1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન 20 ફેબ્રુઆરીથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે

ગાંધીનગર, 17 ફેબ્રુઆરી, 2026 – BJP National President Nitin Naveen ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નવીન 20 ફેબ્રુઆરી એ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ માહિતી આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અઘ્યતક્ષના ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસ અંતર્ગત 20, 21 અને 22 ફેબ્રુઆરી દરમિયાન તેઓ […]

સ્માર્ટ ટેકનોલોજીની દુનિયામાં ઉજ્જવળ ભવિષ્ય સાથે ઘૂંટાતું માનવજીવન

માનવ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપનાર વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિન કહ્યું હતું કે માણસ એક સામાજિક પ્રાણી છે. તે પૃથ્વી પરના બીજા સજીવ કરતાં અલગ પડે છે. મનુષ્યને કુદરત તરફથી એવી અનોખી ભેટ મળેલી છે કે તે સ્વતંત્ર રીતે વિચાર કરી શકે, લાગણીઓ વ્યક્ત કરી શકે અને પરિસ્થિતિ અનુસાર પ્રતિક્રિયા આપી શકે છે. આજ માનવલક્ષી ક્ષમતાઓ મનુષ્યને પૃથ્વી […]

ભારતીય વિચારમંચ દ્વારા ભારતની વૈશ્વિક ભૂમિકા વિશે રાષ્ટ્રીય સંમેલન યોજાયું

[અલકેશ પટેલ] અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2026: Bhartiya Vichar Manch પ્રાચીન કાળમાં કોઈપણ વિષય ઉપર ભારતમાં સંશોધન – લેખન થયું ન હોય એવું નથી. વેદોમાં આપેલા જ્ઞાનનો આપણા પૂર્વજોએ યોગ્ય ઉપયોગ કરીને તમામ વિધામાં સચોટ સિદ્ધાંત આપ્યા છે તેમ શહેરમાં આજે આયોજિત એક રાષ્ટ્રીય સેમિનારમાં તમામ વક્તાઓએ ભારપૂર્વક જણાવીને તેને પુરાવા સાથે પ્રતિપાદિત કર્યું હતું. આ […]

વઢવાણમાં ઉનાળાના આગમન પહેલા જ પાણીનો કકળાટ, 6 દિવસે મળતું પાણી

વઢવાણ, 16 ફેબ્રુઆરી 2026: ઉનાળાના આગમન ટાણે જ વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા વકરી છે. સુરેન્દ્રનગર મ્યુનિ,કોર્પોરેશનની નિષ્કાળજીને લીધે લોકોને 6 દિવસથી પાણી મળતુ નથી.હજુ તો ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત પણ થઈ નથી, ત્યાં જ વઢવાણ વિસ્તારમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. છેલ્લા છ દિવસથી વઢવાણના રહેણાંક વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા સ્થાનિક લોકોમાં તંત્ર […]

સુરેન્દ્રનગરમાં શિવરાત્રીએ ભાંગ પીધા બાદ તબીયત લથડતા 5 લોકોને હોસ્પિટલ ખસેડાયા

સુરેન્દ્રનગર, 16 ફેબ્રુઆરી 2026: શહેરમાં મહાશિવરાત્રીના પર્વની નિમિત્તે વિવિધ શિવાલયોમાં શ્રદ્ધાળુઓ માટે ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે કેટલાક લોકોએ ઘરે જ ભાંગ બનાવીને સેવન કર્યુ હતું. ભાંગ પીધા બાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી પાંચ જેટલા લોકોની તબિયત અચાનક લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. અને ત્વરિત સારવાર શરૂ કરતા તમામનો નશો ઉતરી ગયો […]

કીર્તિ પટેલે સાધુઓની વચ્ચે ઘૂસીને મૃગીકુંડમાં ડુબકી લગાવી, સાધુ-સંતોની નારાજગી

જૂનાગઢ, 16 ફેબ્રુઆરી 2026: સોશિયલ મીડિયા પર અવનવી પોસ્ટ વાયરલ કરીને કાયમ વિવાદોમાં રહેતી અને જેલવાસ ભોગવી ચૂકેલી કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરીને જુનાગઢ આવીને સાધુઓમાં ઘૂંસીને મૃગી કુંડમાં ડુબકી લગાવી હતી. અને તેનો સોશિયલ મીડિયામાં વિડિયો પણ વાયરલ થયો છે. જોકે કીર્તિ પટેલની આ હરકતથી સાધુ-સંતોમાં નારાજગી જોવા […]

ભૂજ નજીક પૂર ઝડપે બે બાઈક સામસામે અથડાતા ત્રણના મોત, મહિલાને ગંભીર ઈજા

ભૂજ, 16 ફેબ્રુઆરી 2026: તાલુકાના ધ્રગ-લોડાઈ રોડ પર પૂરફાટ ઝડપે બે બાઈક સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માતના બનાવની જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલીને વધુ […]

ઉનાળાના આગમન ટાણે જ તાપમાનમાં થયો વધારો, બે દિવસ બાદ ગરમી વધશે

અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2026: શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનની ઘડીઓ ગણાય રહી છે. ત્યારે તાપમાનમાં પણ ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. જોકે હાલ સવારે ગુલાબી ઠંડી અને બપોરના ટાણે ગરમી તેમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ  આગામી 4 દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી […]

થરા નેશનલ હાઈવે પર પોમોલિન તેલ ભરેલા ટેન્કરે પલટી ખાતાં તેલની રેલમછેલ

પાલનપુર, 16 ફેબ્રુઆરી 2026: જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ થરા હાઈવે પર સર્જાયો હતો. કાંકરેજ તાલુકાના ડુંગરાસણ સ્ટેશન નજીક શિહોરી-થરા નેશનલ હાઈવે પર તેલ ભરેલું એક ટ્રેલર પલટી ગયું હતું. આ અકસ્માતમાં પામોલિન તેલના ડબ્બા અને પાઉચ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા અને મોટા પ્રમાણમાં પોમોલિન તેલ […]

પાલનપુરમાં સિટી બસ સેવાનો પ્રારંભ, બોર્ડના પરીક્ષાર્થીઓ મફત મુસાફરી કરી શકશે

પાલનપુર, 16 ફેબ્રુઆરી 2026: શહેરમાં મહા શિવરાત્રીના દિનથી સિટી બસ સેવાનો પ્રારંભ કરાયો છે. સિટી બસ સેવાથી હવે લોકો શહેરમાં ગમે તે સ્થળે જવા માટે બસ સેવાનો ઉપયોગ કરી શકશે. સિટીબસના પ્રારંભે  એક સપ્તાહ માટે બહેનો માટે તેમજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન છાત્રો વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. રવિવારે ચાર બસો દોડાવવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code