1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

પરીક્ષા ટાણે શિક્ષકોને મતદાર જાગૃતિ કાર્યક્રમ માટે કરાતા દબાણ સામે વિરોધ

અમદાવાદ, 14 એપ્રલ 2026: Pressure on teachers to conduct voter awareness program રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં હાલ વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પરીક્ષા કાર્યમાં જોતરાયા છે. ત્યારે બીજીબાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લીધે મતદારોની જાગૃતિ માટે કાર્યક્રમો આપવા તંત્રએ ફરમાન કરતા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે અખિલ ભારતીય […]

સુરતમાં ખાનગી સ્કૂલોના મોંઘા શિક્ષણ સામે સરકારી શાળાઓમાં પ્રવેશ માટે ધસારો

સુરત, 14 એપ્રલ 2026:  Rush for admissions to government schools મોંઘવારીએ માઝા મુકી છે, તેના લીધે મધ્યમ વર્ગના પરિવારોની હાલત કફોડી બની છે. ખાનગી શાળાઓની ફી હવે ઘણાબધા વાલીઓને પોસાતી નથી. ત્યારે વાલીઓ પોતાના સંતાનોને ખાનગી શાળાઓમાં પ્રવેશ રદ કરાવીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. સુરત શહેરમાં મ્યુનિ.સંચાલિત શાળાઓમાં પ્રવેશ માટે ધસારો જોવા મળી […]

સમર્પણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ દ્વારા બાબાસાહેબ આંબેડકર જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ વિશેષ ઉજવણી

ગાંધીનગર, 13 એપ્રિલ, 2026 – સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ, ગાંધીનગરના આચાર્ય ડૉ. આશિષ જનકરાય દવેના માર્ગદર્શનમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક પછાત પ્રકોષ્ઠ દ્વારા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૬મી જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી મહેન્દ્રસિંહજી વાઘેલાની અધ્યક્ષતામાં અને મુખ્ય મહેમાન દેવેન્દ્રભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી. ડૉ. […]

ગુજરાત યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના મુદ્દે સિન્ડિકેટની બેઠકમાં હોબાળો

અમદાવાદ, 13 એપ્રિલ 2026: ગુજરાત યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના મામલે સિન્ડિકેટની બેઠકમાં હોબાળો થયો હતો. સિન્ડિકેટની બેઠકમાં સભ્યોએ યુનિવર્સિટીના વહીવટમાં કરોડોના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરીને કુલપતિ નીરજા ગુપ્તા અને રજિસ્ટ્રાર પિયુષ પટેલ પાસે લેખિતમાં ખુલાસો માંગ્યો છે. યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારના મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પણ રજુઆતો કરવામાં આવી છે. રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત […]

ભારતીય કથન અંગે આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં યોજાયો પરિસંવાદ

[અલકેશ પટેલ] અમદાવાદ, 12 એપ્રિલ, 2026 – ઉદાર ભારતીયો હંમેશાં સાચા હોવા છતાં પોતાનું કથન દુનિયા સમક્ષ રજૂ કરવામાં પાછળ રહ્યા છે. અલબત્ત એ માટે ભારતીયો દોષિત છે એવું ન કહી શકાય કેમ કે આંતરરાષ્ટ્રીય નૅરેટિવની-કથનની ઇકોસિસ્ટમ જ એવી રહી છે કે ભારતીય સભ્યતાની, ભારતીય સંસ્કૃતિની, ભારતીય શાસ્ત્રોની વાતને મહત્ત્વ આપવામાં આવતું નહોતું. પરંતુ હવે આ […]

વનતારાએ વન્યજીવ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી લોંચ કરી

 આધુનિક ગુરુકુળ અને ઉદ્દેશ-આધારિત યુનિવર્સિટી તરીકેની પરિકલ્પના આધારિત, આ યુનિવર્સિટીનું લક્ષ્ય ભારતને વન્યજીવ અને પ્રાણીચિકિત્સા શિક્ષણ માટેના ગ્લોબલ હબ તરીકે પ્રસ્થાપિત કરવાનો છે જામનગર, 10 એપ્રિલ, 2026: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ […]

બિમાર શિક્ષકો અને મેટર્નિટી લીવ પર હોય એવી શિક્ષિકાઓને ચૂંટણી કામગીરી સોંપાતા વિરોધ

ભૂજ, 10 એપ્રિલ 2026: Protest against election work  રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શિક્ષકો તેમજ વહિવટી કર્મચારીઓને કામગીરીના ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. જેમાં બિમાર હોય એવા શિક્ષકો તેમજ મેટર્નિટી લીવ પર હોય એવી શિક્ષિકાઓ તેમજ ટેટના ઉમેદવારોને પણ ચૂંટણીમાં ફરજ બજાવવાના ઓર્ડર મળ્યા છે. જેની સામે પ્રાથમિક શિક્ષક સંઘે વિરોધ કર્યો છે. ચૂંટણીની કામગીરીના […]

તો રાષ્ટ્રના શિક્ષણ ક્ષેત્ર ઉપર ગંભીર અસર પડશેઃ દેશના 51 વિદ્વાનોએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

નવી દિલ્હી, 9 એપ્રિલ, 2026 – IITs, IIMs અને અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓના વિદ્વાનોના એક જૂથે ભારતના રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટના તે આદેશમાં હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે, જેમાં ધોરણ 8 ના NCERT પાઠ્યપુસ્તક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સરકારી સંસ્થાઓને તેની વિકાસ ટીમની ત્રણ વ્યક્તિઓ સાથેના સંબંધો તોડી નાખવા નિર્દેશ આપવામાં આવ્યો છે. 51 જેટલા […]

યુદ્ધના પગલે ઈરાનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર ખતરો

નવી દિલ્હી, 9 એપ્રિલ 2026: અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પડઘા હવે હજારો ભારતીય વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડી રહ્યા છે. ઇરાનમાં મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું સપનું લઈને ગયેલા આશરે 3 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ અત્યારે અનિશ્ચિતતાના માહોલમાં જીવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં યુદ્ધના કારણે આ વિદ્યાર્થીઓનો અભ્યાસ ત્રણ-ત્રણ વાર પ્રભાવિત થયો છે. […]

આદ્યશક્તિ સરસ્વતીના સાધક દ્વારા બાળશિષ્ય દેવી દેવોને ફળાહાર ફળ ફ્રૂટ અર્પણ

ચૈત્ર નવરાત્રિ પર્વની આરાધના ઉપાસના ઊજવણી નિમિત્તે નાના રેહા શાળાના બાળશિષ્યદેવી દેવોને આચાર્યશ્રી દ્વારા ફળાહાર પ્રસાદ ભુજ, 9 એપ્રિલ, 2026 – ચૈત્ર નવરાત્રી પર્વ નિમિત્તે તાજેતરમાં શ્રી નાના રેહા પ્રાથમિક શાળા તાલુકો ભુજ જીલ્લો કચ્છના બાળપ્રેમી અને બાળસેવા એ જ સાચી સરસ્વતી સાધનાની ભાવના ધરાવતા આચાર્યશ્રી જટુભા રાઠોડ દ્વારા શાળાના બાળ શિષ્યોને ફળાહાર કરાવવામાં આવ્યો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code