1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

યુરોપમાં ચિંતા વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ PM કીર સ્ટારમર વોશિંગ્ટન જશે

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના યુક્રેન પ્રત્યે કડક વલણ અને ત્રણ વર્ષના સંઘર્ષ પર મોસ્કો સાથે વાતચીતને લઈને યુરોપમાં ચિંતા વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર આગામી અઠવાડિયે વોશિંગ્ટન જશે. યુરોપની બે પરમાણુ શક્તિઓના નેતાઓ, જેઓ અલગથી મુસાફરી કરશે, તેઓ ટ્રમ્પને કોઈપણ કિંમતે વ્લાદિમીર પુતિન સાથે યુદ્ધવિરામ કરાર માટે ઉતાવળ ન […]

અદાણી જૂથ મધ્યપ્રદેશમાં વિવિધ પ્રોજેક્ટ્સ હેઠળ રૂ. 2,10,000 કરોડનું રોકાણ કરશે

અદાણી ગ્રુપે કેરલ બાદ મધ્યપ્રદેશમાં પણ મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે. સોમવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજીત ગ્લોબલ બિઝનેસ ઈન્વેસ્ટર્સ સમીટમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી કે, વિવિધ પ્રોજેક્ટ્સ માટે અદાણી જૂથ રૂ. 2,10,000 કરોડનું રોકાણ કરશે. જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને સ્માર્ટ મીટરિંગ સુધીના વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.   અદાણીનું જૂથ મધ્યપ્રદેશ […]

અદાણી પોર્ટફોલિયો કંપનીઓએ પારદર્શિ કર ભરણાનો અહેવાલ જાહેર કર્યો

2023-24ના નાણા વર્ષમાં અદાણીની કંપનીઓએ ચુકવેલા કરનું યોગદાન રુ.58,104 કરોડ પહોંચ્યું અમદાવાદ, ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫: સુશાસનના ઉચ્ચતમ ધોરણો જાળવવા સાથે તમામ હિસ્સેદારો સમક્ષ પોતાના પારદર્શિ કામકાજને નિયમિત રીતે રજૂ કરવાના હિમાયતી રહેલા માળખાકીય વિકાસના વૈશ્વિક અગ્રણી અદાણી સમૂહે હિતધારકોના હિતને ટોચના સ્થાને રાખવાની પ્રસ્થાપિત કરેલી પરંપરાને અનુરૂપ નાણાકીય વર્ષ 2023-24 માટે કરની ચૂકવણી સંબંધી તેનો […]

તુર્કીમાં ભારે હિમવર્ષાને પગલે જનજીવન ખોરવાયું, 18 પ્રાંતનાં 2,173 રસ્તાઓ બંધ

તુર્કીના 18 પ્રાંતોમાં ભારે હિમવર્ષા અને બરફવર્ષાના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. TRTનાં અહેવાલો અનુસાર, 2,173 રસ્તાઓ બંધ છે. પૂર્વી વાન પ્રાંતના મેટ્રોપોલિટન વિસ્તારમાં 19 વિસ્તારો અને 35 નાના ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, એર્સિસ જિલ્લામાં બરફની જાડાઈ 40 સેન્ટિમીટર સુધી પહોંચી ગઈ છે, જ્યાં રસ્તા સાફ કરવાનું કામ ચાલી રહ્યું […]

ભારતીય નૌકાદળે ગુલદાર જહાજને પાણીની અંદર સંગ્રહાલય માટે MTDCને સોંપ્યું

નવી દિલ્હીઃ એક સીમાચિહ્નરૂપ પહેલમાં, ભારતીય નૌકાદળે ડિકમિશન કરાયેલ લેન્ડિંગ શિપ ટેન્ક INS ગુલદારને મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MTDC) ને ભારતના પ્રથમ પાણીની અંદર સંગ્રહાલય અને કૃત્રિમ રીફમાં રૂપાંતરિત કરવા માટે સોંપ્યું છે. રૂપાંતર પ્રક્રિયામાં કોઈપણ સંભવિત પ્રદૂષકો અથવા જોખમી સામગ્રીને દૂર કરવા માટે જહાજની સંપૂર્ણ સફાઈનો સમાવેશ થશે, માર્ગદર્શિકા અનુસાર પર્યાવરણીય મંજૂરીઓ સુનિશ્ચિત કરવામાં આવશે. […]

મહાશિવરાત્રિએ સોમનાથમાં સનાતનિયોની ધૂમ, મહાપર્વની મહાઉજવણી

દેશનાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રિનાં પર્વ નિમિતે 3 દિવસનો મહોત્સવ ઉજવવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત ટુરિઝમ વિભાગે આયોજન કર્યું છે. “મહાશિવરાત્રી” 26 ફેબ્રુઆરીએ સવારે 04:00 વાગ્યાથી સતત 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર.સવારે 08:00 કલાકે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તોને પાર્થિવ શિવલિંગ મહાપુજા કરાવવામાં આવશે. દેશનાં ખૂણે ખૂણેથી આવી રહેલાં શ્રદ્ધાળુઓ […]

મોટી મેચનો ખેલાડી બાબર નહીં વિરાટ કોહલી : દાનિશ કનેરિયા

દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. ભારતમાં જીતની ઉજવણી થઈ રહી છે, ત્યારે પાકિસ્તાનમાં શોકનું વાતાવરણ છે. સમાચાર એજન્સી IANS સાથે વાત કરતી વખતે, ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ ભારત સામે પાકિસ્તાનની કારમી હાર પર પ્રતિક્રિયા આપી. કહ્યું, “પાકિસ્તાનની ટીમમાં અનુભવનો અભાવ સ્પષ્ટપણે દેખાય છે. બાબર આઝમની તુલના વિરાટ કોહલી સાથે કરવામાં […]

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ભવ્ય જીતને લઈને રાજકીય આગેવાનોએ પાઠવી શુભેચ્છાઓ

દુબઈનાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફીની પાંચમી મેચમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું. ટીમ ઈન્ડિયાની આ મહાન જીત પર દેશભરમાં ઉજવણીનો માહોલ છે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધી અને દિલ્લીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન પર ભારતની જીત બદલ અભિનંદન પાઠવ્યા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટર પર લખ્યું, “આજે […]

ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવી મેળવી જીત, વિરાટ સૌથી વધુ કેચ પકડનાર ભારતીય બન્યો

ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું છે. આ સાથે, ટીમે 2017 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં 180 રનની હારનો બદલો લીધો. રવિવારે દુબઈમાં પાકિસ્તાને 241 રન બનાવ્યા. ભારતે 42.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. ભારત તરફથી વિરાટ કોહલીએ અણનમ 100, શ્રેયસ અય્યરે 56 અને શુભમન ગિલે 46 રન બનાવ્યા. કુલદીપ યાદવે […]

સવારે આ સાત આદતો અપનાવવાથી શરીર ઉતારવામાં મળશે ફાયદો

આપણે જે કંઈ પણ કરીએ છીએ, તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. આપણી ખાવાની આદતોથી લઈને આપણી જીવનશૈલી અને સવારે ઉઠ્યા પછી આપણે શું કરીએ છીએ, આ બધું આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. જો આપણે સારી ટેવો અપનાવીએ તો શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. ખાસ કરીને સવારની આપણી આ આદતો આપણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code