1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

કેન્દ્ર સરકાર દ્વારા સરકારી યોજનાઓમાં વચન કરતાં ઓછો ખર્ચ કરવામાં આવ્યોઃ કોંગ્રેસ

સાત વિભાગોમાં કુલ ૧,૨૧,૪૪૭ કરોડ જેટલી જંગી રકમ ન ખર્ચવાને કારણે કરોડો નાગરિકો પાયાની સેવા-સુવિધાના મળવાપાત્ર લાભોથી વંચિત રહ્યા: મનિષ દોશી અમદાવાદ, 3 ફેબ્રુઆરી, 2026 – Congress કેન્દ્રીય બજેટ અંગે પ્રતિભાવ આપતાં ગુજરાત કોંગ્રેસને આક્ષેપ કર્યો છે કે, નરેન્દ્ર મોદી સરકારે ગત બજેટમાં જે જાહેરાતો કરી હતી તે અનુસાર ખર્ચ કર્યો નથી. આ કારણે દેશના […]

કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લીન એર તરફ AMCનો અભિગમ

અમદાવાદ 2, ફેબ્રુઆરી 2026 : Commonwealth Games 2030 ભારતમાં ઝડપથી વધી રહેલા શહેરીકરણ અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે હવા પ્રદૂષણ એક મહત્વપૂર્ણ શહેરી પડકાર બની રહ્યો છે. આવા સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એર ક્વોલિટી મેનેજમેન્ટમાં સુનિયોજિત, ડેટા આધારિત અને અમલકેન્દ્રિત અભિગમ અપનાવીને એક સકારાત્મક અને મજબૂત મોડલ રજૂ કર્યું છે. શહેરના વિકાસ સાથે સ્વચ્છ […]

AMC ફૂડ વિભાગ દ્વારા બિનઆરોગ્યપ્રદ 1126 કિલોગ્રામ તેમજ 1318 લીટર જથ્થો નાશ કરાયો

જાન્યુઆરીમાં કુલ 570 ખાદ્ય પદાર્થોના નમુનાઓ લેવાયા-1485 એકમોમાં તપાસ, અનેક એકમો સીલ અમદાવાદ, 02 ફેબ્રુઆરી 2026 – AMC Food Department અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના નાગરિકોના જાહેર આરોગ્યના હિતમાં ફૂડ  સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે સતત કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જાન્યુઆરી 2026 દરમિયાન શહેરના વિવિધ ઝોન અને વોર્ડ વિસ્તારમાં […]

ગાંધીનગરની સ્કૂલમાં વિદ્યાર્થિનીને લાફો મારવાના કેસમાં શિક્ષિકાને 3 વર્ષની કેદ

ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2026:  ગાંધીનગરના દેહગામમાં આવેલી એક સ્કૂલની 14 વર્ષની વિદ્યાર્થિનીને હોમવર્ક ન લાવતા શિક્ષિકા પારૂલબેન રજનીકાંત પટેલે લાફો માર્યો હતો, આથી વિદ્યાર્થિનીને ડાબા કાનમાં ગંભીર ઈજા થતાં બહેરાશની તકલીફ થઈ હતી. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી, તેનો કેસ ચાલી જતા આરોપી શિક્ષિકા પારૂલબેન રજનીકાંત પટેલને ફોજદારી […]

રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પર હાઈકોર્ટે આપ્યો સ્ટે

રાજકોટ, 2 ફેબ્રુઆરી 2026:   શહેરના જંગલેશ્વર વિસ્તારના ડિમોલિશનની નોટિસ મામલે હાઈકોર્ટએ મહત્વનો આદેશ આપ્યો છે. 3 મહિના સુધી જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન નહીં થાય. હાઈકોર્ટે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલને અપીલ પર નિર્ણય કરવા આદેશ આપ્યો છે. અરજદારોને રિહેબિલિટેશન માટે પણ કન્સીડર કરવા નિર્દેશ આપ્યો છે. અરજદારોએ ડિમ્પલેશનની નોટિસને હાઈકોર્ટ સાથે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં ચેલેન્જ પણ કરી […]

