1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભિલોડાના ભાણમેર ગામે નિવૃત PSI અને તેના પૂત્રએ ફાયરિંગ કરતા બાળકી સહિત 3 ઘવાયા

વરઘોડામાંથી પરત આવ્યા બાદ ક્રયુ ફાયરિંગ એકાએક 5 રાઉન્ડ ફાયરિંગથી લોકોમાં નાસભાગ મચી ગઈ જુની અદાવતને લીધે બન્યો બનાવ ભિલોડાઃ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભાણમેર ગામમાં જુની અદાવતને લીધે વરઘોડા દરમિયાન નિવૃત્ત પીએસઆઇ કનૈયાલાલ બરંડા અને તેમના પુત્ર વૈભવે સર્વિસ રિવોલ્વરથી 5-6 રાઉન્ડ ફાયરિંગ કરતા નાસભાગ મચી ગઈ હતી. ફાયરિંગમાં એક બાળકી સહિત ત્રણ લોકોને […]

રાજકોટમાં માવઠા બાદ મ્યુનિ.તંત્ર જાગ્યુ, પ્રિ-મોન્સુનની કામગીરી ત્વરિત હાથ ધરી

શહેરમાં જર્જરિત બનેલી 3334 મિલકતોનું મ્યુનિ,ઓ લિસ્ટ તૈયાર કરાયું જર્જરિત મિલકતના માલિકોને નોટિસ અપાશે વરસાદી પાણીના ત્વરિત નિકાલ માટેની કામગીરી હાથ ધરાશે રાજકોટઃ રાજ્યમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો હતો. અને રાજકોટ શહેરમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. આથી રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મ્યુનિ. દ્વારા શહેરમાં વરસાદથી ભયગ્રસ્ત બની […]

વડોદરા મ્યુનિના ભાજપના કોર્પોરેટર આશિષ જોશીને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયા

અગાઉ મ્યુનિ.કમિશનર સાથે ગેરવર્તન કર્યું હતુ સોશ્યલ મિડિયામાં ભાજપની આબરૂ કાઢતા નિવેદનો કર્યા હતા અગાઉ પણ લેખિત-મૌખિક સુચના આપવામાં આવી હતી વડોદરાઃ ભાજપના કેટલાક નેતાઓમાં આંતરિક વિખવાદ ક્યારેક ઊભરીને બહાર આવતો હોય છે. ત્યારે વડાદરા શહેરના ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ પક્ષની લેખિત અને મૌખિક સુચના છતાંયે શિસ્તમાં ન રહેતા તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાછે. શહેરના […]

પાક.ના સંભવિત હુમલા સામે ગુજરાતમાં એલર્ટ, અમદાવાદથી વિદેશ જતી 6 ફ્લાઈટ રદ કરાઈ

અમદાવાદમાં મોડી રાત સુધી ધમધમતા ફૂડકોર્ટ વહેલા બંધ કરાવાયા એરપોર્ટ પર પ્રવાસીઓના લગેજની બેવાર તપાસ કરવાની સૂચના અમદાવાદથી ભૂજ જતી નમો ભારત રેપિડ ટ્રેનને આદિપુરમાં જ રોકી દેવાઈ, અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા સરહદી રાજ્ય ગુજરાતમાં એલર્ટ અપાયુ છે. ત્યારે અમદાવાદથી વિદેશ જતી અડધો ડઝન જેટલી ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. […]

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સરહદી રાજ્ય તરીકે તૈયારીઓ અને સરહદ પર તણાવની વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરી અને નાગરિકોની સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શિકા આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારી સાથે ટેલિફોન પર વાત કરી હતી અને […]

ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદની આગાહી પણ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો થશે વધારો

રાજ્યમાં રવિવાર સુધી કમોસમી વરસાદ પડી શકે છે શનિવારથી તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની શક્યતા આકાશમાં વાદળો વિખરાતા ગરમીમાં વધારો થશે અમદાવાદઃ રાજ્યના હવામાન વિભાગે આગામી 11મી મે, રવિવાર સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે, ત્યારે આકાશમાં વાદળો વિખરાતા હવે તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો થતાં લોકોએ રાહત […]

પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિમાં ઘણા લોકોએ ફરવા જવા માટેના બુકિંગ કેન્સલ કરાવ્યા

અમરનાથ યાત્રાના સૌથી વધુ બુકિંગ કેન્સલ થયા કૂલુ-મનાલી અને સિમલા જવાના પ્રવાસ પણ કેટલાક લોકોએ રદ કર્યા ટૂર ઓપરેટરો મુશ્કેલીમાં મુકાયા અમદાવાદઃ ગુજરાતમાં શાળા-કોલેજોમાં ઉવાળું વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. ઉનાળાના વેકેશનમાં ઘણાબધા ગુજરાતી પરિવારો હીલ સ્ટેશન ફરવા માટે જતા હોય અગાઉથી ટૂર-ટ્રાવેલ્સ માટેના બુકિંગ પણ કરાવી દીધા હતા. તેમજ અનેક ગુજરાતી પરિવારોએ અમરનાથ યાત્રાએ […]

યુદ્ધની સ્થિતિમાં ગુજરાતના સરહદી જિલ્લામાં વધુ તકેદારી રાખવા મુખ્યમંત્રી આપી સુચના

રાજ્યના આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી ગૃહરાજ્ય મંત્રીએ સરહદી જિલ્લાના કલેકટરો અને જિલ્લા પોલીસ વડા સાથે ટેલિફોનિક વાત કરી, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઈમરજન્સી બેઠર બોલાવી સ્થિતિની સમીક્ષા કરી ગાંધીનગરઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની યુદ્ધની સ્થિતિને લીધે ગુજરાત એલર્ટ મોડમાં છે. ત્યારે ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુચનાથી સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક મળી હતી. […]

10મી મેના રોજ ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ મનાવાશે

છેલ્લા બે વર્ષમાં ‘રામસર સાઈટ’ વિસ્તારમાં 14.20 લાખથી વધુ યાયાવર પક્ષીઓ મુકામ કર્યો, ગત વર્ષે નળસરોવરમાં 6.91 લાખથી વધુ યાયાવર પક્ષીઓ મુલાકાત લીધી રાજ્યના પક્ષી અભયારણ્યોમાં યાયાવર પક્ષીઓમાં થયો નોંધપાત્ર વધારો ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે 10 મેના રોજ ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ તરીકે ઊજવવામાં આવે છે, જેની થીમ આ વર્ષે ‘પક્ષી-મૈત્રીપૂર્ણ શહેરો અને […]

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે IPL અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શુક્રવારે એક મોટો નિર્ણય લીધો છે. તણાવને ધ્યાનમાં રાખીને, BCCI એ IPL 2025 સીઝનને અચોક્કસ મુદત માટે મુલતવી રાખી છે. અગાઉ, IPL ચેરમેન અરુણ ધુમલે ગુરુવારે રાત્રે કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં IPLની 18મી સીઝન ચાલુ રહેશે, પરંતુ હવે બોર્ડે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code