1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ધોળકા તાલુકાના કોંઠ ગામે પાણી ભરાતા ગ્રામજનોએ પંચાયતને કરી તાળાબંધી

વરસાદી પાણી ભરાવાની સમસ્યા નહીં ઉકેલાતી નથી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે પાણી ભરાતા દર્દીઓને હાલાકી, સરપંચ અને તલાટી ગ્રા.પં.માં નિયમિત નહીં આવતા હોવાની ફરિયાદ ધોળકાઃ તાલુકાના કોઠ ગામમાં તાજેતરમાં પડેલા વરસાદને લીધે પાણી ભરાતા ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. ગામના રસ્તાઓ પર સતત ભરાઈ રહેતા વરસાદી પાણી અને કીચડને લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો જાય […]

સુરત શહેરના કોટ વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવમાં સામાજિક એખલાસના દ્રશ્યો સર્જાયા

મુસ્લિમ સમાજના વાલીઓએ બાળકીઓને કૂમકૂમ પગલાં પાડીને પ્રવેશ કરાવ્યો, પોતાની દીકરીઓના કૂમકૂમ પગલાં મુસ્લિમ સમાજના વાલીઓ સાચવીને રાખશે, મુસ્લિમ સમાજે શાળા પ્રવેશોત્સવને બિરદાવ્યો સુરતઃ શહેરમાં મ્યુનિ. હસ્તકની શાળાઓમાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. જેમાં કોટ વિસ્તારની શાળાઓમાં પ્રવેશોત્સવ વખતે સામાજિક એખલાસના દ્રશ્યો જોવા મળ્યા હતા. લઘુમતી સમાજના વિદ્યાર્થીઓના વાલીઓ અને અગ્રણીઓ વિદ્યાર્થિનીઓને કુમકુમ પગલા પાડીને શાળામાં […]

કર્ણાટકના એમએમ હિલ્સમાં એક માદા વાઘણ અને ચાર બચ્ચાના મોતથી હંગામો મચી ગયો, મુખ્યમંત્રી પણ નારાજ, તપાસના આદેશ આપ્યા

કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં સ્થિત એમએમ હિલ્સ વન્યજીવન અભયારણ્યમાં એક ખૂબ જ ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક માદા વાઘણ અને તેના ચાર બચ્ચા મૃત હાલતમાં મળી આવ્યા હતા. વન મંત્રી ઈશ્વર ખાંડ્રેએ કુલ પાંચ વાઘણના મૃત્યુ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. શરૂઆતની તપાસમાં, એવી શંકા છે કે […]

યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં સ્નાતક, અનુસ્નાતકનું પ્રથમ સત્ર 1લી જુલાઈથી શરૂ થશે

શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયું , 17 ઓક્ટોબરથી 6 નવેમ્બર દિવાળી વેકેશન, પ્રથમ શૈક્ષણિક સત્રમાં કુલ 124 દિવસનું શિક્ષણકાર્ય રહેશે,  અમદાવાદઃ  રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2025-26નું વાર્ષિક એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. જે મુજબ  અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે પ્રથમ શૈક્ષણિક સત્ર આગામી 1 જુલાઇથી શરૂ થશે. ચાલુ […]

શાહબાઝ શરીફ માર્ક રુબિયોને મળ્યા, ટ્રમ્પનો આભાર માન્યો, શું આ ભારત માટે તણાવનો વિષય છે?

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને શાહબાઝ શરીફ વચ્ચે મુલાકાત, પ્રાદેશિક શાંતિ, ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ અને ભારત-પાકિસ્તાન સ્થિરતા પર ચર્ચા થઈ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરવા સંમતિ દર્શાવી હતી. રુબિયોએ શરીફ સાથે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર પણ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ, ધ્રાંગધ્રાના 3 ગામોમાં કલેકટર દ્વારા અપાયો પ્રવેશ

જિલ્લાના 6,126 વિદ્યાર્થીઓ શાળા પરિવહન યોજનાનો લાભ મેળવી રહ્યા છે, આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1માં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો, ખેલ મહાકુંભ, અને યોગા જેવી સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયુ સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2025નો પ્રારંભ થયો છે. જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલે ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી, ભારદ અને ગંજેળા ગામની શાળાઓમાં બાળકોને પ્રવેશોત્સવ […]

ગાંધીનગરના પુન્દ્રાસણ ગામે શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રીએ 197 બાળકોનું નામાંકન કરાવ્યું

મુખ્યમંત્રીએ બાળકોને શૈક્ષણિક કિટ આપી શાળામાં આવકાર્યા, શાળાના 9 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું, શાળાના બે વિદ્યાર્થીઓએ શિક્ષણના મહત્વ વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું ગાંધીનગરઃ  જિલ્લાની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2025 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રીએ આંગણવાડીમાં 53, બાલવાટિકામાં 54, ધોરણ-1માં 48 અને ધોરણ-9માં 42 બાળકોનું નામાંકન કરાવ્યુ હતું. પુન્દ્રાસણ […]

કોલકાતા લો કોલેજમાં વિદ્યાર્થીની સાથે ગેંગરેપ, ત્રણ આરોપીઓની ધરપકડ

દક્ષિણ કોલકાતાના કસ્બા વિસ્તારમાં આવેલી દક્ષિણ કોલકાતા લો કોલેજમાં એક વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 25 જૂનના રોજ સાંજે 7:30 થી 10:50 વાગ્યાની વચ્ચે કોલેજ કેમ્પસમાં બની હતી. પીડિતાની ફરિયાદના આધારે, કસ્બા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં ત્રણ […]

પંજાબના લુધિયાણાના શેરપુરમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વાદળી ડ્રમમાંથી મળી આવ્યો

પંજાબના લુધિયાણામાં વાદળી ડ્રમમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. લુધિયાણાના શેરપુર વિસ્તારમાં આ ડ્રમમાંથી મળેલ મૃતદેહના પગ અને ગળામાં દોરડા બાંધેલા હતા. લાશ પ્લાસ્ટિકની થેલીમાં લપેટાયેલી હતી. વિસ્તારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. થાણા ડિવિઝન નંબર-6 ના SHO કુલવંત કૌરના જણાવ્યા અનુસાર, મૃતક સ્થળાંતર કરનાર હોઈ શકે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ […]

ગાંધીનગરમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી, જગદિશના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યાં

રથયાત્રા બપોરના સમયે સેક્ટર-29 જલારામ મંદિર ખાતે વિરામ લીધો, રથયાત્રામાં 1200 કિલો મગ, 100 કિલો જાંબુ, છ મણ કાકડીના પ્રસાદની વ્યવસ્થા, રથયાત્રામાં પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવાયો ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આજે અષાઢી બીજે  ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનું આયોજન કરાયુ છે. વર્ષ 1985થી શરૂ થયેલી રથયાત્રા કોરોનાકાળના બે વર્ષને બાદ કરતા આજદિન સુધી જળવાઈ રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code