1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

જીવનઝરુખો.. બારીની બહાર આપણને શું દેખાય છે?

જીવન એટલે વીતી ગયેલી ક્ષણો કે આવનારી ક્ષણો નહીં પણ આજની આ પળ..બસ..એથી વિશેષ કશું નહીં. કેમ કે આ પછીની ક્ષણની પણ આપણે ચોક્કસપણે આગાહી કરી શકતા નથી. આવનારી પળમાંથી શું અવતરશે એ કોઇ જાણી શકતું નથી. સમયની એક વામન ક્ષણમાં વિરાટ શક્યતાઓ સમાયેલી હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. પણ આપણી આ ક્ષણનો […]

ભારતમાં ધર્મ હજુ પણ સામ્રાજ્યવાદી માનસિકતામાંથી મુક્ત થયો નથી: જૈનાચાર્ય યુગભૂષણસૂરીજી

દેશમાં હિન્દુ ધર્મસ્થાનો સરકારી નિયંત્રણમાંથી કેમ મુક્ત થઈ નથી શકતાં એ વિશે અનેક વખત અનેક સ્તરે ચર્ચા થતી રહી છે. રાજકીય ઈચ્છાશક્તિના અભાવે અને ક્યારેક અદાલતી ચુકાદાને કારણે મંદિરો અને ધાર્મિક પરંપરાઓ ઉપર કુઠારાઘાત થાય છે. કેરળમાં સબરીમાલા મંદિર, તમિલનાડુની થિરુપરમકુંદરમ પહાડી ઉપર વર્ષમાં એક વખત દીપમ પ્રાગટ્યની પરંપરા, તમિળનાડમાં જલિકટ્ટુ, મહારાષ્ટ્રમાં દહીં હાંડી, ગુજરાતમાં […]

ગુજરાતઃ ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ભર્યું ઉમેદવારી પત્ર

વડોદરા, 4 એપ્રિલ 2026: આણંદ જિલ્લાની હાઈ પ્રોફાઈલ ગણાતી ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે  ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જાહેર થઈ જતા  ચૂંટણી જંગ જામ્યો છે. આજે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારના સમર્થનમાં  આયોજિત જનસભામાં રાજયના મુખ્યમંત્રી અને  ભાજપના વરિષ્ઠ નેતા , ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  આ પ્રસંગે ભાજપ દ્વારા ભવ્ય રોડ શો અને શક્તિ […]

NEP 2020 અંતર્ગત એમ.કોમ. અભ્યાસક્રમ અને માળખા અંગે વર્કશોપ યોજાયો

અમદાવાદ, 4 એપ્રિલ, 2026 – Gujarat University સ્કૂલ ઓફ કોમર્સ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અનુસાર એમ.કોમ. અભ્યાસક્રમ અને માળખા અંગે એકદિવસીય વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનું આયોજન ડૉ. આશિષ જનકરાય દવે, ડીન, ફેકલ્ટી ઓફ કોમર્સ, અને ડૉ. હેમલ પંડ્યા, ડિરેક્ટર, સ્કૂલ ઓફ કોમર્સના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં ડૉ. એન. […]

સાબરકાઠાના મુડેટી ખાતે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના “નૂતન સંકુલ”નું ઉદ્દઘાટન

શારદાપીઠાધીશ્વર સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિ ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ‘સદધર્મ સમાજસેવા રત્નથી સન્માન સાબરકાંઠા, 4 એપ્રિલ, 2026 – “મહાવિદ્યાલયનું લોકાર્પણ માત્ર એક સંસ્થાનો આરંભ નથી, પરંતુ ભારતની અનાદિકાળની વૈદિક પરંપરા અને જ્ઞાનગંગાને નવી દિશા આપતું એક પવિત્ર ‘ચેતના કેન્દ્ર’ છે“, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અહીં […]

