1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

માર્કેટ યાર્ડ્સમાં પ્રતિકિલો 9ના ભાવે ખરીદાતી ડુંગળી ગ્રાહકોને 40થી 50ના ભાવે વેચાય છે

કમિશન એજન્ટ્સ અને ફેરિયા દ્વારા ડબલ ભાવ લેવાતા હોવાની રાવ, છૂટક વેપારીઓ પર તંત્રનો અંકુશ ન હોવાથી ગ્રાહકોને મનફાવે ભાવ લઈ રહ્યા છે, ખેડૂતોને પુરતુ વળતર મળતુ નથી અને છૂટક વેપારીઓને વધુ લાભ  અમદાવાદઃ ખેડૂતો રાત-દિવસ મહેનત કરીને મોંઘા ભાવનું ખાતર અને બિયારણનો ખર્ચ કરીને કૃષિપાક તૈયાર કરીને જ્યારે યાર્ડમાં વેચવા માટે જાય છે.અને જે […]

મતદાર સુધારણા કામગીરીમાં હાજર ન થતાં શિક્ષકોને એરેસ્ટ વોરંટ સામે શૈક્ષિક મહાસંઘનો વિરોધ

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની CMને ઉગ્ર રજૂઆત, શિક્ષકોને BLOની કામગીરીમાંથી મુક્તિ આપવા માગ, જિલ્લા કલેકટરોને આવેદનપત્રો અપાયા અમદાવાદઃ રાજ્યના શિક્ષકોને, ખાસ મતદાર યાદી સુધારણા ઝૂંબેશની કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરીમાં હાજર ન થતાં કેટલાંક શિક્ષકો સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ સરકારી અને મ્યુનિ. કોર્પોરેશન સ્કૂલના શિક્ષકોને અપાયેલી બૂથ લેવલ ઓફિસર (BLO)ની કામગીરીની […]

નિરમા યુનિવર્સિટીના કર્મચારીએ 5 કરોડની ઉચાપત કરતા પોલીસ ફરિયાદ

કર્મચારીએ બુક રિફંડના નાણા પોતાના મિત્ર, સંબંધીના ખાતામાં ટ્રાન્સફર કર્યા, સ્ટુડન્ટ એક્ટિવિટીના પૈસા પોતાના અંગત કામ માટે ઉપયોગમાં લીધા, પોલીસે કર્મચારી સહિત 7 શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના એસજી હાઈવે પર આવેલી નિરમા યુનિવર્સિટીના એક કર્મચારીએ રૂપિયા 5 કરોડની ઉચાપત કર્યાની સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાવામાં આની છે. યુનિવર્સિટીની કર્મચારી […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં નવ હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આદિવાસી સમુદાયનું કલ્યાણ એ હંમેશા તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. પ્રધાનમંત્રીએ આદિવાસી સમુદાય સાથે થતા અન્યાયને સમાપ્ત કરવા અને વિકાસનો લાભ તેમના સુધી પહોંચાડવા માટે સરકારના અતૂટ સંકલ્પની પણ પુષ્ટિ કરી. તેમણે કહ્યું, આદિવાસી ગૌરવ હજારો વર્ષોથી ભારતની ચેતનાનું અભિન્ન અંગ રહ્યું છે. તેમણે એ વાત પર પણ ભાર […]

બાયો ટેરરિઝમઃ એરંડીયાની મદદથી બનાવવામાં આવતા ઝેરનો એન્ટીડોટ ન હોવાનો ખુલાસો

નવી દિલ્હી: દેશમાં બાયો-ટેરરિઝમને લઈને અમદાવાદ એટીએસને મોટી સફળતા મળી હતી અને મોટા કાવતરાને નિષ્ફળ બનાવીને 3 આતંકવાદીઓને ઝડપી લીધા હતા. હૈદરાબાદના 35 વર્ષીય ડૉક્ટર અહમદ મોહિયુદ્દીન સૈયદની ધરપકડ સાથે આ કેસ વધુ ગંભીર બન્યો છે. તપાસમાં ખુલ્યું છે કે સૈયદ ઘાતક રિસિન વિષ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને દેશના અનેક મોટા બજારો તથા ભીડભાડવાળા […]

