1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગાંધીનગર સહિત 45 સ્થળે 18મા રોજગાર મેળામાં 61,000 નિમણૂકપત્ર એનાયત

ગાંધીનગર, 24 જાન્યુઆરી, 2026 – 61,000 appointment letters awarded પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તા. 24 જાન્યુઆરી, 2026ના રોજ ગાંધીનગર સહિત દેશભરના 45 સ્થળોએ યોજાયેલા રોજગાર મેળામાં ભારત સરકારના વિવિધ વિભાગોમાં નવી નિમણૂક મેળવનાર 61,000થી વધુ ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે પ્રધાનમંત્રીએ વિશેષ વીડિયો સંદેશ મારફતે નવનિયુક્ત ઉમેદવારોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે […]

અમદાવાદમાં હવે જાહેર રસ્તા પર શ્વાનને ખોરાક નાખનાર સામે થશે કાર્યવાહી

અમદાવાદ, 24 જાન્યુઆરી 2026: અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનોનો આતંક અને નિર્દોષ નાગરિકોને શ્વાન કરડવાના વધતા કિસ્સાઓએ તંત્રની ઉંઘ ઉડાડી દીધી છે. આ સમસ્યાના કાયમી ઉકેલ અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNCD) દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી શહેરના જાહેર માર્ગો, સોસાયટીના નાકા […]

ગુજરાત ભાજપ દ્વારા એક મહિના સુધી વિવિધ સ્તરે જી-રામ-જી યોજના વિશે જાગૃતિ કાર્યક્રમો યોજાશે

વસંત પંચમીએ પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે “VB-G RAM G” જનજાગરણ અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ ૨૭ થી ૨૯ જાન્યુઆરી જિલ્લા સ્તરે, ૧ થી ૫ ફેબ્રુઆરી મંડલ સ્તરે જનજાગરણ અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાશે ૫ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન દરેક તાલુકામાં શ્રમિક સંમેલન યોજાશે, ૧૬ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન ભાજપા કિસાન મોરચા દ્વારા ગ્રામ્ય સ્તરે ખેડૂત […]

બનાસકાંઠા વિભાગના સંઘ કાર્યાલય “વંદે માતરમ ભવન”નું લોકાર્પણ

વંદે માતરમ ભવન હિન્દુ સમાજનું  કેન્દ્રબિંદુ બનશે: સુનિલભાઈ મહેતા સારા કાર્ય માટે આપણું દાન સ્વીકારવું એ જ આપણું અહોભાગ્યઃ હેમચંદભાઈ જગાણીયા પાલનપુર, 24 જાન્યુઆરી, 2026 – Vande Mataram Bhavan રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી બનાસકાંઠા ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા “વંદે માતરમ ભવન” નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ લોકાર્પણ ગઈકાલે  23 જાન્યુઆરીને  વસંત […]

ગિફ્ટના બહાને છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલાને 7 વર્ષની કેદ

અમરેલી, 24 જાન્યુઆરી 2026: ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી ‘સરપ્રાઈઝ ગિફ્ટ’ના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલા આરોપીને અદાલતે 7 વર્ષની કેદની મહત્તમ સજા અને દંડ ફટકાર્યો છે.બનાવની હકીકત એવી હતી કે, જૂન 2023માં ફરિયાદી પિયુષ થુંમર સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક કરી નાઇજીરીયન મહિલા આરોપીએ પોતાની ઓળખ વિદેશી મિત્ર તરીકે આપી હતી. લંડનથી કિંમતી ગિફ્ટ મોકલવાની […]

જીવન પછી પણ જીવંત રહેતો પ્રેમ: એક એવી ભેટ જે પેઢીઓને સુરક્ષિત કરે છે

Whole life insurance policy આજના ભાગદોડ ભરેલા જીવનમાં આપણે ઘર, ગાડી અને ભૌતિક સુખ-સગવડ માટે સતત દોડતા રહીએ છીએ. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે સાચી સંપત્તિ શું છે? સાચી સંપત્તિ એ બેંક બેલેન્સ નથી, પરંતુ તમારા પરિવારના ચહેરા પરનું નિશ્ચિંત સ્મિત છે. આજે આપણે વાત કરીશું રમેશભાઈની, જેમને સમજાયું કે, પરિવારની સુરક્ષા એટલે માત્ર આજ […]

પરિવાર, સમાજ અને વૈશ્વિક વ્યવસ્થા પર સંવાદને પ્રોત્સાહન સાથે ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર 4.0’નું સમાપન

મુંબઈ, 23 જાન્યુઆરી, 2026: Vasudhaiva Kutumbakam Ki Aur 4.0 વિદેશ મંત્રાલયના સમર્થન સાથે મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજિત ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર 4.0’ કોન્ક્લેવ અને પ્રદર્શનનું યાદગાર સમાપન થયું છે. આ કોન્ક્લેવ તેમજ તેની સાથે યોજાયેલા જ્ઞાનવર્ધક પ્રદર્શને હજારો મુલાકાતીઓ પર કાયમી પ્રભાવ છોડ્યો છે. જ્યોત ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પહેલ અંતર્ગત નીતિ નિર્ધારકો, ન્યાયશાસ્ત્રીઓ, […]

એએમટીએસ બસે સ્કૂલવાન, ટેમ્પો અને રિક્ષાને અડફેટે લીધા, બેને ઈજા

અમદાવાદ,23 જાન્યુઆરી 2026:  શહેરના ગોતા વિસ્તારમાં સિરામિક માર્કેટ પાસે માતેલા સાંઢની જેમ પૂરફાટ ઝડપે આવેલી એએમટીએસ બસે એક સ્કૂલવાન, ટેમ્પો અને રિક્ષા એમ ત્રણ વાહનોને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં બે લોકોને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજમાં બસ ઓવર સ્પીડમાં હોવાનું […]

જુઓ VIDEO: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 24-25 જાન્યુઆરીએ આર્મીનો વિશેષ બેન્ડ કાર્યક્રમ

અમદાવાદમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ પર ગુંજશે દેશભક્તિનું સંગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ નિમિત્તે અમદાવાદનો અટલ બ્રિજ બનશે રાષ્ટ્રપ્રેમનું કેન્દ્ર અમદાવાદ, 23 જાન્યુઆરી 2026: Special Army band program દેશના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે રક્ષા મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં સૈન્ય બેન્ડ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ ભારતીય સૈન્યના સંકલનથી યોજાશે. રક્ષા મંત્રાલય […]

ગાંધીનગર ખાતે ‘એડવાન્સિસ ઈન અર્થક્વેક સાયન્સની ત્રિદિવસીય વૈશ્વિક પરિષદનો‌ પ્રારંભ

ગાંધીનગર, 23 જાન્યુઆરી 2026:  દેશ-દુનિયામાં આવતા ભૂકંપ સામે અર્લી વોર્નિંગ સિસ્ટમ અને સંશોધન માટે આ ત્રિદિવસીય વૈશ્વિક પરિષદ મહત્વની ભૂમિકા ભજવશે. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશમાં સૌ પ્રથમવાર વર્ષ ૨૦૧૧માં ગુજરાતના ગાંધીનગરમાં ભૂકંપ સંશોધન કેન્દ્ર-ISRની સ્થાપના કરવામાં આવી હતી, જે આજે ભૂકંપ સંશોધન ક્ષેત્રે દેશ- દુનિયાને માર્ગદર્શન કરી રહી છે. આ વૈશ્વિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code