1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

દિલ્હીની જનતાએ જુઠ, કપટ અને ભ્રષ્ટાચારના શીશમહલને નસ્તેનાબુત કર્યોઃ અમિત શાહ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિણામો પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ગંદી યમુના અને દરેક શેરીમાં ખુલતી દારૂની દુકાનો પ્રત્યે જનતાનો પ્રતિસાદ મળ્યો છે. શાહે કહ્યું કે જનતાએ જૂઠાણા, કપટ અને ભ્રષ્ટાચારના ‘શીશમહેલ’નો નાશ કરીને દિલ્હીને આપ-દા મુક્ત બનાવવાનું કામ કર્યું છે. અમિત […]

અમે રાજનીતિમાં સત્તા માટે નવી આવ્યાઃ અરવિંદ કેજરિવાલ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના પરિણામ સામે આવી રહ્યાં છે. જેમાં વર્ષોથી સત્તામાં દૂર રહેલી ભાજપા જીતી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને પણ હારનો સામનો કરવો પડ્યો છે. દરમિયાન દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હારને અરવિંદ કેજરિવાલે સ્વિકારી છે […]

પાલનપુર-અમદાવાદ હાઈવે પર કાર -બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકનું મોત

પોલીસના બોર્ડવાળી ખાનગીકારે બાઈકને જોરદાર ટક્કર મારી કારચાલક ઘટના સ્થળેથી નાસી ગયો પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર વડગામના ભરકાવાડા પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. પોલીસ બોર્ડવાળી કારે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે […]

દિલ્હીમાં ‘આપ’ની હાર માટે અન્ના હજારેએ અરવિંદ કેજરિવાલને જવાબદાર ઠરાવ્યાં

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂટણી પરિણામાં ભાજપાએ આમ આદમી પાર્ટીના વિજયરથને આ વખતે અટકાવ્યો છે. તેમજ 27 વર્ષ બાદ ફરીથી ભાજપા દિલ્હીમાં સરકાર બનાવી રહી છે. સીએમ આતિશીને બાદ કરતા દિલ્હી સરકારની કેબિનેટના મોટાભાગના મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર માટે સામાજીક કાર્યકર અન્ના હજારેએ અરવિંદ કેજરિવાલને જવાબદાર ઠરાવ્યાં હતા. […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સટર્નલ વિદ્યાર્થીઓમાં 65 ટકાનો ઘટાડો

પ્રવેશ પ્રક્રિયામાં વધુ વિલંબ થતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો ગત વર્ષે 9,065 વિદ્યાર્થીઓ હતા, આ વખતે 2,515 વિદ્યાર્થીઓએ જ પરીક્ષા ફોર્મ ભર્યા, વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી લીધો રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ કે નોકરી કરનારા કર્મચારીઓ ઘેરબેઠા પરીક્ષા આપીને ડિગ્રી મેળવી શકે તે માટે એક્સટર્નલ પરીક્ષા લેવામાં આવે છે. જેમાં દર વર્ષે એક્સટર્નલ અભ્યાક્રમોમાં જોડાઈને […]

ગુજરાતમાં 45થી 55 કિલોમીટરની ઝડપે ફુંકાયેલા ટાઢાબેળ પવનને લોકોને ધ્રૂજાવ્યા

હવે તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા દક્ષિણ ગુજરાતમાં  પ્રેશર ગેડિયન્ટ સર્જાતા પવનની ગતિ વધી લોકોને બપોરના ટાણે ગરમીનો અહેસાસ થશે અમદાવાદઃ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનને હવે 20 દ’હાડા બાકી રહ્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી ઠંડો પવન ફુંકાય રહ્યો છે. હાલ બપોરે થોડી ગરમી અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના […]

દિલ્હી ચૂંટણીઃ અરવિંદ કેજરિવાલ અને મનિષ સિસોદિયા હાર્યાં

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે આજે સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવ્યાં હતા. આ ચૂંટણીના પરિણામે તમામને ચોંકાવી દીધા છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ અને પૂર્વ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના ઉમેદવાર અતિશીની જીત થઈ હતી. આપના સિનિયર […]

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ, ભાજપા બનાવી રહી છે સરકાર

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની 70 બેઠકો ઉપર તા. 5મી ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણી બાદ આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તારણમાં ભાજપા અને આમ આદમી પાર્ટી વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. જો કે, બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું અને દિલ્હીમાં વર્ષો બાદ ભાજપાની સરકાર બની રહ્યાનું જોવા મળ્યું હતું. […]

કેન્દ્રીય મંત્રીમંડળે નવા ઈનકમ ટેક્સ બિલને મંજૂરી આપી, ટેક્સપેયર્સને થશે ફાયદો

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળે નવા ઈનકમ ટેક્સ બિલને મંજૂરી આપી છે. આ બિલ છ દાયકા જૂના આઈટી એક્ટનું સ્થાન લેશે. નવું બિલ ઈનકમ ટેક્સ સાથે જોડાયેલા તે તમામ સુધારા અને ધારાઓથી મુક્ત હશે જે હવે પ્રાસંગિક નથી. તેમજ ભાષા એવી હશે કે લોકો તેને ટેક્સ એક્સપર્ટની મદદ વિના સમજી શકે. આ બિલ આગામી દિવસોમાં લોકસભામાં […]

અમદાવાદમાં વેપારી પાસે માથાભારે શખસે 5 લાખની ખંડણી માગતા પોલીસ ફરિયાદ

શહેરના ચાણક્યપુરીમાં મેડિકલ સ્ટોરના વેપારી પાસે ખંડણી માગી હતી આરોપી શખસ વિશાળ દેસાઈ સામે અનેક ગુના નોંધાયેલા છે સોલા પોલીસે આરોપીની કરી ધરપકડ અમદાવાદઃ શહેરના ઘાટલોડિયા અને ચાણક્યપુરી વિસ્તારમાં માથાભારે શખસોનો ત્રાસ વધતો જાય છે. ત્યારે ચાણક્યપુરી વિસ્તારમાં મેડિકલ સ્ટોર ધરાવતા વેપારીને કુખ્યાત વિશાલ ઉર્ફે છોડીમલ દેસાઈએ ધમકી આપી હતી કે, ‘તારે ધંધો કરવો હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code