1. Home
  2. ગુજરાતી
  3. બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ, પીએમ મોદી એ પાઠવી શ્રદ્ધાંજલિ
બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ, પીએમ મોદી એ પાઠવી શ્રદ્ધાંજલિ

બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ, પીએમ મોદી એ પાઠવી શ્રદ્ધાંજલિ

0
Social Share

દિલ્હી – ભારતનું બંધારણ લખનાર ડૉ. ભીમરાવ આંબેડકરની આજ રોજ 6 ડિસેમ્બરના  દિવસે પુણ્યતિથિ છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. બાબા સાહેબનું નિધન 6 ડિસેમ્બર 1956ના રોજ થયું હતું.

ઉલ્લેખનીય છે કે  બાબાસાહેબ એક મહાન અર્થશાસ્ત્રી, ન્યાયશાસ્ત્રી, રાજકારણી તેમજ સમાજ સુધારક હતા. તેમણે જીવનભર દલિત જાતિના કલ્યાણ અને સ્વતંત્રતા માટે કામ કર્યું. તેમની પુણ્યતિથિ પર પીએમ મોદીએ  કહ્યું હતું કે આદરણીય બાબા સાહેબે તેમનું જીવન શોષિત અને વંચિતોના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું.

બાબા સાહેબ બંધારણના નિર્માતા હોવા ઉપરાંત તેઓ સામાજિક સમરસતાના સુધારવાદક  હતા તેમણે જતી સાથે થતાં ભેદભાવનો વિરોધ કરી સમાજમાં દરેકને સન્માન અને સરખું સ્થાન અપાવ્યું છે

પીએમ મોડી એ આજ રોજ  આંબેડકર વિશે વધુમાં જણાવ્યું હતું કે, ‘જેઓ દલિત પરિવારમાંથી આવ્યા હતા અને વંચિતોના હિતોને સમર્થન આપીને ભારતીય રાજકારણમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ બન્યા હતા.’ સમાજમાં ભેદભાવ સામે ઝુંબેશ શરૂ કરી સુધારા લાવ્યા હતા . 

  બાબાસાહેબનું નિધન 6 ડિસેમ્બર 1956ના રોજ થયું હતું. તેમના મૃત્યુથી, નેતાઓ, ખાસ કરીને દલિત પૃષ્ઠભૂમિના, શિક્ષણ, બંધારણીય આંદોલન અને અનુસૂચિત જાતિ, એક પ્રભાવશાળી મતદાન જૂથ અને અન્ય નબળા વર્ગો માટે એકીકરણ માટે આંબેડકરના પ્રયત્નોની આસપાસ રેલી કરી છે. બાબાસાહેબ એક મહાન અર્થશાસ્ત્રી, ન્યાયશાસ્ત્રી, રાજકારણી તેમજ સમાજ સુધારક હતા. તેમણે જીવનભર દલિત જાતિના કલ્યાણ અને સ્વતંત્રતા માટે કામ કર્યું. તેમણે સમાજમાં ભેદભાવ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code