1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

રાજકોટના હીરાસર એરપોર્ટ પર ફ્લાઈટ્સને ડોમેસ્ટિક પ્રવાસીઓ પણ પુરતા મળતા નથી

રાજકોટથી ઉડાન ભરતી ફલાઈટોમાં 50 ટકા બેઠકો ખાલી રહે છે, રજાઓ કે તહેવારોમાં પ્રવાસીઓની સંખ્યા વધતી હોય છે, વિમાન દૂર્ઘટના બાદ ઘણા પ્રવાસીઓ ફ્લાઈટ્સમાં પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે રાજકોટઃ શહેર નજીક અમદાવાદ તરફ જતા હાઈવે પર હીરાસર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. એરપોર્ટ કાર્યરત કરાયા બાદ હજુ ઈન્ટરનેશનલ ફ્લાઈટ […]

સુરતમાં બેફામ કારચાલકે બાળકને અડફેટે લીધા બાદ બાઈક અને સાયકલને ટક્કર મારી

ઘરની બહાર રમતા બાળકને અડફેટે લઈને કાર પૂરઝડપે ભાગી, બાઈકસવારોએ કારનો પીછો કરતા કારએ બાઈકને ટક્કર મારી, પૂરઝડપે ભાગતા કારચાલકે સાયકલસવાર વૃદ્ધને પણ એડફેટે લીધા સુરતઃ શહેરમાં બેફામપણે વાહનો દોડાવવાને લીધે અકસ્માતો વધતા જાય છે. ત્યારે શહેરના ડિંડોલી વિસ્તારમાં સાંઈ પોઇન્ટ સામે નવા હળપતિવાસમાં એક કારચાલકે પૂર ઝડપે કાર ચલાવીને ઘર પાસે રમી રહેલા અઢી […]

અમદાવાદ મ્યુનિ.માં નોકરી માટેના નકલી ઓફર લેટર આપી કૌભાંડ કરતા દંપત્તિની ધરપકડ

શહેર ક્રાઈમ બ્રાંન્ચે બંટી-બબલીની ધરપકડ કરી, અલગ-અલગ વોર્ડમાં નોકરી અપાવવાના નામે 82 લાખ રૂપિયા છેતરપિંડી કરી, કોર્ટે આરોપી દંપત્તીને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપીને ફેક ઓફર લેટર આપીને રૂપિયા પડાવતા દંપત્તીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.  આ કેસમાં બંને પતિ-પત્ની અલગ-અલગ વોર્ડમાં નોકરી અપાવવાના નામે લોકોની પાસેથી પૈસા […]

અમદાવાદમાં 42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવા માટે 3.90 કરોડનો ખર્ચ કરાશે

એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુરી અપાઈ, બ્રિજ તોડવાની કામગીરી પહેલા ટ્રાફીક સર્વે કરાશે, છ મહિનામાં હાટકેશ્વર બ્રિજ સંપૂર્ણપણે તૂટી જશે,  અમદાવાદઃ શહેરમાં પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર બ્રિજ 42 કરોડના ખર્ચે બનાવ્યા બાદ બ્રિજ ક્ષતિગ્રસ્ત બનતા કોન્ટ્રાકટની લાપરવાહી અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. અને આ મામલે ભારે હોબાળો મચતા તેમજ સ્ટ્રકચર નિષ્ણાતોના રિપોર્ટ બાદ નવો બ્રિજ તોડી નાંખવાનો […]

ગુજરાતઃ ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ન્યાયાધીશોને ટેબ્લેટ અને પ્રિન્ટર આપવામાં આવશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારે ન્યાયિક કાર્ય પ્રણાલીને વધુ સુગમ,કાર્યક્ષમ અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. કાયદા મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં કાયદા વિભાગે રાજ્યના ડીસ્ટ્રીકટ જયુડીશયરીના1200 ન્યાયાધીશોને રૂ. એક લાખ સુધીના ટેબ્લેટ અને પ્રિન્ટર આપવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત, રાજ્યના અંદાજે 1200 ડીસ્ટ્રીકટ જયુડીશયરીના ન્યાયાધીશને રૂ. 80,000ની કિંમતના ટેબ્લેટ અને રૂ. 20,000ની કિંમતના પ્રિન્ટર આપવામાં […]

અમદાવાદમાં વર્ષ 2010 પહેલાના 38 ઓવરબ્રિજનું ઈન્સ્પેક્શન કરીને રિપોર્ટ અપાશે

શહેરમાં 16 બ્રિજના ઇન્સ્પેક્શન રિપોર્ટ ત્રણ મહિને પણ અપાયો નથી, બ્રિજને મરામતની જરૂ હોય તો ત્વરિત કામગીરી કરાશે, સાબરમતી નદી પર બે ઓવરબ્રિજનું લોડ ટેસ્ટ કરાશે  અમદાવાદઃ  વડોદરા નજીક મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા મહી નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના વર્ષ 2010 પહેલા બનેલા તમામ બ્રિજનું ઈન્સ્પેક્શન કરાવવાનો […]

ગંભીરા બ્રિજ દૂર્ઘટનામાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, બે મતદેહ ગર્ડર નીચે ફસાયેલા જોવા મળ્યા

નદીમાં સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂમાં મુશ્કેલી, દુર્ઘટનાના ત્રીજા દિવસે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા, બ્રિજ દૂર્ઘટનાની તપાસ 30 દિવસમાં પુરી કરાશે અમદાવાદઃ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા પાદરા નજીકના હાઈવે પરના ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે. બ્રિજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત બોરસદ તાલુકાના દહીવણ ગામના નરેન્દ્રસિંહ રતનસિંહ પરમારનું સયાજી હોસ્પિટલમાં […]

ગુજરાતઃ 207 જળાશયોમાં 54 ટકાથી વધુ જળ સંગ્રહ

ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 54 ટકા જળ સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 49.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે આ સમયે એટલે કે,તા.11 જુલાઈ-2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 39.55 ટકા જળ સંગ્રહ હતો […]

મહિસાગર પુલ દુર્ઘટના પછી, ગડકરીએ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને ચેતવણી આપી

ગુજરાતમાં મહિસાગર નદી પરનો પુલ તૂટી પડવાથી ઘણા લોકોના મોત થયા હતા. દેશમાં પહેલા પણ ઘણી વખત પુલ અકસ્માતો બન્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ અકસ્માત પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને પણ ચેતવણી આપી છે. ગડકરીએ કહ્યું કે જો કોઈપણ પ્રકારની અનિયમિતતા જોવા મળશે તો કોઈને […]

રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓને વધારાની સહાય અપાશે

ગાંધીનગરઃ ગ્રામીણ વિસ્તારના ઘરવિહોણા પરિવારોનું “પોતાના ઘરના ઘરનું” સ્વપ્ન સાકાર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી “પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ” અમલમાં મૂકવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ આવાસના નિર્માણ માટે અપાતી સહાયમાં વધારો કરવાનો જનહિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે વિગતવાર માહિતી આપતા ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code