1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

SWAYAM જેવા પ્લેટફોર્મ દ્વારા શિક્ષણમાં ટેકનોલોજીના એકીકરણને વેગ મળ્યોઃ ડો.સુકાંત મજુમદાર

અમદાવાદઃ શિક્ષણ મંત્રાલયે ગુજરાતના કેવડિયામાં કેન્દ્રીય યુનિવર્સિટીઓની બે દિવસીય કુલપતિઓની પરિષદનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, શિક્ષણ રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજુમદાર, શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને કેન્દ્રીય યુનિવર્સિટીઓના કુલપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. સુકાંત મજુમદારે સમાપન સત્રમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સરદાર પટેલ એકતા, શિસ્ત અને […]

ગુજરાતમાં મેઘમહેરઃ 101 તાલુકામાં વરસાદ, 2 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ગાંધીનગરઃ આજે 12મી જુલાઈએ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાયના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી પહેલા ભારે વરસાદ જોવા […]

અમદાવાદ પ્લેન ક્રેશના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, એન્જિનોને ઈંધણ સપ્લાઈ ન થતા દૂર્ઘટના સર્જાઈ

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ બહાર આવ્યો છે. જેમાં 12મી જૂને થયેલા વિમાન દુર્ઘટનાનું કારણ બહાર આવ્યું છે. આ લગભગ 15 પાનાનો રિપોર્ટ છે. જેમાં વિમાન દુર્ઘટના સાથે સંબંધિત બધાયે એન્ગલ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે AAIB રિપોર્ટ શું કહે છે? અમદાવાદમાં 12મી જૂન 2025 ને મંગળવારે થયેલા વિમાન દુર્ઘટનાનો […]

આમોદ-જંબુસર હાઈવે પર ઢાઢર નદી પરનો જર્જરિત બ્રિજ, કોંગ્રેસે દ્વારા વિરોધ કરાયો

બ્રિજને મરામત ન કરાતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું, કોંગ્રેસના કાર્યકરોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરતા 23 કાર્યકરોની અટકાયત, ભાજપના ધારાસભ્ય કહે છે, સરકાર નવો બ્રિજ બનાવશે ભરૂચઃ વડોદરાના પાદરા તાલુકામાં મહિસાગર નદી ઉપરનો ગંભીરા બ્રીજ તૂટી પડ્યાની ઘટના બાદ અન્ય જર્જરિત બ્રિજ સામે સરકારનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લાના આમોદ-જંબુસર વચ્ચે આવેલ […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા પાસે ભોગાવો નદી પરનો જર્જરિત બ્રિજ

60 વર્ષ જૂના બ્રિજ જર્જરિત સ્થિતિમાં, બ્રિજના સળિયા દેખાયા, ત્રણ કિલોમીટર લાંબા બ્રિજ પર ઠેર ઠેર નાના-મોટા ખાડાઓ પડયા, અનેક રજૂઆતો છતાંયે બ્રિજને રિપેર કરાતો નથી લીંબડીઃ  રાજકોટ – અમદાવાદ નેશનલ હાઈવે વાહનોથી સતત ધમધમતો હોય છે. હાઈવેને સિક્સલેન કરવાની કરવાની કામગીરી પૂર્ણ થવામાં છે, ત્યારે હાઈવે પરના બગોદરા નજીક ભાદર નદી પરના નાના પુલની […]

સુરતમાં ડાઈંગ યુનિટોએ કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડતા 8 જોડાણો કાપી નંખાયા

ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતું હોવાથી ફરિયાદો ઊઠી હતી, 8 ગેરકાયદે તપેલા ડાઈંગ યુનિટના ડ્રેનેજ કનેક્શન કપાયા, ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા પ્રદૂષણ સામે પગલાં લેવાતા નથી સુરતઃ શહેરમાં ડાઈંગના યુનિટધારકો ઘણીવાર કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં ઠાલવી દેતા હોય છે. ચોમાસા દરમિયાન આવા બનાવો વધુ બનતા હોય છે. ત્યારે છેલ્લા કેટલાક વખતથી ડ્રેનેજમાં કેમિકલવાળું પાણી આવતું હોવાની […]

સુરતમાં ગેસ ગુંગળામણથી 3 સિનિયર સિટિઝન્સ અને ગોંડલમાં વીજ કરંટથી બે કર્મીના મોત

સુરતમાં જનરેટર ચાલુ કરીને મકાનમાં ઊંઘી ગયેલા 3નાં ગુંગળામણથી મોત, ગોંડલમાં વીજ રિપેરિંગ કામ દરમિયાન વીજપ્રવાહ ચાલુ થઈ જતાં બે કર્મચારીના મોત, બન્ને બનાવમાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ સુરત અને રાજકોટના ગોંડલમાં અપમૃત્યુના બનાવમાં 5ના મોત નિપજ્યા હતા. પ્રથમ બનાવમાં સુરતના પાલ વિસ્તારમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બનાવેલી ઓરડીમાં રહેતા 3 સિનિયર સિટિઝનો […]

કચ્છમાં 2.72 લાખ હેકટરમાં ખરીફ પાકની વાવણી, સૌથી વધુ કપાસનું વાવેતર

બાજરીનું 16994 હેકટર અને મગનું 16980 તેમજ દિવેલા 12782 હેકટરમાં વાવેતર, કપાસનું 70035 હેકટર, મગફળીનું 66853 અને ઘાસચારીનું 46877 હેકટરમાં વાવેતર, ઉઘાડ નિકળતા હજુપણ ખરીફપાકના વાવેતરમાં વધારો થશે ભૂજઃ કચ્છમાં આ વખતે સારો વરસાદ થવાને લીધે ખરીફ પાકનું ખેડૂતો વાવેતર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર 2 લાખ 72 હજાર 728 […]

પાટડી-માલવણ હાઈવે પરના બજાણાના પુલ પર ગાબડાં પડતા સળિયા દેખાયા

કચ્છથી જોડતા આ હાઈવે પર સતત ટ્રાફિક રહેતો હોય છે, બજાણા બ્રિજની બિસ્માર હાલત છતાં તંત્રની નિષ્ક્રિયતા, બ્રિજ પર સળિયા નીકળતા વાહનોને પણ પેકચર પડવાનો ભય સુરેન્દ્રનગરઃ ગંભીરા બ્રિજની દૂર્ઘટના બાદ હવે અન્ય જર્જરિત બ્રિજ સામે વાહનચાલકો સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે જિલ્લાના પાટડી-માલવણ રોડ પર આવેલા બજાણા પુલની સ્થિતિ અત્યંત જોખમી બની છે. પુલમાં […]

ગાંધીનગરના ભાટ સર્કલ પરનો કેબલ સ્ટેઈડ બ્રિજ હવે 4 મહિનામાં જ તૈયાર થઈ જશે

બ્રિજના બંને તરફના છેડે કુલ 32 કેબલ લવગાવામાં આવશે, 4 કેબલ લગાવી દેવાયા, બાકીના 12 કેબલ લગાવવાની કામગીરી બે દિવસમાં પૂર્ણ કરાશે, ચીનથી ખરીદાયેલા કેબલોનું અમેરિકામાં ટેસ્ટિંગ કરાયું હતું ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ જતા રોડ પર ભાટ સર્કલ પર કેબલ સ્ટેઈડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ વીવીઆઈપી રૂટ્સ હોવાથી કેબલ સ્ટેઈડ બ્રિજનું કામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code