1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદના શાસ્ત્રીબ્રિજ પરનો એક તરફનો વાહન વ્યવહાર 10 દિવસ માટે બંધ કરાયો

બ્રિજ પર નિરીક્ષણ માટે મશીનરી મુકાશે, નારોલથી વિશાલા સર્કલ તરફ જતો એક તરફનો માર્ગ વાહનો માટે પ્રતિબંધ, માત્ર વિશાલા જંકશનથી નારોલ તરફનો જ બ્રિજનો એક તરફનો ભાગ ચાલુ રહેશે  અમદાવાદઃ શહેરના 82 જેટલા બ્રિજની મજબતાઈ તપાસવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 4 એજન્સીઓને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ત્યારે શહેરના નારોલ-વિશાલા- સરખેજ નેશનલ હાઇવે નંબર 8 પર સાબરમતી […]

કડીના થોળ ગામે પાંજરાપોળમાં 20થી વધુ ગાયોના મોત, ગૌરક્ષકોમાં રોષ

મહેસાણાઃ કડી તાલુકાના થોળ ગામની સીમમાં આવેલ પાંજરાપોળમાં 20થી વધુ ગાયોના મોત થયાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે અન્ય 300થી વધુ ગાયોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, પાંજરાપોળમાં પાણી અને ઘાસચારાની પૂરતી વ્યવસ્થા ન હોવાથી ગાયોના મોત થયા છે. વધુમાં, ગાયોને કાદવ અને કીચડમાં રાખવામાં આવી રહી હતી, તેવી પણ […]

ગુજરાતમાં મેઘરાજાના ખમૈયા: સિઝનનો 90%થી વધુ વરસાદ પૂર્ણ

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ચોમાસાએ વિરામ લીધો છે, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે. આજે વહેલી સવારથી રાજ્યના કુલ 39 તાલુકાઓમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા છે. સૌથી વધુ વરસાદ દાહોદ જિલ્લામાં નોંધાયો છે. દાહોદના ઝાલોદમાં સવા ઈંચ, જ્યારે ફતેપુરા અને દાહોદ તાલુકામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. અન્ય તાલુકાઓમાં પણ છૂટાછવાયા વરસાદના કારણે વાતાવરણમાં […]

અરવલ્લીઃ પદયાત્રીઓની સુરક્ષા માટે માલપુર-શામળાજી માર્ગ ‘વન-વે’ જાહેર કરાયો

ગાંધીનગરઃ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને કારણે અરવલ્લી જિલ્લામાં પદયાત્રીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને અકસ્માતની ઘટનાઓ ટાળવા માટે, અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં જ બનેલી એક દુઃખદ અકસ્માતની ઘટનામાં બે પદયાત્રીઓના મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ તંત્ર સજાગ બન્યું […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો ભવ્ય પ્રારંભ, શ્રદ્ધાળુઓએ માટે ઉભી કરાઈ વિશેષ વ્યવસ્થા

અંબાજીઃ આજે વહેલી સવારથી જ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો શુભારંભ થયો છે. સમગ્ર વાતાવરણ ‘જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું છે, કારણ કે લાખો શ્રદ્ધાળુઓ મા અંબેના દર્શન માટે ઉમટી પડ્યા છે. મેળાના પ્રારંભને ધ્યાનમાં રાખીને, આજે વહેલી સવારે 6 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી હતી. આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ચાચર ચોક […]

ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં ઐતિહાસિક સરદાર બાગનું રીનોવેશન; “પ્રતિતિ” પહેલ હેઠળ શહેરમાં ૧૧મો જાહેર બાગ તૈયાર કરાયો

અમદાવાદ: ટોરેન્ટ ગ્રુપની ચેરિટેબલ શાખા યુ.એન.એમ. ફાઉન્ડેશને પોતાની પ્રતિતિ પહેલ અંતર્ગત વિકસાવવામાં આવેલ અને સંચાલિત પુનઃસ્થાપિત સરદાર બાગ રવિવારે અમદાવાદના નાગરિકોને સમર્પિત કર્યો. શહેરમાં પર્યાવરણીય સંવાદિતા અને કુદરતી ભવ્યતાના વારસાને પુનર્જીવિત કરતા આ બગીચાનું ગાંધીનગર લોકસભા વિસ્તારના માનનીય સાંસદ અને ભારત સરકારના માનનીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્દ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ […]

ગુજરાતમાં બપોર સુધીમાં 99 તાલુકામાં વરસાદ પડ્યો, કાલથી ભારે વરસાદની આગાહી

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, ગુજરાતમાં સીઝમનો 90 ટકા વરસાદ પડ્યો, દરિયા કિનારે ભારે પવન ફુકાશે, માછીમારોને દરિયો ન ખેડવા સુચના અમદાવાદઃ રાજ્યમાં આજે બપોર સુધીમાં 99 તાલુકામાં ઝાપટાંથી લઈને ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. દરમિયાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ભારેથી […]

અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યું

નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરી આશીર્વાદ લીધા, નવા વાડજમાં અર્બન ફોરેસ્ટમાં વૃક્ષારોપણ કરી લોકો સાથે શુભેચ્છા મુલાકાત લીધી, રીનોવેશન કરેલા સરદારબાગનું પણ લોકાર્પણ કર્યું અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે છે. આજે રવિવારે  અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યુ હતુ. જેમાં ગોતા વોર્ડમાં અર્બન […]

જામનગર-રાજકોટ નેશનલ હાઈવે પર રિક્ષા અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો

અકસ્માતમાં રિક્ષાચાલક આધેડનું ગંભીર ઈજા થતા મોત, સીએનજી રીક્ષાને એસટી બસના ચાલકે પાછળથી ઠોકર મારી, પોલીસે એસટી બસચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી જામનગરઃ રાજ્યના હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. જામનગર તરફથી આવતી એક સીએનજી રિક્ષાને એસટી બસના ચાલકે પાછળથી […]

પૂત્રના લગ્નમાં પિતાને મળેલા ચાંદલાની રકમ પર ઈન્કમટેક્સ લાગી શકે નહીઃ એપલેટ ટ્રિબ્યુનલ

લગ્ન પ્રસંગે મળતી ભેટ સાંસ્કૃતિક પરંપરા છે, લગ્નોમાં મળતી ભેટ સામાજિક પ્રથા છે, ભેટને અનપેક્ષિત આવક ગણી ટેક્સ ન લેવાય, ટ્રિબ્યુનલનો ચુકાદો સામાન્ય કરદાતા માટે રાહતરૂપ અમદાવાદઃ લગ્ન પ્રસંગોમાં ભેટ-સૌગાત મળતી હોય છે. અને વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. લગ્નોમાં મળતી ભેટ-સૌગાત કે ચાંદલાની રકમ પર ઈન્કટેક્સ લાગી શકે કે કેમ? આવા એક કેસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code