1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રવેશની નીતિ સામે વિરોધ

ગાંધીનગર, 17 જુલાઈ 2026 : Protest against the student admission policy at Gyan Shakti Residential School  રાજ્યમાં ધોરણ 6થી 12 સુધીના વિદ્યાર્થીઓને CET પરીક્ષાના આધારે ખાનગી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલોમાં પ્રવેશ આપવાની નીતિ સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વિરોધ કર્યો છે. સંઘ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને પત્ર લખીને આ સમગ્ર નીતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા […]

અમદાવાદની શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી તપાસવા DEOએ નિરિક્ષકોને કર્યો આદેશ

 અમદાવાદ, 16 જુલાઈ, 2026 : DEO issues order to check student attendance in schools શહેરની કેટલીક ગ્રાન્ટેડ સહિત શાળાઓમાં ભૂતિયા વિદ્યાર્થીઓ હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ શહેર-જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીની ચકાસણી કરવા શિક્ષણ નિરીક્ષકો અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકોને આદેશ કર્યો છે. શહેરની કેટલીક શાળાઓ ડમી વિદ્યાર્થીઓના આધારે ચાલતી હોવાની ફરિયાદો અમદાવાદ શહેર જિલ્લા […]

ત્રીજી ભાષા ભણાવવી હોય તો છઠ્ઠા ધોરણથી શરૂ કરોઃ સુપ્રીમ કોર્ટની સલાહ

નવી દિલ્હી, 16 જુલાઈ, 2026: Three-language policy ત્રીજી ભાષા ભણાવવી હોય તો છઠ્ઠા ધોરણથી શરૂ કરો એવી સલાહ સુપ્રીમ કોર્ટે સરકારને આપી છે. સીબીએસઈ(CBSE)ની થ્રી લેંગ્વેજ પોલિસી (ત્રણ ભાષાની નીતિ) અંગે સુપ્રીમ કોર્ટમાં સતત સુનાવણી થઈ રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ બી.વી. નાગરત્નાએ 9 મા ધોરણમાં ત્રીજી ભાષાનો સમાવેશ કરવા સામે ચિંતા […]

NIMCJ કેમ્પસમાં યોજાયો સ્વાગત સમારંભ: બી.એ.જે.એમ.સી.ના નવા વિદ્યાર્થીઓને પરંપરાગત આવકાર

કૉલેજના સિનિયર વિદ્યાર્થીઓએ નવી બેચનું કર્યું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અમદાવાદ, 15 જુલાઈ, 2026 – શહેરની પ્રતિષ્ઠિત મીડિયા કોલેજ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) ખાતે બી. એ. જે. એમ. સી.માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત સમારંભમાં અતિથિ વિશેષ તરીકે ઝી ૨૪ ક્લાકના એડિટર શ્રી દીક્ષિત સોની, સિનિયર એન્કર શ્રી નિધી પટેલ, […]

સૌરાષ્ટ્ર યુનિ.માં જીકાસ દ્વારા પ્રવેશના અંતે UGમાં 46.321 બેઠકો ખાલી રહી

રાજકોટ, 15 જુલાઈ, 2026 : 46,321 seats remain vacant after admissions at Saurashtra University.  ગુજરાતમાં તમામ સરકારી યુવિનર્સિટીઓની વિવિધ વિદ્યાશાખાઓમાં ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ( જીકાસ) દ્વારા ઓનલાઈન પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગની યુનિવર્સિટીઓમાં બેઠકો ખાલી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંડર ગ્રેજ્યુએશન (યુજી)માં પ્રવેશ માટેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 87,292 સીટ સામે 40,971 […]

વંચિત બાળકોના કલ્યાણાર્થે સમગ્ર ભારતમાં 351 સરસ્વતી ધામ બનાવવાનું મિશન

આ ચળવળ સમાજ અને તેના દ્વારા રાષ્ટ્રના ઉત્થાન માટેનું એક પ્રેરણાદાયક મિશન છે જેમાં માત્ર શિક્ષણ જ નહીં પરંતુ વૈચારિક ક્રાંતિનાં બીજ પણ રોપાઈ રહ્યાં છે [અલકેશ પટેલ] 15 જુલાઈ, 2026 – ગુજરાત સખાવતી કાર્યો માટે હંમેશાં અગ્રેસર રહ્યું છે. રાજ્યના ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો અને શ્રેષ્ઠીઓ પોતે જે કંઈ સમાજ પાસેથી મેળવે છે તેને અનેકગણું […]

ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણથી ભરતી સુધી કાર્યક્રમનું આયોજન 

અમદાવાદ, તા. 14 જુલાઈ, 2026: ગુજરાત યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગ અને સમાજવિદ્યાભવન દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “શિક્ષણથી રોજગાર (Education to Employment)” વિઝનને સાકાર કરવા “શિક્ષણથી ભરતી સુધી” વિષયક વિશેષ માર્ગદર્શન તથા પ્લેસમેન્ટ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનું આયોજન રાજ્યશાસ્ત્ર વિભાગના વડા અને સંયોજક પ્રો. (ડૉ.) હિતેશ આર. પટેલના […]

આરએસએસ શતાબ્દી વર્ષ નિમિત્તે NIMCJમાં વિદ્યાર્થીઓએ મેળવી પંચ પરિવર્તનની સમજ

સંઘના ક્ષેત્ર પ્રચાર પ્રમુખ પ્રમોદજી બાપટે માર્ગદર્શન આપ્યું અમદાવાદ, 14 જુલાઈ, 2026: નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ)માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના(RSS)ના શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં RSSના ક્ષેત્ર પ્રચાર પ્રમુખ શ્રી પ્રમોદ બાપટ, ગુજરાત પ્રાંત પ્રચાર પ્રમુખ શ્રી તેજસ પટેલ તથા કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપ જૈન ઉપસ્થિત રહ્યા હતા. […]

ટેટ ફરજિયાત સામે પ્રાથમિક શિક્ષકોએ કર્યા ધરણા, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરાયો

ગાંધીનગર, 11 જુલાઈ, 2026 :   Primary teachers staged a protest against the mandatory TET. ગુજરાતમાં વર્ષ 2010 પહેલા ભરતી થયેલા પ્રાથમિક શાળાના શિક્ષકોને ટેટની પરીક્ષા ઉતિર્ણ કરવી ફરજિયાત છે. અને સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી […]

આજના ક્લાસરૂમ્સ આવતીકાલની નોકરીઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન થવા જોઈએ: જયંત ચૌધરી

સુરત, 11 જુલાઈ 2026: કૌશલ્ય વિકાસ અને ઔદ્યોગિક કાર્યબળના પરિવર્તન માટેના એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પગલામાં, ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ ‘પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયબિલિટી ટ્રાન્સફોર્મેશન થ્રુ અપગ્રેડેડ આઈટીઆઈ’ PM-SETU યોજના હેઠળ યોજાયેલી ચોથી નેશનલ સ્ટીયરીંગ કમિટી (NSC)ની બેઠક દરમિયાન ગુજરાતના સુરત આઈટીઆઈ (ITI) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code