1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

શાળાઓમાં ત્રીજા ધોરણથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પરનો અભ્યાસક્રમ શરૂ થશે

શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ (DoSE&L)એ ભવિષ્ય માટે તૈયાર શિક્ષણના આવશ્યક ઘટકો તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કોમ્પ્યુટેશનલ થિંકિંગ (AI&CT)ને આગળ વધારવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. પરામર્શ પ્રક્રિયા દ્વારા, વિભાગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ CBSE, NCERT, KVS અને NVS જેવી સંસ્થાઓને રાષ્ટ્રીય શાળા શિક્ષણ માળખા (NCF SE) 2023ના વ્યાપક માળખામાં અર્થપૂર્ણ અને સમાવિષ્ટ […]

દેશની વસ્તીવિષયક વિશેષતાનો લાભ લેવા માટે મહિલાઓની સક્રિય ભાગીદારી જરૂરી છે: રાષ્ટ્રપતિ

ચેન્નાઈઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે કેરળના એર્નાકુલમમાં સેન્ટ ટેરેસા કોલેજના શતાબ્દી સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ અવસર પર પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે સેન્ટ ટેરેસા કોલેજ ભારતમાં આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા સાથે મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપી રહી છે. આ સામાજિક પરિવર્તન અને રાષ્ટ્ર નિર્માણમાં એક મહાન યોગદાન છે. આપણે આ સંસ્થાનું નિર્માણ […]

શૈક્ષણિક અભ્યાસને સ્પર્ધા નહીં વિકાસની યાત્રા સમજવાની જરૂર છે

હાર્વર્ડ યુનિવર્સિટીના એક યુવાન વિદ્યાર્થીએ સોફ્ટવેર બનાવવાની ધુનમાં એનો અભ્યાસ વચ્ચેથી જ છોડી દીધો હતો. આ યુવાને ૧૩ વર્ષની ઉંમરથી જ મોટા મોટા સોફ્ટવેર બનાવવાનું શરૂ કરી દીધું હતું. સીએટલ, વોશિંગ્ટનમાં વકિલાત કરતાં વિલિયમ અને મેરી મેક્સવેલનું આ સંતાન એ બીજું કોઈ નહીં પણ માઈક્રોસોફ્‌ટ કંપનીના સહસ્થાપક અને યુએસના બીઝનેસ ટાયફૂન બિલ ગેટ્‌સ. હાર્વર્ડનો અભ્યાસ […]

દેશભરમાં 57 નવા કેન્દ્રીય વિદ્યાલયો (KVS) ખોલવામાં આવશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યામાં વધારો થતા બાળકોની શૈક્ષણિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે દેશભરમાં સિવિલ સેક્ટર હેઠળ 57 નવા કેન્દ્રીય વિદ્યાલયો (KVS) ખોલવાની મંજૂરી આપી છે. 2026-27થી નવ વર્ષના સમયગાળા દરમિયાન 57 નવા કેન્દ્રીય વિદ્યાલયોની સ્થાપના માટે ભંડોળની કુલ અંદાજિત જરૂરિયાત રૂ. 5862.55 કરોડ (આશરે) છે. […]

હિમાચલ સરકારની મોટી જાહેરાત, 100 સરકારી વરિષ્ઠ માધ્યમિક શાળાઓમાં CBSE અભ્યાસક્રમ લાગુ કરશે

હિમાચલ પ્રદેશ સરકારે તાજેતરમાં શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે આગામી શૈક્ષણિક સત્રથી રાજ્યની 100 વરિષ્ઠ માધ્યમિક શાળાઓમાં CBSE અભ્યાસક્રમ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ યોજના દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછી એક સરકારી શાળાને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સરકારનું કહેવું છે કે આ […]

NIMCJમાં વિધાર્થીઓ માટે યોજાયો શારીરિક-માનસિક વેલનેસ પ્રોગ્રામ

અમદાવાદ: નેશનલ ઈન્સિટટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ)માં વેલનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની થીમ હતી ‘બેલેન્સડ માઈન્ડ, સ્ટ્રોન્ગર હાર્ટ’. મુખ્ય વક્તા તરીકે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓ, ડો. ઉષા પારેખ, હેતલ દેસાઈ, શોભા રાજપુરોહિત અને સોનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ અને ભાવનાત્મક સુખાકારીના મહત્વને સમજાવવાનો રહ્યો હતો. કાર્યક્રમની શરુઆત […]

દ્રૌપદી મુર્મૂએ વિદ્યાર્થીઓને ડિજિટલ યુગમાં ઉપલબ્ધ વિશાળ શિક્ષણ સંશાધનોનો ઉપયોગ કરવા અપીલ કરી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વિદ્યાર્થીઓને ડિજિટલ યુગમાં ઉપલબ્ધ વિશાળ શિક્ષણ સંશાધનોનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો છે. તિરૂવરૂરમાં તમિળનાડુ કેન્દ્રીય વિશ્વ-વિદ્યાલયના પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિએ કહ્યું, દેશના ઉદ્યોગ ચોથા તબક્કા માટે તૈયાર છે અને વિદ્યાર્થીઓએ તેનો મહત્તમ લાભ લેવો જોઈએ. પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણનનું ઉદાહરણ આપતાં સુશ્રી મુર્મૂએ કહ્યું, શિક્ષણનું મહત્વ સતત શિખતા રહેવું અને જ્ઞાન […]

પંજાબની શાળાઓમાં હવે શીખવવામાં આવશે એંન્ટરપ્રેન્યોરશિપ, બાળકો બિઝનેસ આઈડિયા અને સ્ટાર્ટઅપ્સ બનાવવાનું શીખશે

એક મોટું પગલું ભરતા, પંજાબ સરકારે ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓ માટે ઉદ્યોગસાહસિકતાનો મુખ્ય વિષય તરીકે સમાવેશ કરવાની જાહેરાત કરી છે. આ નવો અભ્યાસક્રમ શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ થી શરૂ થશે. શુક્રવારે શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સ અને પંજાબ AAPના પ્રભારી મનીષ સિસોદિયાએ આ યોજનાનો શુભારંભ કરાવ્યો. બેન્સે જણાવ્યું હતું કે પંજાબ દેશનું પહેલું રાજ્ય છે જેણે […]

અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીને વિશ્વસ્તરે પ્રતિષ્ઠિત ક્રેસ્ટ ગોલ્ડ એવોર્ડ

અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીના પ્રોજેક્ટને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું છે. જન્મજાત રંગઅંધત્વની ખામી ધરાવતા ધોરણ 12 ના આહાન પ્રજાપતિને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ક્રેસ્ટ ગોલ્ડ એવોર્ડ (યુકે) મળ્યો છે. સમાવિષ્ટ શિક્ષણમાં દીવાદાંડી સમાન AI-સંચાલિત મશીન-લર્નિંગ મોડેલના પ્રોજેક્ટને વૈશ્વિક કક્ષાએ શાળા અને વિદ્યાર્થીનું નામ રોશન કર્યુ છે. નમ્રતા અદાણીના માર્ગદર્શન હેઠળ ચાલતી અદાણી ઈન્ટરનેશલ સ્કૂલમાં આહાનની પીડા […]

ચંપાવતની મંજુબાલાને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2025 મળશે

ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાના બારાકોટ બ્લોકમાં દૂરસ્થ ચુરાની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા મંજુબાલાને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2025 માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સન્માન તેમને 3 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આપવામાં આવશે. મંજુબાલા ઉત્તરાખંડના એકમાત્ર શિક્ષિકા છે જેમને આ વર્ષે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. મંજુબાલા કોણ છે? […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code