
બોલિવૂડનું ચર્ચિત કપલ આલિયાભટ્ટ-રણબીર કપૂર ફાઈનલી કરી રહ્યા છે લગ્ન – વેડિંગ ડેટ આવી સામે
- આલિયાભટ્ટ અને રણબીર કપૂર કરવા જઈ રહ્યા છએ લગ્ન
- લગ્નની તારીખ આવી સામે
- 17 એપ્રિલના રોજ આ કપલ સાત ફેરા લેશે
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની જોડીની ચર્ચાઓ ચારેબાજૂ જોવા મળે છે, આ કપલ હંમેશા સચામારોની હેડલાઈન બનતું રહેતું હોય છે અવાર નવાર તેઓ એકબીજાની સાથે જોવા મળી રહ્યા છએ, કોરોનાકાળ પહેલાથી જઆ કપલના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે જો કે કોરોનાની સ્થિતિના કારણે અનેક વખત લગ્ન ટાળવામાં આવ્યા છએ ત્યારે હવે આલિયા-રણબીરના ચાહકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે.
જાણકારી મળી રહી છે કે આ કપલ હવે એપ્રિલ મહિનામાં જ સાત ફેરા લેવા જઈ રહ્યું છે, 17 એપ્રિલના રોજ રણબીર અને આલિયા લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા ઘણઈ વખત આ કપલના લગ્નને લઈને તારીખો જોહેર થઈ ચૂકી છે.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને લઈને અટકળો આવી રહી છે. પહેલા એવા અહેવાલ હતા કે રણબીર અને આલિયા આ મહિનાના બીજા સપ્તાહમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્નની વિધિ મુંબઈના ચેમ્બુર સ્થિત આરકે હાઉસમાં કરવામાં આવશે. જો કે, જ્યારે રણધીર કપૂરને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તેઓ આ વિશે કઈજ જાણતા નથી. તમામ અટકળો વચ્ચે હવે રણબીર અને આલિયાના લગ્નની તારીખ આવી ગઈ છે.
અચાનક લગ્ન લેવાનું કારણ છે આલિયા ભટ્ટના નાના
રણબીર અને આલિયાના લગ્ન બોલિવૂડમાં સૌથી વધુ ચર્ચિત લગ્નોમાંથી એક બનવા જઈ રહ્યા છે. તેમીડિયા રિપોર્ટમાં કપલની નજીકના એક સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે રણબીર-આલિયા 17 એપ્રિલે લગ્ન કરશે. આલિયાના દાદાની તબિયત નાજુક છે, જેના કારણે કપલ એપ્રિલના બીજા સપ્તાહમાં લગ્ન કરવાનું વિચારી રહ્યું હતું. સૂત્રએ કહ્યું, “આલિયાના દાદા એન રાઝદાન આલિયાને રણબીર સાથે લગ્ન કરતી જોવા માંગે છે. 17 એપ્રિલે એક ખૂબ જ અંગત લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફક્ત પરિવાર અને નજીકના લોકો જ સામેલ થશે. લગ્ન આરકે સ્ટુડિયોમાં યોજાશે