વલસાડમાં ધરા ધ્રુજી, 1.7ની તીવ્રતા નોંધાઈ

સુરત, 4 એપ્રિલ 2026: દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આજે બપોરના સમયે ફરી એકવાર ધરા ધ્રૂજી હતી. વલસાડ જિલ્લામાં બપોરના સમયે હળવો આંચકો નોંધાયો હતો. જેની તીવ્રતા રિકટર સ્કેલ ઉપર 1.7ની નોંધાઈ હતી. તીવ્રતા ઓછી હોવાના કારણે મોટાભાગના લોકોને આંચકો અનુભવાયો ન હતો. પરંતુ ભૂકંપની વિગતો સામે આવતા લોકોમાં કુતૂહલ ફેલાયું હતું. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ […]

અમદાવાદઃ ફત્તેહવાડીના ખેડૂતોની માંગ સંતોષવા સાબરમતી ખાલી કરવાનો નિર્ણય મોકૂફ રખાયો

અમદાવાદ, 4 એપ્રિલ 2026: સાબરમતી નદી પર આવેલા ઐતિહાસિક વાસણા બેરેજના દરવાજા બદલવા અને સુભાષબ્રિજના રિપેરીંગની કામગીરીમાં મોટો અવરોધ ઉભો થયો છે. અગાઉ 1લી એપ્રિલથી નદી ખાલી કરી કામ શરૂ કરવાનું આયોજન હતું, પરંતુ ચૂંટણીના માહોલ વચ્ચે ફત્તેહવાડી વિસ્તારના ખેડૂતોની સિંચાઈના પાણીની માંગણી સ્વીકારી લેવામાં આવતા હવે 15મી એપ્રિલ બાદ જ નદી ખાલી કરી શકાશે. […]

સેલવાસ: નાઈટ્રોજન ગેસ ગોડાઉનમાં સિલિન્ડર રિફિલિંગ વખતે ધડાકો, 4ના મોત

સેલવાસ, 4 એપ્રિલ 2026: દાદરા અને નગર હવેલીના પાટનગર સેલવાસમાં એક કાળજું કંપાવનારી ઘટના બની છે. શહેરના દેમાણી રોડ પર આવેલા એક નાઈટ્રોજન ગેસના ગોડાઉનમાં સિલિન્ડર રિફિલિંગની કામગીરી દરમિયાન અચાનક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં ગોડાઉનના મેનેજર સહિત 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 5થી વધુ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ […]

અમદાવાદમાં ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના માતૃશ્રીનું નિધન, સોમવારે બેસણું

અમદાવાદ, 4 એપ્રિલ 2026: ગુજરાત વિધાનસભાની વેજલપુર બેઠકના ધારાસભ્ય અમિત ઠાકરના માતૃશ્રી ગંગા સ્વ. વિજ્યબહેન ધીરજલાલ ઠાકરનું નિધન થયું છે. આજે સવારે સદગતની અંતિમયાત્રા નીકળી હતી. શહેરના બોપલ વિસ્તારમાં ક્રિસ્ટલ એપાર્ટમેન્ટથી આજે સવારે સદગતની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં અમિત ઠાકરના સમર્થકો અને ભાજપના નેતાઓ જોડાયા હતા. શહેરના વેજલપુર સ્મશાનગૃહમાં સદગતની અંતિમવિધી કરવામાં આવી […]

માત્ર પિઝાનો સ્વાદ જ નહીં, સ્વાસ્થ્ય પણ સુધારશે ઓરિગેનો, જાણો તેના ફાયદા

આધુનિક ખાનપાનની દુનિયામાં ‘ઓરિગેનો’ એક જાણીતું નામ બની ગયું છે. એક સમય હતો જ્યારે ભારતમાં માત્ર પિઝા સાથે જ ઓરિગેનો ખાવામાં આવતું હતું, પરંતુ હવે ગાર્લિક બ્રેડ, પાસ્તા અને અન્ય ઇટાલિયન વાનગીઓમાં તેનો છૂટથી ઉપયોગ થાય છે. મોટાભાગના લોકો બજારમાંથી તૈયાર ઓરિગેનો ખરીદતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે ઘરે બનાવેલું શુદ્ધ ઓરિગેનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code