1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ચિલીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે સમર્થન કર્યું

નવી દિલ્હીઃ ચિલીના રાષ્ટ્રપતિ, ગેબ્રિયલ બોરિક ફોન્ટે જણાવ્યું કે. ચિલીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે સમર્થન કર્યું છે. ચિલી એન્ડ ઇન્ડિયા-સાઇડ બાય સાઇડ ઇન ધ ગ્લોબલ સાઉથ વિષય પર 53મા સપ્રુ હાઉસ વ્યાખ્યાન આપતા રાષ્ટ્રપતિ ફૉન્ટે કહ્યું કેચિલી ભારત સાથે તેની ભાગીદારી વધારવા માંગે છે કારણ કે ત્યાં દ્વિપક્ષીય સહયોગ માટે વિશાળ […]

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ ટેક્સની જાહેરાત કરી

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ (પારસ્પરિક ટેરિફ)ટેક્સની જાહેરાત કરી છે. ખાસ કરીને ઓટો સેક્ટર પર 25 ટકા ટેરિફ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવાયા છે. જયારેચીન પર 34 ટકા,બાંગ્લાદેશ પર 26 ટકા પાકિસ્તાન પર 29 ટકા શ્રીલંકા પર 44 ટકા જયારે ઇઝરાઈલ પર 17 ટકા ટેક્સ લાગુ કરવામાં આવ્યો […]

ભારતે એક વર્ષમાં 1681 એન્જિનોનું ઉત્પાદન કરીને અમેરિકા અને યુરોપને પાછળ છોડ્યું

નવી દિલ્હીઃ ભારતે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એક હજાર 681 એન્જિનોનું ઉત્પાદન કરીને અમેરિકા અને યુરોપને પાછળ છોડી દીધું છે. રેલવે મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અગાઉના નાણાકીય વર્ષમાં ઉત્પાદિત એક હજાર 472 એન્જિનની સરખામણીએ આ વર્ષે 19 ટકાનો વધારો નોંધાયો છે. ભારતીય રેલ્વેએ પર્યાવરણીય સંરક્ષણ અને નવીનીકરણીય ઉર્જાને પ્રોત્સાહન આપવાની દિશામાં એક […]

દોઢ વર્ષમાં તમામ રેલવે સ્ટેશનો પર CCTV કેમેરા લગાવવામાં આવશે

નવી દિલ્હીઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, દોઢ વર્ષમાં તમામ રેલવે સ્ટેશનો પર પૂરતી સંખ્યામાં CCTV કેમેરા લગાવવામાં આવશે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારતીય રેલવેએ મહિલાઓની સલામતી માટે અનેક પગલાં લીધાં છે. તેમણે ઉમેર્યું કે દરેક વિભાગ, ઝોન અને રેલવે બોર્ડમાં વોર રૂમ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, […]

ભારતીય રેલ્વેએ 2,249 સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કર્યાં

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેએ પર્યાવરણીય સંરક્ષણ અને નવીનીકરણીય ઉર્જાને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ફેબ્રુઆરી 2025 સુધીમાં, રેલ્વે સ્ટેશનો અને સેવા ઇમારતો પર 2,249 સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી. છેલ્લા પાંચ વર્ષમાં, રેલવેએ 1,489 સૌર એકમો સ્થાપિત કર્યા […]

જામનગરઃ સુવરડા ગામની સીમમાં ફાઈટર પ્લેન ક્રેશ, પાઇલટનું મોત

રાજકોટઃ જામનગરના સુવરડા ગામે એક ફાઈટર પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. પ્લેન ક્રેશ થવાને કારણે ભારે આગ લાગી અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. સાથે જ સ્થળ પર મોટી સંખ્યામાં ગામના લોકો એકઠા થઈ ગયા હતા. જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં પ્લેન ક્રેશ થયું હતું. આ અંગે મળતી […]

“લોકશાહી રચનાત્મક વાર્તાલાપ પર ખીલે છે, દલીલો પર નહીં” – ડો. માંડવિયા

નવી દિલ્હીઃ ડો.મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં 2 દિવસીય વિકસિત ભારત યુવા સંસદ મહોત્સવ 2025ના રાષ્ટ્રીય રાઉન્ડનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રીમતી રક્ષા ખડસે પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ભવ્ય કાર્યક્રમની યાત્રા 16 માર્ચ 2025થી 27 માર્ચ, 2025 સુધી જિલ્લા યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે શરૂ […]

ટ્રમ્પના જવાબી ટેરિફની વૈશ્વિક સ્પર્ધકો કરતાં ભારત પર ઓછી અસર થશે: ઉદ્યોગ નિષ્ણાંત

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત અનેક દેશો પર પ્રતિક્રિયાત્મક ટેરિફ લાદવામાં આવ્યા બાદ, ઉદ્યોગ નિષ્ણાતોએ ગુરુવારે જણાવ્યું હતું કે અન્ય વૈશ્વિક સ્પર્ધકોની તુલનામાં ભારત પર તેની ઓછી અસર પડશે. એવું માનવામાં આવે છે કે ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા ટેરિફ વૈશ્વિક વેપાર અને ઉત્પાદન મૂલ્ય શૃંખલામાં મોટો ફેરફાર લાવશે. “ભારત પર 10 […]

બિમસ્ટેક બંગાળની ખાડીનાં વિસ્તારમાં પ્રાદેશિક વિકાસ, જોડાણ અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ મંચ સ્વરૂપે બહાર આવ્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી પેતોંગ્તારન શિનાવાત્રાના આમંત્રણ પર આજે હું થાઇલેન્ડની સત્તાવાર મુલાકાતે જવા અને છઠ્ઠી BIMSTEC શિખર બેઠકમાં હાજરી આપવા માટે રવાના થઈ રહ્યો છું. છેલ્લાં એક દાયકામાં બિમસ્ટેક બંગાળની ખાડીનાં વિસ્તારમાં પ્રાદેશિક વિકાસ, જોડાણ અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ મંચ સ્વરૂપે બહાર આવ્યું છે. તેની ભૌગોલિક સ્થિતિ સાથે ભારતનો પૂર્વોત્તર વિસ્તાર બિમસ્ટેકના […]

ટ્રમ્પના ટેરિફને પગલે વૈશ્વિક બજારમાં વેચવાલી, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફની જાહેરાત કર્યા પછી વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલી બાદ ગુરુવારે ભારતીય શેરબજાર સૂચકાંકોમાં ઘટાડો થયો હતો. સવારે લગભગ 9:20 વાગ્યે, સેન્સેક્સ 470 પોઈન્ટ અથવા 0.61 ટકા ઘટીને 76,197 પર અને નિફ્ટી 105 પોઈન્ટ અથવા 0.45 ટકા ઘટીને 23,227 પર બંધ રહ્યો હતો. શરૂઆતના કારોબારમાં, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં લાર્જકેપ શેરોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code