભળો નહીં. તેમણે કહ્યુ છે કે રામનામની ચાવી હંમેશા કોંગ્રેસની પાસે રહી, પરંતુ કોંગ્રેસે મંદિર બનાવવા મટે કંઈ કર્યું નથી.

સાંજે તેઓ ઉઝાની પહોંચ્યા, ત્યાં હિંદુવાદી સંગઠનોના લોકોએ તેમનું સ્વાગત કર્યું. રાત્રે ઉઝામી કસબામાં વિશ્રામ કર્યો. મંગળવારે આગળની યાત્રા પર તેઓ નીકળ્યા.

સંબંધિત લેખો

Most Popular