1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતીય વિકાસ મંચઃ યુવાઓને રાષ્ટ્ર ગૌરવનો બોધ કરાવવા રવિવારે ‘યજ્ઞ’ કાર્યશાળાનું આયોજન
ભારતીય વિકાસ મંચઃ યુવાઓને રાષ્ટ્ર ગૌરવનો બોધ કરાવવા રવિવારે ‘યજ્ઞ’ કાર્યશાળાનું આયોજન

ભારતીય વિકાસ મંચઃ યુવાઓને રાષ્ટ્ર ગૌરવનો બોધ કરાવવા રવિવારે ‘યજ્ઞ’ કાર્યશાળાનું આયોજન

0
Social Share

અમદાવાદ: ભારતીય વિચાર મંચના યુવા આયામ દ્વારા ‘યજ્ઞ કાર્યશાળા 2022’નું આયોજન અમદાવાદ ખાતે એ.એમ.એ. પરિસરમાં આવતીકાલે 26 જૂન 2022ના રોજ કરવામાં આવ્યું છે.

યજ્ઞ (YAGNA – Youth Awareness for Greater National Awakening: An Interactive Discourse for Better Future) નો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય વાયુ શક્તિમાં રાષ્ટ્રના ‘સ્વ’ પ્રત્યે ગૌરવનો અનુભવ થાય અને ભારતની સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફની યાત્રા સ્વત્વ જગાડવા પ્રેરણા આ યુવા શક્તિ ધારણ અને ચિંતન કરે તેવી પરિકલ્પના છે.

આ કાર્યશાળાની મુખ્ય વિષય વસ્તુ ભારતની સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફથી યાત્રા વિશે યુવા શક્તિમાં વિમર્શ ઉભો થાય તે રહેશે. આ કાર્યશાળામાં ગુજરાત રાજ્યના 16 જિલ્લાઓથી કુલ 250 પસંદગી કરેલા યુવા બાગ લેશે.

૪ સત્રની આ કાર્યશાળામાં પ્રખ્યાત સાપ્તાહિક, ‘ઓર્ગેનાઈઝર’ના સંપાદક પ્રફુલ્લ કેતકર, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગુરુપ્રકાશ પાસવાન અને વૈચારિક ક્ષેત્રે કાર્યરત પ્રજ્ઞા પ્રવાહની કેન્દ્રીય ટીમના સદસ્ય દીપક શર્મા ઉપસ્થિત રહેશે.

આ એક દિવસીય કાર્યશાળાના માધ્યમથી યુવા શક્તિ ભારતીય સ્વાધીનતાના અમૃત મહોત્સવનું ગૌરવ અનુભવે અને ભારતીય સમાજને આગામી પડકારો સામે સશક્ત કરે તેવી પરિકલ્પના ભારતીય વિચાર મંચ , ગુજરાતના યુવા આયામની છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code