1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જન્માષ્ટમીના તહેવારો બાદ સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 60નો વધારો ઝીંકાયો
જન્માષ્ટમીના તહેવારો બાદ સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 60નો વધારો ઝીંકાયો

જન્માષ્ટમીના તહેવારો બાદ સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 60નો વધારો ઝીંકાયો

0
Social Share

અમદાવાદઃ મોંઘવારી કૂદકે ને ભુસકે વધતી જાય છે. સરકારના દબાણને કારણે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ખાદ્યતેલના ભાવ અંકુશમાં રહ્યા બાદ તહેવારો પૂર્ણ થતાં જ ખાદ્યતેલમાં વધારો થયો છે. જેમાં સિંગતેલનો ડબ્બોનો ભાવ 2900 રૂપિયાને પાર કરી ગયો છે. બે દિવસમાં સિંગતેલના ડબામાં 60 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જોકે પામ તેલના ભાવમાં રૂપિયા 165 નો ઘટાડો નોંધાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સાતમ આઠમના તહેવારો નજીક આવતાની સાથે જ તેલના ભાવમાં વધારો થતો હોય છે. ત્યારે તહેવારો પૂર્ણ થતા જ તેલના ભાવમાં વધારો યથાવત જોવા મળી છે. સિંગતેલના ડબામાં 60 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. સિંગતેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલ ડબ્બાનો ભાવ 2900 રૂપિયાને પાર પહોંચ્યો છે. તો બીજી તરફ, પામોલિન તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તહેવારમાં કમાઈ લેવા પામતેલના ભાવ સટોડિયાઓએ ઘટવા ન દીધા. હવે તહેવારો બાદ પામતેલના ડબ્બાના ભાવમાં ઘટાડો થતા 1920 -1925 ના ભાવે પહોંચ્યું છે. તહેવારો પૂર્ણ થયા બાદ ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલના ભાવમાં વધારો આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. મહત્વનું છે કે, ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ, ખાદ્યચીજોમાં ભેળસેળ કે વાસી દાઝ્યુ તેલ વાપરવાનું જોખમ પણ વધ્યું છે. ખાદ્યતેલોમાં ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code