ગુજરાતના કલાસર્જકો અમદાવાદની પોળોને વોટર કલરના માધ્યમથી સપ્તરંગી રંગોમાં સર્જન કરશે
અમદાવાદઃ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ 2023 અંતર્ગત એલિકઝર ફાઉન્ડેશન અને કલા પ્રતિષ્ઠાન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ હેરિટેજ એવી અમદાવાદની પોળો પર વોટરકલર સ્પર્ધા યોજાશે. આ અંતર્ગત ગુજરાતભરના 100થી વધુ ચિત્રકારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આગામી તા.13મી ઓગસ્ટને રવિવારે વોટરકલર લાઈવ કોન્ટેસ્ટનું આયોજન કરાશે. જેમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી શરૂ થતા હેરિટેજ વોક પર આવતી તમામ ઐતિહાસિક પોળો પર […]