1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ, અંબાજીમાં ચાચરચોકમાં ભાવિકો ગરબે ઘૂમ્યાં

અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયુ, નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા, મંદિરના હવન શાળામાં ભાવિકોએ માતાજીની આરાધના કરી અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે. નવરાત્રીના આજે પ્રથમ દિવસે માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા. વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. […]

સાયલા-લીંબડી નેશનલ હાઈવે પર ડમ્પરે ટેમ્પાને અડફેટે લેતા મહિલાનું મોત, 15ને ઈજા

ટેમ્પામાં દાહોદથી શ્રમિકો ખેત મજુરીએ જઈ રહ્યા હતા ત્યારે સાયલા પાસે બન્યો બનાવ, પૂરફાટ દોડતા ડમ્પરો પર પોલીસનો કોઈ અંકૂશ નથી, અકસ્માતના બીજા બનાવમાં અજાણ્યા વાહન ચાલકની અડફેટે 2 પદયાત્રીના મોત, સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં સાયલા-લીંબડી નેશનલ હાઈવે પર પૂરફાટ ઝડપે ડમ્પરે ટેમ્પાને અડફેટે લેતા એક શ્રમિક મહિલાનું […]

ગાંધીનગર એસટી બસ સ્ટેશનમાં મોટા અવાજે વગાડાતા જાહેરાતના માઈક પર અંકૂશ મુકાશે

એસટી બસ સ્ટેશનમાં ધ્વનિ પ્રદુષણ અટકાવવા તંત્રનો આદેશ, ખાનગી કંપનીઓની જાહેરાતથી ઘોંઘાટ થાય છે, એસટી બસ સ્ટેશનમાં ઓડિયો એનાઉમેન્ટ સિસ્ટમ ફીટ કરવામાં આવેલી છે, ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના મુખ્ય એસટી બસ સ્ટેશન પર પ્રવાસીઓને બસ ક્યારે ઉપડશે તેની જાણકારી માટે ઓડિયો એનાઉસમેન્ટ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. અને સમયાંતરે પ્રવાસીઓને માહિતી આપવામાં આવતી હોય છે. દરમિયાન […]

કલોલમાં સ્કૂલની શિક્ષિકા સાયબર ફ્રોડનો ભોગ બની, CBIના નામે ડરાવી 30 લાખ પડાવ્યા

વ્હોટ્સએપ પર વીડિયો કોલ કરીને CBI ઓફિસર તરીકે ઓળખ આપી, પાકિસ્તાન સાથેનું કનેક્શન હોવાનું કહી જેલના સળિયા પાછળ ધકેલવાની ધમકી આપી, મહિલાના નેટ બેન્કિંગના પાસવર્ડ મેળવીને નાણાં પડાવ્યા, ગાંધીનગરઃ સાયબર ફ્રોડના ગુનાઓ રોજબરોજ વધતા જાય છે. અનેક નિર્દોષ નાગરિકો સાયબર માફિયાઓની ઝાળમાં ફસાતા હોય છે. ત્યારે  કલોલમાં રહેતા અને ખાનગી સ્કૂલમાં નોકરી કરતી શિક્ષિકા સાથે […]

મહુવા માર્કેટ યાર્ડમાં લીલા નાળિયેરની ધૂમ આવક છતાં ભાવમાં વધારો નોંધાયો

15 રૂપિયામાં વેચાતા નાળિયેર હરાજીમાં 30થી 40 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે, ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડમાં લીલા નાળિયેરનું બમ્પર ઉત્પાદન, રાજ્યમાં માત્ર મહુવા માર્કેટ યાર્ડમાં લીલા નાળિયેરની જાહેર હરાજી થાય છે ભાવનગર:  દરિયાકાંઠો ધરાવતા ભાવનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં નારિયેળનું વાવેતર કરવામાં આવે છે.  ત્યારે ગુજરાતનું એક એવું માર્કેટિંગ યાર્ડ છે. કે જ્યાં લીલા નાળિયેરની હરાજી […]

સુરતમાં દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા 1600થી વધુ એસટીના ખાસ બસો દોડાવાશે

