1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

કોમનવેલ્થ માટે અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવવા 1278 કરોડની ફાળવણી

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી 2026: અમદાવાદના આંગણે વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ રમાવવાની છે, અને તેની આગોતરી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે વિધાનસભામાં રજુ કરેલા વર્ષ 2026-27ના બજેટમાં અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે રૂપિયા 1278 કરોડની ફાળવણી કરી છે.  ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે આજે નાણામંત્રી કનુ દેસાઈએ […]

ગુજરાતમાં ઐદ્યોગિક વિકાસને વેગ આપવા માટે નાણા મંત્રીએ કઈ જાહેરાત કરી.. જાણો

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી 2026: ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે વર્ષ 2026-27નું અંદાજપત્ર રજુ કર્યું હતું, ઐદ્યોગિક દ્રષ્ટિએ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન ગણાય છે. ત્યારે ઉદ્યોગોને પ્રાત્સાહન આપવા માટે નાણા મંત્રીએ બજેટમાં ખાસ જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા 2026-27 બજેટમાં મુખ્યત્વે ભાવિ ટેકનોલોજી, રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને […]

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ક્યા વિભાગ માટે કેટલા રૂપિયા ફાળવ્યા..જાણો

ગાંધીનગર,18 ફેબ્રુઆરી 2026:  ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27નું અંદાજપત્ર રજુ કર્યુ હતું. જેમાં વિવિધ સરકારી વિભાગો માટે નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. જે આ મુજબ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹૭૦૮૬ કરોડની જોગવાઇ, ગૃહ વિભાગ માટે કુલ ₹૧૪૨૬૫ કરોડની જોગવાઇ, કાયદા વિભાગ માટે કુલ ₹૨૭૦૨ કરોડની જોગવાઇ, માહિતી અને […]

ગુજરાતમાં VB-G RAM G યોજનામાં 125 દિવસ રોજગારી આપવા 1500 કરોડ ખર્ચાશે

26-27ના બજેટમાં કરાયેલી ખાસ જાહેરાત શ્રમિક અન્નપૂર્ણા કેન્‍દ્રમાં વધારો કરતાં નવા ૧૨૧ કેન્‍દ્ર કાર્યરત કરવામાં આવશે, ધન્‍વંતરિ આરોગ્ય રથની સંખ્યામાં વધારો કરી વધુ નવા 50 રથ શરૂ કરાશે, સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે વિદ્યાર્થીઓ માટે ₹૫૯૬૭ કરોડની જોગવાઇ, ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે.  ગાંધીનગર, 18 […]

ગુજરાત વિધાનસભામાં બજેટ રજુ થયા તે પહેલા જ કોંગેસ દ્વારા ગૃહની બહાર વિરોધ કરાયો

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી 2026:  ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો 16મી ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે. બજેટ સત્રના આજે ત્રીજા દિવસે પ્રશ્નોત્તરી બાદ ગૃહમાં 2026-27ના વર્ષનું અંદાજપત્ર નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ રજુ કર્યું હતું.  આજે ગૃહના કાર્યારંભ પહેલા જ  કોંગ્રેસ અને આપના ધારાસભ્યોએ વિધાનસભા બહાર વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ બેનરો સાથે પ્લે કાર્ડ પ્રદર્શિત કરીને વિરોધ નોંધાવ્યો હતો. […]

થરાદના પિલુડા નજીક દારૂ ભરેલી કાર પૂર ઝડપે ઝાડ સાથે અથડાતા બેનાં મોત

થરાદ,18 ફેબ્રુઆરી 2026: વાવ-થરાદ જિલ્લામાં પિલુડા અને કરબૂણ ગામ વચ્ચે રોડ પર દારૂ ભરેલી ક્રેટાકાર પૂરઝડપે બાવળ સાથે ધડાકાભેર અથડાતાં કારમાં સવાર બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. આ બનાવથી આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ અકસ્માતના બનાવની […]

ગુજરાતનું અંદાજપત્ર રજૂ કરવા માટે જે પોથી પસંદ કરવામાં આવી તેનું વિશેષ મહત્ત્વ, જાણો એ શું છે?

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી, 2026 –  નાણા‌ મંત્રી કનુભાઈ દેસાઈએ ‘ગુજરાત અંદાજપત્ર :૨૦૨૬-૨૭’ માટે આદિવાસીઓના દેવી ‘કંસરી દેવી’ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરી છે. કંસરી દેવી- આદિવાસીઓના દેવી છે જ્યારે પણ કોઈના ઘરમાં લગ્ન થાય, ખેતરમાંથી નવું ધાન નીકળે, કે કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસરી દેવીની સ્થાપના કરવામાં આવે છે, પૂજા […]

પંચમહાલના કેટલાક વિસ્તારમાં પડ્યુ માવઠું, અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ

અમદાવાદ,18 ફેબ્રુઆરી 2026: ગુજરાતમાં શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે. અને ઉનાળાનું આગમન થઈ રહ્યું છે. ત્યારે કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવતા પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે મહીસાગર, બનાસકાંઠા સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાતાવરણ વાદળછાંયુ જોવા મળ્યું […]

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર રજૂ કરશે

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી, 2026 – ગુજરાતની વર્ષ 2026-2027નું અંદાજપત્ર આજે રાજ્ય વિધાનસભામાં રજૂ થશે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ આજે તા.૧૮મી ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભામાં રાજય સરકારનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર રજૂ કરનાર છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સવારે ૧૧.૦૦ કલાકે વિધાનસભામાં આ બજેટ રજૂ કરશે.   આ સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે…

ધારી તાલુકાના ગોવિંદપુરા ગામે મહિલાનો શિકાર કર્યા બાદ સિંહણ પાંજરે પૂરાઈ

અમરેલી, 17 ફેબ્રુઆરી 2026:  ગીરના જંગલમાંથી સ્થળાંતર થઈને અમરેલી જિલ્લામાં વનરાજોનો વસવાટ વધી રહ્યો છે. આમ તો સિંહ ક્યારેક જ વ્યક્તિ પર હુમલો કરતો હોય છે. પણ તાજેતરમાં ધારી તાલુકાના ગોવિંદપુર ગામે વાડી વિસ્તારમાં એક સિંહણે આંબાના બગીચામાં કામ કરી રહેલી મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાનું મોત નીપજતા સમગ્ર પંથકમાં ફફડાટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code