1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સુરતમાં મ્યુનિ સ્કૂલોમાં સત્ર પૂર્ણ થવાને 3 મહિના બાકી છે ત્યારે હવે સ્પોર્ટ્સ યુનિફોર્મ અપાશે

સુરત, 28 જાન્યુઆરી 2026: શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક સમિતિની સ્કૂલોમાં હવે સત્ર સમાપ્તિને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે પ્રાથમિક શાળાના બાળકોને સ્પોર્ટ્સ યુનિફોર્મ આપવાનો નિર્ણય લેવાતા વિવાદ ઊભો થયો છે. નજીકના દિવસોમાં ખેલ મહાકુંભ શરુ થઈ રહ્યો છે ત્યારે શિક્ષણ સમિતિએ સ્પોર્ટસ યુનિર્ફોમ માટે દોઢ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે […]

વડોદરાની એમએસ યુનિ.માં હવે ત્રિ-સ્તરિય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે

વડોદરા, 28 જાન્યુઆરી 2026:  દેશની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમ એસ યુનિવર્સિટી અને કેમ્પસમાં હવે 1લી ફેબ્રુઆરીથી સુરક્ષા વ્યવસ્થા વધુ ટાઈટ કરીને ત્રિ-સ્તરિય વ્યવસ્થા ગોઠવવામાં આવશે.  યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ કરતા વિવાદોને કારણે વધુ ચર્ચામાં છે. કેમ્પસમાં ક્યારેક વિદ્યાર્થી જૂથો વચ્ચે ખુલ્લેઆમ મારામારી તો ક્યારેક વિદ્યાર્થિનીઓ સાથે છેડતી સહિત ગંભીર ઘટનાઓ બનતી હોવાથી યુનિવર્સિટી સામે […]

ભાવનગરમાં રવિવારે કોળી સમાજ દ્વારા ન્યાય સભા યોજાશે, સાંસદો-ધારાસભ્યો હાજર રહેશે

ભાવનગર, 28 જાન્યુઆરી 2026:  જિલ્લાના બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલામાં આરોપીઓને પકડવા કોળી સમાજે મોરચો માંડ્યો હતો. શરૂઆતમાં પોલીસે તપાસને આડા પાટે ચડાવી હતી. પણ કોળી સમાજના નેતાઓની મુખ્યમંત્રીને રજુઆત બાદ 5થી 7 આરોપીઓને પકડ્યા બાદ તટસ્થ તપાસ માટે સીટની રચના કર્યા બાદ લોક ડાયરા કલાકાર માયા આહીરના પુત્ર જયરાજ આહીર […]

સુરતમાં સિટી બસને એવરટેક કરવા જતા બાઈકનો અકસ્માત, બાઈકચાલકનું મોત

સુરત, 28 જાન્યુઆરી 2026:  શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ડિંડોલી-ઉધના બ્રિજ પર સિટીબસ અને બાઈક વચ્ચે સર્જાયો હતો. સિટીબસને ઓવરટેક કરવા જતા બાઈકચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સિટી બસના પાછળના વ્હીલ સાથે અથડાયુ હતું. જેમાં બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં બાઈકચાલક યુવકે પોલીસના દંડથી બચવા માટે […]

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરકાયદે રહેતા રહિશો સામે કડક કાર્યવાહી કરાશે

અમદાવાદ, 28 જાન્યુઆરી 2026: શહેરમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મકાનો ફાળવવામાં આવ્યા છે. આવાસ યોજનામાં એલોટ થયેલા મકાનો મળ્યા બાદ કેટલાક લોકોએ મકાનો ભાડે આપી દીધા હોવાની ફરિયાદો ઊઠી છે. કેટલાક લોકોએ મકાનો બારોબાર વેચી પણ દીધા છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આવાસ યોજનામાં તપાસ ઝૂંબેશ શરૂ કરવામાં આવી […]

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નવા નિયમો સામે સવર્ણ સમાજનો વિરોધ

વડોદરા, 28 જાન્યુઆરી 2026:   યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો સામે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. યુપી, નવી દિલ્હી સહિતના રાજ્યોમાં સવર્ણોના વિવિધ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ યુજીસીના નવા નિયમો સામે વિરોધ ઊભો થયો છે. સુરત અને રાજકોટમાં બ્રહ્મ સમાજે આવેદન આપીને યુજીસીના નવા નિયમોના અમલીકરણ સામે આકરી ચીમકી ઉચ્ચારી […]

અમદાવાદમાં શાહીબાગ અન્ડરબ્રિજ વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરાયો

અમદાવાદ,28 જાન્યુઆરી 2026:  શહેરમાં શાહીબાગ અન્ડરબ્રિજ બુલેટ ટ્રેનની કામગીરીને લીધે છેલ્લા 5 દિવનસથી બંધ કરાયો હતો. બીજીબાજુ સુભાષબ્રિજ પણ બંધ કરાયો હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા. ત્યારે બુલેટ ટ્રેનની કામગીરી પૂર્ણ થતાં શાહીબાગ અન્ડરબ્રિજ વાહન-વ્યવહાર માટે ખૂલ્લો મુકાયો છે. તેથી એરપોર્ટ, શાહીબાગ અને સિવિલ હોસ્પિટલ તરફ જતા વાહનચાલકોને રાહત થઈ છે.  શહેરમાં શાહીબાગ […]

સાબરમતી જેલ ખાતે ‘વિકાસદીપ’ યોજના અંતર્ગત કેદીઓના તેજસ્વી સંતાનોનું બહુમાન કરાયું

અમદાવાદ,28 જાન્યુઆરી 2026:  શહેરમાં સાબરમતી મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા બંદીવાનોના સંતાનો સમાજમાં ગૌરવભેર આગળ વધે અને સરકારી સેવાઓમાં જોડાય તેવા ઉમદા આશય સાથે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં અમલી કરાયેલી ‘વિકાસદીપ’ યોજના અંતર્ગત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના અધ્યક્ષસ્થાને વિવિધ સ્પર્ધાત્મક […]

ગુજરાતના તત્કાલિન CM બળવંતરાય મહેતા અને વિજય રૂપાણીનું પણ પ્લેનક્રેશમાં થયું હતું નિધન

અમદાવાદ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેનક્રેશથી મૃત્યુ થતા રાજકીય આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતે પણ પ્લેન ક્રેશમાં એક સીએમ અને પૂર્વ સીએમ ગુમાવ્યાં છે. સાત મહિના પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેનક્રેશમાં મૃત્યુ થયું હતું. જ્યારે 1965માં ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું પ્લેનક્રેશ દૂર્ઘટનામાં મૃત્યુ થયું હતું. […]

જીસીસીઆઈમાં ગુજરાતની રિન્યુએબલ એનર્જી પૉલિસી વિષય પર સેમિનાર યોજાયો

અમદાવાદ, 27 જાન્યુઆરી, 2026- Gujarat’s Renewable Energy Policy ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ગુજરાત ફેડરેશન ઑફ સોલાર ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી “Understanding Gujarat’s Renewable Energy Policies 2025: Renewables, Pumped Storage and Green Hydrogen” વિષય પર એક માહિતગાર સેમિનાર યોજાયો હતો. આ આયોજન શનિવારે જીસીસીઆઈના કે.એલ. હૉલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સત્રમાં ઉદ્યોગ આગેવાનો, MSME […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code