1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

પાલનપુરમાં એરોમા સર્કલ નજીક ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા ચાલકનું મોત

પૂરફાટ ઝડપે ડમ્પરે એક્ટિવાચાલકને કચડતા લોકો દોડી આવ્યા, ડમ્પર પર આરટીઓની નંબર પ્લેટ પણ નથી, શહેરમાં ભારે વાહનના પ્રવેશ અટકાવવા લોકોની માગ પાલનપુરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના એરોમા સર્કલ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. શહેરના એરોમાં સર્કલ પર એક્ટિવા સ્કૂટર પર જઈ રહેલા  નિવૃત્ત ઓડિટરને નંબર વગરના […]

સુરત એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પ્રવાસીઓમાં થયો વધારો

ડોમેસ્ટિક 27 ટકા પ્રવાસીઓઓનો વધારો, ઈન્ટરનેશનલમાં 3 ટકા પ્રવાસીઓનો વધારો, ત્રણ મહિનામાં ફ્લાઈટ્સની અવર-જવર પણ વધી સુરતઃ શહેરના એરપર્ટ પર ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચાર મહિનાના ડેટા મુજબ, ફેબ્રુઆરી-2025ની સરખામણીએ મે-2025માં મુસાફરોની સંખ્યામાં 12.34%નો નોંધપાત્ર વધારો નોંધાયો હતો. આ વૃદ્ધિ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને સેગમેન્ટમાં જોવા મળી છે, જે એરપોર્ટની […]

જીએસટી દ્વારા મોટી સંખ્યામાં કરદાતાઓને વર્ષ 2021-22ના વર્ષની સ્ક્રુટીની નોટિસ આપી

જીએસટી દ્વારા નોટિસો અપાતા કરદાતાઓમાં દાડધામ મચી, પાછલી અસરથી નોટિસો આપાતા અસંતોષ, જૂના વર્ષની નોટિસથી હિસાબી સાહિત્ય અને એન્ટ્રીઓ યાદ કરવી મુશ્કેલ અમદાવાદઃ ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ વિભાગ (જીએસટી) દ્વારા વેપારી કરદાતોઓને ત્રણ વર્ષ પહેલાની હિસાબ-કિતાબની ત્રૂંટીઓ કાઢીને સ્ક્રુટિની નોટિસો અપાતા કરદાતોઓમાં અસંતોષ ઊભો થયો છે. મોટી સંખ્યામાં કરદાતાઓને વર્ષ 2021-22ના વર્ષની સ્ક્રુટિની નોટિસ પાઠવવામાં […]

શ્રાવણ મહિનામાં ઘેર બેઠા સોમનાથ મહાદેવજીને માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા નોંધાવી શકાશે

બિલ્વ પૂજા નોંધાવનારાને પોસ્ટ મારફત રુદ્રાક્ષ, ભસ્મ અને નમનનો ભસ્મમળશે, 2 વર્ષમાં 50 લાખથી વધુ પરિવારો લઈ ચૂક્યા છે રૂપિયા 25માં બિલ્વપૂજાનો લાભ, સોમનાથ ટ્રસ્ટે ફરી શરૂ કરી ભક્તોની પ્રિય “માત્ર 25₹ માં બિલ્વપૂજા સેવા” સોમનાથઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મંદિરમાં શ્રાવણ મહિનામાં વિશેષ કાર્યક્રમો યોજાશે, શિવ ભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ […]

થરા માર્કેટ યાર્ડની ચૂંટણી પ્રચાર વેગમાં ડોર ટુ ડોર મતદારોને રીઝવવા પ્રયાસ

કાંકરેજઃ બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાની થરા માર્કેટ યાર્ડની સામાન્ય ચૂંટણી 30 જૂને યોજાનાર છે ત્યારે ભાજપ ના એક જ પરિવાર ની બે પેનલો ચૂંટણી લડી રહી છે અને ભાજપ ના જ કાર્યકરો અને હોદ્દેદારો ચૂંટણી લડી રહ્યા છે તેવું સાબિત કરવા માટે માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે થરા ખાતેની બાલાજી જીન માં પત્રકારો ને […]

