1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદમાં સ્ટ્રીટલાઈટ કે ડીપીના વાયરો ખૂલ્લા દેખાશે તો કોન્ટ્રાકટરોને 50 હજારનો દંડ કરાશે

એએમસીના જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેવાશે, સ્ટ્રીટ લાઈટ માટે ટૂંક સમયમાં SOP બનાવવામાં આવશે, નવા બાંધકામોમાં એક મહિનામાં બીયુ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવાશે અમદાવાદઃ શહેરમાં સ્ટ્રીટ લાઈટ્સના વાયરો ખૂલ્લા હોવાને લીધે શોર્ટ લાગવાના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં શહેરના નારોલ વિસ્તારમાં વીજ કરંટથી દંપત્તિના મૃત્યુ થવાની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર એલર્ટ બન્યુ […]

અમદાવાદના દાણીલીમડામાં મ્યુનિના ડમ્પરની અડફેટે એક્ટિવાચાલકનું મોત

એક્ટિવાચાલક યુવાન દાણીલીમડાથી શાહઆલમ દવા લેવા માટે જતો હતો, ડમ્પરનો ડ્રાઈવર પીધેલી હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ, ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપી ડમ્પરચાલકની ધરપકડ કરી,  અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં મ્યુનિના ડમ્પરચાલકે એક્ટિવા સ્કૂટરચાલકનો ભોગ લીધો છે. શહેરના દાણીલીમડા પોલીસ લાઈન સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા […]

પાટણ જિલ્લાની કેન્દ્રીય વિદ્યાલયમાં વિદ્યાર્થિનીને સાથે ભણતા વિદ્યાર્થીએ બ્લેડના ઘા માર્યા

વિદ્યાર્થિનીને ત્રણ વિદ્યાર્થીઓએ પજવણી કરી પરેશાન કરી, વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા હોસ્પિટલ ખસેડાઈ, વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને હાથમાં બ્લેડથી ચેકા મારીને લાઈટરથી ડામ દીધા પાટણઃ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં આજકાલ માબાઈલ ફોન અને સોશિયલ મીડિયાના વધુ પડતા વલગણના કારણે તેમના સ્વભાવમાં પરિવર્તિન જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓ નજીવી બાબતે પોતાના સહાધ્યાયી સાથે હુમલો કરી બેસતા […]

કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ: કાલે શનિવારે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ

મોઢેરા,  સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ ધોરોડો ચોથું સોલાર વિલેજ બન્યુ, ધોરડોમાં 81 રહેણાકમાં કુલ177 કિલોવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ સ્થાપિત કરાયા,  દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક₹16,064નો આર્થિક લાભ થવાનો અંદાજ ગાંધીનગરઃ યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આવતી કાલે તા. 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર […]

ગુજરાતમાં ખેડૂતોને હવે ટ્રેકટરની ખરીદી પર રૂ. એક લાખ સુધીની સહાય મળવાપાત્ર રહેશે

ટ્રેક્ટર સહિત મશીનરીની ખરીદી માટે 1.92.700થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ અપાયા, બજેટમાં ટ્રેક્ટર ખરીદી માટે ગત વર્ષની સરખામણીએ બમણી રૂ. 800 કરોડની જોગવાઈ, ગુજરાત સરકારે 10 વર્ષમાં ટ્રેકટર માટે 3.24 લાખથી વધુ ખેડૂતોને સહાય ચુકવાઈ ગાંધીનગરઃ  ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે માતબર રકમની સહાય જાહેર કરી છે. ભારત કૃષિ […]

સુરતમાં એક કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા

સુરતમાં રાતે અસહ્ય ગરમી બાદ સવારે વરસાદ તૂટી પડ્યો, શહેરના પીપલોદ, અઠવા, ગડુમસ રોડ, વરાછા, અડાજણમાં પણ ધોધમાર વરસાદ પડ્યો, વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ સુરતઃ ગુજરાતમાં મેઘરાજા વિદાય લઈ રહ્યા છે, ત્યારે સુરતમાં આજે સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ […]

પડોશી દેશો સાથેના સંબંધો મામલે ભારતનું ભાગ્ય સારું નથી : રક્ષામંત્રી રાજનાથસિંહ

નવી દિલ્હી : દેશની સુરક્ષા માત્ર સરહદે લડાયેલા યુદ્ધોથી નક્કી થતી નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રના સંકલ્પ અને એકતાથી નક્કી થાય છે, એમ રક્ષા પ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું. 1965ના ભારત-પાક યુદ્ધના દિગ્ગજ જવાનો સાથેની મુલાકાત દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે “ભારત પડોશી દેશો સાથેના સંબંધોમાં ભાગ્યશાળી રહ્યું નથી, પરંતુ અમે કદી તેને નિયતિ માની નથી. […]

પાટણઃ પશુ શેલ્ટર હોમના નિર્માણ માટે અનોખા ‘હેરિટેજ ગરબા’નું આયોજન

પાટણ શહેરમાં નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ઠેર ઠેર ગરબા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે શહેરના જીવદયા પ્રેમી યુવાનો દ્વારા એક પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી છે. પાટણ-ઊંઝા હાઈવે પર આવેલા ખોડાભા હોલ ખાતે આ વર્ષે ગરબાની આવકમાંથી અબોલ પશુઓ માટે શેલ્ટર હોમ બનાવવાના ઉમદા હેતુથી ‘હેરિટેજ ગરબા-2025’ નું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી […]

નવરાત્રીને લઈ બજારોમાં ગરબીની માંગમાં વધારો

આગામી 22 તારીખથી નવરાત્રી પર્વ નો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે નવરાત્રીને લઈ બજારોમાં પણ ભીડ જોવા મળી રહી છે. નવરાત્રી ના નવ દિવસ માઈ ભક્તો પૂરી શ્રદ્ધાથી અને આસ્થાથી માતાજીના નવરાત્રી કરે છે. આ નવરાત્રીના ઉપવાસ દરમ્યાન માઈ ભક્તો ઘટ સ્થાપન (ગરબીનું સ્થાપન) કરીને માતાજીની પૂજા-અર્ચના કરે છે. નવરાત્રી પર્વ દરમિયાન ગરબીની માંગ બજારમાં […]

ગુજરાતમાં સિઝનનો 108%થી વધુ વરસાદ, 145 જળાશયો હાઈ એલર્ટ પર

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝન અત્યાર સુધી નોંધપાત્ર રીતે સફળ રહી છે, જેમાં રાજ્યમાં સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છમાં 135 ટકા જેટલો થયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 110 ટકા વરસાદ વરસ્યો છે. જોકે, સૌરાષ્ટ્રમાં હજુ પણ 93 ટકા સરેરાશ વરસાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code