1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મહાવીર જયંતી પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પીએમ મોદીની શુભેચ્છા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશવાસીઓને મહાવીર જયંતીની શુભેચ્છા પાઠવી હતી. આ વર્ષે જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરની 2623મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું, “મહાવીર જયંતિ નિમિત્તે તમામ દેશવાસીઓને, ખાસ કરીને જૈન સમુદાયના લોકોને હાર્દિક […]

મુંબઈ હુમલા કેસમાં આતંકી રાણાને અમેરિકાથી ભારત લવાયો, સુરક્ષા એજન્સીઓ કરેશે પૂછપરછ

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના કેસમાં માસ્ટર માઈન્ડ  તહવ્વુર રાણાને હવાઈ માર્ગે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. એનઆઈએની ટીમ ખાસ વિમાનમાં આતંકી રાણાને અમેરિકાથી લઈને આવી છે. તેમજ તેને આગામી 24 કલાકમાં આરોપીને એનઆઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમજ એનઆઈએ દ્વારા તેની ધરપકડની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. દિલ્હીના પાલમ એરપોર્ટ […]

ભારત અને જાપાન વચ્ચે પ્રવાસન સહકાર પર કાર્યકારી જૂથની ચોથી સંયુક્ત બેઠક

નવી દિલ્હીઃ ભારત અને જાપાન વચ્ચે પ્રવાસન સહયોગ પર સંયુક્ત કાર્યકારી જૂથ (JWG) ની ચોથી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા ભારત સરકારના પર્યટન મંત્રાલયના મહાનિર્દેશક શ્રીમતી મુગ્ધા સિંહા અને જાપાન ટુરિઝમ એજન્સી (JTA)ના કમિશનર હરાઇકાવા નાઓયાએ સહ-અધ્યક્ષતા કરી હતી. બંને દેશોના અધિકારીઓ અને ખાનગી હિસ્સેદારોએ હાજરી આપી હતી, જેમાં એરલાઇન્સ, પ્રવાસન અને […]

ઉત્તરાખંડઃ ચારધામ યાત્રા આ વર્ષે 30 એપ્રિલથી શરૂ થશે, એડવાઇઝરી જાહેર કરાશે

નવી દિલ્હીઃ દર વર્ષની જેમ આ વખતે પણ લાખો શ્રદ્ધાળુઓ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં દર્શન માટે પહોંચવાની અપેક્ષા છે. સરકાર અને વહીવટીતંત્રે યાત્રાને સરળ, સલામત અને વ્યવસ્થિત બનાવવા માટે તૈયારીઓ તેજ કરી દીધી છે. પરિવહન વિભાગની સલાહ મુજબ, પર્વતીય રસ્તાઓ પર રાત્રે વાહનોના સંચાલન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ચારધામ યાત્રાના રૂટ પર રાત્રે […]

ગુજરાત સાહિત્ય અકાદમીઃ જવાહર બક્ષીને પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક અર્પણ કરાયો

ગાંધીનગરઃ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રારંભ કરાયેલ અમૃત ગઝલ પારિતોષિક સર્વ પ્રથમ જવાહર બક્ષીને અપાયો. ગુજરાતી ગઝલમાં અવિસ્મરણીય પ્રદાન તથા ગુજરાતી સાહિત્યની આજીવન સેવા બદલ વર્ષ 2024 માટે ગાંધીનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન દરમ્યાન ભૂતપૂર્વ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન અને જાણીતા સાહિત્યકાર રમેશ પોખરીયાલવે હસ્તે આ પારિતોષ એનાયત કરવામાં આવ્યો. ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ […]

અમેરિકાએ 7 વધુ પાકિસ્તાની કંપનીઓ પર પણ પ્રતિબંધો લાદ્યા

અમેરિકાએ પાકિસ્તાનના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમ અંગે કડક કાર્યવાહી કરી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ સિક્યુરિટી (BIS) એ 13 થી વધુ પાકિસ્તાની કંપનીઓને તેની વોચ લિસ્ટમાં મૂકી છે. આ કંપનીઓ પર પરમાણુ સંબંધિત ખતરનાક પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની શંકા છે. આ ઉપરાંત, અમેરિકાએ 7 વધુ પાકિસ્તાની કંપનીઓ પર પણ પ્રતિબંધો લાદ્યા છે કારણ કે તેઓ […]

યુપીમાં કમોસમી વરસાદ અને કરા પડતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી, વીજળી પડતા બેના મોત

લખનૌઃ ગુરુવારે રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ, કરા, તોફાન, વીજળી પડવાની ઘટનાઓની નોંધ લેતા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અસરગ્રસ્ત જિલ્લાઓના અધિકારીઓને સંપૂર્ણ તૈયારી સાથે રાહત કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. ફિરોઝાબાદમાં વીજળી પડવાથી એક મહિલા સહિત બે લોકોના મોત થયા હતો. ભારતીય હવામાન વિભાગ, લખનૌ કાર્યાલયે ગુરુવારે વરસાદ અને વીજળી પડવાની જિલ્લાવાર ચેતવણી જારી કરી […]

ઓલિમ્પિકમાં 128 વર્ષ બાદ ક્રિકેટનો સમાવેશ, છેલ્લે 1900માં પેરિસ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરાયો હતો

128 વર્ષના અંતરાલ પછી 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટ પરત આવશે. આ અંગે, આયોજકોએ એક મોટી જાહેરાત કરી હતી. લોસ એન્જલસ ઓલિમ્પિકના આયોજકોએ આ બહુરાષ્ટ્રીય ઇવેન્ટમાં ક્રિકેટ માટે ટીમોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. પુરુષો અને મહિલાઓ બંને કેટેગરીમાં છ ટીમો ભાગ લેશે. આ મેચો T20 ફોર્મેટમાં રમાશે. છ ટીમો ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ […]

ગ્રેટર નોઈડા: મની લોન્ડરિંગ કેસમાં ‘રિયલ્ટી ગ્રુપ’ ના પરિસરમાં ED ના દરોડા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે ગ્રેટર નોઈડામાં એક મોલ અને અન્ય કેટલાક સ્થળોએ દરોડા પાડ્યા હતા. નોઈડા સ્થિત ‘રિયલ્ટી ગ્રુપ’ સામે મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે આ દરોડા પાડવામાં આવ્યા હતા. આ જૂથ પર ઘર ખરીદનારાઓ સાથે લગભગ 40 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી ‘ભસીન ઇન્ફોટેક […]

દિલ્હી યમુના સફાઈ: CM રેખા ગુપ્તાએ વઝીરાબાદ બેરેજ ખાતે નાળા અને નદી વિસ્તારનું નિરીક્ષણ કર્યું

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગુરુવારે વઝીરાબાદ બેરેજ ખાતે અનેક મુખ્ય નાળાઓ અને યમુના નદીના એક ભાગનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને ‘રિવરફ્રન્ટ’ પ્રોજેક્ટ પર કામ કરવા નિર્દેશ આપ્યો છે. આ દરમિયાન મુખ્યમંત્રી સાથે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના, જળ મંત્રી પ્રવેશ વર્મા અને દિલ્હી જળ બોર્ડ (ડીજેબી) અને સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગના ઘણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code