1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી,  5 નવેમ્બરથી રાહતની આશા

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસા બાદ પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી 24 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા છે., જ્યારે ત્યારબાદના ત્રણ દિવસ દરમિયાન મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે. રાજ્યમાં સતત વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે, હાલની હવામાન પરિસ્થિતિ મુજબ […]

ગુજરાતમાં 141 તાલુકામાં માવઠું, સૌથી વધુ અમરેલીના રાજુલામાં 3 ઇંચ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠું થતાં ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કમોસમી વરસાદની સૌથી વધુ અસર જોવા મળી છે. શુક્રવારથી છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં 3.46 ઇંચથી વધુ કમોસમી વરસાદ […]

અમદાવાદના નવરંગપુરામાં સિક્યુરીટી ગાર્ડે નજીવી બાબતે સહકર્મી પર કર્યું ફાયરિંગ

નવરંગપુરામાં યુનિયન બેન્ક કરન્સી ચેસ્ટના બેઝમેન્ટમાં બન્યો બનાવ, સિક્યુરિટી ગાર્ડે પોતાની લાઇસન્સવાળી ડબલ-બેરલ ગન વડે ગોળીબાર કર્યો, સાથી ગાર્ડને પગમાં ગોળી વાગતા હોસ્પિટલ ખસેડાયો, અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાં  સી.જી રોડ પર આવેલી યુનિયન બેન્ક કરન્સી ચેસ્ટમાં ફરજ બજાવતા એક સિક્યુરિટી ગાર્ડે કથિત રીતે તેના સાથી ગાર્ડ પર લાઇસન્સવાળી ડબલ-બેરલ બંદૂક વડે ફાયરિંગ કરતા સાથી ગાર્ડને […]

ભૂપેન્દ્ર પટેલ નહીં પણ હર્ષ સંઘવી સુપર સીએમ છેઃ અરવિંદ કેજરિવાલનો આક્ષેપ

આમ આદમી પાર્ટીના ઉપક્રમે સાયલામાં ખેડૂત મહા પંચાયત યોજાઈ, કેજરિવાલ અને ભગવંત માને ભાજપ સરકાર પર કર્યા પ્રહારો, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા તો ભાજપની ઝાડા થઈ ગયા સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકાના વાંટાવચ્છ ગામમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરાયુ હતું. જેમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ તેમજ […]

સુરતમાં રન ફોર યુનિટીમાં લોકોએ નાસ્તાને પેકેટ અને પાણીની બોટલો રસ્તાઓ પર ફેંકી

રન ફોર યુનિટીમાં અનેક લોકોએ ઉત્સાહથી ભાગ લીધો, રન ફોર યુનિટીમાં દોડતા લોકોએ પાણીની ખાલી બોટલો રોડ પર ફેંકતા થઈ ગંદકી, ગંદકી જોઈને પોલીસ અધિકારીઓ અને તેમના પત્નીઓએ જાતે જ કચરો એકત્ર કરીને ડસ્ટબીનમાં નાંખ્યો સુરતઃ દેશભરમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સુરત પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું […]

ગિરનારની લીલી પરિક્રમા આખરે સ્થગિત કરાઈ, માવઠાથી પરિક્રમાના માર્ગો ધોવાઈ ગયા

કમોસમી વરસાદથી 36 કિમીના રૂટ પર ઠેર-ઠેર કાદવ-કીચડ થયો છે, માત્ર સાધુ-સંતો પ્રતિકાત્મક યાત્રા કરી શકશે, વહીવટી તંત્ર અને સાધુ સંતોની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય  જૂનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમાનું વિશેષ મહાત્મ્ય છે. કારતક સુદ અગિયારસને 2જી નવેમ્બરને રવિવારથી શરૂ થનારી લીલી પરિક્રમાને સ્થગિત કરવામાં આવી છે. વરસાદને લીધે પરિક્રમાનો 36 કીમીનો માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો […]

ધ્રાંગધ્રા અને પાટડી રણમાં કમોસમી વરસાદથી અગરિયાને ભારે નુકસાન

કચ્છના નાના રણમાં દર વર્ષે ૩૦ લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે, માવઠાને લીધે મીઠાના તૈયાર કરેલા પાટા તેમજ સોલાર પ્લેટને નુકસાન, અગરિયાઓને નુકસાનીનું વળતર આપવાની માંગ સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખતા જિલ્લાના ધ્રાંગધ્રા, પાટડી અને ખારાઘોડાના રણ વિસ્તારામાં હાલ અગરિયાઓ દ્વારા મીઠુ પકવવાની સીઝન ચાલી રહી છે, દિવાળી બાદ અગરિયાઓ મીઠુ પકવવા માટે […]

માવઠાને લીધે ધરોઈ ડેમ છલોછલ ભરાયો, સાબરમતી નદીમાં 3450 ક્યુસેક પાણી છોડાયું

પંચમહાલનો પાનમ ડેમની સપાટી પણ રૂલ લેવલ પર પહોંચી, પાનમ ડેમમાં ઉપરવાસમાંથી 4943 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ, ખેડૂતોને હવે ઉનાળાના અંત સુધી સિચાઈ માટેનું પાણી મળી શકશે અમદાવાદઃ ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. ત્યારે સાબરમતી નદીના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ધરોઈ ડેમ છલોછલ ભરાયો છે. ડેમમાં પાણીની આવક વધતા સાબરમતી નદીમાં 3450 ક્યુસેક […]

અમદાવાદના ચાંદલોડિયા સહિત વિસ્તારોમાંથી 17 બાંગ્લાદેશી મહિલાઓ પકડાઈ

બાંગ્લાદેશી મહિલાઓ 5 હજાર રૂપિયાની લાંચ આપીને ભારત પ્રવેશી હતી, વધુ રોજગારી મળતી હોવાથી મહિલાઓ અમદાવાદ આવી હતી, પોલીસે મકાનમાલિકો સામે પણ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી અમદાવાદઃ ગુજરાતમાં રોજગારી વધુ મળતી હોવાને લીધે બાંગ્લાદેશી ઘૂસણખોરી કરીને અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં આવીને ગેરકાયદે વસવાટ કરતા હોય છે. અમદાવાદના ચંડોળા તળાવ પર બાંગ્લાદેશીઓની ગેરકાયદે વસાહત દૂર કરાયા […]

અમદાવાદના ઓઢવના સ્મશાન ગૃહમાં લાકડાં ન મળતા ટાયર મુકી અગ્નિસંસ્કાર કરાયા

અગ્નિ સંસ્કાર માટે સુકા લાકડાં ન હોવાથી ના પાડવામાં આવી, એએમસીના હેલ્થ વિભાગે લાકડા પુરા પાડતી એજન્સીને નોટિસ ફટકારી, લાકડા પુરી પાડતી ખાનગી એજન્સી સામે કડક પગલાં લેવા લોકોમાં માગ ઊઠી અમદાવાદઃ  શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા મ્યુનિ. સંચાલિત સ્મશાન ગૃહમાં અંતિમવિધિ માટે લાકડા ન હોવાથી એક પરિવારને તેના મૃતક સ્વજનની વાહનના ટાયર અને ગોદડાનો ઉપયોગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code