1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં એલિસબ્રિજનું 26,78 કરોડના ખર્ચે મજબુતીકરણ કરીને હેરિટેજ સ્થળ તરીકે વિક્સાવાશે
અમદાવાદમાં એલિસબ્રિજનું 26,78 કરોડના ખર્ચે મજબુતીકરણ કરીને હેરિટેજ સ્થળ તરીકે વિક્સાવાશે

અમદાવાદમાં એલિસબ્રિજનું 26,78 કરોડના ખર્ચે મજબુતીકરણ કરીને હેરિટેજ સ્થળ તરીકે વિક્સાવાશે

0
Social Share

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં અંગ્રેજોના શાસનકાળમાં બનેલો 130 વર્ષ જૂનો ઐતિહાસિક એલિસબ્રિજને વર્ષોથી વાહન વ્યવહાર માટે બંધ કરાયેલો છે. આ બ્રિજ હેરિટેજ સમો હોવાથી તેની જાળવણી માટે દરકાર લેવામાં આવી રહી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એલિસબ્રિજનું રૂ. 26.78 કરોડના ખર્ચે મજબૂતીકરણ કરવામાં આવશે. એલિસબ્રિજને મજબૂત કર્યા બાદ વચ્ચેનો ભાગ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આર્ક્ટિક્ચરલ એલીમેન્ટસ અંતર્ગત બ્રિજ પર ડેકોરેટીવ પ્લાન્ટેશન તથા બેઠક વ્યવસ્થા હશે. હેરિટેજ સ્થળ તરીકે પણ આ બ્રિજને વિકસાવવામાં આવી રહ્યો છે. એટલે શહેરીજનોને ફરવા માટેનું વધુ એક સ્થળ મળી રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં વર્ષો જુના એલિસબ્રિજને સ્પેશિયલ સ્ટ્રેધનિંગ અને રિસ્ટોરેશન કરવા અંગેની દરખાસ્ત મુકવામાં આવી છે. જેમાં 132 વર્ષ જૂના સ્ટીલ સ્ટ્રક્ચરનો બ્રિજ ખૂબ જ જૂનો અને જર્જરિત થયો હોવાથી ડિઝાઇન કન્સલ્ટન્ટના રિપોર્ટ બાદ બ્રિજને સ્પેશિયલ સ્ટ્રેધનિંગ અને રિસ્ટોરેશન માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં એક કંપનીને 36.60 ટકા વધુ ભાવથી કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મુકવામાં આવી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાબરમતી નદી પરનો સર્વપ્રથમ અંગ્રેજ શાસનકાળ દરમિયાન 1892માં એટલે કે 132 વર્ષ પહેલા સ્ટીલ સ્ટ્રક્ચરના 14 સ્પાનનો આર્ચ ટાઈપ બો- સ્ટ્રીંગ ટાઈપનો સ્ટીલ સ્ટ્રકચરનો હેરીટેજ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. તત્કાલિન સમયે આ બ્રિજ માત્ર 4 લાખ રૂપિયામાં બનાવવામાં આવ્યો હતો. બ્રિજની કુલ લંબાઈ 433.41 મીટર અને પહોળાઈ 6.25 મીટરની છે. બ્રિજમાં 30.96 મીટરના કુલ 14 સ્પાન બો-સ્ટ્રીંગ ટાઈપનો સ્ટીલ સ્ટ્રકચર બનાવવામાં આવ્યો છે. ફાઉન્ડેશનમાં 1.83 મીટર ડાયાના બે સિલ્ડીરીકલ સ્ટીલ પાઈલ દરેક સ્પાનના છેડે આપવામાં આવ્યા છે. જેમાં પીયર પોર્શનમાં 1.52 મીટર ડાયાના સિલ્ડીરીકલ પીયર કોસ બેગ્નીંગ સાથે આપવામાં આવ્યા છે. એલિસબ્રિજનો હેરીટેજ મોન્યુમેન્ટમાં સમાવિષ્ટ થયેલો છે. બ્રિજને થયેલા નુકશાન અંગેનો એક્ષપર્ટ ડીઝાઈન કન્સલટન્ટ એજન્સી પાસે મેટલર્જિકલ સર્વે કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા સ્ટ્રેધનિંગ કામગીરીમાં મુખ્ય ટ્રસના જોઇન્ટસ રીપેર કરવા, નીચેના ભાગે આવેલા ગર્ડર, સ્ટ્રીન્જર્સ તેમજ જોઈન્ટસ બદલવામાં આવશે. નવી બેરીંગ ઇન્સ્ટોલ, કોમ્પોઝીટ પીયર સ્ટ્રકચર વચ્ચેના લેસીંગ તથા બ્રેસીંગ જરૂર મુજબ બદલવામાં આવશે. હયાત પીયરને કોરોઝનથી બચાવવા માટે એન્ટી કોરોઝન ટ્રીટમેન્ટ અંતર્ગત એનોડ લગાવાશે. બોટમ ડેક સ્લેબ જર્જરિત થઈ ગયા હોવાથી હોય તેને દુર કરી નવો કરાશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code