1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચૂંટણીના પડઘમ વાગતા અમિત શાહ આજે ગુજરાત આવશે, ભાજપની કાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક
ચૂંટણીના પડઘમ વાગતા અમિત શાહ આજે ગુજરાત આવશે, ભાજપની કાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

ચૂંટણીના પડઘમ વાગતા અમિત શાહ આજે ગુજરાત આવશે, ભાજપની કાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગમે ત્યારે જાહેર થાય તેવી શક્યતા છે. ત્યારે ભાજપ સહિત તમામ રાજકિય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા બાદ હવે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા રહ્યા છે. આવતી કાલે એટલે કે,તા.3જી નવેમ્બરને ગુરૂવારે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. આ બેઠકમાં ઉમેદવાની પસંદગી અંગે મંથન કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત  કોઈપણ સમયે  થઈ શકે છે. મોરબી હોનારતને પગલે એક દિવસના રાજ્ય વ્યાપી રાજકીય શોક જાહેર થયો હોવાથી પ્રદેશ ભાજપે ઉમેદવારો નક્કી કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગુરૂવારથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બેઠક પહેલાં ભાજપના સંગઠનના કાર્યક્રમો અને બેઠકો માટે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચ આજ કાલમાં ચૂંટણીની જાહેરાત કરે તેવુ રાજકીય પક્ષોમાં ચર્ચાઈ રહ્યું છે.ગુજરાતના સહ પ્રભારી સુધીર ગુપ્તા પણ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવીને ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપે 182 બેઠકોમાં ઉમેદવારો શોધવા કરેલી સેન્સ પ્રક્રિયામાં 3500થી વધુ  નેતાઓ અને કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી છે. સેન્સની પ્રકિયા ભાજપના નિરીક્ષકો દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. જેના બેઠકદીઠ અહેવાલો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને પહોંચાડી દેવામાં આવ્યાં છે. પ્રદેશ બોર્ડની ત્રણ દિવસની બેઠકમાં એક બેઠક પર જીતી શકે તેવા પાંચ ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરીને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે. જેના આધારે ચૂંટણમાં ટિકીટ ફાળવવામાં આવશે.ગુજરાતના સહ પ્રભારી સુધીર ગુપ્તા બે  દિવસના ગુજરાતના પ્રવાસે  આવીને ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે. આગામી દિવસોમાં ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાત આવશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ત્રીજી નવેમ્બરે બપોર પછી જાહેર થાય તેવી શક્યતા છે. દિલ્હીથી ભારતીય ચૂંટણી પંચના કમિશનર બપોર બાદ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં ચૂંટણી જાહેર કરશે જેમાં મતદાન અને મતગણતરીની તારીખ સહિતની ઘોષણા થશે.  ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો રહ્યા તે ખબર પડશે.  આ રીતે જોઇએ તો બન્ને તબક્કામાં ઉમેદવારોને પોતાના પ્રચાર માટે પંદર દિવસ કે તેથી ઓછો સમય મળશે. જો કે ચૂંટણી પંચ પોતે જ ચૂંટણીના જાહેરનામાંથી લઇને મતદાનની તારીખ વચ્ચે 21 દિવસનો સમય રાખવાના સિદ્ધાંતમાં માને છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો એક સાથે જ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પરિણામો 8મી ડિસેમ્બરે જાહેર કરવાનું પંચ દ્વારા જાહેર કરાયું છે. એટલે ગુજરાતની ચૂંટણીના પરિણામો પણ 8મી ડિસેમ્બરે જ જાહેર કરાશે. તે જોતા ચૂંટણીના પરિણામો જાહેર થઇ જાય તે પછી 16 ડિસેમ્બરથી કમૂરતા બેસી જાય છે. આમ ગુજરાતમાં નવી ચૂંટાનારી સરકારની શપથવિધી 12 ડિસેમ્બરની આસપાસ થઇ શકે છે. મુખ્યમંત્રીના નામની જાહેરાત બાદ તેઓ પોતાના મંત્રીમંડળના સભ્યોનું ચયન કરીને તેમની શપથવિધી પણ ઝડપથી આટોપી લેશે. ( file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code