1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સરદાર જ્યંતિઃ એકતાનગર ખાતે પ્રથમવાર દિલ્લીના ગણતંત્ર દિવસની જેમ પર ટેબ્લો પ્રસ્તુત કરાયા

કેવડિયાઃ ભારતની અસ્મિતાના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં દિલ્લી ખાતે ૨૬મી જાન્યુઆરી-ગણતંત્ર દિવસની થતી ભવ્ય ઉજવણીની તર્જ પર આ વર્ષે પ્રથમવાર એકતાનગર ખાતે પણ સશસ્ત્ર દળ અને વિવિધ રાજ્યો દ્વારા પોતાની વિશેષતાઓ અને સિદ્ધિઓ દર્શાવતા ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં. જેમાં ‘એકત્વ’ની થીમ […]

રાષ્ટ્રીય એકતા દિવસ : નરેન્દ્ર મોદીએ લીધી રાષ્ટ્રીય એકતાની શપથ

એકતા નગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતના એકતા નગર ખાતે નર્મદા નદી પર સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના અવસર પર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પિત કરી અને શ્રદ્ધાંજલિ આપી હતી.  સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિના ઉપક્રમે એકતા નગર ખાતે ભવ્ય પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતની “વૈવિધ્યમાં […]

ચેરીટી કમિશ્નર કચેરીમાં ‘રિફોર્મ’: હવે વહીવટ ઓનલાઇન કરાશે

ગાંધીનગર : કાયદો અને ન્યાય વિભાગના રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ ચેરીટી કમિશ્નર કચેરીના વહીવટમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે તમામ કામગીરી ફરજિયાતપણે ઓનલાઇન કરવાના સ્પષ્ટ આદેશો આપ્યા છે. કચેરીની કાર્યક્ષમતા વધારવા માટે તેમણે હયાત હિસાબનીશ/નિરીક્ષકનું મહેકમ ત્રણ ગણું વધારવા અને આગામી બજેટમાં વાહનની જોગવાઈ કરવા માટે સૂચનાઓ આપી છે. કાયદો અને ન્યાય વિભાગના રાજ્ય મંત્રી […]

વડાપ્રધાન મોદી વડોદરા આવી પહોચ્યા, ખરાબ હવામાનને લીધે રોડ માર્ગે કેવડિયા જવા રવાના

વડોદરા એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાયું, કાલે શુક્રવારે સરદાર પટેલ જ્યંતિના સમારોહમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેશે, કેવડિયામાં 1220 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે વડોદરાઃ કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઊજવણીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 4 વાગ્યે વડોદરા એરપોર્ટ […]

સોમનાથમાં હવે 27મી નવેમ્બરથી 5 દિવસનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાશે

ભાવિકો વ્યાપક હિતમાં કાર્તિક પૂર્ણિમા મેળોની તારીખોમાં ફેરફાર કરવાનો ટ્રસ્ટનો નિર્ણય, પહેલા કાર્તિકી પૂર્ણિમાંનો મેળો 1લી નવેમ્બરથી યોજાવાનો હતો, હવે વરસાદી માહોલને લીધે તા.27 નવેમ્બરથી કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાશે, સોમનાથ: બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના સાનિધ્યમાં વર્ષ 1955થી પ્રતિવર્ષ યોજાતો પરંપરાગત કાર્તિક પૂર્ણિમા લોકમેળો અગાઉ તા.1 થી 5 નવેમ્બર 2025 સુધી નિર્ધારિત કરવામાં આવ્યો […]

અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળી, કપાસ સહિત ખરીફ પાકની ધૂમ આવક

એક જ દિવસમાં મગફળીની 1200 ક્વિન્ટલની આવક, સફેદ અને કાળા તલના પૂરતા ભાવ મળતા ખેડૂતોને રાહત, કપાસનો ભાવ 990 રૂપિયાથી 1,590 રૂપિયા સુધી નોંધાયો, અમરેલીઃ હાલ કમોસમી વરસાદી સીઝન હોવા છતાંયે અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં એક જ દિવસમાં મગફળીની 1200 ક્વિન્ટલની આવક થઈ હતી. અને ખેડૂતોએ સારા ભાવ […]

અંબાજીમાં દિવાળીના 5 દિવસમાં 8 લાખથી વધુ યાત્રિકોએ મા અંબાના દર્શન કર્યા

અંબાજીના ભંડારામાં સવા કરોડ કરતા વધુ આવક થઈ, ત્રણ લાખથી વધુ મોહનથાળ પ્રસાદના પેકેટોનું વિતરણ થયુ, ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને દર્શન માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અંબાજીઃ શક્તિપીઠ ગણાતા યાત્રાધામ અંબાજી દિવાળીના તહેવારો દરમિયાન ભક્તોની શ્રદ્ધા અને ભક્તિથી છલકાયું હતું. મા અંબાના દર્શન કરવા દિવાળીના પાંચ દિવસ દરમિયાન આશરે 8 લાખથી વધુ યાત્રિકો અંબાજી ખાતે […]

થાનગઢમાં રતનપર ગામે કોલસાનું ગેરકાયદે ખનન પકડાયુ, ચાર કૂવા સીલ કરાયા

ચોટિલાના પ્રાંત અધિકારીએ ટીમ સાથે પાડ્યો દરોડો, 26 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, 60 શ્રમિકોને કૂવામાં જોખમી કામ ન કરવા પ્રાંત અધિકારીએ સુચના આપી સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનગઢ તાલુકાના રતનપર ટીંબામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે આકસ્મિક તપાસ કરતા ગેરકાયદેસર કોલસા ખનન પકડાયુ છે. આ દરોડા દરમિયાન કોલસા કાઢવા માટેના ચાર કૂવાઓ સીલ કરવામાં આવ્યા […]

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરીને ભાવફેર આપવા ખેડૂતોની માગ

ભાવફેર આપવામાં આવે તો સરકાર અને ખેડૂતો બન્ને માટે ફાયદારૂપ વિકલ્પ, ભાવનગરના ખેડૂતોએ કૃષિમંત્રીને કરી રજુઆત, રાજ્યમાં 66 લાખ ટનથી વધુ મગફળીના ઉત્પાદન થવાની ધારણા ભાવનગરઃ સરકારે ખેડૂતો પાસેથી મગફળીના ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે. અને તેના માટે ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી હતી. ખેડૂતોને મદદરૂપ થવા સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદે […]

અમદાવાદમાં બે લાખ રિક્ષાની નોંધણી કરીને સ્ટીકર લગાવવા પોલીસ કમિશનરનો આદેશ

પ્રવાસીઓ જોઈ શકે તે રીતે રિક્ષાના આગળ-પાછળ સ્ટીકર લગાવાશે, રિક્ષામાં વૃદ્ધ પ્રવાસીઓ અને મહિલા સાથે લૂંટના બનાવ બનતા નિર્ણય લેવાયો, રિક્ષાની નોંધણીનું કામ 15 દિવસમાં પુરી કરવા સુચના અપાઈ અમદાવાદઃ શહેરમાં રિક્ષાઓમાં પ્રવાસીઓને લૂંટી લેવાના બનાવો બનતા હોવાથી શહેર પોલીસ કમિશનરે શહેરમાં ફરતી તમામ રિક્ષાઓની નોંધણી કરવામાં ફરમાન કર્યું છે, શહેરમાં દોડતી બે લાખ જેટલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code