1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

જૂનાગઢમાં ભારે પવન અને વરસાદી વાતાવરણને લીધે ગિરનાર રોપ-વે સેવા અસ્થાયી રૂપે બંધ

દિવાળીના વેકેશનમાં ફરવા આવેલા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા, પવનની ગતિમાં ઘટાડો થયા રોપવે સેવા શરૂ કરવામાં આવશે, કેટલાક યાત્રાળુઓ પગથિયા ચડીને ટૂક પર પહોંચ્યા, જૂનાગઢઃ સોરઠ પંથકમાં આજે વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર આજે રવિવારે પવનની ગતિ અસામાન્ય રીતે વધી જતાં રોપ-વે સેવા અસ્થાયી રૂપે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વે […]

સુરેન્દ્રનગરના ગોમટા ગામે જમણવારમાં છાશ પીધા બાદ 200 લોકોને ફુડ પોઈઝનિંગ

200 લોકોને ઝાડા-ઊલટી અને પેટમાં દુઃખાવો થતાં હોસ્પિટલ ખસેડાયા, આરોગ્ય વિભાગે ફૂડ પોઈઝનિંગના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી, શંકાસ્પદ છાશના નમૂનાને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલાયા, સુરેન્દ્રનગરઃ  જિલ્લાના ગોમટા ગામમાં વાસ્તુ પ્રસંગના જમણવાર દરમિયાન ફૂડ પોઈઝનિંગ થતા 200 જેટલા લોકોને હોસ્પિટલ સારવાર માટે ખેડવામાં આવ્યા છે. જમણવારમાં છાશ પીધા બાદ 200થી વધુ લોકોને ઝાડા-ઊલટી અને પેટમાં […]

ગિરનારમાં લીલી પરિક્રમાની તૈયારીઓ, 36 કિમી રૂટનું કરાયું નિરિક્ષણ

પરિક્રમાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ, વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા ‘પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા માટે ભાવિકોને અનુરોધ કરાયો, આરોગ્ય વિભાગ દ્વારા રૂટ પર ઠેર ઠેર મેડિકલ કેમ્પ ગોઠવવામાં આવશે, જૂનાગઢઃ  ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાને હવે ગણતરીને દિવસ બાકી રહ્યા છે, આગામી તા. 2/11/2025ના રોજ લીલી પરિક્રમાનો પ્રારંભ […]

ગાંધીનગર એસટી ડેપોને દિવાળીને તહેવારોમાં 20 લાખની વધુ આવક થઈ

ગાંધીનગર ડેપોએ 5 દિવસમાં 294 એકસ્ટ્રા ટ્રીપો કરી, એકસ્ટ્રા બસોમાં 58830 મુસાફરોએ લાભ લીધો, ગાંધીનગર ડેપોએ અમદાવાદથી પંચમહાલ માટે ખાસ બસો દોડાવી ગાંધીનગરઃ દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં ગાંધીનગર એસટી ડેપોને પ્રતિદિન રૂપિયા 4.06 લાખ લેખે કુલ-5 દિવસમાં 20.30 લાખની આવક થઈ છે. ગાંધીનગરના […]

સૌરાષ્ટ્રના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

દરિયામાં 15થી 20 ફૂટ જેટલાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, મોટી સંખ્યામાં બોટ્સ દરિયા કિનારે લાંગરવામાં આવી, ભારે પવનને લીધે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પનવ ફુંકાતા સૌરાષ્ટ્રના બંદરો પર તકેદારીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા તમામ માછીમારોને દરિયો ન ખેડવાની […]