તા. 16મી ઓક્ટોબરથી એક્સ્ટ્રા એસટી બસો દોડાવાશે, સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ બસો દોડાવાશે, આખી બસનુ ગ્રુપ બુકિંગ કરાવનારાઓને તેમની સોસાયટીથી વતન સુધી સેવા અપાશે, સુરતઃ શહેરમાં હીરા ઉદ્યોગ, ટેક્સટાઈલ ઉદ્યોગ સહિત અનેક નાના-મોટા ઉદ્યોગોમાં લાખો પરિવારો રોજગારી મેળવી રહ્યા છે. બહારગામના અને શહેરમાં વસવાટ કરતા લાખો પરિવારો દિવાળીના તહેવારોમાં પોતાના માદરે […]

સુરતમાં બેફામ બનેલા ડમ્પરચાલકે ફ્રુટની લારીને ટક્કર મારતા વૃદ્ધાનું મોત

ફ્રૂટની લારી લઈને ઘરે જઈ રહેલા વૃદ્ધાને ડમ્પરે અડફેટે લીધો, વૃદ્ધાના માથા પરથી ડમ્પરના ટાયર ફરી વળતા ઘટના સ્થળે મોત, ડમ્પરનો ચાલક ફરાર થતાં પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી સુરતઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતના બનાવમાં બેફામ બનેલા ડમ્પરચાલકે વૃદ્ધાનો ભોગ લીધો છે, શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં કવાસ પાટિયા […]

અમદાવાદ સહિત તમામ શહેરોમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશેઃ સંઘવી

ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ગીતો ચલાવી લેવામાં આવશે નહીં, કોમર્શિયલ ગરબા માટે એને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરવાની રહેશે, નાના વેપારીઓને હેરાન ન કરવા પોલીસને આપી સુચના અમદાવાદઃ ગુજરાતભરમાં આજથી નવરાત્રીનો રંગેચેગે પ્રારંભ થયો છે. અમદાવાદ સહિત તમામ મહાનગરોમાં તમામ સોસાયટીઓ, પાર્ટીપ્લોટસ અને કલબોમાં રાત્રે નવરાત્રીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ખેલૈયાઓ મોડી […]

વડોદરામાં નવરાત્રીના યુનાઈટેડ વેના પાસ લેવા ધક્કામુકીમાં કાચ તૂટ્યા, 5ને ઈજા

અલકાપુરી કલબમાં સ્થિતિ વણતા પોલીસ કાફલો દોડી આવ્યો, રૂ. 5500 ચૂકવ્યા બાદ પણ કોઈ સુવિધાન હોવાનો ખેલૈયાઓએ બળાપો કાઢ્યો, પૈસા ભરીને લાઈનમાં ઊભેલા લોકોની ધીરજ ખૂટી વડોદરાઃ નવલી નવરાત્રીનો આવતીકાલે તા,22મીને સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે. અમદાવાદ, વડાદરા સહિત અને શહેરોમાં પાર્ટી પ્લોટ્સ. કલબોમાં નવરાત્રી ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરામાં પ્રસિદ્ધ યુનાઇટેડ […]

ગાંધીનગરના શેરથામાં નરસિંહજી મંદિરની કરોડોની જમીનના કૌભાંડમાં ગ્રામજનોની રેલી યોજાઈ

તત્કાલિન મામલતદાર અને તેના મળતીયાઓએ ખોટા ગણોતિયા ઊભા કરી વેચી દીધી, ગ્રામજનોએ તટસ્થ તપાસ અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માગ કરી, નરસિંહજી મંદિરને ગાયકવાડ સરકારે નિભાવ માટે 70 વીઘા જમીન આપી હતી ગાંધીનગરઃ જિલ્લાના શેરથા ગામના ગ્રામજનોએ નરસિંહજી મંદિર ટ્રસ્ટની 40 એકર જમીનને ગણોતિયા અને ભૂમાફિયાઓથી બચાવવા માટે આજે રવિવારે મોટી સંખ્યામાં એકઠા થઈને મંદિર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code