1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

પોરબંદરના રોજીવડા ગામે તળાવમાં નહાવા પડેલા બે કિશોરોના ડૂબી જતા મોત

પોરબંદર, 29 માર્ચ 2026: Two teenagers drown while bathing in a pond  જિલ્લાના રાણા રોજીવડા ગામે શાળાએથી છૂટ્યા બાદ તળાવમાં નહાવા ગયેલા બે કિશોરોના ડૂબી જતા કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્કૂલથી ઘરે પરત ફરતી વેળા બંને ‘નેસડા તળાવ’માં નાહવા પડ્યા હતા અને ડૂબી ગયા હતા. […]

ગુજરાત સરકાર દ્વારા આયોજનબદ્ધ વિકાસકાર્યોને તત્કાલ મંજૂરી અપાય છેઃ મુખ્યમંત્રી

રાજકોટ, 29 માર્ચ 2026: Inauguration of development works – Khat Mahurta મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં મહાનગરપાલિકાનાં રૂ. ૭૫૧.૨૦ કરોડના ૪૫ જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ. ૧૧૯.૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત EWS-II પ્રકારના આવાસોનું લોકાર્પણ કરીને, મુખ્યમંત્રીશ્રી દ્વારા ૧૦૧૦ પરિવારોને આધુનિક સુવિધાસભર “ઘરના ઘર”ની ભેટ અપાઈ છે. આ સાથે રૂ. […]

જીવનઝરુખોઃ રેતી પર લખીશું કે પથ્થર પર?

ઇચ્છાઓ, અપેક્ષાઓ, નિરાશાઓ, વ્યથાઓ, એક શ્વાસની પૂતળીને ઘણી બેનપણી છે.  ભગવતીકુમાર  શર્મા જન્મથી મરણ સુધીની જીવનયાત્રામાં માનવીની  અનંત ઇચ્છાઓની આવનજાવન દરિયાના મોજાની જેમ એક પછી એક એક એમ સતત ચાલુ રહે છે. માનવીને જાણે એક જીવનમાં અનેક જીવન જેટલું જીવી લેવું છે, પેઢીઓ સુધી ચાલે એટલું કમાઇ લેવું છે. પૈસો, કીર્તિ, સત્તા પ્રેમ, અનેક અપેક્ષાઓ […]

ભાવનગરના આંગણે ઉડ્ડયન ક્રાંતિ: 29 માર્ચથી નવી મુંબઈની નિયમિત ફ્લાઈટ શરૂ

ભાવનગર, 28 માર્ચ 2026: ગોહિલવાડના આંગણે હવાઈ સેવાના ક્ષેત્રમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. લાંબા સમયની રાહ જોયા બાદ ભાવનગર અને નવી મુંબઈ વચ્ચેની વિમાની સેવાનો આગામી 29 માર્ચ, રવિવારથી વિધિવત પ્રારંભ થશે. ભાવનગર એરપોર્ટના ઇતિહાસમાં પ્રથમવાર દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી આ ઉડાનને લીલી ઝંડી આપવા ખાસ ઉપસ્થિત રહેશે. ભાવનગર એરપોર્ટના ડિરેક્ટર તપન […]

એક દાયકા પછી ગુજરાતમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના બચ્ચાનો સફળ જન્મ

ભૂજ, 28 માર્ચ 2026: ગુજરાતના કચ્છમાં વન્યજીવન સંરક્ષણના ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ અને ગૌરવશાળી સીમાચિહ્ન પ્રસ્થાપિત થયું છે. અતિશય દુર્લભ ગણાતા ‘ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ’ અથવા તો ઘોરાડ પક્ષીના સંરક્ષણ માટે અમલી બનાવાયેલા ‘જમ્પસ્ટાર્ટ એપ્રોચ’ પ્રોજેક્ટ હેઠળ કચ્છમાં એક દાયકાના લાંબા વિરામ બાદ નવા બચ્ચાનો જન્મ થયો છે. કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ સફળતાને […]

ઉનાળામાં જીભના ચટાકા પૂરા કરશે આંબલી, જાણો 4 ટેસ્ટી વાનગીઓ વિશે

આંબલીનું નામ પડતા જ મોઢામાં પાણી આવી જાય છે. તેનો ખાટો-મીઠો સ્વાદ દાળ, શાક કે ચટણીની લહેજત વધારી દે છે. જો તમે પણ આ ઉનાળે આંબલીમાંથી કંઈક નવું અને મજેદાર બનાવવા માંગતા હોવ, તો આ ખાસ રેસિપીઝ તમારા માટે છે. ઘરે બેઠા જ બનાવો આંગળા ચાટતા રહી જવાય તેવી વાનગીઓ: ખાટી-મીઠી આંબલીની ચટણી સમોસા, ભજીયા […]

રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

કેન્દ્ર સરકાર સાથેના સંકલન માટે અને જિલ્લાઓમાં સપ્લાય ચેઇન જળવાઈ રહે તેના માર્ગદર્શન માટે મુખ્યસચિવના અધ્યક્ષ સ્થાને એક સ્ટેટ લેવલ કોર્ડીનેશન કમિટીની રચના કરવાનો નિર્ણય ગાંધીનગર, 28 માર્ચ, 2026ઃ રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસનો જથ્થો, વિતરણ વ્યવસ્થાની સમીક્ષા માટે આજે શનિવારે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો […]

સરદારનગરમાં યુવતી પર એસિડ એટેક, પીડિતાએ પિતા ઉપર કર્યો ગંભીર આક્ષેપ

અમદાવાદ, 28 માર્ચ 2026: શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી નિલકમલ સોસાયટી પાસે ધોળેદહાડે એક યુવતી પર એસિડ ફેંકી જીવલેણ હુમલો કરાતા સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ગંભીર રીતે દાઝી ગયેલી યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ, આ હુમલા પાછળ કૌટુંબિક વિખવાદ અને પ્રેમલગ્નની અદાવત જવાબદાર હોવાનું […]

ખેડૂતોને મોટી રાહત, સિંચાઈ માટે 20 એપ્રિલ સુધી સિંચાઈ માટે પાણી મળશે

ગાંધીનગર, 28 માર્ચ 2026: રાજ્યમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત વચ્ચે નાગરિકો અને જગતના તાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે વિશ્વાસ અપાવ્યો છે કે ચાલુ વર્ષે રાજ્યમાં પીવાના પાણી કે સિંચાઈ માટે કોઈ તંગી સર્જાશે નહીં. મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના જળાશયોમાં પૂરતો જળજથ્થો ઉપલબ્ધ હોવાથી ઉનાળામાં પાણીની સમસ્યા નહિવત રહેશે. […]

રંગભૂમિ સાથે જોડાયેલા 11 નાટ્યકર્મીઓનું વિશાલા – અમદાવાદમાં અભિવાદન

અહેવાલ અને તસવીરોઃ રોહિત શાહ ગ્રામ્ય વિરાસતની શૈલી ધરાવતી, અમદાવાદની વિશાલા હોટલનો સ્થાપનાદિવસ 27મી માર્ચ છે. આ તારીખે વિશ્વ રંગભૂમિ દિવસ પણ હોવાથી, વિશાલા તથા વિચાર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે છેલ્લાં 14 વર્ષથી રંગભૂમિ સાથે સંકળાયેલા વિવિધ કલાકારોને પોંખવાનો અને પુરસ્કૃત કરવાનો કાર્યક્રમ યોજાય છે. આ અંતર્ગત 27 માર્ચ 2026ના રોજ હોટલ વિશાલાના પ્રાંગણમાં, નવ પ્રૌઢ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code