1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પેસેન્જર ટ્રેનમાં 24 ડબ્બા હોય છે, પણ તમે જાણો છો કે ગુડ્સ ટ્રેનમાં કેટલા ડબ્બા હોય છે?

ભારતીય રેલ્વે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. ભારતીય રેલ્વેને દેશની લાઈફલાઈન પણ કહેવામાં આવે છે. કારણ કે મુસાફરો દેશના એક ખૂણેથી બીજા ખૂણે ખૂબ ઓછા ખર્ચે રેલમાર્ગે મુસાફરી કરે છે. જ્યાં એક તરફ લોકો ભારતીય રેલ્વેના પેસેન્જર કોચ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરે છે. તે જ સમયે, માલસામાન ટ્રેનના કોચ દ્વારા […]

વિશ્વના 75 ટકા વાઘ ભારતમાં, વસવાટ સુરક્ષાની સાથે વન્યજીવન સંઘર્ષમાં ઘટાડો કરી પ્રાપ્ત કરી સફળતા

ભારત વિશ્વના 75 ટકા વાઘનું ઘર છે. ભારતે દસ વર્ષથી ઓછા સમયમાં વાઘની વસ્તી બમણી કરી છે. શિકાર પર કડક કાર્યવાહી, વાઘના નિવાસસ્થાનનું રક્ષણ, પર્યાપ્ત શિકારની ખાતરી, માનવ-વન્યપ્રાણી સંઘર્ષ ઘટાડવા અને સ્થાનિક સમુદાયોના જીવનની ગુણવત્તામાં સુધારો કરીને આ સિદ્ધિ શક્ય બની છે. અભ્યાસ અનુસાર, ભારતની સફળતા અન્ય દેશો માટે એક ઉદાહરણ છે કે સંરક્ષણ પ્રયાસો […]

ગુજરાતઃ ‘શ્રવણ તીર્થ દર્શન યોજના’નો અત્યાર સુધી 1.5 લાખથી વધુ યાત્રાળુઓએ લીધો લાભ

ગાંધીનગરઃ ગુજરાતમાં આવેલા યાત્રાધામોનો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો સરળતાથી દર્શન કરી શકે તે હેતુથી “શ્રવણ તીર્થ દર્શન યોજના”નો રાજ્ય સરકારે 1 મે 2017એ શુભારંભ કરાયો હતો. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરના જણાવ્યા મુજબ આ યોજનામાં અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ યાત્રાળુઓએ લાભ લીધો છે, જે માટે રાજ્ય સરકારે અંદાજે 1,128 લાખથી […]

દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં એકંદરે 62 ટકા જેટલુ મતદાન

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો માટે સાંજના પાંચ વાગ્યા સુધી લગભગ 58 ટકા મતદાન થયું હતું. અરવિંદ કેજરિવાલ, રાહુલ ગાંધી, ડો. એસ.જયશંકર સહિતના મહાનુભાવોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમજ તમામ રાજકીય પક્ષોએ પોતાની જીતનો દાવો કર્યો હતો. મતદાન દરમિયાન કેટલાક સ્થળો ઉપર બોગસ મતદાનની ફરિયાદો ઉઠી હતી. સાંજે મતદાન પૂર્ણ થતા 699 જેટલા […]

વક્ફની જમીન પર 15 લાખ ભાડુઆતો! JPC ટેન્શનમાં

વક્ફ સુધારા વિધેયક પરની સંયુક્ત સંસદીય સમિતિએ વર્ષોથી વકફ મિલકતોમાં રહેતા ભાડૂતોના અધિકારો અંગેના રિપોર્ટમાં ભારે ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટના પેજ 407 અને 408માં જણાવવામાં આવ્યું છે કે દિલ્હી વક્ફ ટેનન્ટ વેલ્ફેર એસોસિએશને સંસદીય સમિતિ સમક્ષ તેમની ગંભીર સમસ્યાઓ રજૂ કરી હતી અને તેઓએ કહ્યું હતું કે તેઓ છેલ્લા 75 વર્ષથી વક્ફ બોર્ડની દુકાનોમાં […]

