1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ચેન્નાઈમાં એક જ પરિવારના ચાર સભ્યોની લાશ ઘરમાં મળી, પોલીસ તંત્ર દોડતું થયું

બેંગ્લોરઃ ચેન્નાઈમાં ડોકટર દંપતિ અને તેમના સંતાનોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ પરિવારે સામુહિત આત્મહત્યા કરવાનું પોલીસ માની રહી છે. પોલીસે ચારેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચેન્નાઈમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યા હતા. મૃતકોમાં બે કિશોરોનો પણ […]

મુંબઈમાં બે બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાયાં, બે વર્ષથી ભારતમાં રહેતા હતા

પૂણેઃ મુંબઈની ઓશિવારા પોલીસે બે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે, જેઓ છેલ્લા બે વર્ષથી મુંબઈમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. પોલીસને શંકા જતાં, તેમના મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા અને પૂછપરછ દરમિયાન, બંનેએ બાંગ્લાદેશી નાગરિક હોવાની કબૂલાત કરી હતી. પૂછપરછ દરમિયાન, તેણે દાવો કર્યો કે તે પોતાનું દેવું ચૂકવવા માટે મજૂર તરીકે કામ કરતો હતો. […]

સ્વદેશી અસ્ત્ર મુસાઈલનું સફળ પરિક્ષણ, 100 કિમી દૂર હવામાં હુમલો કરનારા લક્ષ્યનો નાશ કરાયો

નવી દિલ્હીઃ ભારતના સ્વદેશી રીતે નિર્મિત હળવા લડાયક વિમાન તેજસે બુધવારે હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ ‘અસ્ત્ર’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ પરીક્ષણ પડોશી દેશો ચીન અને પાકિસ્તાન માટે તણાવનું કારણ બની શકે છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર કિનારે કરવામાં આવ્યું હતું. મંત્રાલયે કહ્યું, ‘આ પરીક્ષણમાં, મિસાઇલે હવામાં ઉડતા લક્ષ્યને સીધું […]

શિયાળુ રમતો માટે ગુલમર્ગને સેન્ટર ઓફ એક્સલન્સમાં પરિવર્તિત કરશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં શિયાળુ રમત-ગમતને વેગ આપવા માટે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ અહીં ગુલમર્ગને સ્પોર્ટિંગ હબમાં રૂપાંતરિત કરવાની સરકારની યોજનાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય રમત મંત્રીએ ગુલમર્ગ ગોલ્ફ ક્લબ ખાતે રમાઈ રહેલી પાંચમી ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સના સમાપન સમારંભમાં હાજરી આપતાં આ વાત કરી હતી. આ સમાપન સમારંભમાં જમ્મુ અને કાશ્મીરનાં […]

હોળીના તહેવાર નિમિત્તે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે લાખો કારીગરોને વેતન વધારાની ભેટ આપી

ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, નવી દિલ્હી ખાતે મંગળવારે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)ના રાજઘાટ કાર્યાલયમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેવીઆઇસીના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન મેળવેલી સિધ્ધિઓની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ખાદી કારીગરોના હિતમાં પંચે મહત્વનો […]

ભારતીય નૌકાદળ માટે બીજા ફ્લીટ સહાયક જહાજનું નિર્માણ સમારોહ

નવી દિલ્હીઃ પાંચ ફ્લીટ સપોર્ટ જહાજો (FSS)માંથી બીજાનો નિર્માણ સમારોહ 12 માર્ચ 25 ના રોજ મેસર્સ L&T શિપયાર્ડ, કટ્ટુપલ્લી ખાતે યુદ્ધ જહાજ ઉત્પાદન અને સંપાદનના નિયંત્રક વાઇસ એડમિરલ રાજારામ સ્વામીનાથન અને ભારતીય નૌકાદળ, હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ અને મેસર્સ L&T ના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં યોજાયો હતો. ભારતીય નૌકાદળે ઓગસ્ટ 2023માં HSL સાથે પાંચ ફ્લીટ સપોર્ટ જહાજો […]

મુખ્ય તુવેર ઉત્પાદક રાજ્યોમાં તુવેર ખરીદીમાં વધારો થયો

ભારત સરકારે 15માં નાણા પંચ ચક્ર દરમિયાન 2025-26 સુધી સંકલિત પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (PM-AASHA) યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે. સંકલિત PM-AASHA યોજના ખરીદી કામગીરીના અમલીકરણમાં વધુ અસરકારકતા લાવવા માટે સંચાલિત છે. જે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવો પૂરા પાડવામાં જ મદદ કરતું નથી, પરંતુ ગ્રાહકોને પોષણક્ષમ ભાવે તેમની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને […]

69મા સત્રમાં ભારતના કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ ભારતની કમાન સંભાળી

નવી દિલ્હીઃ મહિલાઓની સ્થિતિ પરના 69મા સત્રમાં હાજરી આપવા માટે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં પહોંચેલા ભારતના કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ યુએન મહિલાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સીમા બાહૌસ સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો. સીમા બાહૌસે ડિજિટલ ક્રાંતિ, શૂન્ય હિંસા, સમાન નિર્ણય લેવાની શક્તિ, શાંતિ અને સુરક્ષા, કિશોરીઓ અને યુવાનોને મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસના […]

મહિલા ખેલાડીઓના પ્રોત્સાહન માટે વર્ષ 2024-25 અંતર્ગત મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવશે

ગાંધીનગરઃ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા મહિલા ખેલાડીઓના પ્રોત્સાહન માટે વર્ષ 2024-25 અંતર્ગત મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫માં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંડર 14,17,19 અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી.દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોય અથવા ભાગ લીધો હોય તે મહિલા ખેલાડીઓને સન્માનિત કરવામાં […]

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78 મી પુણ્યતિથિ નિમિત્તે એમની શૌર્યભૂમિ ધંધુકામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78 મી પુણ્યતિથિ નિમિત્તે એમની શૌર્યભૂમિ ધંધુકા સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતો. નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા આ પ્રેરક આયોજન-સંયોજન કરવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code