1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સ્કૂલ-કોલેજો દ્વારા શૈક્ષણિક પ્રવાસ માટે GPS ટ્રેકિંગવાળું વાહન ફરજિયાત

સ્કૂલ અને કોલેજોએ પ્રવાસની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશને પણ કરવી પડશે, પ્રવાસ માટેના વાહનમાં ફાયર સેફટી, ફર્સ્ટએડ કીટ રાખવી પડશે, સૂર્યાસ્ત બાદ અર્થાત રાત્રે મુસાફરી ન કરવી પડે તે મુજબનું જ આયોજન કરવું પડશે અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસની ગાઈડલાઈન જાહેર કરી છે. દિવાળીના વેકેશન કે રજાઓમાં કેટલીક સ્કૂલો- કોલેજો વિદ્યાર્થીઓ માટે પ્રવાસીનું […]

અમદાવાદના સાબરમતીથી ગોરખપુર અને બેગુસરાય વચ્ચે 16મીથી ખાસ ટ્રેન દોડાવાશે

દિવાળી અને છઠ્ઠ પૂજા માટે ખાસ ટ્રેન દોડાવાનું આયોજન, સાબરમતીથી ગોરખપુર માટે ગુરૂવાર, શુક્રવાર અને રવિવારે ટ્રેન ઉપડશે, સાબરમતી – બેગુસરાય અન રિઝર્વ સ્પેશિયલ ટ્રેન તા.27મી ઓક્ટોબર સુધી રોજ દોડશે અમદાવાદઃ દિવાળી પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં રોજગાર-ધંધા સાથે જોડાયેલા પરપ્રાંતના લોકો દિવાળી અને છઠ્ઠના પર્વની ઊજવણી માટે પોતાની માદરે વતન […]

ગુજરાતમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, સરકારે કર્યો નિર્ણય

વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી, સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન ફરજિયાત અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારે ફટાકડા ફોડવાની ગાઈડલાઈન જાહેર કરી છે. મહાનગરોથી લઈને તમામ શહેરો અને ગામડાંઓમાં રાત્રે 8:00થી 10:00 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, વધુ ઘોંઘાટ કરતા ફટાકડા […]

અમદાવાદમાં પાલડી વિસ્તારમાં જૈન દેરાસરમાં 1.64 કરોડ કિંમતની ચાંદીની ચોરી

પૂજારીએ સફાઈકર્મીઓ સાથે મળી 117 કિલોના મુગટ, કુંડળ સહિતનાં ઘરેણાંની ચોરી કરી, પૂજારી અને સફાઈ કામદાર ચોરીની ઘટના બાદ ફરાર, સીસીટીવીએ ચોરીના ભેદનો પડદાફાસ કર્યો અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા  લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાંથી 117.336 કિલોના ચાંદીના મુગટ, કુંડળ અને ચાંદીના પૂંઠિયા સહિત કુલ 1.64 કરોડ રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી થતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે […]

ગુજરાતઃ દિવાળી પૂર્વે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા, 8,684 કિલો જથ્થો જપ્ત કરાયો

ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખાદ્ય વસ્તુઓ મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તા. 03 થી 11 ઓક્ટોબર, 2015 દરમિયાન 13 રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અંદાજે રૂ.41 લાખના શંકાસ્પદ ખાદ્ય પદાર્થો જપ્ત-નાશ કરવામાં આવ્યા હતા. કુલ 8,684 કિલો જથ્થો જપ્ત કરાયો, જેમાંથી 2,861 કિલો અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ […]

અંકલેશ્વરમાં નેશનલ હાઈવે નજીક આવેલા સ્ક્રેપના ગોદામમાં લાગી ભીષણ આગ

આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા, ગોડાઉનમાં રહેલા સ્ક્રેપના જથ્થાને કારણે આગે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો   અંકલેશ્વરઃ શહેરમાં નેશનલ હાઇવે નંબર 48 (NH 48) ને અડીને આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં આજે બપોરના સમયે ભીષણ આગ ફાટી નિકળતા અફડાતફડી મચી ગઈ હતી. આગના કારણે ધુમાડાના […]

અમદાવાદ – મુંબઈ હાઈવે પર લાકોદરા પાટિયા નજીક બે લકઝરી બસ વચ્ચે અકસ્માત, 2ના મોત

અકસ્માતમાં 15 પ્રવાસીઓને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા, બે મૃતકોને બસના પતરા કાપીને બહાર કાઢવા પડ્યા, અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો વડોદરાઃ  મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરાના કરજણ નજીક હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો, કરજણ તાલુકાના લાકોદરા પાટિયા નજીક બે ખાનગી બસો વચ્ચે […]

વડોદરામાં મ્યુનિના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ભાજપના ઝંડા માટે કામે લગાડાતા વિરોધ

વીજળીના પોલ પર ભાજપના ઝંડા લગાવાતા કોંગ્રેસે કર્યો વિરોધ, લાઈટ વિભાગના કોન્ટ્રાક્ટના કર્માચારીઓને ઝંડા લગાવવાનું કામ સોંપાયું, કાલે મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ વડોદરાની મુલાકાતે આવશે વડોદરાઃ શહેરમાં આવતી કાલે 14મી ઓક્ટોબરો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે શહેર ભાજપ દ્વારા બન્ને મહાનુભાવોને આવકારવા માટે શહેરમાં ભાજપના […]

કેવડિયામાં 5.5 એકરમાં રૂપિયા 367 કરોડના ખર્ચે રજવાડાનું મ્યુઝિયમ બનાવાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી ઓક્ટોબરે રજવાડાના મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કરશે, કેવડિયા એકતાનગરમાં વડાપ્રધાન મોદી 282 કરોડના કામોનું લોકાર્પણ કરશે, મ્યુઝિયમમાં રજવાડાઓ અને તેમના શાહી વારસાનો પરિચય હશે અમદાવાદઃ નર્મદા જિલ્લામાં આવેલા અને જાણીતા પ્રવાસન તરીકે વિકસેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-એકતાનગરમાં રોજબરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના વિસ્તારનો પણ પર્યટક સ્થળ તરીકે […]

કચ્છના નાના રણમાં ઘૂડસર અભ્યારણ્ય ખૂલ્લુ મુકાતા પ્રવાસીઓનું આગમન

અભયારણ્યમાં ઘુડખર, રણ લોકડી, વરુ સહિત અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે, અભ્યારણ્યમાં વિદેશી રંગબેરંગી પક્ષીઓનું શિયાળા પહેલા જ આગમન, 2024ની ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 7,672 નોંધાઈ હતી સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણમાં આવેલું ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવતા પ્રવાસીઓનું આગમન થઈ રહ્યું છે. અને દિવાળીના વેકેશન દરમિયાન ઘૂડસર ઉપરાંત રણ લોકડી, વરુ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code