1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદમાં પાણીના જગ વેચનારાઓએ પાણીને ક્લોરીનથી શુદ્ધ કરીને વેચવું પડશે

અમદાવાદ, 9 જાન્યુઆરી 2026: રાજ્યના મહાનગરોમાં પાણીજન્ય રોગચાળાએ માથુ ઉંચકતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અધિકારીઓને તકેદારીના પગલાં લેવાની સુચના આપવામાં આવી છે. તેમજ શહેરમાં પાણીનાં જગ (મોટી બોટલો)ના સપ્લાયરો માટે  પાણીનાં પ્યોરિફિકેશન થાય તેના માટે ક્લોરીનેશન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમના ધંધાકીય એકમોમાં ક્લોરિફિકેશન થાય તે પ્રકારનું ઇન્સ્ટોલેશન કરાવવાનું રહેશે. જો આ પ્રકારનું ક્લોરીન […]

રાજકોટના ધોરાજી, જેતલસર સહિત વિસ્તારોમાં ભૂકંપના આંચકા

ધોરાજી-જેતપુરની તમામ શાળાઓમાં રજા જાહેર ઉપલેટાથી 30 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું રાજકોટ, 9 જાન્યુઆરી 2026: સૌરાષ્ટ્ર-કચ્છમાં અનારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગઇકાલ સાંજથી અત્યાર સુધી સાત જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારથી બપોર સુધીમાં 6 આંચકા અનુભવાતા જેતલસર, પેઢલા અને સરધારપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભય વ્યાપી […]

PM મોદી 10-11 જાન્યુ.એ સોમનાથની મુલાકાત લેશે, સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે

ગાંધીનગર, 9 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10-11 જાન્યુઆરી, 2026ના રોજ ગુજરાતના સોમનાથની મુલાકાત લેશે અને સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે. 10 જાન્યુઆરીએ રાત્રે લગભગ 8 વાગ્યે, પ્રધાનમંત્રી ઓમકાર મંત્રના જાપમાં ભાગ લેશે, ત્યારબાદ સોમનાથ મંદિરમાં ડ્રોન શો યોજાશે. 11 જાન્યુઆરીએ સવારે લગભગ 9:45 વાગ્યે પ્રધાનમંત્રી શૌર્ય યાત્રામાં ભાગ લેશે, જે સોમનાથ મંદિરની રક્ષા માટે […]

કરૂણા અભિયાન: 8500 સ્વયંસેવકો પક્ષીઓના બચાવ માટે કાર્યરત રહેશે

ગાંધીનગર, 09 જાન્યુઆરી 2026: રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી […]

સુરતમાં બાઈક સ્લીપ થતાં પાછળ આવતી સિટી બસની અડફેટે બાઈકચાલકનું મોત

સુરત, 9 જાન્યુઆરી 2026: શહેરના કતારગામ વિસ્તારમાં ફુલપાડા નજીક રોંગ સાઈડમાં પૂર ઝડપે આવી રહેલા બાઈકચાલકને બચાવવા જતા સામે આવી રહેલા બાઈકચાલકે બ્રેક મારતા બાઈક રોડ પર સ્લીપ ખાતા બન્ને બાઈક સવારો રોડ પર પટકાયા હતા. આ સમયે પાછળ આવી રહેલી સિટી બસે અડફેટે લેતા 29 વર્ષીય બાઈકસવાર યુવાનનું મોત નિપજ્યું હતું.  શહેરના કતારગામ વિસ્તારમાં […]

સોમનાથ સ્વાભિમાન પર્વ: સાધુ- સંતો ભગવાન સોમનાથના દર્શનાર્થે પહોંચ્યા

સોમનાથ, 9 જાન્યુઆરી 2026: સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો છે, આજે ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ-સંતોએ સોમનાથના શંખચોકથી પદયાત્રા કરીને દેવાધિદેવ ભગવાન મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. આ આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરતી પદયાત્રામાં રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ […]

યંગ ઈન્ડિયા (Yi) ચળવળઃ પાયાનાં સેવાકાર્યોથી લઈને નેતૃત્વ વિકાસ દ્વારા વિકસિત ભારતનો સંકલ્પ

[અલકેશ પટેલ] અમદાવાદ, 9 જાન્યુઆરી, 2026 – Young India (Yi) Movement: A vision for a developed India ભારતની જેન-ઝી (Gen-Z) પેઢી પાસે સકારાત્મકતાનાં અનેક કારણ છે. ભારતની જેન-ઝી પેઢી પાસે યોગ્ય નેતૃત્વ છે. ભારતની આ પેઢીને રાષ્ટ્રપ્રેમ અને ધાર્મિક મૂલ્યો તરફ વાળી શકે તેવા વિદ્વાનો સમયાંતરે દેશને મળતા રહ્યા છે. અને એ જ કારણ છે કે, […]

સ્કોપ-2: રણને વનમાં ફેરવનાર રાજાના સંકલ્પ, વિજ્ઞાન અને સંઘર્ષની વાર્તા

થારનું રણ સંપૂર્ણ શાંત હતું. ચકલીની વાત તો જવા દો,  પવન પણ ફરકતો નહોતો, કોઈ અવાજ નહોતો. માત્ર સૂકી રેતી અને તપતો સૂરજ. એવું લાગતું હતું કે ધરતી પોતે શ્વાસ લેવાનું ભૂલી ગઈ છે. આ શાંતિ શાંતિ નહોતી પણ એ તરસ હતી. The king who turned the desert into a forest થાર રણ ભૂગોળ મુજબ […]

GPSCની 2026માં લેવાનારી વિવિધ સંવર્ગની પ્રીલિમ પરીક્ષાની તારીખો જાહેર

અમદાવાદ, જાન્યુઆરી 2026:  ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026 દરમિયાન યોજાનારી વિવિધ ક્લાસ-1 અને ક્લાસ-2 સંવર્ગની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. પ્રલિમ પરીક્ષાની તારીખો જાહેર થતાં લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારોને રાહત થઈ છે. GPSC દ્વારા કુલ 18 જેટલા અલગ-અલગ સંવર્ગોની પ્રીલિમ પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન […]

વડોદરાના 5 ધારાસભ્યોનો લખ્યો CMને પત્ર, અધિકારીઓ પ્રજાના કામો કરતા નથી

વડોદરા, 8 જાન્યુઆરી 2026: ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાનો અધિકારીઓની લાપરવાહીને લીધે પ્રજાને લાભ મળતો નથી. વહીવટી તંત્રમાં વ્યાપ્ત અરાજકતા અને અધિકારીઓની ખરાબ માનસિકતા સામે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ધારાસભ્ય કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા લખાયેલા આ પત્રમાં ‘વંદે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code