1. Home
  2. ગુજરાતી
  3. જા કો રાખે સાંઈયા – માર શકે ના કોઈ: વેરાવળમાં ત્રણ માળનું ઘર થયું ધરાશાયી, 12 લોકોનો આબાદ બચાવ
જા કો રાખે સાંઈયા – માર શકે ના કોઈ: વેરાવળમાં ત્રણ માળનું ઘર થયું ધરાશાયી, 12 લોકોનો આબાદ બચાવ

જા કો રાખે સાંઈયા – માર શકે ના કોઈ: વેરાવળમાં ત્રણ માળનું ઘર થયું ધરાશાયી, 12 લોકોનો આબાદ બચાવ

0
Social Share
  • વેરાવળમાં ઘર થયું ધરાશાયી
  • 12 લોકોનો થયો આબાદ બચાવ
  • કોઈ જાનહાનીની ખબર નહી

ગીર- સોમનાથ: વેરાવળના મુખ્ય બજારમાં આવેલી ધાણીશેરીમાં મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. આ ઘટનામાં 3 માળનું મકાન ધરાશાયી થતા મકાનમાં રહેતા 12 સભ્યો દટાયા હતા અને સદનસીબે ઘરના તમામ સભ્યોને સુરક્ષિત બહાર નીકાળવામાં આવ્યા હતા.

જો કે એક કહેવત પણ છે કે જા કો રાખે સાંઈયા માર શકે ના કોઈ, તે કહેવત અત્યારે સાચી પડી હોય તેવું લાગી રહ્યું છે. જે મકાન ધરાશાયી થયું તેની બાજુમાં નવા બાંધકામ માટે ખાડો ખોદવામાં આવતા દુર્ઘટના સર્જાઈ હતી.

ઘટનાની જાણ તુંરત જ ફાયરના જવાનોને કરવામાં આવી ઈમરજન્સી કોલ મળતા જ ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી જો કે ભારે જહેમત બાદ ઘરના તમામ સભ્યોને સુરક્ષિત રીતે ઘરના કાટમાળમાંથી બહાર નીકાળવામાં આવ્યા હતા. ઘરવખરીનો સામાન અને દાગીના પણ દટાયા હોવાની જાણકારી સામે આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code