1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારતના 194 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ, જેમાં 123 ગુજરાતના છે

સંસદમાં રાજ્યકક્ષાના વિદેશ મંત્રીએ આપી માહિતી ભારતીય દૂતાવાસ માછીમારોને જેલમાંથી મુક્ત કરાવવા પ્રયાસો કરે છે ઈન્ડિયા-પાકિસ્તાન જ્યુડિશિયલ કમિટી ઓન પ્રિઝનર્સ’ દ્વારા ભલામણ કરાય છે. અમદાવાદઃ ગુજરાતના સમુદ્રમાં માછીમારી માટે ગયેલા માછીમારો ભૂલથી દરિયાઈ આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરતા જ પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોનું અપહરણ કરીને માછીમારોને જેલમાં ધકેલી દેવામાં આવતા હોય છે. હાલ ભારતના 194 માછીમારો […]

અમદાવાદમાં 100 કિલો સોનું પકડાયાનો મામલો, આરોપી ડબ્બા ટ્રેડિંગથી કરોડો કમાયો હતો

કરોડો રૂપિયાના કાળા કારોબારની તપાસ મુંબઈ સુધી લંબાવાઈ આરોપીએ સોનું અને રોકડ નાણા સંતાડવા પાલડીમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો DRIના અધિકારીઓ 5 દિવસથી ફેરિયાના સ્વાંગમાં ફ્લેટ પર નજર રાખતા હતા અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા એક ફ્લેટ પર એટીએસ અને ડીઆરઆઈના અધિકારીઓએ દરોડો પાડીને અંદાજે 100 કિલો સોનું અને 60 લાખથી વધુની રોકડ જપ્ત કરી […]

સુરતમાં રાહુલ એપાર્ટમેન્ટ’ ગેન્ગના ગેરકાયદે ત્રણ મકાન તોડી પડાયા

યુપીની જેમ સુરત પોલીસે પણ બુલડોઝર ફેરવ્યુ ગેન્ગના લીડર રાહુલ પીંપડે સામે પોલીસની કડક કાર્યવાહી આરોપીએ ત્રણ માળનું ગેરકાયદે મકાન ઊભુ કરી દીધુ હતુ સુરતઃ ગુજરાતના અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં ગુંડાગીરી સામે કડક હાથે કામ લેવા રાજ્યના પોલીસ વડાએ આદેશ આપ્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે. સાથે જ અમાસાજિક તત્વોના ગેરકાયદે મિલ્કતોની યાદી પણ તૈયાર […]

ભારતીય શેરબજારમાં તેજી, BSE માં 1,131.31 પોઈન્ટનો વધારો

મુંબઈઃ મંગળવારના ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું. બજારમાં ચારે બાજુ ખરીદી ચાલી રહી હતી. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 1,131.31 પોઈન્ટ અથવા 1.53 ટકા વધીને 75,301.26 પર અને નિફ્ટી 325.55 પોઈન્ટ અથવા 1.45 ટકા વધીને 22,834.30 પર બંધ થયો હતો. બજારમાં તેજીનું કારણ ઓટો અને બેંકિંગ શેરોમાં ખરીદી હતી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 2.38 ટકા અને […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સને ભારત આવવાનું આમંત્રણ આપ્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પત્ર લખીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને લખાયેલ પત્ર શેર કરતા ટ્વીટ કર્યું હતું. પીએમએ પત્રમાં લખ્યું છે કે, “આખી દુનિયા સુનિતા વિલિયમ્સના સુરક્ષિત વાપસીની રાહ જોઈ રહી છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર […]

શું લોકપાલ હાઈકોર્ટના જજ સામે સુનાવણી હાથ ધરી શકે છે કે નહીં? સુપ્રીમ કોર્ટ 15 એપ્રિલે સુનાવણી કરશે

હાઈકોર્ટના જજ સામેની ફરિયાદની સુનાવણી લોકપાલના મામલામાં સુપ્રીમ કોર્ટ 15 એપ્રિલે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટ આ મામલે પોતાની રીતે સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં વરિષ્ઠ વકીલ રણજીત કુમારને એમિકસ ક્યૂરી તરીકે નિયુક્ત કર્યા છે. પ્રથમ સુનાવણીમાં જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ અભય ઓકની બેંચે સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જજ સામેની ફરિયાદ […]

ઔરંગઝેબની પ્રશંસા કરનારા દેશદ્રોહી છેઃ એકનાથ શિંદે

ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે જે લોકો હજી પણ ઔરંગઝેબની પ્રશંસા કરે છે, તે દેશદ્રોહી છે. તેમણે કહ્યું કે ઔરંગઝેબએ રાજ્ય પર કબજો કરવાની કોશિશ કરી હતી અને ઘણા અત્યાચાર કર્યા હતા. બીજી તરફ મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજ એક “દૈવી શક્તિ” હતા, જે વિરતા, બલિદાન અને હિંન્દુત્વની ભાવનાનું પ્રતીક હતા. શિંદેએ શિવ જયંતીના […]

ન્યૂઝીલેન્ડની સામેની ટી20 સિરીઝમાં પાકિસ્તાનની સતત બીજી હાર

ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને T20 સીરીજની બીજી મેચમાં 5 વિકેટથી હરાવ્યું હતુ. પાકિસ્તાનની આ લગાતાર બીજી હાર છે. ન્યૂઝીલેન્ડ આ સીરીજની પ્રથમ મેચમાં પણ હરાવ્યું હતુ. ટિમ સીફર્ટને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે 45 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. સીફર્ટએ શાહીન અફ્રિદીની એક ઓવરમાં ચાર સિક્સર ફટકારી હતી. તેની સાથે સાથે ફિન એલનએ […]

પાકિસ્તાનમાં સેના ઉપર હુમલા વધતા જવાનોમાં ડરનો માહોલ, 2500 જવાનોએ નોકરી છોડી

લાહોરઃ પાકિસ્તાનના બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં સેના અને સુરક્ષા દળો ઉપર છેલ્લા કેટલાક સમયથી હુમલાઓ વધ્યા છે. આ હુમલાઓમાં મોટી સંખ્યામાં સેનાના જવાનો પણ મૃત્યુ પામ્યા હતા. આ દરમિયાન, એવું સામે આવ્યું છે કે મોટી સંખ્યામાં પાકિસ્તાની સેનાના સૈનિકો પોતાની નોકરી છોડીને દેશ છોડીને ભાગી રહ્યા છે. કાબુલ ફ્રન્ટલાઈને દાવો કર્યો હતો કે એક અઠવાડિયામાં […]

મનરેગા મામલે સોનિયા ગાંધીએ કેન્દ્રની એનડીએ સરકાર ઉપર કર્યાં ગંભીર આક્ષેપ

નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે NDAની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA) ને વ્યવસ્થિત રીતે નબળું પાડવાનો આરોપ લગાવ્યો અને કાયદા હેઠળ લઘુત્તમ વેતન અને કાર્યકારી દિવસોની સંખ્યામાં વધારો કરવાની માંગ કરી હતી. રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા, સોનિયા ગાંધીએ માંગ કરી હતી કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code