વોટર શેડ યાત્રા હરિયાળી અને ખુશાલી લાવવા માટે કાઢવામાં આવી રહી છેઃ શિવરાજસિંહ ચૌહાણ

ગાંધીનગરઃ જળ અને જમીનને બચાવવા માટે ભારત સરકારના ભૂમિ અને સંરક્ષણ વિભાગ તથા કૃષિ સિંચાઇ યોજના અંતર્ગત વોટરશેડ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે. આજથી દેશભરના 28 રાજ્યોમાં અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વોટરશેડ યાત્રાનો શુભારંભ કરાયો છે. વોટરશેડ યોજના સાથે જોડાયેલી એનજીઓના સભ્યો અને દેશના વિવિધ રાજ્યોના ખેડૂતોને, દિલ્હીથી વર્ચ્યુઅલી સંબોધતા કેન્દ્રીય ગ્રામીણ વિકાસ કૃષિ અને […]

પ્રધાનમંત્રીએ પ્રિન્સ કરીમ આગા ખાન IVના નિધન પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહામહિમ પ્રિન્સ કરીમ આગા ખાન IVના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ તેમની એક સ્વપ્નદ્રષ્ટા તરીકે પ્રશંસા કરી, જેમણે પોતાનું જીવન સેવા અને આધ્યાત્મિકતા માટે સમર્પિત કર્યું હતું. તેમણે આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને મહિલા સશક્તીકરણ જેવા ક્ષેત્રોમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. X ના રોજ એક પોસ્ટમાં, […]

સ્વૈચ્છિક સંસ્થા આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના સ્થાપક આગા ખાનનું 88 વર્ષની વયે નિધન

સ્વૈચ્છિક સંસ્થા આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN)ના સ્થાપક આગા ખાનનું 88 વર્ષની વયે અવસાન થયું. વિશ્વભરના લાખો શિયા ઈસ્માઈલી મુસ્લિમોના આધ્યાત્મિક નેતા આગા ખાને અંતિમ શ્વાસ લીધા. આગા ખાન ફાઉન્ડેશને જણાવ્યું કે, આગા ખાને તેમના વસિયતનામાનામાં તેમના ઉત્તરાધિકારીનું નામ લખ્યું છે જેની જાહેરાત પાછળથી કરવામાં આવશે. આગા ખાન ફાઉન્ડેશને જણાવ્યું કે શિયા ઈસ્માઈલી મુસ્લિમોના 49મા […]

રિઝર્વ બેંકના રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો થવાની શક્યતા

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટીની બેઠક શરૂ થઈ. 5થી 7 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ બેઠકના પરિણામો 7 ફેબ્રુઆરીએ RBIના ગવર્નર જાહેર કરશે. રિઝર્વ બેંક પોલિસી વ્યાજ દર રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. આર્થિક નિષ્ણાતોના મત મુજબ “આ વખતે RBIની નાણાકીય નીતિ સમિતિ રેપો […]

સાવરકુંડલાઃ માર્કેટયાર્ડમાં સૌથી વધુ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાઈ

અમદાવાદઃ અમરેલી જિલ્લાના સાવરકુંડલા માર્કેટયાર્ડમાં 2 સેન્ટર પર સૌથી વધુ ટેકાના ભાવની મગફળીની ખરીદી કરાઈ છે. જેમાં 4,400 જેટલા ખેડૂતોએ મગફળી વેચાણનું રજિસ્ટ્રેશન કરાવેલું હતું. ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે સાવરકુંડલા માર્કેટયાર્ડ ભરાઈ ગયું હતું. ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે 35 કિલોની 3.70 લાખ મગફળીની ગુણીની ખરીદી કરાઈ છે. એટલે કે કુલ 1.29 કરોડ કિલોથી પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code