1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

રાજકોટમાં ગોપવંદના શાકમાર્કેટના હોકર્સએ ગેરકાયદે પાર્કિંગના પ્રશ્ને મ્યુનિ.સામે ઘરણા કર્યા

રાજકોટ, 22 જાન્યુઆરી 2026:  શહેરના કોઠારીયા વિસ્તારમાં આવેલા ગોપવંદના શાકમાર્કેટ હોકર્સ ઝોનમાં ગેરકાયદેસર થતા પાર્કિંગને લીધે વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે અગાઉ મ્યુનિ અને ટ્રાફિક પોલીસને રજુઆત છતાં કોઈ પલા ન લેવાતા આજે સ્થાનિક અગ્રણી નરેશ ગઢવીની આગેવાનીમાં વેપારીઓ દ્વારા મ્યુનિના પ્રાંગણમાં શાકભાજી પાથરી અનોખો વિરોધ કર્યો હતો. વેપારીઓ દ્વારા ગળામાં પ્લાસ્ટિકની મોટરકાર […]

વડોદરામાં હોટલમાંથી બે શખસો બે પિસ્તોલ 56 કાર્તૂસ અને બારબોર ગન સાથે પકડાયા

વડોદરા, 22 જાન્યુઆરી 2026:  જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વેમાલી ગામની સીમમાં આવેલી હોટેલ રોયલ પેલેસ પર બાતમીના આધારે રેડ પાડતા હોટલમાં રોકાયેલા ત્રણ શખસો પાસેની જડતી લેતા બે શખસો પાસેથી બે પિસ્તોલ,  56 કાર્તૂસ અને બાર બોર ગન મળી આવી હતી. આ હથિયારો ક્યાંથી આવ્યા અને તે ક્યાં લઈ જવાના હતા તે દિશામાં પોલીસે […]

અમદાવાદમાં BGMI ગેમ રમવા બાબતે બોલાચાલી બાદ યુવકની છરીના ઘા મારીને હત્યા

અમદાવાદ, 22 જાન્યુઆરી 2026:  શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં BGMI ગેમ રમવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને આકાશ ઓડ નામના યુવકની છરીના ઘા મારી હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ગાયકવાડ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ કેસમાં બે આરોપી લાલો રાઠોડ અને તેના મિત્ર શાહિદખાન પઠાણની […]

કોંગ્રેસના સાંસદના ભત્રીજાએ અકસ્માતે ગોળી વાગતા પત્નીના મોત બાદ કરી આત્મહત્યા

અમદાવાદ, 22 જાન્યુઆરી 2026:  શહેરના જજીસ બંગલો રોડ પર એનઆરઆઈ ટાવરમાં રહેતા યશરાજસિંહ ગોહિલ ગત મોડી રાતે રિવોલ્વર ફેરવતા હતા તે સમયે તેમના પત્ની રાજેશ્વરીબાને અકસ્માતે ગોળી વાગતા ત્વરિત 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી. 180ની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રાજેશ્વરીબાને મૃત જાહેર કરતા આઘાતમાં આવી જઈને યશરાજસિંહ ગોહિલે ગોળી મારીને આત્મહત્યા કરી હતી. યશરાજસિંહ […]

વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન

ભવિષ્યની પેઢીઓને રાષ્ટ્ર નિર્માણમાં જોડવા માટે મુંબઈ યુનિવર્સિટી સાથે ત્રિપક્ષીય MoU થયા “કાયદાના શાસનને ન્યાયના શાસન દ્વારા બદલવું જોઈએ. કાયદાનું શાસન અપરાધને કાયદેસર બનાવી શકે છે, જ્યારે ન્યાયનું શાસન ન્યાયની સ્થાપના કરી શકે છે”: યુગભૂષણસૂરીજી મહારાજ સાહેબ. મુંબઈ, 22 જાન્યુઆરી, 2026: Vasudhaiva Kutumbak Conclave મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે વસુધૈવ કુટુમ્બકમ કી ઓર કોન્ક્લેવમાં બુધવારે […]

મહિલાઓ માટે સુરક્ષિત ટોપ ટેન શહેરમાં ગુજરાતના આ શહેરનો પણ સમાવેશ

નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2026: ભારતમાં મહિલાઓની સુરક્ષા, કરિયર ગ્રોથ અને રહેવાની આઝાદીના મામલે કયા શહેરો શ્રેષ્ઠ છે, તેને લઈને એક નવો રિપોર્ટ ‘ટોપ સિટીઝ ફોર વુમન ઇન ઇન્ડિયા’ (TCWI) જાહેર થયો છે. વર્કપ્લેસ કલ્ચર કન્સલ્ટિંગ ફર્મ ‘અવતાર ગ્રુપ’ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ચોથા એડિશન મુજબ, દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોને પાછળ છોડીને […]

નિવૃતિના 5 વર્ષ કે ઓછો સમય બાકી છે, એવા શિક્ષકોને ટેટ આપવી નહીં પડે

ગાંધીનગર.21 જાન્યુઆરી 2026:  રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષકો માટે ટેટ (Teacher Eligibility Test) સંબંધે સ્પષ્ટ નિર્ણય લીધો છે. જે શિક્ષકોને નિવૃત્તિમાં પાંચ વર્ષ કે તેથી ઓછો સમય બાકી છે, તેવા શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરવાની ફરજમાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણયને કારણે નિવૃતિ વય નજીક પહોંચેલા શિક્ષકોને રાહત થશે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાના […]

અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ 32 લાખથી વધુ ખેડૂતોને રૂ. 9.466 કરોડથી વધુ સહાય ચૂકવાઈ

ગાંધીનગર, 21 જાન્યુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિ રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં ૩૨ લાખથી વધુ ખેડૂતોના કુલ રૂ. ૯,૫૧૬ કરોડના ઓનલાઇન બીલો […]

ગુજરાતમાં પોલીસ ભરતીના ઉમેદવારો માટે શરૂ થયો તાલીમ કાર્યક્રમઃ જાણો સંપૂર્ણ વિગતો

ગાંધીનગર, ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬ઃ Training program police recruitment candidates ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ભારતની અગ્રણી રાષ્ટ્રીય સુરક્ષા અને પૉલીસિંગ યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ આજે ગુજરાત પોલીસ ભરતી 2025-26 ના ઉમેદવારો માટે ખાસ રચાયેલા એક વ્યાપક 75-દિવસનો તૈયારી કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. RRUની સ્કૂલ ઑફ ઇન્ટરનલ સિક્યુરિટી એન્ડ સ્માર્ટ પૉલીસિંગ […]

મુખ્યમંત્રીએ કહ્યું આવુ નહીં ચલાવુ, અધિકારીઓને ખખડાવ્યા, જાણો કેમ ?

ગાંધીનગર,21 જાન્યુઆરી 2026:   સુરતના કામરેજ તાલુકાના તડકેશ્વર ગામમાં 21 કરોડના તોતિંગ ખર્ચે બનાવેલી પાણીની ટાંકી લોકાર્પણ પહેલા જ પાણી ભરીને ટેસ્ટિંગ દરમિયાન ધડાકા સાથે તૂટી પડતા આ બનાવની ગંભીર નોંધ લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોષ વ્યક્ત કરીને જવાબદાર અધિકારીઓને ખખડાવ્યા હતા. દરમિયાન કેબિનેટમાં મુખ્ય સચિવ એમ.કે.દાસે એવું કહ્યું કે પાણીની ટાંકી પડયા બાદ જવાબદારોને સસ્પેન્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code