1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને સમર્થન આપનાર સામે કરાશે આકરી કાર્યવાહી

નવી દિલ્હીઃ ભારત સરકારે આતંકવાદ અને ઉગ્રવાદને નાથવા માટે સુરક્ષાદળોએ અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરી છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ કરેલી હત્યા અને તેમને સમર્થન કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા આદેશ કરવામાં આવ્યાં છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના નેતૃત્વ હેઠળના જમ્મુ અને […]

તિબેટીન આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ ફોદ્રાંગ ટ્રસ્ટને ઉત્તરાધિકારી પસંદ કરવાની જવાબદારી સોંપી

નવી દિલ્હીઃ તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામાના ઉત્તરાધિકારીની આગામી દિવસોમાં પસંદગી કરવામાં આવશે. તેમની પસંદગી તિબેટીયન બૌદ્ધ પરંપરાઓ અનુસાર જ કરવામાં આવશે. એટલું જ નહીં દલાઈ લામાએ ગાડેન ફોદ્રાંગ ટ્રસ્ટને ઉત્તરાધિકારી પસંદ કરવાની જવાબદારી સોંપી છે. તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામા ટૂંક સમયમાં 90 વર્ષના થશે. તેમની ઉંમરને કારણે, ઉત્તરાધિકારી વિશે ચર્ચા ફરી તેજ થઈ […]

એર માર્શલ એસ શિવકુમાર વીએસએમ એ એર ઓફિસર-ઇન-ચાર્જ એડમિનિસ્ટ્રેશનનો કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હીઃ એર માર્શલ એસ શિવકુમાર વીએસએમ એ નવી દિલ્હી સ્થિત એર હેડક્વાર્ટર ખાતે એર ઓફિસર-ઇન-ચાર્જ એડમિનિસ્ટ્રેશન (AOA) તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. એર માર્શલને જૂન 1990માં ભારતીય વાયુસેનાની વહીવટી શાખામાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમણે પોંડિચેરી યુનિવર્સિટીમાંથી HRMમાં MBA અને ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી સંરક્ષણ અને વ્યૂહાત્મક અભ્યાસમાં Mphilની ડિગ્રી મેળવી છે. 35 વર્ષથી વધુની કારકિર્દીમાં એર […]

‘ગુનેગારોને વિલંબ વિના ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ’, પહેલગામ હુમલા પર ક્વાડ નેતાઓનો એકમત

નવી દિલ્હીઃ ક્વાડ દેશો, એટલે કે અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ બુધવારે એક સંયુક્ત નિવેદનમાં 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની નિર્દયતાથી હત્યા કરી હતી. ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોને આ નિંદનીય કૃત્યના ગુનેગારો, આયોજકો અને નાણાકીય સહાયકોને કોઈપણ વિલંબ વિના […]

રાષ્ટ્રપતિએ મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટી આપણી સમૃદ્ધ પ્રાચીન પરંપરાઓનું એક પ્રભાવશાળી આધુનિક કેન્દ્ર છે. આ ઉદ્ઘાટન માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં તબીબી શિક્ષણ અને તબીબી સેવાઓના વિકાસમાં એક […]

ભારત-અમેરિકા વેપાર કરારથી આર્થિક વિકાસને મળશે વેગ

નવી દિલ્હીઃ વરિષ્ઠ અર્થશાસ્ત્રી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)ના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. સુરજીત ભલ્લાએ મંગળવારે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે સંભવિત વેપાર કરાર દેશના આર્થિક વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. ડૉ. ભલ્લાએ કહ્યું, ‘જો આ કરાર થાય છે, તો આપણો વિકાસ દર ઘણો ઝડપી બની શકે છે.’ તેમનું એવું […]

કોવિડ રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ ન હોવાનો ICMR) અને AIIMSનો દાવો

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીથી બચાવવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન હાથ કર્યું હતું તેમજ દેશની જનતાને કોવિડની રસી આપીને તેમને સુરક્ષિત કર્યાં હતા. જો કે, છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકથી લોકોના મોત થયા હતા. યુવાનોને હાર્ટ એટેક આવ્યાં હતા. જેથી કોવિડ રસીકરણને હાર્ટએટેક સાથે સંબંધ હોવાની અટકળો વહેતી થઈ હતી. જો કે, ઈન્ડિયાન કાઉન્સિલ ઓફ […]

કેન્દ્ર સરકારે 1 લાખ કરોડ રૂપિયાની RDI યોજનાને આપી મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે સંશોધન વિકાસ અને નવીનતા (RDI) યોજનાને મંજૂરી આપી. આ યોજનાને ભારતના સંશોધન અને નવીનતા ઇકો-સિસ્ટમને મજબૂત બનાવવા માટે એક પરિવર્તનશીલ પગલા તરીકે જોઈ શકાય છે. RDI યોજના આત્મનિર્ભરતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપે છે. આ દ્વારા, દેશને 2047 સુધીમાં વિકસિત ભારતના […]

60 GW નવીનીકરણીય ઉર્જા વેચાણ કરારો પર સોલાર એનર્જી કોર્પોરેશને કર્યા હસ્તાક્ષર

સોલાર એનર્જી કોર્પોરેશન લિમિટેડ (SECI) એ 60 GW નવીનીકરણીય ઉર્જા ક્ષમતા માટે પાવર સેલ્સ કરારો (PSA) પર હસ્તાક્ષર કર્યા છે. આ સિદ્ધિ ભારતને સ્વચ્છ અને ટકાઉ ઉર્જા ભવિષ્ય તરફ લઈ જવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. સોલાર એનર્જી કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર […]

તમિલનાડુઃ પૂર નિયંત્રણ પ્રોજેક્ટ્સ માટે રૂ.338 કરોડના બજેટની ફાળવણી

ચેન્નાઈઃ મોસમી પૂરને રોકવા માટે એક મોટા પ્રયાસમાં તમિલનાડુના જળ સંસાધન વિભાગ (WRD)એ ચેન્નાઈ અને તેના પડોશી જિલ્લાઓમાં સંકલિત પૂર નિવારણ પ્રોજેક્ટ્સની શ્રેણી શરૂ કરી છે. ચેન્નાઈ, તિરુવલ્લુર અને કાંચીપુરમને આવરી લેતા આ પ્રોજેક્ટ્સ માટે નાણાકીય વર્ષ 2025-26 માટે રૂ. 338 કરોડનું બજેટ ફાળવણી કરવામાં આવી છે. આ તબક્કા હેઠળ, ચેન્નાઈના દક્ષિણ ભાગોમાં પૂર નિવારણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code