રાજકોટથી દિલ્હીની બે નવી ફ્લાઈટ્સનો પ્રારંભ, ચેમ્બર્સએ આપ્યો આવકાર

રાજકોટ-દૂબઈની ફ્લાઈટ શરૂ કરવા કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ કરી રજુઆત, સવારના સમયે ફલાઈટ મળવાથી દિલ્હીની કનેક્ટિવિટીમાં સરળતા થશે, મનસુખ માંડવિયા દિલ્હીથી ફ્લાઈટમાં રાજકોટ આવતા સ્વાગત કરાયું રાજકોટઃ શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દિલ્હીની બે ફ્લાઈટ્લ આજે લાભ પાંચમથી શરૂ કરવામાં આવી છે. દિલ્હીથી ફ્લાઈટમાં કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયા રાજકોટ આવતા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. […]

વોટ્સએપ પર ઈ-ચલણની ભરવા લીંન્ક મોકલી, ડાઉનલોડ કરતા બેન્કમાંથી બે લાખ ઉપડી ગયા

સુરત શહેરમાં સાયબર ફ્રોડનો વધુ એક કેસ નોંધાયો, ઠગબાજે હીરાના વેપારીને વોટ્સએપ પર ‘ઈ-ચલણ રિપોર્ટ‘ની APK ફાઇલ મોકલી હતી, ફાઈલ ડાઉનલોડ કરતા મોબાઈલ ફોન હેક થયો સુરતઃ સાયબર માફિયાઓ અવનવી તરકીબોથી લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે. ત્યારે સાયબર માફિયાએ શહેરના એક હીરાના વેપારીના મોબાઈલ ફોનના વોટ્સએપ પર ‘ઈ-ચલણ રિપોર્ટ’ની APK ફાઇલ મોકલીને તેમનો […]

સુરતના નાના વરાછામાં ગેસ ગેરેજમાં લાગી આગ, લકઝરી કારોને નુકસાન

ફાયર ટીમે ગેસ સિલિન્ડરોને બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના ટળી, વાહનોની સાથે ગેરેજમાં રાખેલો અન્ય સામાન પણ સળગી ગયો, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સુરતઃ  શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલા મહાવીર સર્કલ નજીક ગેલ અંબે ઓટો ગેસ ગેરેજમાં ગત મોડી રાતે આગ ફાટી નિકળતા ગેરેજમાં રિપેરિંગ માટે મૂકવામાં આવેલી લાખોની કિંમતની લક્ઝરી કારો […]

સીબીએસઈ બોર્ડની શાળાઓમાં શિક્ષકોની ભરતી, 8મી ફેબ્રુઆરીએ લેવાશે પરીક્ષા

અમદાવાદ સહિત 132 શહેરમાં ગુજરાતી સહિત 20 ભાષામાં આ ટેસ્ટ લેવાશે, પ્રશ્નપત્ર –1 ધોરણ 1થી પાંચ માટે અને પ્રશ્નપત્ર-2 ધોરણ 6થી આઠ માટેનુ રહેશે, પ્રશ્નપત્ર-1ની પરીક્ષામાં DEIEDનો અભ્યાસ પૂર્ણ કરેલો અથવા અભ્યાસ ચાલુ હોવા જોઈએ, પ્રશ્નપત્ર-2ની પરીક્ષામાં બીએડ અથવા ઈન્ટીગ્રેટેડ બીએડ, બીએસસી બીએડ કોર્સનો કરેલો હોવો જોઈએ અમદાવાદઃ સીબીએસઈ બોર્ડની શાળાઓમાં શિક્ષક બનવા માટેની સીટીઈ […]

અમદાવાદના જમાલપુરમાં ફટાકડા ફોડવાની બાબતે પરિવાર પર હુમલો, ત્રણ ઘવાયા

દિવાળી સમયે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઈ હતી, જેની અદાવતમાં બીજા દિવસે હુમલો કરાયો, ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી, અમદાવાદઃ રાજ્યમાં ફટાકડા ફોડવાની બાબતે મારામારીના અનેક બનાવો બન્યા છે. જેમાં અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં મહાજનના વંડામાં મારામારીની ઘટના બની હતી. મહાજનના વંડામાં રહેતા પુશાજી પરમાર અને તેમના પરિવાર પર હુમલો કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code