1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ભાવનગરમાં રખડતા ઢોર પકડવા ગયેલી મ્યુનિની ટીમ પર કરાયો હુમલો

માથાભારે તત્વો લાકડી અને ધોકા સાથે તૂટી પડ્યા, મ્યુનિના બે કર્મચારીને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, પોલીસની હાજરીમાં હુમલો કરાતા સવાલો ઊઠ્યા ભાવનગરઃ શહેરમાં જાહેર રોડ-રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ વધતા શહેરના ચિત્રા વિસ્તારમાં પાણીની ટાંકી પાસેના રોડ પર મ્યુનિની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે રખડતા ઢોર પકડવા માટે ગઈ હતી. દરમિયાન રખડતા ઢોર પકડવાની […]

નીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મોકૂફ રખાયેલી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો

ભારે વરસાદને લીધે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી, મોફૂક રખાયેલી પરીક્ષાઓ આગામી ચોથી અને છઠ્ઠી ઓક્ટોબરે લેવાશે, રેગ્યુલર પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી મેળવી શકાશે  સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ગત 29 સપ્ટેમ્બરને સોમવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ મોફૂક કરવાનો નિર્ણય લેવાયો હતો. આ પછી યુનિવર્સિટી દ્વારા તે મોકૂફ પરીક્ષાનો નવો […]

સુરતના રેલવે સ્ટેશન પર ટ્રેનના કોચ હવે ડ્રોનથી 30 મીનીટમાં સંપૂર્ણ ઘોવાઈ જશે

ટ્રેનને ધોવામાં મેન્યુઅલ કામગીરીથી ત્રણ કલાકનો સમય લાગતો હતો, ટ્રાયલ માટે ડ્રોનથી ઉધના-બહ્મપુર અમૃત ભારત ટ્રેનના કોચને ધોવામાં આવ્યા, બોર્ડની મંજૂરી બાદ રેગ્યુલર ધોરણે ટ્રેન ધોવા માટે ડ્રોનનો ઉપયોગ કરાશે. સુરતઃ પશ્વિમ રેલવે દ્વારા હવે ટ્રેનોના કોચ ધોવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે કોચને ધોવા માટે ટૂંક સમયમાં ડ્રોનની મદદ લેવાશે. […]

સુરતના મગદલ્લા જેટી નજીક દરિયામાં વેસલ્સમાંથી ક્રેઈનનો ભાગ તૂટી પડ્યો

70 કિમીની ઝડપે પવન ફુંકાતા શિપની ક્રેઈન હિલોળા ખાવા લાગી, છેલ્લા ત્રણ દિવસથી જેટી બંધ હોવાના કારણે કોલસો ખાલી કરવાની કામગીરી બંધ હતી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી, સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી વાતાવરણ છે. ત્યારે શહેર નજીક  મગદલ્લા જેટી નજીક મધદરિયે મોટી દુર્ઘટના ટળી છે. 70 કિમીની ઝડપે […]

અમદાવાદમાં પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવ્યુ નહીં હોય તો નોટિસ ફટકારી કાર્યવાહી કરાશે

એએમસીની ટીમો ઘરે ઘરે જઈને તપાસ કરશે, ડોગનું રજિસ્ટ્રેશન નહીં હોય તો નળ, ગટર કનેક્શન કાપીને ડોગને જપ્ત કરાશે, ડોગ રજિસ્ટ્રેશનની ફી હવેથી 1,000ની જગ્યાએ 2000 રૂપિયા વસુલ કરાશે,   અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પેટ ડોગના રજિસ્ટ્રેશનનો ફરજિયાત નિયમ બનાવ્યો હોવા છતાંયે પેટડોગના માલિકો તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. ત્યારે મ્યુનિએ પેટડોગનું રજિસ્ટ્રેશન નહીં કરાવનારા પેટડોગના […]

ગુજરાતમાં 2225 જેટલી પેઢીઓની તપાસ કરીને ભેળસેળવાળો 1198 કિ.ગ્રા જથ્થો નાશ કરાયો

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી, 2225 જેટલી પેઢીઓની તપાસ કરીને 676 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા, 933 કિલોગ્રામ જેટલો ભેળસેળિયા ખોરાકનો જથ્થો સીઝ કરાયો ગાંધીનગરઃ નવરાત્રી અને દશેરાના પાવન તહેવાર દરમિયાન જાહેર જનતાને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે હેતુથી રાજ્યભરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી […]

અમદાવાદમાં સીબીઆઈ કોર્ટે રૂ. 1.08 કરોડના બેંક છેતરપિંડીના કેસમાં પાંચ આરોપીઓને 3 વર્ષની સજા ફરમાવી

અમદાવાદઃ અમદાવાદની સીબીઆઈ કોર્ટે સલાઉદ્દીન શેખ, કૃતિ કુમાર આર. સાહા, કમલેશ ડી. રાવ, મહેન્દ્ર સી. વખારિયા અને ભૂપેન્દ્ર મણિલાલ વખારિયા નામના પાંચ ખાનગી વ્યક્તિઓને બેંક છેતરપિંડીના કેસમાં દોષિત ઠેરવ્યા છે અને 3 વર્ષની સખત કેદ (RI) અને 50000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સલીમ સલાઉદ્દીન શેખ, રમેશ ભાઈસભ અને અન્યો […]

ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. વિજયાદશમીનું આ પર્વ આસુરીશક્તિ પર દૈવીશક્તિનાં વિજયનું ઉમંગપર્વ છે. મનુષ્યમાં રહેલા દુર્ગુણરૂપી આંતરિક શત્રુઓ તથા નકારાત્મક ઊર્જા પર વિજય પ્રાપ્ત કરવાનું પણ આ પર્વ છે તેમ તેમણે વિજયાસશમીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ શક્તિની ભક્તિના નવરાત્રી ઉત્સવ પછી આવતું આ વિજયાદશમી પર્વ સમાજમાં […]

ગુજરાતઃ હર્ષ સંઘવીએ ખેલ મહાકુંભ 2025નો કરાવ્યો પ્રારંભ

ગાંધીનગરઃ રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી ખેલ મહાકુંભ 2025નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીના હસ્તે ત્રણ શ્રેષ્ઠ શાળાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ત્રણ શ્રેષ્ઠ મહાનગરપાલિકા અને ત્રણ શ્રેષ્ઠ જિલ્લાઓને પણ આ ઉદ્ઘાટન સમારોહમાં મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.ગુજરાતના યુવાધનના […]

રાજ્યમાં ગાંધી જયંતીથી ખાદી અને પોલીવસ્ત્રમાં 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય અપાશે

2 ઓક્ટોબરથી31 ડિસેમ્બર 2025 સુધી વળતરનો મળશે લાભ, ભરૂચ-ચીખલી-વાપીમાં ખાદી પ્રદર્શન સહ વેચાણ મેળા યોજાશે,  ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે “વોકલ ફોર લોકલ” અને “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આહવાનને ઝિલી લઈને સ્વદેશીની પ્રતિક ખાદીમાં ગાંધી જયંતીથી રાજ્યમાં માતબર વળતર આપવાનો અભિગમ અપનાવ્યો છે. તેમણે આ સંદર્ભમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ખાદીના વિચારને સાચા અર્થમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code