1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

જામનગરમાં 27 દર્દીઓને કોલેરાના શંકાસ્પદ કેસથી હોસ્પિટલમાં ખસેડાયા

જામનગર, 9 ફેબ્રુઆરી 2026:  શહેરના ધરારનગર વિસ્તારમાં કોલેરાના 27 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઈ હતી. અને એક સાથે 27 દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરીને બ્લડ-યુરિનના સેમ્પલ લઈને દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.  બીજી તરફ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણીના નમૂના લેવા સહિતની આનુસંગિક કામગીરી કરવામાં આવી રહી છે.  જામનગર શહેરની […]

AMC દ્વારા 25 વર્ષથી વધુ જુના 6 રેલવે બ્રિજની 62 કરોડના ખર્ચે મરામત કરાશે

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026:  શહેરમાં 25 વર્ષ કે તેથી વધુ જુના 6 જેટલા રેલવે બ્રિજને 62 કરોડના ખર્ચે મરામત કરવાનો મ્યુનિ. કોર્પોરેશને નિર્ણય લીધો છે. જે ઓવરબ્રિજની મરામત કરવામાં આવશે જેમાં ગિરધનગર રેલ્વે ઓવરબ્રિજ, ચામુંડા રેલ્વે ઓવરબ્રિજ, કેડીલા રેલ્વે ઓવરબ્રિજ, ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ, નાથાલાલ ઝગડા રેલવે ઓવરબ્રીજ અને ચાંદલોડીયા રેલવે ઓવરબ્રિજનો સમાવેશ થાય છે. […]

શિવરાત્રિના મેળાને લીધે ગિરનાર રોપ-વેના ટિકિટ દરમાં રૂપિયા 69નો ઘટાડો

જુનાગઢ, 9 ફેબ્રુઆરી 2026:  શહેરમાં ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથમાં દર વર્ષે શિવરાત્રિનો મહામેળો યોજાઈ છે. આ વખતે 5 દિવસીય મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ તા.11મી ફેબ્રુઆરીને બુધવારથી થશે. આ મહામેળા માટે તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ ગિરનારની ટુક પર રોપવેમાં જઈ શકે તે માટે રોપ-વેના સંચાલકોએ ટિકિટના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જુનાગઢમાં […]

NEET UG 2026: મેડિકલ-પેરા મેડિકલમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટેશનની વિન્ડો ખૂલી

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026:  મેડિકલ અને પેરા મેડિકલના સ્નાતકના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) આપવી ફરજિયાત છે. દેશભરની સરકારી અને ખાનગી મેડિકલ અને પેરા મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે નીટ યુજીની ઓનલાઈન રજિસ્ટ્રેશન વિન્ડો પણ ખૂલી ગઈ છે. મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે આગામી 8 માર્ચ સુધીમાં અરજી પ્રક્રિયા પૂર્ણ […]

ભવનેશ્વર ઝૂ દ્વારા સુરતને ભેટમાં મળેલા ત્રણ વાઘ સરથાણા નેચર પાર્કમાં લવાયા

સુરત, 9 ફેબ્રુઆરી 2026: ઓરિસ્સાના ભૂવનેશ્વર પ્રાણી સંગ્રહાલય દ્વારા સુરત મ્યુનિને એક નર અને બે માદા એમ ત્રણ વાઘની ભેટ અપાતા ત્રણેય વાઘને સુરતના સરથાણા નેચર પાર્ક લાવવામાં આવ્યા છે. ત્રણેય વાઘને 45 દિવસ ક્વોરન્ટાઈનમાં રખાશે. ત્યારબાદ શહેરીજનો સરથાણા નેચર પાર્કમાં વાઘનો નજારો માણી શકશે. સુરત મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત સરથાણા નેચર પાર્કમાં 3 વાઘનું આગમન થતાં […]

અમદાવાદના સાઉથ બોપલમાં પાર્ક કરેલી કારના કાચ તોડી બે લાખની ચોરી

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026:  શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં સફલ પરિસર રોડ પર આવેલા સાનવી સ્ટેરા ફ્લોરા બિલ્ડિંગ નજીક પાર્ક કરેલી કારના વિન્ડો કાચ તોડીને બે શખશો રૂપિયા બે લાખની રોકડ ભરેલી બેગ લઈને બાઈક પર ફરાર થઈ ગયા હતા. પ્રિન્સ નામના વેપારી પરત ફર્યા ત્યારે તેમની કારના કાચ તૂટેલા હતા. અને બે લાખ રોકડ ભરેલી […]

ગુજરાતમાં બાળકો ખરીદીને વેચવાનું રેકેટ, મહિલા સહિત 4 શખસોની ધરપકડ

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026:  ગુજરાતમાં ગરીબ પરિવારો પાસેથી ત્રણથી ચાર લાખમાં બાળકો ખરીદીને અન્ય રાજ્યોમાં વેચવાના કૌભાંડનો પડદાફાશ કરીને ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને પકડ્યા બાદ મુખ્ય સૂત્રધારને પણ દબોચી લેવાયો છે. પોલીસે આરોપીઓને રિમાન્ડ પર મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે બાળ તસ્કરી ગેન્ગને પકડીને પૂછતાછ કરતા એવી હકિકત જાણવા […]

અમદાવાદમાં મેવેન્જર્સે ધૂમ મચાવી: NIMCJ દ્વારા આયોજિત મીડિયોત્સવ ૨૦૨૬ રંગેચંગે સંપન્ન

400થી વધુ મીડિયા એવેન્જર્સે પ્રખર પ્રતિભાની ઝલક બતાવી અમદાવાદ, 9 ફેબ્રુઆરી, 2026 – Media Festival 2026 નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ(NIMCJ) દ્વારા મીડિયોત્સવની ત્રીજી સીઝનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત શનિવારે ગુજરાત યુનિવર્સિટીના ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે મીડિયોત્સવ -૨૦૨૬ યોજાયો હતો. રાજ્યભરની કોલેજ અને શાળાઓના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો […]

વિશેષ લેખઃ સનાતન ધર્મનું નૈતિક માળખું, એપ્સટીન જેવાં કૌભાંડ અને નૈતિક પતન સામેનો રામબાણ ઈલાજ

(એપસ્ટિન ફાઈલ વિશે હાલ લગભગ બધા જાણે છે. તેના દ્વારા જે કૌભાંડ જાહેર થયું છે તેમાં દુનિયાના અનેક રાજકારણી, ઉદ્યોગપતિઓ, ફિલ્મી કલાકારો તથા અન્ય સેલિબ્રિટી સંડોવાયેલા છે. માનવતાને લાંછન લગાવે તેવું આ કૌભાંડ કેમ થયું અને આવું ન થાય તે માટે સનાતન સભ્યતામાં શું ઉપાય જણાવવામાં આવ્યા છે તે વિશે સુરતના અગ્રણી ડૉ. ગોપાલભાઈ ગોસ્વામી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code