1. Home
  2. ગુજરાતી
  3. BSFનો 57મો સ્થાપના દિવસ- ગૃહમંત્તી શાહ એ શહીદોને આપી શ્રદ્ધાંજલિ,કહ્યું ‘બલિદાન આપવામાં બીએસફના જવાનો સૌથી મોખરે’
BSFનો 57મો સ્થાપના દિવસ- ગૃહમંત્તી શાહ એ શહીદોને આપી શ્રદ્ધાંજલિ,કહ્યું ‘બલિદાન આપવામાં બીએસફના જવાનો સૌથી મોખરે’

BSFનો 57મો સ્થાપના દિવસ- ગૃહમંત્તી શાહ એ શહીદોને આપી શ્રદ્ધાંજલિ,કહ્યું ‘બલિદાન આપવામાં બીએસફના જવાનો સૌથી મોખરે’

0
Social Share
  • આજે બીએસએફનો 57મો સ્થાપના દિવસ
  • અમિતશાહે જેસલમેપ ખાતે સમારોહનું આયોજનમાં હાજરી આપી
  • બીએસએફના શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

 

ઉદયપુરઃ- આજરોજ જેસલમેરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના 57માં સ્થાપના દિવસ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બીએસએફની સ્થાપના બાદ પ્રથમ વખત દેશની સરહદે આવેલા જિલ્લામાં આ સમારોહ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પરંપરા ચાલુ રાખવી જોઈએ.

અમિત શાહે પોતાના સંબોધનમાં  કહ્યું કે દેશના પોલીસ દળ, બીએસએફ અને સીઆરપીએફના 35 હજારથી વધુ જવાનોએ અલગ-અલગ જગ્યાઓ પર બલિદાન આપ્યા છે. મને ગર્વ છે કે બીએસએફ સૌથી આગળ છે. તેમણે કહ્યું કે સમગ્ર દેશ વતી હું એવા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. કહ્યું કે આજે બીએસએફ વિશ્વની સૌથી મોટી સરહદ રક્ષક દળ છે.

આજના આ ખાસ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે સીમા સુરક્ષા દળ આપણી પ્રાથમિક સંરક્ષણ રેખા છે. અમારી સરકાર માટે રાષ્ટ્રીય સુરક્ષા એટલે સરહદોની સુરક્ષા. સરહદોની સુરક્ષા માટે બીએસએફને વિશ્વસ્તરીય સુવિધાઓ અને ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહી છે. અમારી સરકાર પણ આ માટે પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે ગૃહમંત્રીએ BSF જવાનોને મેડલ આપીને સન્માનિત પણ કર્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code