1. Home
  2. ગુજરાતી
  3. વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર બન્યો વર્લ્ડ રેકોર્ડ,87137 લોકોએ રક્તદાન કર્યું
વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર બન્યો વર્લ્ડ રેકોર્ડ,87137 લોકોએ રક્તદાન કર્યું

વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર બન્યો વર્લ્ડ રેકોર્ડ,87137 લોકોએ રક્તદાન કર્યું

0
Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે શનિવારે 15 દિવસનું રક્તદાન અભિયાન શરૂ થયું છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં 87137 લોકોએ રક્તદાન કર્યું છે, જે અત્યાર સુધીનો વર્લ્ડ રેકોર્ડ છે.અત્યાર સુધીમાં એક દિવસમાં 86000 લોકોએ રક્તદાન કર્યું જે એક વિશ્વ રેકોર્ડ હતો. અગાઉ, રક્તદાન અભિયાન અંતર્ગત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સફદરજંગ હોસ્પિટલમાં બનેલા કેમ્પમાં રક્તદાન કર્યું હતું.

કેન્દ્રીય મંત્રીએ લોકોને રક્ત દાન અમૃત મહોત્સવના ભાગરૂપે રક્તદાન કરવા આરોગ્ય સેતુ એપ અથવા ઈ-રક્તકોશ પોર્ટલ પર પોતાને રજીસ્ટર કરવા વિનંતી કરી હતી.આ તહેવાર 1 ઓક્ટોબર- રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ સુધી ઉજવવામાં આવશે.

એક સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર, આ અભિયાનનો ઉદ્દેશ્ય એક દિવસમાં એક લાખ યુનિટ રક્ત એકત્ર કરવાનો છે.આ ઉપરાંત લોકોને નિયમિત રક્તદાન કરવા અંગે જાગૃત કરવામાં આવશે.રક્તનું એક યુનિટ એટલે 350 મિલી રક્ત થાય છે.

કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, બિન-સરકારી અને સામુદાયિક સંસ્થાઓ અને અન્ય હિતધારકો આ અભિયાનમાં ભાગ લેશે.માંડવીયાએ આ પ્રસંગે આરોગ્ય સંભાળમાં સફદરજંગ હોસ્પિટલના યોગદાન પર પુસ્તક, ફુટપ્રિન્ટ્સ ઓફ ધ સેન્ડ્સ ઓફ ટાઈમનું વિમોચન પણ કર્યું.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code