1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદને નાથવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન બે દિવસ પહેલા જ શોપિયામાં સુરક્ષાદળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. આજે સુરક્ષાદળોએ ત્રાસમાં વધારે 3 આતંકવાદીને એન્કાઊન્ટરમાં ઠાર માર્યાં છે. આમ સુરક્ષા દળોએ 48 કલાકની આંદરમાં જ 6 આતંકવાદીને મોતને ઘાટ ઉતાર્યાં છે. આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા […]

પાકિસ્તાન સાથેના સિઝફાયર બાદ રાજનાથ સિંહ ભુજ એરબેઝની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ આગામી શુક્રવારે અને શનિવારે ગુજરાતના ભુજ એરબેઝની મુલાકાત લઈ શકે છે. આ દરમિયાન સંરક્ષણ પ્રધાન સૈનિકોને મળશે. તેમની મુલાકાત દરમિયાન, રાજનાથ સિંહ આ ક્ષેત્રમાં ભારતીય સશસ્ત્ર દળોની તૈયારીઓનું મૂલ્યાંકન કરશે અને મજબૂત સુરક્ષા પગલાંની અસરકારકતાની તપાસ કરશે. લશ્કરી તણાવ વચ્ચે, પાકિસ્તાની સેનાએ ડ્રોન દ્વારા ભૂજને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો […]

રાજનાથ સિંહે સેનાના ત્રણેય વડાઓ સાથે કરી બેઠક

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આજે શુક્રવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ત્રણેય સેનાના વડાઓ સાથે બંધ બારણે ચર્ચા કરી હતી. તેમજ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. રાજનાથ સિંહ સેનાના વડાઓ સાથે ચર્ચા કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને હાલની પરિસ્થિતિ અંગે તેમને માહિતગાર કરશે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા […]

ભારતીય સેનાએ પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિશાન બનાવવા માટે હાર્પી મિસાઈલનો

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ વાયુ સંરક્ષણ પ્રણાલી S-400 સુદર્શન ચક્ર મિસાઇલ સિસ્ટમથી ભારત તરફ આવતા લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા. રિપોર્ટ અનુસાર, S-400 દ્વારા બધા લક્ષ્યોને સફળતાપૂર્વક નષ્ટ કરવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિશાન બનાવવા માટે હાર્પી મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. S-400 એર ડિફેન્સ સિસ્ટમ એ ઉપકરણોનું નેટવર્ક છે જે હવાઈ ખતરાનો […]

એર માર્શલ એસપી ધારકર ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે નિવૃત્ત થયા

નવી દિલ્હીઃ એર માર્શલ એસપી ધારકર 40 વર્ષની દેશસેવા પૂર્ણ કર્યા બાદ 30 એપ્રિલ 2025ના રોજ ભારતીય વાયુસેના (IAF)માંથી વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે નિવૃત્ત થયા હતા. એર માર્શલ ધારકરને 14 જૂન 1985ના રોજ IAFના ફાઇટર સ્ટ્રીમમાં ફ્લાઇંગ પાઇલટ તરીકે કમિશન આપવામાં આવ્યું હતું અને તેમણે IAFના વિવિધ વિમાનોમાં 3600 કલાકથી વધુ સમય […]

ભારતને મળશે શક્તિશાળી રાફેલ-એમ વિમાન, ફ્રાંસ સાથે થયા એમઓયુ

નવી દિલ્હીઃ પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. આવી સ્થિતિમાં, ભારત સંરક્ષણ ક્ષેત્રમાં પોતાને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં, ભારત અને ફ્રાન્સ વચ્ચે ઐતિહાસિક રાફેલ સોદો થયો છે. આ કરાર હેઠળ, ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદશે, જેમાં 22 સિંગલ સીટર એરક્રાફ્ટ અને 4 ડબલ સીટર […]

આપણા બહાદુર CRPF સૈનિકો દરેક મુશ્કેલીમાં સફળ થાય છે : અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે મધ્યપ્રદેશના એક દિવસીય પ્રવાસે છે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ નીમચમાં સીઆરપીએફ પરેડ ગ્રાઉન્ડ પહોંચ્યા. ગૃહમંત્રી શાહે પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘રાઇઝિંગ ડે’ કાર્યક્રમ હેઠળ આયોજિત પરેડમાં ભાગ લીધો હતો. પોતાના સંબોધનમાં, તેમણે CRPF ના મહત્વ અને યોગદાન પર પ્રકાશ પાડ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે આટલી ભવ્ય પરેડ […]

ભારતીય નૌકાદળને ફ્રાન્સ પાસેથી મળશે 26 રાફેલ મરીન ફાઈટર

નવી દિલ્હીઃ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) એ ભારતીય નૌકાદળ માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે. આ સોદો લગભગ 63,000 કરોડ રૂપિયાનો છે. આ સોદો ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને તેના પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ કરાર હેઠળ, નૌકાદળને 22 સિંગલ-સીટર અને 4 ટ્વીન-સીટર […]

UAE એ ભારતના સ્વદેશી આકાશ મિસાઇલમાં રસ દાખવ્યો

નવી દિલ્હીઃ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની સાથે, ભારત મિત્ર દેશોને શસ્ત્રો પૂરા પાડવાની દિશામાં એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. સંરક્ષણ સહયોગ ઉપરાંત, ભારતે ગલ્ફ દેશ UAE (સંયુક્ત આરબ અમીરાત) સાથે શસ્ત્રોના સંયુક્ત ઉત્પાદન માટે પણ સંમતિ દર્શાવી છે. આ મુસદ્દા પર UAE ના નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન (દુબઈના ક્રાઉન પ્રિન્સ) શેખ […]

નાવિકા સાગર પરિક્રમા II તારિણી દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં પ્રવેશી

નવી દિલ્હીઃ INSV તારિણી નાવિકા સાગર પરિક્રમા II અભિયાનના ચોથા તબક્કાને પૂર્ણ કરીને દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં પ્રવેશી હતી. જહાજ અને ક્રૂનું સ્વાગત કેપ ટાઉન ખાતે ભારતના કોન્સ્યુલ જનરલ શ્રીમતી રૂબી જસપ્રીત, દક્ષિણ આફ્રિકન નૌકાદળના ફ્લીટના ચીફ ઓફ સ્ટાફ રીઅર એડમિરલ (JG) લિસા હેન્ડ્રિક્સ અને પ્રિટોરિયા ખાતે ભારતના સંરક્ષણ સલાહકાર કેપ્ટન અતુલ સપહિયા દ્વારા કરવામાં આવ્યું. દક્ષિણ આફ્રિકના નૌકાદળના બેન્ડ દ્વારા પણ બંદર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code