1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

દાંતીવાડા: રીંછની પજવણી કરનારા બે શખ્સો ઝડપાયાં

પાલનપુર, 6 જાન્યુઆરી 2026 : બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં અબોલ વન્યપ્રાણીની પજવણી કરવાની એક શરમજનક ઘટના સામે આવી છે. મનોરંજનના નામે રીંછને હેરાન કરતા શખ્સોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વન વિભાગે ગણતરીના કલાકોમાં તપાસનો ધમધમાટ તેજ કરી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં […]

લાલપુર હાઇવે ટાયર બદલતા 4 મિત્રોને જીપકારે કચડ્યા, 3 ના મોત

જામનગર, 6 જાન્યુઆરી 2026 : જામનગર-લાલપુર ધોરીમાર્ગ જાણે યમરાજનો માર્ગ બની રહ્યો હોય તેમ ગઈકાલે મધરાત્રે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો છે. રસ્તા પર ઉભા રહી પોતાની ગાડીનું ટાયર બદલી રહેલા ચાર વ્યક્તિઓને પાછળથી પૂરપાટ ઝડપે આવતી અન્ય એક બોલેરોએ અડફેટે લેતા ત્રણના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે હાઇવે […]

ગુજરાત પોલીસની GP-SMASH પહેલ: સોશિયલ મીડિયા દ્વારા નાગરિકોની ફરિયાદોનું ઘરે બેઠા ઝડપી નિરાકરણ

ગાંધીનગર, 6 જાન્યુઆરી, 2026 : ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકો સાથે સોશિયલ મીડિયા મારફતે કનેક્ટ થવા માટે ૦૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ શરૂ કરાયેલી GP-SMASH (Gujarat Police – Social Media Monitoring, Analysis and Systematic Handling) પ્રોજેક્ટે છેલ્લા ૧૦ મહિનામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. આ પહેલનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો દ્વારા રજૂ થતી […]

ગુજરાતઃ શહેરી વિસ્તારોના જળ સંસાધનોમાં 92.97 MLDનો  વધારો

ગાંધીનગર, 06 જાન્યુઆરી, 2026: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં દૈનિક પાણી પુરવઠો અને સલામત પીવાના પાણીની સમાન પહોંચ સુનિશ્ચિત કરીને રાજ્યને ટકાઉ શહેરી પાણી વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય મોડેલ તરીકે સ્થાપિત કરવાની નેમ રાખે છે. આ જ ઉદ્દેશ્યથી શહેરી વિકાસ વર્ષ 2025 દરમિયાન રાજ્યના શહેરી વિસ્તારોના જળ સંસાધનોમાં 92.97 MLDનો […]

ગુજરાતના 3691 નવનિયુક્ત આંગણવાડી કાર્યકરોની બે દિવસીય તાલીમ સંપન્ન

ગાંધીનગર, 6 જાન્યુઆરી 2026 : બાળકોના સર્વાંગી વિકાસ તથા તેમને વધુ સુપોષિત બનાવવાના ઉમદા ઉદ્દેશથી આઈ.સી.ડી.એસ. યોજના હેઠળ રાજ્યભરમાં આંગણવાડીઓ કાર્યરત કરવામાં આવી છે. બાળકોના ભવિષ્યને પાયાથી જ વધુ મજબૂત કરવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ૯,૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ નવનિયુક્ત કર્મચારીઓ આઈ.સી.ડી.એસ. યોજનાના […]

ગુજરાત ઠંડુગાર: નલિયા 7 ડિગ્રી સાથે રાજ્યનું ઠંડુ નગર બન્યું

અમદાવાદ, 6 જાન્યુઆરી 2026: રાજ્યમાં ફરી એકવાર શિયાળાએ અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. ઉત્તર અને પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા બરફીલા પવનોને કારણે સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને કચ્છનું નલિયા 7 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયું છે. પડોશી રાજ્ય રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પારો માઈનસ […]

ગુજરાતની અદાલતોને RDX થી ઉડાવી દેવાની આતંકી ધમકી, પોલીસ દોડતી થઈ

અમદાવાદ, 6 જાન્યુઆરી 2026 : ગુજરાતમાં સરકારી સંસ્થાઓને નિશાન બનાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મોડી રાત્રે ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ, સુરત, રાજકોટ, ભરૂચ અને આણંદની અદાલતોને RDX વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર રાજ્યના સુરક્ષા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. વિદેશી ધરતી પરથી મોકલવામાં આવેલા આ ધમકીભર્યા ઈ-મેઈલને પગલે તમામ અદાલતોમાં પ્રવેશબંધી લાદી દેવામાં આવી […]

અમદાવાદ એડવર્ટાઈઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન દ્વારા AACA મીડિયા એવોર્ડસ 2026નું આયોજન કરાયું

અમદાવાદ, 6 જાન્યુઆરી 2026 : અમદાવાદ એડવર્ટાઈઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન (AACA) દ્વારા આયોજિત ભવ્ય ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ ૨૦૨૬ અંતર્ગત એએસીએ મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬નું અમદાવાદમાં સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ એએસીએના ૩૫ વર્ષના ગૌરવસભર પ્રવાસની ઐતિહાસિક ઉજવણી તરીકે ઉજવાયો. આ ફેસ્ટિવલે સમગ્ર એડવર્ટાઈઝિંગ ઈન્ડસ્ટ્રીમાં જોરદાર મોમેન્ટમ સર્જ્યુ હતું. અગ્રણી એડવર્ટાઈઝિંગ એજન્સીઓ, મીડિયા ઓનર્સ, મીડિયા […]

સુરત લિટરેચર ફેસ્ટિવલ 2026: ત્રણ દિવસમાં 30થી વધુ વક્તા 2047ના ભારતનું મંથન કરશે

સુરત લિટરેચર ફેસ્ટિવલ 2026, 9 થી 11 જાન્યુઆરી દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાશે [અલકેશ પટેલ] સુરત, 5 જાન્યુઆરી, 2026 – Surat Literature Festival 2026 સાહિત્ય, પુસ્તકો અને કળા-સંસ્કૃતિના માધ્યમથી વર્તમાન ભારતનું ચિત્ર રજૂ કરીને દેશના ઉજ્જ્વળ ભવિષ્ય માટે ચિંતન-મનન કરવાનો ઉત્સવ આવતા શુક્રવારે 9મી જાન્યુઆરીએ સુરતમાં શરૂ થઈ રહ્યો છે. 2020માં સુરત […]

જૂનાગઢઃ માનવભક્ષી સિંહણને બેભાન કરવાનું ઇન્જેક્શન ટ્રેકરને વાગતા મોત

જૂનાગઢ, 5 જાન્યુઆરી 2026: ગીરના જંગલો અને વન્યજીવ સંરક્ષણના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી એક અત્યંત કરુણ અને દુઃખદ ઘટના સામે આવી છે. વિસાવદરના નાની મોણપરી ગામે માસૂમ બાળકનો શિકાર કરનાર માનવભક્ષી સિંહણને પકડવા ગયેલા વન વિભાગના નિષ્ણાત ટ્રેકર અશરફભાઈ ચૌહાણનું ‘એનેસ્થેસિયા’નું ઇન્જેક્શન વાગવાથી મોત નીપજ્યું છે. સિંહણને બેભાન કરવા માટે છોડવામાં આવેલી ટ્રેન્ક્વિલાઇઝર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code