1. Home
  2. ગુજરાતી
  3. સરહદ પર પાકિસ્તાની ગોળીબારમાં બીએસએફ જવાન ઘાયલ
સરહદ પર પાકિસ્તાની ગોળીબારમાં બીએસએફ જવાન ઘાયલ

સરહદ પર પાકિસ્તાની ગોળીબારમાં બીએસએફ જવાન ઘાયલ

0
Social Share

દિલ્હી: વારંવારની ધમકીઓ છતાં પાકિસ્તાન પોતાની હરકતોથી હટી રહ્યું નથી. છેલ્લા કેટલાક દિવસોથી સરહદ પર પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને જમ્મુ ડિવિઝનના સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર મોડી રાત્રે ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા પણ પાકિસ્તાનની આ ઉદ્ધતાઈનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાની રેન્જર્સ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બીએસએફનો એક જવાન ઘાયલ થયાના સમાચાર છે. જવાનને સારવાર માટે જમ્મુની મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો છે. પાકિસ્તાને ભારતીય સરહદ પરની ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા, જેમાં સાંબા સેક્ટરના નારાયણ પુર, ચમલિયાલ, ફતવાલ સરહદી ચોકીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું. પાકિસ્તાને સરહદ પર મોર્ટાર પણ છોડ્યા છે જેના કારણે સરહદ નજીકના ગ્રામજનોમાં ભયનો માહોલ છે.

પાકિસ્તાન આ પહેલા પણ ઘણી વખત સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચુક્યું છે. નિષ્ણાતોના મતે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ઘુસાડવા માટે આ પ્રકારની ગતિવિધિઓ કરતું રહે છે. ગયા મહિને પણ પાકિસ્તાનના ગોળીબારમાં બીએસએફના બે જવાન ઘાયલ થયા હતા.

ગુરુવારે સવારે સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લાના કૈતોહલાન વિસ્તારમાં એક આતંકવાદીને ઠાર માર્યો હતો. આતંકવાદી પ્રતિબંધિત સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ સાથે સંકળાયેલો હતો. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા આતંકવાદી પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. સુરક્ષા દળો દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code