1. Home
  2. ગુજરાતી
  3. નાગાલેન્ડમાં ફાયરિંગની ઘટના બાદ ગ્રામજનોમાં રોષ, સુરક્ષાદળોની ગાડીને કરી આગચંપી
નાગાલેન્ડમાં ફાયરિંગની ઘટના બાદ ગ્રામજનોમાં રોષ, સુરક્ષાદળોની ગાડીને કરી આગચંપી

નાગાલેન્ડમાં ફાયરિંગની ઘટના બાદ ગ્રામજનોમાં રોષ, સુરક્ષાદળોની ગાડીને કરી આગચંપી

0
Social Share
  • નાગાલેન્ડમાં ફાયરિંગની ઘટના બાદ ગ્રામજનોમાં રોષ
  • સુરક્ષા દળોના અનેક વાહનોને કરી આગચંપી
  • આ કેસની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી

નવી દિલ્હી: શનિવારની રાત્રી દરમિયાન નાગાલેન્ડમાં અંધાધૂંધીનો માહોલ જોવા મળ્યો હતો. નાગાલેન્ડ ખાતે શનિવારે રાત્રિના સમયે ફાયરિંગની ઘટના બની હતી. આ ફાયરિંગને કારણે સવાર સુધીમાં 13 લોકોનાં મોત થયા છે. ફાયરિંગની ઘટના બાદ અહીંયાના ગ્રામીણો ભડક્યા છે અને આગચંપી કરી છે.  આ ઘટના નાગાલેન્ડના મોન જીલ્લાના ઓટિંગ ખાતેની છે.  ગ્રામજનોએ સુરક્ષાદળોની ગાડીઓને આગચંપી કરી હતી.

અત્યારે નાગાલેન્ડમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે ત્યારે આ વચ્ચે નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયો રિયોએ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. આ કેસની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, મોનના ઓટિંગ ખાતે નાગરિકોની હત્યાએ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય ઘટના છે. હું શોક સંત્પત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો શીઘ્ર સ્વસ્થ થાય તેવી કામના કરું છું.

આ ઘટનાને લઇને ગૃહ મંત્રી અમિત શાહે પણ શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, નાગાલેન્ડ ખાતેની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી ખૂબ જ વ્યથિ છું. જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દ્વારા ગઠિત કરાયેલી એક ઉચ્ચ સ્તરીય SIT આ ઘટનાની તપાસ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code