1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. યુવક કોંગ્રેસ દ્વારા અંબાજીથી ઉંમરગામ અને સુઈગામથી સોમનાથ સુધી લોકજાગૃતિ માટે યાત્રા
યુવક કોંગ્રેસ દ્વારા અંબાજીથી ઉંમરગામ અને સુઈગામથી સોમનાથ સુધી લોકજાગૃતિ માટે યાત્રા

યુવક કોંગ્રેસ દ્વારા અંબાજીથી ઉંમરગામ અને સુઈગામથી સોમનાથ સુધી લોકજાગૃતિ માટે યાત્રા

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર શરૂ કરી દીધો છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન યુથ કોંગ્રેસ દ્વારા અંબાજીથી ઉંમરગામ અને સુઈગામથી સોમનાથ સુધીની યાત્રાનું આયોજન કરાયું છે.

ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ગત 5 તારીખે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમના દ્વારા કેટલાક મહત્વપૂર્ણ વચનો આપવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાતના યુવાનોને જાગૃત કરવા માટે યુથ કોંગ્રેસ દ્વારા બે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. બંને યાત્રામાં વિધાનસભાની 75 બેઠક કવર કરવામાં આવશે. યુથ કોંગ્રેસ દ્વારા યુવાનોને લઈને અપાયેલા વચનો દરેક યુવાનો સુધી પહોંચાડવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો પ્રથમ કેબિનેટની બેઠકમાં ગુજરાતના બેરોજગાર યુવકોને દર મહિને 3 હજારનું ભથ્થુ આપવામાં નિર્ણય લેવામાં આવશે અને નોકરીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિને નાબૂદ કરવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસ આવનારા સમયમાં 10 લાખ નોકરી આપવામાં આવશે. આ વચનને લઈને યુથ કોંગ્રેસ પરિવર્તન યાત્રા ગુજરાતભરમાં યોજાવા જઈ રહ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, આગામી તા.  22મી સપ્ટેમ્બરથી યુથ કોંગ્રેસ અંબાજીથી યાત્રા શરૂ કરશે. અંબાજીથી ઉમરગામ સુધીની પ્રથમ તબક્કાની યાત્રા નીકળશે, બીજા તબક્કામાં સૂઇગામથી સોમનાથ સુધીની યાત્રા નીકળશે. આ બંને યાત્રામાં ગુજરાતના 27 જેટલા જિલ્લા કવર કરવામાં આવશે. આ ઉપરાંત મશાલ યાત્રા, સમંલનો, બાઈક રેલીનું આયોજન કરવામાં આવશે. આ યાત્રા દરમિયાન યુથને વધુમાં વધુ કોંગ્રેસ તરફ આકર્ષિત કરવાના પ્રયાસ કરાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code