1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વાવ-થરાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિન દબદબાભેર ઊજવાયો

વાવ-થરાદ, 26 જાન્યુઆરી 2026:  રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વેની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કર્યું હતું. તેમજ પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝીલી હતી. રાજ્યકક્ષાની ઊજવણી અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ દળ દ્વારા વિવિધ નિદર્શનો […]

ગુજરાતમાં નગરપાલિકાઓને વિકાસ માટે મફતમાં સરકારી જમીન ફાળવાશેઃ મુખ્યમંત્રી

ગાંધીનગર, 26 જાન્યુઆરી 2026: શહેરી વિસ્તારોમાં વહીવટ વધુ પારદર્શક બને અને નાગરિકોને પાયાની સુવિધાઓ સમયસર મળી રહે તે માટે નગરપાલિકાઓને વિકાસકામો માટે હવે 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ વિકસાવવા માટે  વિના મૂલ્યે સરળતાએ જમીન ફાળવવામાં આવશે. વિકાસ કામો માટે અગાઉ સરકારી જમીન મેળવવા બજાર કિંમત અથવા જંત્રી દરના 25થી 50 ટકા સુધીની ભરવી પડતી  રકમમાંથી […]

ગુજરાતના ટેબ્લોએ 77-મા પ્રજાસત્તાક પર્વમાં કર્તવ્ય પથ પર આકર્ષણ જમાવ્યું

નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી, 2026: પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયીતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ” ! ‘વંદે માતરમ’ ગીતની 150-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહ્યો હતો. […]

હાજી રમકડું, ધાર્મિક પંડ્યા, અરવિંદ વૈદ અને રતિલાલ બોરીસાગર સહિત 5 ગુજરાતીને પદ્મશ્રી

અમદાવાદ, 25 જાન્યુઆરી 2026:  દેશમાં 77 માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આજે કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી  ગુજરાતમાં કલા, સમાજસેવા, શિક્ષણ, અને ચિકિત્સા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપનારા 5 ને પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ચિકિત્સા ક્ષેત્રે અંગદાનની પ્રવૃતિના પ્રણેતા એવા સુરતના નિલેશ માંડલેવાલા તથા  ઢોલકના કારણે હાજી રમકડુંના […]

લોકશાહીની ભાવનાને ઉજાગર કરવા યુવાનો ચૂંટણીમાં સહભાગી થઈ પ્રેરણારૂપ બનેઃ રાજ્યપાલ

ગાંધીનગર, 25 જાન્યુઆરી 2026:  16માં રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતના ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા એટલે કે, 25મી જાન્યુઆરી ,1950ના દિવસે ભારતના ચૂંટણી પંચની રચના થઇ તે તારીખથી ચૂંટણીની આ વ્યવસ્થિત પ્રક્રિયાનો પ્રારંભ થયો અને આજે ભારત વિશ્વમાં સૌથી મોટું લોકશાહી તંત્ર છે. તેમા ચૂંટણી પ્રક્રિયામાં […]

મહેસાણા પંથકના ખેડૂતોએ તમાકૂ પરના તોતિંગ ટેક્સ સામે કર્યો વિરોધ

મહેસાણા, 25 જાન્યુઆરી 2026:  કેન્દ્ર સરકારે તમાકુ અને તમાકુની બનાવટો પર તોતિંગ ટેક્સ લાદ્યો છે. તેના કારણે તમાકુ ઉત્પાદક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ઊંઝાના ઉનાવામાં તમાકુ પકવતા ખેડૂતો અને વેપારીઓ સરકારની નીતિ સામે મેદાનમાં આવ્યા છે. સરકાર દ્વારા બિન ઉત્પાદિત તમાકુ પર જે રીતે ટેક્સનું ભારણ વધારવાની તૈયારી કરાઈ છે, તેના કારણે વેપારીઓ અને […]

અમદાવાદના રખિયાલમાં રિનોવેશનના બહાને ઉર્દુ શાળા 5 વર્ષથી બંધ

અમદાવાદ, 25 જાન્યુઆરી 2026:  શહેરમાં રખિયાલ વિસ્તારમાં આવેલી ઉર્દુ શાળાને છેલ્લા 5 વર્ષથી મરામત કરવાને બહાને બંધ કરવામાં આવી છે, અને સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે બાળકોને બેથી ત્રણ રોડ ક્રોસ કરીને બીજી સ્કૂલમાં જવું પડે છે. આથી રખિયાલ અને બાપુનગરના વાલી મંડળોએ માંગણી કરી કે, રીપેરીંગ કરીને ફટાફટ સ્કૂલ ચાલુ […]

અમરેલીમાં ધાર્મિક વિધિના બહાને લોકોને છેતરતી લૂંટારૂ ગેન્ગ પકડાઈ

અમરેલી, 25 જાન્યુઆરી 2026:  લોકોને અવનવી તરકીબો અપનાવીને છેતરપિંડીના બનાવો બની રહ્યા છે. ત્યારે ધાર્મિક વિધિ કરવાના બહાને લોકોનો વિશ્વાસ જીતી, સોનાના દાગીના અને રોકડની છેતરપિંડી કરતી રાજકોટની એક રીઢા ગુનેગારોની ગેંગને અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ ઝડપી પાડી છે. પોલીસે આ ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરીને પૂછતાછ કરતા અમરેલી, રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લામાં […]

જુનાગઢમાં મુખ્યમંત્રીના હસ્તે નરસિંહ મહેતા સરોવરનો 28મીએ લોકાર્પણ કરાશે

જુનાગઢ, 25 જાન્યુઆરી 2026:  શહેરના ઐતિહાસિક મહત્વ ધરાવતા નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આગામી 28 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી આ કામગીરી બાદ હવે સરોવર નવા આકર્ષણો સાથે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે તૈયાર કરાયુ છે. નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ […]

ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર દ્વારા મંગળવારે વહેલી પરોઢે 3 વાગ્યે સંમેલન યોજાશે

ગાંધીનગર, 25 જાન્યુઆરી 2026: ગાંઘીનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના નેતૃત્વવાળી ઠાકોરસેના દ્વારા આગામી તા,27મી ને મંગળવારે સવારે ત્રણ વાગ્યે ગાંધીનગરના રામકથા મેદાનમાં અભ્યુદય નામે સંમેલન યોજાશે, આ સંમેલન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સંમેલન વહેલી સવારે 3 વાગ્યે યોજાનાર હોવાથી સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે કુતૂહલ અને ચર્ચાઓ જાગી છે.  ગુજરાતમાં સ્થાનિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code