1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના ખોખરામાં એક દુકાનમાં ભીષણ આગ, મોટી દૂર્ઘટના ટળી
અમદાવાદના ખોખરામાં એક દુકાનમાં ભીષણ આગ, મોટી દૂર્ઘટના ટળી

અમદાવાદના ખોખરામાં એક દુકાનમાં ભીષણ આગ, મોટી દૂર્ઘટના ટળી

0
Social Share

અમદાવાદઃ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા જાણીતા ભજીયા હાઉસમાં આગની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં ખોખરા આઉટલેટમાં લોકપ્રિય ભજીયા હાઉસમાં આગ ફાટી નીકળી હતી. જેમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જો કે, આગની આ ઘટનામાં આસપાસની અન્ય પાંચેક દુકાનોને નુકસાન થયું હતું. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. દરમિયાન દુકાનમાં ગેસનો એક બાટલો પણ ફાટ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ફાયરબ્રિગેડ દ્વારા આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરાઈ છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code