1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

યુજીસીએ દેશની 32 યુનિવર્સિટીઓને બોગસ જાહેર કરી, પ્રવેશ લેતા પહેલા ચેતજો

અમદાવાદ, 16 એપ્રિલ 2026: UGC declares 32 universities in the country as bogus નવા શેક્ષણિક સત્રના પ્રારંભને દોઢ મહિના જેટલો સમય બાકી છે. ધોરણ 12નું પરિણામ આવતા જ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશની મોસમ શરૂ થશે. ત્યારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ દેશની 32 યુનિવર્સિટીઓને બોગસ જાહેર કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ ન લેવા ચેતવ્યા છે. યુજીસીએ તેની વેબસાઈટ […]

તબીબી વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટેની NEET (UG) 3જીમેને રવિવારે લેવાશે

અમદાવાદ, 15 એપ્રિલ 2026:   તબીબ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિટી એન્ડ અન્ટ્રન્સ ટેસ્ટ (નીટ-યુજી) આપવી ફરજિયાત છે. ત્યારે ગુજરાત સહિત દેશભરમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તા.3 મેને રવિવારના રોજ નીટ-યુજીની પરીક્ષા લેવાશે. દેશમાં 552 શહેરોમાં નીટ-યુજીની પરીક્ષા આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂમાં લેવાશે. NEET (UG)-2026 માટેનું […]

અમદાવાદમાં LD એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલનો સ્લેબ તૂટી પડતા વિદ્યાર્થીને ઈજા

અમદાવાદ, 15 એપ્રિલ 2026: LD Engineering College hostel slab collapses શહેરમાં એલ ડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલના બી બ્લોકનો સ્લેબ તૂટી પડતા એક વિદ્યાર્થીને ઈજાઓ થતાં તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એલ ડી એન્જિનિયરિંગ હોસ્ટેલની બિલ્ડિંગ જર્જરિત હોવાની ઘણાસમયથી ફરિયાદો ઊઠી છે. છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જર્જરિત બિલ્ડિંગને તાત્કાલિક મરામત કરવામાં […]

તબીબી ક્ષેત્ર માત્ર વ્યવસાય નહીં, માનવતાની સેવા કરવાનો માર્ગ છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

નાગપુર, 15 એપ્રિલ 2026: ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે મહારાષ્ટ્રના નાગપુર ખાતે પ્રતિષ્ઠિત સંસ્થા એમ્સ નાગપુરના પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી. યુવા તબીબોને સંબોધતા રાષ્ટ્રપતિએ તબીબી વ્યવસાયમાં ટેકનોલોજીની સાથે માનવીય સંવેદના અને નૈતિક મૂલ્યોના મહત્વ પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “તબીબી ક્ષેત્ર એ માત્ર આજીવિકા મેળવવાનો વ્યવસાય નથી, પરંતુ […]

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો પાંચમો પદવીદાન યોજાયો, અજીત ડોવાલને માનદ ડૉક્ટરેટ એનાયત

[અલકેશ પટેલ] ગાંધીનગર, 15 એપ્રિલ, 2026 – રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ પ્રશિક્ષણ ક્ષેત્રે દેશની અગ્રણી સંસ્થા, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ખાતે પાંચમો દીક્ષાંત સમારંભ યોજાઈ ગયો. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ દીક્ષાંત સમારંભમાં ગુજરાતના રાજ્યપાલ‌ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી બંડી સંજયકુમાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા […]

પરીક્ષા ટાણે શિક્ષકોને મતદાર જાગૃતિ કાર્યક્રમ માટે કરાતા દબાણ સામે વિરોધ

અમદાવાદ, 14 એપ્રલ 2026: Pressure on teachers to conduct voter awareness program રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં હાલ વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પરીક્ષા કાર્યમાં જોતરાયા છે. ત્યારે બીજીબાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લીધે મતદારોની જાગૃતિ માટે કાર્યક્રમો આપવા તંત્રએ ફરમાન કરતા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે અખિલ ભારતીય […]

સુરતમાં ખાનગી સ્કૂલોના મોંઘા શિક્ષણ સામે સરકારી શાળાઓમાં પ્રવેશ માટે ધસારો

સુરત, 14 એપ્રલ 2026:  Rush for admissions to government schools મોંઘવારીએ માઝા મુકી છે, તેના લીધે મધ્યમ વર્ગના પરિવારોની હાલત કફોડી બની છે. ખાનગી શાળાઓની ફી હવે ઘણાબધા વાલીઓને પોસાતી નથી. ત્યારે વાલીઓ પોતાના સંતાનોને ખાનગી શાળાઓમાં પ્રવેશ રદ કરાવીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. સુરત શહેરમાં મ્યુનિ.સંચાલિત શાળાઓમાં પ્રવેશ માટે ધસારો જોવા મળી […]

સમર્પણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ દ્વારા બાબાસાહેબ આંબેડકર જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ વિશેષ ઉજવણી

ગાંધીનગર, 13 એપ્રિલ, 2026 – સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ, ગાંધીનગરના આચાર્ય ડૉ. આશિષ જનકરાય દવેના માર્ગદર્શનમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક પછાત પ્રકોષ્ઠ દ્વારા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૬મી જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી મહેન્દ્રસિંહજી વાઘેલાની અધ્યક્ષતામાં અને મુખ્ય મહેમાન દેવેન્દ્રભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી. ડૉ. […]

ગુજરાત યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના મુદ્દે સિન્ડિકેટની બેઠકમાં હોબાળો

અમદાવાદ, 13 એપ્રિલ 2026: ગુજરાત યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના મામલે સિન્ડિકેટની બેઠકમાં હોબાળો થયો હતો. સિન્ડિકેટની બેઠકમાં સભ્યોએ યુનિવર્સિટીના વહીવટમાં કરોડોના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરીને કુલપતિ નીરજા ગુપ્તા અને રજિસ્ટ્રાર પિયુષ પટેલ પાસે લેખિતમાં ખુલાસો માંગ્યો છે. યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારના મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પણ રજુઆતો કરવામાં આવી છે. રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત […]

ભારતીય કથન અંગે આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં યોજાયો પરિસંવાદ

[અલકેશ પટેલ] અમદાવાદ, 12 એપ્રિલ, 2026 – ઉદાર ભારતીયો હંમેશાં સાચા હોવા છતાં પોતાનું કથન દુનિયા સમક્ષ રજૂ કરવામાં પાછળ રહ્યા છે. અલબત્ત એ માટે ભારતીયો દોષિત છે એવું ન કહી શકાય કેમ કે આંતરરાષ્ટ્રીય નૅરેટિવની-કથનની ઇકોસિસ્ટમ જ એવી રહી છે કે ભારતીય સભ્યતાની, ભારતીય સંસ્કૃતિની, ભારતીય શાસ્ત્રોની વાતને મહત્ત્વ આપવામાં આવતું નહોતું. પરંતુ હવે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code