1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

કચ્છમાં 350 ખાનગી શાળાઓમાં ગરીબ પરિવારોના બાળકોને RTE હેઠળ પ્રવેશ અપાશે

ભૂજ, 27 માર્ચ 2026: Admission under RTE ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ખાનગી શાળાઓમાં મફત પ્રવેશની જાહેરાત કરાતા કચ્છ જિલ્લામાં આવેલી અંદાજે 400 જેટલી ખાનગી શાળા પૈકી નિયત ક્રાઈટેરિયામાં આવતી 350 જેટલી શાળામાં વંચિત અને નબળા વર્ગના બાળકોને RTE  હેઠળ ધોરણ-1માં પ્રવેશ આપવાની પ્રકિયા હાથ […]

નવા શૈક્ષણિક સત્રથી ભાષા-ગણિત અને વિજ્ઞાન સહિત 32 જેટલા પાઠ્ય પુસ્તકો બદલાશે

અમદાવાદ, 26 માર્ચ 2026: 32 textbooks for grades 2 to 11 will be changed આગામી નવા શૈક્ષણિક વર્ષ 2026-27થી પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 2થી 11 સુધી 32 પાઠ્ય-પુસ્તકો બદલાશે. રાજ્ય સરકાર દ્વારા કુલ 32 પાઠ્યપુસ્તકોને સંપૂર્ણપણે નવી શૈક્ષણિક સામગ્રી સાથે બદલવામાં આવ્યા છે. નવા પાઠ્યપુસ્તકોમાં ભાષા, ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને પર્યાવરણ વિષયો પર ખાસ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીની પરીક્ષાનો 30મી માર્ચથી પ્રારંભ

રાજકોટ, 26 માર્ચ 2026: Saurashtra University’s various faculty exams begin from March 30th સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તા. 30 માર્ચથી બેચલર અને માસ્ટર ડિગ્રીના છેલ્લા સેમેસ્ટરના 45,296 વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થશે. 120 પરીક્ષા કેન્દ્ર પરથી યોજાનારી આ એક્ઝામમાં 55 ઓબ્ઝર્વર ફરજ બજાવશે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો […]

ગુજકેટની 29મી માર્ચથી લેવાનારી પરીક્ષા માટે બોર્ડ દ્વારા તૈયારીઓ પૂર્ણ

અમદાવાદ, 26 માર્ચ 2026: GUJCET exam to be held from March 29th ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ 2026ની પરીક્ષા આગામી 29 તારીખે 669 કેન્દ્રો પરથી લેવાશે, આ પરીક્ષા માટે બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તેનું પાલન કરવા […]

શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ સુધારા વિધેયકને મંજુરી મળતા યુનિના કર્મીઓને ઝડપી ન્યાય મળશે

ગાંધીનગર, 25 માર્ચ 2026: Educational Service Tribunal Amendment Bill approved શૈક્ષણિક સંસ્થાઓમાં કામ કરતાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના પ્રશ્નોના ઝડપી અને બિન ખર્ચાળ નિરાકરણ માટે ગુજરાતમાં ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એકટ-૨૦૦૬ અમલી છે. વર્ષ-૨૦૨૩માં, રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટીઓને લગતાં જુદા-જુદા કાયદાઓને એકીકૃત કરી ‘Gujarat Public Universities Act, 2023’ અમલમાં મૂકતાં,  યુનિવર્સિટીને લગતાં અલગ-અલગ એકટ […]

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખાનગી શાળાના શિક્ષકોને કામગીરી સોંપવા સામે સંચાલકોનો વિરોધ

અમદાવાદ, 25 માર્ચ 2026: Private teachers protest against election work ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહિવટી તંત્ર સજ્જ બન્યું છે. અને ચૂંટણીની કામગીરી ખાનગી શાળાના શિક્ષકોને સોંપવાની હીલચાલ ચાલી રહી છે. ત્યારે ખાનગી સ્કૂલના શિક્ષકો દ્વારા વિરોધ ઊભો થયો છે. સ્વનિર્ભર શાળાના સંચાલકોએ પણ શિક્ષકોને ચૂંટણી કામગીરીથી દૂર રાખવાની માંગ કરી છે. શાળા સંચાલક મહામંડળે […]

ભુજ તાલુકાના નાના રેહા ગામની પ્રાથમિક શાળા ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી

મૈત્રી ગ્રુપ દ્વારા માસૂમ બાળકો જોડે મૈત્રી કરી માસૂમ જીવોના જતન માટેની પ્રવૃત્તિ ભુજ, 23 માર્ચ, 2026 – World Sparrow Day celebrated વિશ્વ ચકલી દિવસની ઉજવણી પ્રસંગે ભુજ તાલુકાની શ્રી નાના રેહા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને ૩૦૦ જેટલા ચકલી ઘર (મૈત્રીભાવ ગ્રુપ કુકમા ના પ્રોજેક્ટ સેવ સ્પેરો કેમ્પઈન) અંતર્ગત આપવામાં આવ્યા. આ પ્રસંગે વિદ્યાર્થીને પર્યાવરણમાં ચકલીઓનું […]

સુપ્રસિદ્ધ વિદુષી અરુણાબા જાડેજાએ વિદ્યાપીઠમાં અનુવાદ પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપ્યું

ડૉ. પ્રણવ જોશીપુરાએ પ્રાયોગિક કવાયત દ્વારા અનુવાદના વિવિધ પાસાની સમજ આપી કુલપતિ હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૂજરાત વિદ્યાપીઠના અંગ્રેજી વિભાગ દ્વારા બે દિવસની કાર્યશાળાનું આયોજન [અલકેશ પટેલ] અમદાવાદ, 16 માર્ચ, 2026 – workshop on translation સ્રોત ભાષાની કૃતિને સ્થળ, સમય, કાળ પ્રમાણે અન્ય ભાષામાં લઈ જવાની પ્રક્રિયા એટલે અનુવાદ. અનુવાદ એ સેતુ છે. એ બધું ખરું […]

અમદાવાદમાં IA ટેકનોલોજી ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આશીર્વાદ કે અભિશાપ? વિષય ઉપર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન

અમદાવાદ, 14 માર્ચ 2026: અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ્ર દ્વારા ‘ A.I. ટેકનોલોજી-ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આશીર્વાદ કે અભિશાપ?’ વિષય ઉપર રાષ્ટ્રીય પરિસંવાદ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં શિવાનંદ આશ્રમ સ્થિત ચિદાનંદમ ભવન ખાતે 15મી માર્ચે રવિવારે સવારે 9.30 કલાકથી 2 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે. અદાણી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.ડો.ધવલભાઈ પુજારા, શ્રી દિવ્યજીવન […]

ગુજરાત યુનિ.માં પપેટ કળાનો વર્કશોપ: વિદ્યાર્થીઓએ ‘બા અને બાપુ’ પપેટ શો દ્વારા દાંડી યાત્રાની સ્મૃતિ તાજી કરી

અમદાવાદ, 12 માર્ચ 2026: ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ વિભાગ દ્વારા સેમેસ્ટર-૨ ના વિદ્યાર્થીઓ માટે ‘સમૂહ સંચારના માધ્યમ તરીકે પપેટ’ વિષય પર એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓએ સમૂહ સંચારમાં પપેટ (કઠપૂતળી) ની ભૂમિકા સમજવાની સાથે વિવિધ પ્રકારના પપેટ બનાવવાની કળા શીખી હતી. વર્કશોપના અંતે વિદ્યાર્થીઓ દ્વારા બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code