1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વિશેષ લેખઃ સનાતન ધર્મનું નૈતિક માળખું, એપ્સટીન જેવાં કૌભાંડ અને નૈતિક પતન સામેનો રામબાણ ઈલાજ

(એપસ્ટિન ફાઈલ વિશે હાલ લગભગ બધા જાણે છે. તેના દ્વારા જે કૌભાંડ જાહેર થયું છે તેમાં દુનિયાના અનેક રાજકારણી, ઉદ્યોગપતિઓ, ફિલ્મી કલાકારો તથા અન્ય સેલિબ્રિટી સંડોવાયેલા છે. માનવતાને લાંછન લગાવે તેવું આ કૌભાંડ કેમ થયું અને આવું ન થાય તે માટે સનાતન સભ્યતામાં શું ઉપાય જણાવવામાં આવ્યા છે તે વિશે સુરતના અગ્રણી ડૉ. ગોપાલભાઈ ગોસ્વામી […]

ગુજરાતમાં સૈન્યના સધર્ન કમાન્ડનો સરહદની સુરક્ષા અને સેવાનો સંકલ્પ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ગાંધીનગર, 09 ફેબ્રુઆરી 2026 – Army’s Southern Command in Gujarat સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ (PVSM, UYSM, AVSM) એ ગુજરાત રાજ્યમાં વ્યાપક ઓપરેશનલ સમીક્ષા કરી હતી, જેમાં ખાસ કરીને ક્રીક અને કચ્છ સેક્ટરમાં સજ્જતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બીજી તરફ આ નિમિત્તે […]

ઊંઝામાં 20 દિવસમાં ત્રણ કરોડની કિંમતના જીરૂની ચોરી કેસમાં વકીલ સહિત 5 આરોપી પકડાયા

મહેસાણા, 8 ફેબ્રુઆરી 2026:  જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઉનાવા હાઇવે પાસે ડિસેન્ટ હોટેલ પાછળ ખોડિયાર એસ્ટેટના ગોડાઉનમાં 20 દિવસમાં રૂપિયા ત્રણ કરોડની કિંમતના જીરૂની ચોરી થતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ચોરીનો ભેદ ઉકેલી 5 આરોપીને દબોચી લીધા છે.  ચોરી કેસની તપાસમાં હાલ જે તથ્યો સામે આવી રહ્યા છે, તેને જાણીને ખુદ પોલીસ પણ […]

વૈશ્નોદેવી-ઝૂંડાલ હાઈવે પરનો કટ બંધ કરાતા લોકોએ કર્યો વિરોધ

અમદાવાદ, 8 જાન્યુઆરી 2026: શહેરના વૈશ્નોદેવી-ઝૂંડાલના એસપી રિંગ રોડ હાઈવે પર હોટલ હિલ્લોક નજીકનો ડિવાઈડર પરનો કટ બંધ કરી દેવાતા ન્યુ ત્રાગડ, ચાંદખેડા સહિતના વિસ્તારોના વાહનચાલકોને હાલાકી પડી રહી છે. આથી આ વિસ્તારના વાહનચાલકો સહિત લોકોએ ભારે વિરોધ કરીને સિગ્નેચર કેમ્પેઇન શરૂ કર્યું છે, કહેવાય છે કે, ભાજપના સાંસદ નરહરિ અમીનની રજૂઆત બાદ ઔડા અને […]

કુરિયરના પાર્સલમાંથી મોંઘા મોબાઈલ ફોનની બદલી કરતી સ્કેમર ગેંગ પકડાઈ

અમદાવાદ, 8 ફેબ્રુઆરી 2026,  ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધતો જાય છે. ત્યારે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીના પાર્સલમાંથી મોંઘા મોબાઈલ ફોન બદલીને છેતરપિંડી કરતી ગેન્ગને શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી છે. ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી દિગ્ગજ ઈ-કોમર્સ કંપનીઓને નિશાન બનાવતી આ ગેંગ લોજિસ્ટિક્સ ચેઇનમાં ઘૂસીને અસલ કિંમતી સામાનને બદલે ડમી પ્રોડક્ટ્સ પધરાવી દેતી હતી. ક્રાઈમ બ્રાન્ચે […]

સાંચોર-થરાદ હાઈવે પર પૂર ઝડપે કારે બાઈકને અડફેટે લેતા બેનાં મોત

પાલનપુર, 8 ફેબ્રુઆરી 2026,  થરાદ-સાંચોર હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. સાંચોર-થરાદ હાઇવેના સર્વિસ રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતાં બાઈકસવાર ત્રણ વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા. જેમાં પિલુડા ગામની બે વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત […]

મુળીના ધોળિયા ગામે કોલસાના ખનન કેસમાં 4 શખસો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર, 8 ફેબ્રુઆરી 2026,  જિલ્લાના મૂળી તાલુકાના ધોળિયા ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર કોલસા ખનન કરવાના કેસમાં કલેક્ટરના આદેશ બાદ 4 શખસો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કાર્યવાહી ‘ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020’ હેઠળ કરવામાં આવી છે. ખનીજ માફિયા સામે કડક કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે. આ બનાવની […]

સુરેન્દ્રનગરમાં કાલે સોમવારે કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો મહારેલી યોજાશે

સુરેન્દ્રનગર, 8 ફેબ્રુઆરી 2026, શહેરમાં કોંગ્રેસ દ્વારા લોકશાહી અને મતાધિકાર અધિકારો બચાવવા માટે મહારેલી અને ઘરણાનો કાર્યક્રમ આવતી કાલે 9મી ફેબ્રુઆરીને સોમવારે યોજાશે.આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, નૌશાદ સોલંકી, ડો. હિરેન બેંકર, ડો. મનીષ દોશી સહિતના કોંગ્રેસના અગ્રણી નેતાઓ જોડાશે. ભાજપ દ્વારા લોકશાહીનું હનન થઈ રહ્યુ છે. અને મતદાર યાદીમાંથી કોંગ્રેસ સમર્થિત મતદારોની બાદબાકી […]

ભાવનગરના સિહોર તાલુકામાં વીજ તંત્રના દરોડામાં 50 લાખની વીજચોરી પકડાઈ

ભાવનગર, 8 ફેબ્રુઆરી 2026, જિલ્લાના ગામડાઓમાં પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા વીજચોરી સામે સઘન તપાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. રૂરલ ડિવિઝન નીચેના સિહોર અને વલભીપુર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગના દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં 50.44 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી. વીજ તંત્રની તવાઈથી વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પીજીવીસીએલ  ભાવનગર સર્કલમાં પાંચમા દિવસે GUVNLની કોર્પોરેટ […]

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં ટેકનિકથી મગરોની ગણતરીનો પ્રારંભ

વડોદરા, 8 ફેબ્રુઆરી 2026, શહેરમાં વિશ્વામિત્રી નદીમાં મગરોના વસવાટને લઈ વિશ્વામિત્રી નદી દેશભરમાં જાણીતી બની છે, ત્યારે વિશ્વામિત્રી નદીમાં રહેલા મગરોની ગણતરી એમએસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી અને વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં ઝૂઓલોજી વિભાગના 30 વોલિન્ટિયર, વન વિભાગના કર્મચારીઓ અને એનજીઓના વોલિન્ટિયર પણ જોડાયા છે. ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં ગણતરી કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code