સેમિકન્ડક્ટરથી સેટેલાઇટ સુધી ગુજરાતના યુવાનો ઇકોસિસ્ટમના બન્યા સર્જકઃ મોઢવાડિયા

ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2026: ઇન્ક્યુબેટર્સથી લઈને સેમિકન્ડક્ટર અને સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ સુધી ગુજરાતના યુવાનો માત્ર આઈડિયા નહીં, પરંતુ આખી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છે. અગાઉ ઈનોવેશન અને સ્ટાર્ટઅપ માત્ર લેબમાં થતા હતા, જ્યારે અત્યારે રાજ્ય સરકારના પ્રયાસો અને યુવાઓની મહેનતથી ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પ્રથમ ક્રમે છે. જ્યારે સ્ટાર્ટઅપ્સનું નામ પણ અજાણ્યું હતું, ત્યાંથી લઈને આજે આપણે […]

બજેટ વિકસિત ભારતની બ્લુ પ્રિન્ટ અને 25 વર્ષનો રોડમેપ દર્શાવે છેઃ જગદીશભાઈ વિશ્વકર્મા

ગાંધીનગર, 2 ફેબ્રુઆરી, 2026 – Jagdishbhai Vishwakarma રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ એ મોદી સરકારની ઓળખ રહી છે તેમ જણાવી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માએ 2026-27ના કેન્દ્રીય બજેટને ‘વિકસિત ભારત 2047‘ ની બ્લુ પ્રિન્ટ અને આગામી 25 વર્ષના રોડમેપને પ્રતિબિંબિત કરતું રૂ. 53.5 લાખ કરોડનું સર્વસ્પર્શી, સર્વ સમાવેશી અને યુવાશક્તિ ડ્રિવન બજેટ તરીકે ઓળખાવ્યું હતું. […]

સુરતમાં નબીરાએ પૂરફાટ ઝડપે કાર દોડાવીને 5 વાહનોને અડફેટે લીધા, ત્રણને ઈજા

સુરત,  2 ફેબ્રુઆરી 2026:  શહેરમાં રાતના સમયે નબીરાઓ પૂરફાટ ઝડપે વાહનો દોડાવીને રેસ લગાવતા હોય છે. આવા નબીરાઓને પોલીસનો પણ ડર લાગતો નથી. અને રોડ પર વાહનો તેજ ગતિથી દોડાવીને ભય ફેલાવતા હોય છે. ત્યારે આવો જ એક વધુ બનાવ બન્યો છે. શહેરના પોશ ગણાતા મગદલ્લા-ડુમસ વિસ્તારમાં આવેલા એરપોર્ટ રોડ પર અવધ ઉથોપિયા નજીક ગત […]

રાજકોટથી નોકરી પૂર્ણ કરીને રાત્રે બાઈક પર ઘેર જતા યુવાનને 4 શખસોએ લૂંટી લીધો

રાજકોટ,  2 ફેબ્રુઆરી 2026:  શહેરમાંથી નોકરી પરથી છૂટીને બાઈક પર પોતાના ઘર તરફ જઈ રહેલા બાઈકસવાર યુવાનને નારણકા ચોકડીથી સોળીયા જતા રોડ પર રોકીને ચાર અજાણ્યા શખસો રોકડ 12,700, મોબાઈલ અને બાઈક મળી કુલ 42,700 ની મત્તાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. આ બનાવની કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. […]

નડિયાદના સંતરામ મંદિરમાં સાકર વર્ષા મહોત્સવમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

નડિયાદ,  2 ફેબ્રુઆરી 2026:  શહેરના વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે રવિવારે મહાસુદ પૂનમના દિને સાકરવર્ષાનો ભવ્ય મહોત્સવ ઊજવાયો હતો. અવધૂત સંતરામ મહારાજની 195 વર્ષ જૂની પરંપરાને જાળવી રાખીને રવિવારે મંદિર પરિસરમાં હજારો મણ સાકર અને સુકા ટોપરાની વર્ષા કરવામાં આવી હતી. આ દિવ્ય ક્ષણના સાક્ષી બનવા માટે નડિયાદ શહેર સહિત સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશમાંથી લાખોની મેદની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code