1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સુરતમાં સિટી બસને એવરટેક કરવા જતા બાઈકનો અકસ્માત, બાઈકચાલકનું મોત

સુરત, 28 જાન્યુઆરી 2026:  શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ડિંડોલી-ઉધના બ્રિજ પર સિટીબસ અને બાઈક વચ્ચે સર્જાયો હતો. સિટીબસને ઓવરટેક કરવા જતા બાઈકચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સિટી બસના પાછળના વ્હીલ સાથે અથડાયુ હતું. જેમાં બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં બાઈકચાલક યુવકે પોલીસના દંડથી બચવા માટે […]

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરકાયદે રહેતા રહિશો સામે કડક કાર્યવાહી કરાશે

અમદાવાદ, 28 જાન્યુઆરી 2026: શહેરમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મકાનો ફાળવવામાં આવ્યા છે. આવાસ યોજનામાં એલોટ થયેલા મકાનો મળ્યા બાદ કેટલાક લોકોએ મકાનો ભાડે આપી દીધા હોવાની ફરિયાદો ઊઠી છે. કેટલાક લોકોએ મકાનો બારોબાર વેચી પણ દીધા છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આવાસ યોજનામાં તપાસ ઝૂંબેશ શરૂ કરવામાં આવી […]

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નવા નિયમો સામે સવર્ણ સમાજનો વિરોધ

વડોદરા, 28 જાન્યુઆરી 2026:   યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો સામે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. યુપી, નવી દિલ્હી સહિતના રાજ્યોમાં સવર્ણોના વિવિધ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ યુજીસીના નવા નિયમો સામે વિરોધ ઊભો થયો છે. સુરત અને રાજકોટમાં બ્રહ્મ સમાજે આવેદન આપીને યુજીસીના નવા નિયમોના અમલીકરણ સામે આકરી ચીમકી ઉચ્ચારી […]

અમદાવાદમાં શાહીબાગ અન્ડરબ્રિજ વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરાયો

અમદાવાદ,28 જાન્યુઆરી 2026:  શહેરમાં શાહીબાગ અન્ડરબ્રિજ બુલેટ ટ્રેનની કામગીરીને લીધે છેલ્લા 5 દિવનસથી બંધ કરાયો હતો. બીજીબાજુ સુભાષબ્રિજ પણ બંધ કરાયો હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા. ત્યારે બુલેટ ટ્રેનની કામગીરી પૂર્ણ થતાં શાહીબાગ અન્ડરબ્રિજ વાહન-વ્યવહાર માટે ખૂલ્લો મુકાયો છે. તેથી એરપોર્ટ, શાહીબાગ અને સિવિલ હોસ્પિટલ તરફ જતા વાહનચાલકોને રાહત થઈ છે.  શહેરમાં શાહીબાગ […]

સાબરમતી જેલ ખાતે ‘વિકાસદીપ’ યોજના અંતર્ગત કેદીઓના તેજસ્વી સંતાનોનું બહુમાન કરાયું

અમદાવાદ,28 જાન્યુઆરી 2026:  શહેરમાં સાબરમતી મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા બંદીવાનોના સંતાનો સમાજમાં ગૌરવભેર આગળ વધે અને સરકારી સેવાઓમાં જોડાય તેવા ઉમદા આશય સાથે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં અમલી કરાયેલી ‘વિકાસદીપ’ યોજના અંતર્ગત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના અધ્યક્ષસ્થાને વિવિધ સ્પર્ધાત્મક […]

ગુજરાતના તત્કાલિન CM બળવંતરાય મહેતા અને વિજય રૂપાણીનું પણ પ્લેનક્રેશમાં થયું હતું નિધન

અમદાવાદ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેનક્રેશથી મૃત્યુ થતા રાજકીય આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતે પણ પ્લેન ક્રેશમાં એક સીએમ અને પૂર્વ સીએમ ગુમાવ્યાં છે. સાત મહિના પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેનક્રેશમાં મૃત્યુ થયું હતું. જ્યારે 1965માં ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું પ્લેનક્રેશ દૂર્ઘટનામાં મૃત્યુ થયું હતું. […]

જીસીસીઆઈમાં ગુજરાતની રિન્યુએબલ એનર્જી પૉલિસી વિષય પર સેમિનાર યોજાયો

અમદાવાદ, 27 જાન્યુઆરી, 2026- Gujarat’s Renewable Energy Policy ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ગુજરાત ફેડરેશન ઑફ સોલાર ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી “Understanding Gujarat’s Renewable Energy Policies 2025: Renewables, Pumped Storage and Green Hydrogen” વિષય પર એક માહિતગાર સેમિનાર યોજાયો હતો. આ આયોજન શનિવારે જીસીસીઆઈના કે.એલ. હૉલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સત્રમાં ઉદ્યોગ આગેવાનો, MSME […]

‘નમો લક્ષ્મી યોજના’ અંતર્ગત 12 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને રૂ.1.250 કરોડની સહાય અપાશે

ગાંધીનગર,27 જાન્યુઆરી 2026: ‘સૌ ભણે ગણે અને આગળ વધે’ તેવા ઉમદા હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો આજે દેશભરમાં પ્રેરક અનુકરણીય બની રહ્યા છે. જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય […]

ગુજરાત સરકાર રવિ સીઝનમાં ખેડૂતો પાસેથી રૂપિયા 2585 પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉં ખરીદશે

ગાંધીનગર,27 જાન્યુઆરી 2026:  કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. ૨,૫૮૫ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે દર વર્ષની જેમ લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં લઘુત્તમ ટેકાના […]

આતંકી સંગઠન સાથે સંકળાયેલા શખસને ATSએ નવસારીથી દબોચી લીધો

અમદાવાદ, 27 જાન્યુઆરી 2026:  ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્વોર્ડ (એટીએસ) રવિવારે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ છે, જે મૂળ ઉત્તરપ્રદેશના રામપુરનો વતની છે અને હાલ નવસારીમાં રહેતો હતો. ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો. ઓનલાઈન માધ્યમો અને અન્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code