1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સુરેન્દ્રનગરમાં 6 કરોડના ખર્ચે જિલ્લા પુસ્તકાલય બન્યુ આધૂનિક, વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ

સુરેન્દ્રનગર,18 જાન્યઆરી 2026: શહેરના વાંચન પ્રેમીઓ માટે રૂપિયા 6 કરોડના ખર્ચે સરકારી જિલ્લા પુસ્તકાલયને આધુનિક બનાવવામાં આવ્યું છે. વાતાનુકૂલિત પુસ્તકાલયમાં વાઈફાઈ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. 1958માં સ્થપાયેલું આ પુસ્તકાલય 6 દાયકાથી વધુ સમયથી શહેરના વાંચનપ્રેમીઓની જ્ઞાનની ભૂખ સંતોષી રહ્યું છે. સુરેન્દ્રનગર શહેરના હૃદય સમા વિસ્તારમાં સી. જે. હોસ્પિટલ સામે આવેલું સરકારી જિલ્લા […]

ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10-12ની પરીક્ષા દરમિયાન ઘૂળેટીના દિને કાર્યક્રમમાં ફેરફાર કરાયો

અમદાવાદ,18 જાન્યઆરી 2026:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી – માર્ચમાં યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં બોર્ડના અધિકારીઓએ શૈક્ષણિક કેલેન્ડર જોયા વિના જ તા.4થી માર્ચને ધૂળેટીના જાહેર રજાના દિવસે પણ પરીક્ષા લેવાનું જાહેર કર્યુ હતું. આ અંગે  શૈક્ષિક સંઘ દ્વારા રજુઆત કરાતા બોર્ડ દ્વારા પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરીને હવે ધો.10 […]

રાજકોટ-ગાંધીનગર વચ્ચે 20મી જાન્યુઆરીથી એસટીની એસી લકઝરી બસ દોડશે

રાજકોટ,18 જાન્યઆરી 2026:  પાટનગર ગાંધીનગરથી રાજકોટ સુધીની એસટીની વાતાનુકૂલિત લકઝરી બસ સેવા આગામી તા. 20મી જાન્યુઆરીથી શરૂ કરાશે. રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા ગાંધીનગર માટે પ્રથમ એ.સી. સીટર બસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટથી લકઝરી એસટી બસ ઉપડવાનો સમય સાંજે 4 વાગ્યે અને ગાંધીનગરથી ઉપડવાનો સમય સવારે 7.30 વાગ્યાનો નક્કી કરાયો છે. હાલ પ્રીમિયમ […]

ભાદર ડેમ-2માંથી સિચાઈ માટેનું પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લહેર

રાજકોટ,18 જાન્યઆરી 2026: સૌરાષ્ટ્રના ભાદર-2 ડેમમાંથી કમાન્ડ વિસ્તારમાં રવિ સીઝન માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. કુતિયાણા અને રાણાવાવ વિસ્તારના ધારાસભ્ય કાંધલ જાડેજાએ સરકારમાં કરેલી સફળ રજૂઆત બાદ, શનિવારે સવારે વિધિવત રીતે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા એને લઈને ડેમના હેઠવાસમાં આવતા ગામો અને ખેડૂતો સહિતના સૌ કોઈને મોટો ફાયદો થશે. રવિ […]

સુરતમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસ છવાતાં વિઝિબિલિટી ઘટી, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

સુરત,18 જાન્યઆરી 2026:  દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં થોડા વધારો થતાં ઠંડીનું જોર ઘટ્યુ છે. પણ વહેલી સવારથી ગાઢ ધૂમ્મસ અને કેટલાક વિસ્તારમાં ઝાકળને લીધે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. સુરત શહેરમાં આજે સતત બીજા દિવસે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. આકાશચુંબી ઈમારતો ધુમ્મસમાં […]

ગુજરાતમાં ભાજપનું નહીં પણ ભયનું શાસન ચાલે છેઃ કેજરિવાલ

અમદાવાદ,18 જાન્યઆરી 2026:  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓની ગુજરાતની મુલાકાતો વધી રહી છે. શનિવારે સાંજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમદાવાદમાં એરપોર્ટ પર ઉતરતા કેજરિવાલનું આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું. આમ […]

વૈષ્ણોદેવી સર્કલ પાસે ફોર્ચ્યુનર કાર ડિવાઈડ કૂદી ST બસ સાથે અથડાઈ, કારચાલકનું મોત

અમદાવાદ,18 જાન્યઆરી 2026: શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર વાહનોની તેજ રફતારને લીધે રોડ અકસ્માતના બનાવો વધતી જાય છે. ત્યારે આજે  વહેલી સવારે વૈષ્ણદેવી સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત સર્જાતા ફોર્ચ્યુંનર કારચાલકનું મોત નિપજ્યુ હતુ. જ્યારે યુવતી સહિત ત્રણેક લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં […]

પુસ્તકોની દુનિયાઃ મુક્તિ વૃત્તાંત –  બહુ ઓછી આત્મકથાઓમાં આવી હિંમત હોય છે

આત્મકથાઓ ઘણી વાંચી છે. ઘણી ગમી છે, તો કોઈક નથી ગમી એવું પણ બન્યું છે. આત્મકથા એટલે જીવનને પાછું વળીને કે દૂર ઊભા રહીને વિતેલા, વહી ગયેલા  સમયને પોતાના સંદર્ભમાં ફરી એકવાર વાગોળી જોવાનું જીવનકાર્ય. “સત્યના પ્રયોગો” ગાંધીજી લખી શકે. સામાન્ય માનવીનું એ ગજું, હિંમત નહિ. પોતાની જાતને તદ્દન નિવસ્ત્ર કરવી, યથાતથા  ઉઘાડી પાડવી એ […]

ગુજરાત ભાજપ અધ્યક્ષે પશ્ચિમ બંગાળ અને પંજાબમાં હિંસાને વખોડી કાઢી, જાણો શું કહ્યું?

TMC એટલે T= તુષ્ટિકરણની રાજનીતિ, M= માફિયા તેમજ ગુંડારાજ અને C= ક્રાઈમ કલ્ચરઃ જગદીશભાઈ વિશ્વકર્મા ગાંધીનગર, 17 જાન્યુઆરી, 2026ઃ ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પશ્ચિમ બંગાળ અને પંજાબની હિંસક ઘટનાઓને વખોડી કાઢતા બંને રાજ્ય સરકારની નીતિ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપા કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ […]

કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ પાકિસ્તાનમાં

ગાંધીનગર, 17 જાન્યુઆરી 2026: કચ્છ જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 4.1 નોંધાઈ હતી. રાત્રિના સમયે આવેલા આ આંચકાને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને અનેક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે આ આંચકાને કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code