1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

ભારત અને ઈઝરાયેલ વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટોનો બીજો રાઉન્ડ પૂર્ણ થયો

નવી દિલ્હી, 24 જુલાઈ 2026: ભારત અને ઈઝરાયેલ વચ્ચે પ્રસ્તાવિત ભારત-ઈઝરાયેલ મુક્ત વેપાર કરાર (FTA) માટે વાટાઘાટોનો બીજો રાઉન્ડ 20 થી 23 જુલાઈ 2026 દરમિયાન નવી દિલ્હીના વાણિજ્ય ભવન ખાતે યોજાયો હતો અને તે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. ચાર દિવસીય વાટાઘાટો દરમિયાન, બંને પક્ષોએ પ્રસ્તાવિત કરારના તમામ ક્ષેત્રોમાં વિગતવાર ચર્ચા કરી હતી અને સંતુલિત, વ્યાપક અને […]

નવી લાયસન્સિંગ વ્યવસ્થાથી ભારતમાં ચાંદીની આયાતમાં મોટો ઘટાડો

નવી દિલ્હી, 23 જુલાઈ 2026: ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી લાયસન્સિંગ વ્યવસ્થાની સીધી અસર કિંમતી ધાતુ ચાંદીના બજાર પર જોવા મળી રહી છે. આ કડક નિયમોના કારણે દેશમાં ચાંદીની આયાતમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે સ્થાનિક બજારમાં પ્રીમિયમ ઘણા મહિનાઓના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, મોટાભાગની બેન્કો અને […]

ભારતીય શેરબજારમાં ત્રીજા દિવસે પણ ભારે ઘટાડો, રોકાણકારોને નુકશાન

મુંબઈ, 22 જુલાઈ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકર વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે ભારતીય શેરબજાર સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં ઘટાડા સાથે બંધ થયા. મુખ્ય સ્થાનિક બેન્ચમાર્ક લગભગ 1 ટકા ઘટ્યા. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 715.06 પોઈન્ટ અથવા 0.92 ટકા ઘટીને 76,755.05 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 191.45 પોઈન્ટ અથવા 0.79 ટકા ઘટીને 23,996.25 પર બંધ થયો. […]

દિલ્હીમાં આંદોલનકારીઓ અને પોલીસની ઝપાઝપી મામલે સુનાવણીનો સુપ્રીમનો ઈન્કાર

નવી દિલ્હી, 22 જુલાઈ 2026: દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીનો મામલો આજે બુધવારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. એક વકીલે કોર્ટ સમક્ષ અરજી કરીને વિદ્યાર્થીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહી મામલે અદાલતને હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી. જો કે, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે કોઈ પણ પ્રકારની હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ […]

પેટ્રોલમાં 20 ટકાથી વધુ ઇથેનોલ ભેળવવા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથીઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હી, 21 જુલાઈ 2026: પેટ્રોલમાં 20% થી વધુ ઇથેનોલ મિશ્રણ કરવાને લઈને દેશભરમાં વ્યક્ત થઈ રહેલી ચિંતાઓ અને વિપક્ષી દળોના પ્રહારો વચ્ચે કેન્દ્ર સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. સરકારે દેશવાસીઓ અને વાહનચાલકોની આશંકાઓને દૂર કરતા જણાવ્યું છે કે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ 20% થી વધુ વધારવા અંગે હાલમાં કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સાથે […]

ભારત-મોલ્ડોવા વચ્ચે વેપારથી લઈને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી સહયોગ વધશે

નવી દિલ્હી, 21 જુલાઈ 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મોલ્ડોવાની મુલાકાત દરમિયાન ભારત અને મોલ્ડોવા વેપાર, રોકાણ, સપ્લાય ચેઇન અને કનેક્ટિવિટીના ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવા સંમત થયા હતા. ચિસિનાઉમાં રાષ્ટ્રપતિ મહેલમાં મોલ્ડોવાના રાષ્ટ્રપતિ માયા સેન્ડુ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ બોલતા, રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે, બંને દેશોએ આર્થિક સહયોગ તેમજ અનેક વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો […]

કેનેડા પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 50 ટકા ટેરિફ ઝીંક્યો

ન્યૂયોર્ક, 21 જુલાઈ 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા સામે વેપારી તણાવને ચરમસીમાએ પહોંચાડતા સેંકડો કેનેડિયન પ્રોડક્ટ્સ પર વધારાનો 50 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ઑટાવા સરકાર દ્વારા અમેરિકન ઓટોમોબાઈલ્સ, આલ્કોહોલિક પીણાં અને ડેરી પ્રોડક્ટ્સની નિકાસ સામે ભેદભાવ રાખવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે આ પગલું ભરવામાં આવ્યું છે. ટ્રિગર પોઈન્ટ: 1930ના ટેરિફ એક્ટની કલમ 338 (Section 338) […]

મધ્ય પૂર્વ સંકટ વચ્ચે ભારતીય શેરબજારમાં કડાકો, BSE 442.93 પોઈન્ટ ઘટ્યું

મુંબઈ, 20 જુલાઈ 2026: મધ્ય પૂર્વમાં સંકટ વચ્ચે સોમવારે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયા. દિવસના અંતે સેન્સેક્સ 442.93 પોઈન્ટ અથવા 0.57 ટકા ઘટીને 77,708.52 પર બંધ થયો અને નિફ્ટી 95.80 પોઈન્ટ અથવા 0.39 ટકા ઘટીને 24,238.50 પર બંધ થયો. ફાઇનાન્શિયલ શેરોના શેર બજારમાં ઘટાડા તરફ દોરી ગયા. નિફ્ટી પ્રાઇવેટ બેંકના શેર 2.27 ટકા તો નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસના શેર 1.22 ટકા […]

ગુજરાત ગેસે CNG ના ભાવમાં પ્રતિ કિલો રુ.2 નો વધારો કર્યો, નવો ભાવ રુ.85.01 થયો

સુરત, 20 જુલાઈ 2026: સુરતની જનતા માટે મોંઘવારીના મોરચેથી વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલીયમ પેદાશોના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે રાહત મેળવવા માટે સીએનજી વાહનો તરફ વળેલા મધ્યમ વર્ગ અને નાના વેપારીઓને હવે ગેસના ભાવવધારાનો સામનો કરવો પડશે. રાજ્યની અગ્રણી ગેસ વિતરણ કંપની ગુજરાત ગેસ દ્વારા સુરત શહેરમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા ૨ […]

ભારતીય શેરબજાર ક્રેશ: સેન્સેક્સ 600 પોઇન્ટ ગગડ્યો, બીજી તરફ સોના-ચાંદીના ભાવમાં ઉછાળો

મુંબઈ, 20 જુલાઈ 2026: સપ્તાહના પ્રથમ જ દિવસે વૈશ્વિક શેરબજારોમાં ફેલાયેલા ફફડાટની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. જાપાન અને કોરિયા સહિતના એશિયન બજારોમાં મોટા ઘટાડા બાદ સોમવારે ભારતીય શેરબજાર ખૂલતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. જોકે, આ આર્થિક અસ્થિરતા વચ્ચે સોના અને ચાંદીના રોકાણકારો માટે રાહતના સમાચાર આવ્યા છે, કારણ કે મલ્ટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code