1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

બેંગકોકથી આવેલી ફ્લાઈટ્સમાં લગેજ ન આવતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો

અમદાવાદ એરપોર્ટ પર આવેલી થાઈ એરવેઝની ફલાઈટ લગેજ ન આવ્યો, 170 પ્રવાસીને લગેજ ન મળતા રજુઆત કરી, ફરજ પરના સ્ટાફે યોગ્ય જવાબ ન આપતા હોબાળો મચાવ્યો   અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બેંગકોકથી આવેલી થાઈ એરવેઝની ફ્લાઈટમાં 170 પ્રવાસીઓનો લગેજ ન આવતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. પ્રવાસીઓએ એરપોર્ટ પર ચેકઈન અને પાસપોર્ટ વેરિફિકેશનની […]

નકલી IAS મેહુલ શાહ લોકોમાં રૂઆબ જમાવવા માટે અનેક તરકીબો અપનાવતો હતો

એરપોર્ટની બહાર નીકળે તો પોતાના મળતિયાઓ પાસે પુષ્પવર્ષા કરાવતો હતો, લોકોમાં રોફ જમાવવા માટે ભાજપના નેતા સાથે ગાઢ સંબંધ હોવાનું કહેતો હતો, ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરતા આરોપી પોપટની જેમ બોલવા લાગ્યો   અમદાવાદઃ નકલી IAS અધિકારીના સ્વાંગમાં લોકોને ઠગતો આરોપી મહેલ શાહને ક્રાઈમ બ્રાન્ચે પકડી લીધા બાદ પોતાના કરતૂતોની ડાયરી પોલીસ સમક્ષ પોપટની જેમ […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા નજીક પીકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત, 4નાં મોત

ચોટિલા નજીક મોલડી પાસે અકસ્માત સર્જાયો, શિયાળી ગામનો પરિવાર પિતૃ કાર્ય માટે સોમનાથ જતો હતો, ચાર સગી દેરાણી-જેઠાણીના મોતથી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ   અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં આજે અકસ્માતનો વધુ એક બનાવ અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર ચોટિલા નજીક બન્યો હતો. પીકઅપ વાન અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતના બનાવમાં […]

‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ ભારતને મજબૂત બનાવશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ યોજના ભારતને સંશોધન, શિક્ષણ અને જ્ઞાનનું હબ બનાવવાના પ્રયાસોને મજબૂત બનાવશે અને આંતરશાખાકીય અભ્યાસોને પણ પ્રોત્સાહન આપશે. ઉલ્લેખનીય છે કે PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે સોમવારે મંજૂરી આપી દીધી છે. તે એક કેન્દ્રિય યોજના છે જેનો હેતું વિદ્વાનોના સંશોધન લેખો અને જર્નલ પ્રકાશનોની રાષ્ટ્રવ્યાપી […]

અમેરિકાઃ જજે ટ્રમ્પ સામે ચૂંટણીમાં હસ્તક્ષેપનો કેસ ફગાવી દીધો

વોશિંગ્ટનઃ એક સંઘીય ન્યાયાધીશે પ્રમુખપદ જીત્યા બાદ બદલાયેલા સંજોગોને ટાંકીને વિશેષ ફરિયાદીની વિનંતીને સ્વીકારીને યુએસ પ્રમુખ-ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણીમાં હસ્તક્ષેપના કેસને ફગાવી દીધો છે. સ્પેશિયલ પ્રોસિક્યુટર જેક સ્મિથે 6 જાન્યુઆરીના રમખાણોમાં ટ્રમ્પની કથિત ભૂમિકા અને વ્હાઇટ હાઉસમાંથી વર્ગીકૃત દસ્તાવેજો હટાવવા સંબંધિત 2 કેસમાં ન્યાયાધીશોને વિનંતી કરી હતી. વોશિંગ્ટનમાં ન્યાયાધીશ તાન્યા ચુટકને વિનંતી મંજૂર કરી અને […]

ભારતીય બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે ‘બંધારણ દિવસ’ના અવસર પર બંધારણ સભાના સેન્ટ્રલ હોલમાં સંસદના બંને ગૃહોના સભ્યોને સંબોધિત કર્યા હતા. બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ પર, રાષ્ટ્રપતિ મુર્મુએ દેશવાસીઓને તેમના વર્તનમાં બંધારણીય આદર્શોને અપનાવવા અને તેમની મૂળભૂત ફરજો નિભાવવા અને 2047 સુધીમાં વિકસિત ભારતના રાષ્ટ્રીય લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કામ કરવા અપીલ કરી. તેમણે જણાવ્યું હતું […]

મુરેનામાં એક મકાનમાં ભેદી બ્લાસ્ટમાં ચાર વ્યક્તિના મોત, પાંચ ઘાયલ

ભોપાલઃ મધ્યપ્રદેશના મુરેનામાં રાત્રે એક ઘરમાં અચનાક બ્લાસ્ટ થયો હતો. આ દૂર્ઘટનામાં ચાર મહિલાઓના મોત થયા હતા, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે મુરેના જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તમામને ગંભીર હાલતમાં ગ્વાલિયર રિફર કરવામાં આવ્યા હતા. શહેરના ટંચ રોડ પર રાઠોડ કોલોનીમાં રહેતા મુનશી રાઠોડના ઘરમાં વિસ્ફોટ […]

વિવિધ રાજ્યો માટે આપત્તિ ઘટાડવા અને ક્ષમતા નિર્માણ પ્રોજેક્ટ માટે રૂ. 1115.67 કરોડને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ વિવિધ રાજ્યો માટે આપત્તિ શમન અને ક્ષમતા નિર્માણ પ્રોજેક્ટ માટે રૂ. 1115.67 કરોડ મંજૂર કર્યા છે. નાણા મંત્રી, કૃષિ મંત્રી અને નીતિ આયોગના ઉપાધ્યક્ષની બનેલી સમિતિએ નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ (NDMF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF)ની ફંડિંગ વિન્ડોમાંથી 15 રાજ્યોમાં […]

ભારતે રિયાધ ડિઝાઇન કાયદા સંધિના અંતિમ અધિનિયમ પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હીઃ લગભગ બે દાયકાની વાટાઘાટો પછી, વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન (WIPO)ના સભ્ય દેશોએ સીમાચિહ્નરૂપ ડિઝાઇન કાયદો સંધિ (DLT) અપનાવી છે. રિયાધ ડિઝાઇન કાયદા સંધિના અંતિમ અધિનિયમ પર હસ્તાક્ષર કરીને, ભારત તેની પ્રગતિનું નિર્માણ કરે છે અને સર્વસમાવેશક વૃદ્ધિને ઉત્તેજન આપવા અને બૌદ્ધિક સંપદા સંરક્ષણની સમાન પહોંચ સુનિશ્ચિત કરવા પોતાની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટી કરે છે. આ સંધિ […]

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ મહાયુતિની ભવ્ય જીત બાદ મહાયુતિના સભ્ય ભાજપા, શિવસેના(શિંદે) તથા એનસીપી (અજીત પવાર) દ્વારા નવી સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમના સમગ્ર કેબિનેટે પણ રાજીનામું આપી દીધું છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code