1. Home
  2. ગુજરાતી
  3. અંતે મિરાજનું ચોરાયેલું ટાયર મળ્યું – ચોરે કહ્યું – ટ્રકનું પૈડું સમજીને ચોરી કરી હતી
અંતે મિરાજનું ચોરાયેલું ટાયર મળ્યું – ચોરે કહ્યું – ટ્રકનું પૈડું સમજીને ચોરી કરી હતી

અંતે મિરાજનું ચોરાયેલું ટાયર મળ્યું – ચોરે કહ્યું – ટ્રકનું પૈડું સમજીને ચોરી કરી હતી

0
Social Share
  • મિરાજનું ચોરાયેલું ટાયર મળ્યું
  • ચોરે કહ્યું – ટ્રકનું પૈડું સમજીને લઇ ગયા હતા
  • તેના પર વધુ કાર્યવાહી ચાલુ

નવી દિલ્હી: થોડાક દિવસ પહેલા લખનૌથી લડાકૂ વિમાન મિરાજનું પૈડી ચોરાયું હતું. આ પૈડું હવે મળી ગયું છે. જે ચોરોએ તે પૈડાની ચોરી કરી હતી તેમણે જ તેને પરત કરી દીધું છે. ચોરોએ એવુ કહ્યું હતું કે, તેઓને ખબર નહોતી કે તે મિરાજનું ટાયર છે. તેઓ તેને ટ્રકનું ટાયર સમજી બેઠા હતા.

એક નિવેદન બહાર પાડીને લખનૌ પોલીસ કમિશનરે ટાયર મળી ગયું  હોવાની પુષ્ટિ કરી છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે, 2 યુવકોએ બીકેટી એરફોર્સ સ્ટેશન ખાતે અધિકારીઓને આ ટાયર સોંપી દીધું છે. આ ટાયર શહીદ પથના કિનારેથી ચોરી થયુ હતું.

આ ટાયરની ચોરી દીપરાજ અને હિમાંશુ નામના યુવાનોએ કરી હતી. સંબંધની દૃષ્ટિએ દીપરાજ અને હિંમાશુનો ફુઆ છે. 26 નવેમ્બરની રાતે 10.30 થી 10.45 વચ્ચે શહીદ પથ ખાતેથી એક ટાયર મળ્યું હતું જેને તેઓ ટ્રકનું ટાયર સમજીને ઘરે લઇ ગયા હતા. બાદમાં 03 ડિસેમ્બરના રોજ સમાચાર માધ્યમો દ્વારા મિરાજનું ટાયર ચોરાયું હોવાની જાણ થઇ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code