કચ્છમાં સરહદના સંત્રીઓને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ અભિનંદન પાઠવતા ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ના ત્રીજા દિવસે કચ્છ જિલ્લાના છેવાડાના ગામ કુરનની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવવા માટે શુક્રવારે મોડી સાંજે કચ્છ પહોચ્યા હતા. મુખ્યમંત્રીએ કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતા બોર્ડર સિક્યુરીટી ફોર્સ બી.એસ.એફ.ની 85 બટાલિયનના જવાનોને મળીને તેમની સાથે ભોજન લીધું હતું . 1971ના યુદ્ધમાં આ બટાલિયનના જવાનોએ દુશ્મન ક્ષેત્રમાં અંદર સુધી […]

ગુજરાતમાં મેઘમહેરઃ 171 તાલુકામાં વરસાદ, 18 ડેમ પાણીથી છલકાયાં

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસુ જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 171 તાલુકામાં વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાલ્યાનપુરમાં સૌથી વધુ 3.0 ઈંચ, કચ્છના મંડવીમાં 2.6 ઈંચ, વલસાડના પારડીમાં 1.9 ઈંચ, કચ્છના નખત્રાણામાં 1.5 ઈંચ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 1.5 ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં અત્યારસુધી કુલ સરેરાશ 10.37 ઈંચ (263.59 મીમી) વરસાદ નોંધાયો […]

ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ગાંધીનગરઃ ગુજરાતમાં પાછલા અમુક સમયથી મોટા ભાગનાં સ્થળોએ વરસાદ પડી રહ્યો છે, ક્યાંક અનારાધાર તો ક્યાંક થોડા થોડા અંતરાલ બાદ વરસી રહ્યો છે. સુરત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તો ભારે વરસાદને કારણ જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું હતું. જોકે, કેટલાંક સ્થળોએ વરસાદને ખેતી માટે લાભકારક ગણાવી ખેડૂતોએ વધાવી લીધાનાં પણ દૃશ્યો જોવા મળ્યાં હતાં. ગુજરાતમાં […]

નડિયાદ મ્યુનિ.કોર્પોરેશન કચેરીના સત્તાધિશોને ઢંઢોળવા લોકોએ હાથમાં તિરંગા લઈને દેખાવો કર્યો

શહેરના વોર્ડ નંબર 4,5 અને 6માં પ્રાથમિક સુવિધાનો અભાવ, 150થી વધુ લોકોએ બે ડેપ્યુટી કમિશનરનો ઘેરાવ કર્યો, અગાઉ અનેકવાર રજુઆતો કરવા છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી નડિયાદ: શહેરની નગરપાલિકાને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ શહેરના પ્રાથમિક પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે  લઘુમતી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ મુદ્દે બપોરે 150થી વધુ લોકો  ત્રિરંગા સાથે મ્યુનિ.કોર્પોરેશનની કચેરીમાં ધસી […]

સાબરકાંઠાના પોશીના તાલુકામાં ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

અષાઢી બીજ રથયાત્રાના શુભદિને ભગવાન જગન્નાથજીની કૃપાથી સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં કર્મધામ ટ્રસ્ટ, હિંમતનગર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ શોભાયાત્રામાં આપણી પરંપરા અને સંસ્કૃતિ સાથે આધુનિકતાનો ભવ્ય સમન્વય સ્પષ્ટ જણાતો હતો. શોભાયાત્રામાં પોશીના તાલુકાના ગામોથી કુલ ૮૦ ભજન મંડળીઑ પોતાના ગામના બેનર સાથે સવારે 10:00 કલાકે સ્વામિનારાયણ મંદિર પોશીનાથી ઢોલક મંજીરાના વાજિંત્રોના તાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code