1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ-નવી દિલ્હી સૂવર્ણ જ્યંતિ રાજધાની એક્સપ્રેસ હવે કાળુપુર નહીં સાબરમતીથી દોડશે
અમદાવાદ-નવી દિલ્હી સૂવર્ણ જ્યંતિ રાજધાની એક્સપ્રેસ હવે  કાળુપુર નહીં સાબરમતીથી દોડશે

અમદાવાદ-નવી દિલ્હી સૂવર્ણ જ્યંતિ રાજધાની એક્સપ્રેસ હવે કાળુપુર નહીં સાબરમતીથી દોડશે

0
Social Share

અમદાવાદઃ શહેરના કાળુપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. કાળુપુર રેલવે સ્ટેશનને  વિશ્વ સ્તરીય સ્ટેશન તરીકે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. આથી કેટલીક ટ્રેનોના પ્રસ્થાન અને આગમન સાબરમતી અને ગાંધીનગરથી થશે. જેમાં તા.7મીને રવિવારથી અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણજયંતિ રાજધાની એક્સપ્રેસ કાળુપુર રેલવે સ્ટેશનને બદલે સાબરમતી રેલવે સ્ટેશનથી ચલાવવામાં આવશે અને સાબરમતી સ્ટેશન પર જ ટર્મિનેટ (સમાપ્ત) થશે.

પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં કાળુપુર રેલવે સ્ટેશનના રિડેવલેપને કારણે  કેટલીક ટ્રેનોના ટર્મિનલને ગાંધીનગર કેપિટલ અથવા સાબરમતી ખસેડવામાં આવ્યા છે. ટર્મિનલોમાં આ પરિવર્તન પરિચાલનમાં ફ્લેક્સિબિલિટી પ્રદાન કરશે, કાળુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ ઘટાડશે. મુસાફર સેવાઓને વધારવા અને ઉન્નત કરવામાં મદદ કરશે અને અમદાવાદ શહેર વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓ ઝડપી અમલને સક્ષમ કરશે. 7 એપ્રિલ, 2024થી અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણજયંતિ રાજધાની એક્સપ્રેસ કાળુપુર રેલવે સ્ટેશનને બદલે સાબરમતી રેલવે સ્ટેશનથી ચલાવવામાં આવશે અને સાબરમતી સ્ટેશન પર જ ટર્મિનેટ (સમાપ્ત) થશે.

ટ્રેન નંબર-12957 અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસનું ટર્મિનલ 7 એપ્રિલ, 2024થી સાબરમતી ખાતે શિફ્ટ કરવામાં આવશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી 19.05 કલાકે પ્રસ્થાન કરશે. એવી જ રીતે, ટ્રેન નંબર-12958 નવી દિલ્હી-અમદાવાદ સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ 6 એપ્રિલ, 2024થી (યાત્રા પ્રારંભ કરવાવાળી) સાબરમતી સ્ટેશન પર ટર્મિનેટ (સમાપ્ત) થશે અને આ સાબરમતી સ્ટેશન 08.05 કલાકે પહોંચશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

રેલવેની યાદીમાં જણાવાયું છે કે, ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત હવે દરેક જગ્યાએ ઓનલાઇન પેમેન્ટ કરવામાં આવે છે. હવે રેલવે દ્વારા પણ ઓનલાઇન પેમેન્ટ શરૂ કરવામાં આવ્યું છે. પશ્વિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા પ્રાયોગિક ધોરણે QR કોડ-ડિજિટલ પેમેન્ટની સુવિધા અમદાવાદ અને ગાંધીધામ રેલવે સ્ટેશનો પર શરૂ કરવામાં આવી છે. અમદાવાદના કાલુપુર સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર 4 કાઉન્ટર અને ગાંધીધામ સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર 3 કાઉન્ટર પર આ સુવિધાનો લાભ લઈ શકાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code