ભગવાન બિરસામુંડાજીના પરિવાર સાથે મારે આજે પણ સબંઘ છેઃ વડાપ્રધાન

ગાંધીનગર, 15 નવેમ્બર, 2025ઃ Birsamunda વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે નર્મદા જિલ્લામાં ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસામુંડાજીની 150મી જન્મજયંતીની નિમિત્તે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે 9700 કરોડથી વધુના વિકાસના કાર્યોનુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી વિશાળજનસભાને સંબોઘી હતી. એ પહેલાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામકાજની સમીક્ષા કરી સુરત ખાતે નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની […]

PM-KISANના 21 મા હપ્તાની તારીખ જાહેરઃ જાણો ક્યારે નાણા મળશે અને ખેડૂતોએ શું કરવું પડશે?

11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને ડાઇરેક્ટ ટ્રાન્સફર તરીકે ₹3.70 લાખ કરોડનો આંકડો પાર કર્યો દેશભરમાં સામાજિક કલ્યાણ લાભોની સરળ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે ખેડૂત રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી આધાર-આધારિત e-KYC, મોબાઇલ એપ્લિકેશન અને કિસાન-eMitra સુવિધાને કારણે પ્રક્રિયા સરળ બની ગાંધીનગર, 15 નવેમ્બર, 2025ઃ PM KISAN દેશભરના ખેડૂતોના લાભ માટે શરૂ કરવામાં આવેલી પીએમ કિસાન સન્માન […]

રાજકોટમાં ખૂની ખેલ: પત્નીને ગોળી મારી પતિએ કર્યો આપઘાત

રાજકોટઃ શહેરના જામનગર રોડ વિસ્તારમાં પતિએ પત્ની ઉપર ગોળીબાર કર્યા બાદ આપઘાત કરીને જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. આ બનાવમાં પતિનું મોત થયું છે જ્યારે ગંભીર રીતે ઘવાયેલી પત્નીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે આ ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પ્રાપ્ત […]

અમદાવાદના સિંધુભવન રોડ પર કારચાલકનો કહેર, 2 હોમગાર્ડ સહિત 5 લોકો અડફેટે લીધા

અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં આવેલા સિંધુભવન રોડ પર મોડી રાત્રે થયેલા ભયાનક અકસ્માતે ફરી એક વાર નબીરાઓની બેફામગીરીનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. અર્બન ચોક પાસે ફુલ સ્પીડમાં દોડતી કાર ચાલકે 5 લોકોને અડફેટે લીધા હતા. સદ નસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અનેક લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, અર્બન ચોક સામે […]

ગરવી ગુર્જરી દ્વારા ૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ

સ્વદેશી બનાવટોના વેચાણ થકી અંદાજે કુલ ૭,૦૦૦થી વધુ કારીગરોને રોજગારી હાથશાળ – હસ્તકલા નિગમ દ્વારા કુલ ૩૪ મેળા-પ્રદર્શનનું આયોજન આગામી સમયમાં દિલ્હી, અમૃતસર, દહેરાદૂન, લખનઉ, કોલક્ત્તા,સુરત અને સુરજકુંડમાં મેળા-પ્રદર્શન યોજાશે ગાંધીનગર, 15 નવેમ્બર, 2025ઃ Garvi Gurjari indigenous handicrafts રાજ્ય સરકારના હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ અંતર્ગત એપ્રિલથી ઓક્ટોબર-૨૦૨૫ એટલે કે છેલ્લા ૦૭ મહિનામાં ગરવી ગુર્જરી એમ્પોરિયમ‌ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code