1. Home
  2. ગુજરાતી
  3. ઉદયપુરમાં હત્યાનો શિકાર બનેલા કન્હૈયાલાલના બન્ને પુત્ર઼ોને અપાશે સરકારી નોકરી
ઉદયપુરમાં હત્યાનો શિકાર બનેલા કન્હૈયાલાલના બન્ને પુત્ર઼ોને અપાશે સરકારી નોકરી

ઉદયપુરમાં હત્યાનો શિકાર બનેલા કન્હૈયાલાલના બન્ને પુત્ર઼ોને અપાશે સરકારી નોકરી

0
Social Share
  •  હત્યાનો શિકાર બનેલા કન્હૈયાલાલના બન્ને પુત્રોને સરકારનો સાથે
  • બન્ને પુત્રોને અપાશે સરકારી નોકરી

 

ઉદયપુરઃ- તાજેતરમાં ઉદયપુરમાં  ટ્રેલસ કન્હૈયાલાલની હત્યાની ઘટના બની હતી ત્યારથી લઈને દેશભરમાં આરોપીને સજાની માંગ કરાી હતી આ સાથે જ મૃતકના પરિવારની મદદે સરકારે પણ હાથ લંબાવ્યો હતો,રાજ્યસરકાર તથા કેન્દ્ર સરકારે પરિવારને આર્થિક નમદદની જાહેરાત કરી હતી જો કે હવે આતંકવાદી ઘટનામાં જીવ ગુમાવનાર કન્હૈયા લાલના બંને પુત્રોને સરકારી નોકરી મળશે.

આ મામલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની કેબિનેટે આને મંજૂરી આપી દીધી છે. કારણ કે તેમના પરિવારમાં કન્હૈયા લાલ એક માત્ર વ્યક્તિ હતા જે કમાતા હતા. પરંતુ હવે તેની હત્યા કરવામાં આવી છે. કન્હૈયા લાલના બંને પુત્રોને સરકારી નોકરી આપવા માટે સરકારે નિયમોમાં પણ ફેરફાર કરવો પડ્યો છે.

ઉલ્જલેખનીય છે કે કન્હૈયા લાલની ઉદયપુરમાં તેની દુકાનમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બે ઈસ્લામિક આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી હતી, જેઓ ફરાર થઈ ગયા બાદ રાજસ્થાન પોલીસે બન્નેની ધરપકડ કરી હતી.

વિતેલા દિવસને બુધવારના રોજ  કેબિનેટની બેઠક બાદ પ્રતાપસિંહ ખાચરિયાવાસ અને મમતા ભૂપેશે પ્રેસ બ્રીફિંગ કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે ઉદયપુરની ઘટનામાં જીવ ગુમાવનાર કન્હૈયાલાલ તેલીના પુત્રોને સરકારી નોકરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જ્યારે હવે આ નિર્ણય બાદ કન્હૈયાલાલ તેલીના પુત્રો યશ તેલી અને તરૂણ તેલીને નોકરી આપવાનો રસ્તો સાફ થઈ ગયો છે. તેમણે કહ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે સરકારે તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા હતા અને  આતંકીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા છેવટે આતંકીઓ ઝડપાયા હતા

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code