1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગાંધીનગરમાં સરકારી જમીનો પરના દબાણો દુર કરાશે, 1150 ઝૂપડાવાસીઓને સુચના અપાઈ

GMC, પાટનગર યોજના ભવન અને વન વિભાગ દ્વારા સંયુક્ત ઝૂંબેશ હાથ ધરાશે ઝૂંપડાવાસીઓને બે દિવસનો સમય અપાયો સૌથી વધુ દબાણો સેક્ટર-6માં કરાયેલા છે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી જમીનો પર વર્ષોથી દબાણો ખડકાયેલા છે. સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન. પાટનગર યોજના ભવન તેમજ વન વિભાગ દ્વારા સંયુક્તરીતે ઝૂંબેશ હાથ દરવામાં આવશે. જે વિસ્તારોમાં […]

શેત્રુંજી ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડાતા રવિપાકને લાભ થશે

કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં કેનાલમાં પાણી છોડાયા કેનાલ દ્વારા 122 ગામોને સિચાઈનો લાભ મળશે એપ્રિલ સુધીમાં 1150 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે ભાવનગરઃ જિલ્લાના પાલિતાણા, મહુવા, તળાજા અને ઘોઘા તાલુકાને શેત્રુંજી કેનાલ દ્વારા સિંચાઈનો લાભ આપવામાં આવે છે. હાલ રવિ સીઝનમાં પાણીની માગ ઊભી થતાં કેનાલમાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. સિંચાઈ માટેનું […]

દિલ્હી ચૂંટણીઃ અરવિંદ કેજરિવાલે મેટ્રોમાં વિદ્યાર્થીઓ માટે 50 ટકા ડિસ્કાઉન્ટની કરી માંગણી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક તરફ પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે, ત્યારે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે પીએમને લખેલા પત્રમાં દિલ્હી મેટ્રોમાં વિદ્યાર્થીઓ માટે 50 ટકા ડિસ્કાઉન્ટની માંગ કરી છે. કેજરીવાલે કહ્યું કે, […]

વડોદરામાં આજથી જેતલપુર અને લાલબાગ બ્રિજ એક મહિનો બંધ રહેશે

બન્ને બ્રિજના મરામતની કામગીરી હાથ ધરાશે પોલીસ કમિશનરે પ્રવેશબંધીનું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું વાહનો માટે વૈકલ્પિત માર્ગો સુચવાયા વડોદરાઃ શહેરમાં  જેતલપુર બ્રિજ તેમજ લાલબાગ બ્રિજની મરામત અને રોડ રિસર્ફેસિંગની કામગીરીને લીધે બન્ને બ્રિજ આજે શુક્રવાર સવારથી જ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ આ બન્ને બ્રિજ એક મહિનો બંધ રહેશે. વાહનો […]

ડિઝિટલ એરેસ્ટ કર્યોનો ડર બતાવીને રૂપિયા પડાવતી ગેન્ગને અમદાવાદ પોલીસે દબોચી

મુખ્ય આરોપી પ્રિન્સ ચાઈનિઝ ગેન્ગ સાથે સંકળાયેલો છે આરોપીઓએ બેન્ક એકાઉન્ટ ભાડે રાખ્યા હતા દેશભરમાં આરોપીઓ સામે 54 જેટલી ફરિયાદો થયેલી છે અમદાવાદઃ રાજ્યમાં ડિઝિટલ એરેસ્ટ કર્યોનો ડર બતાવીને મોબાઈલ પર ફોન કરીને ઓનલાઈન લોકોને ઠગવાના બનાવો વધી રહ્યા છે. આ સંદર્ભે લાકાને જાગૃત કરવા અખબારોમાં જાહેર-ખબરો પણ આપવામાં આવે છે. તેમજ સોશ્યલ મીડિયા દ્વારા […]

અમદાવાદ મ્યુનિ. કમિશનરે 5 વર્ષથી એક જ જગ્યાએ ચીપકેલા 28 અધિકારીઓની કરી બદલીઓ

20 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને 8 ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની બદલી સ્ટેન્ડીંગ કમિટીએ બદલીની સત્તા કમિશરને આપી હતી જન્મ મરણ વિભાગના ડો. દિવ્યાંગ ઓઝાની બદલી અમદાવાદઃ  શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં ઘણાબધા અધિકારીઓ વર્ષોથી એક જ જગ્યાએ ચીપકી રહ્યા છે. તેના લીધે ભ્રષ્ટાચારમાં પણ વધારો થઈ રહ્યો છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીએ વર્ષોથી એક જ સ્થળે નોકરી કરી રહેલા […]

દિલ્હી ચૂંટણીઃ મનીષ સિસોદિયાની જંગમ સંપત્તિ પાંચ વર્ષમાં આઠ ગણી વધી!

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જંગપુરા બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ચૂંટણી પંચ સમક્ષ પોતાનું સોગંદનામું દાખલ કર્યું છે. જેમાં સિસોદિયાએ પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો છે. સિસોદિયાએ સોગંદનામામાં લાખો રૂપિયાની જંગમ સંપત્તિ જાહેર કરી છે. ભાજપે મનીષ સિસોદિયા સામે તરવિંદર સિંહ મારવાહને મેદાનમાં ઉતાર્યા છે અને […]

નવસારીમાં હડકાયા કૂતરાનો તરખાટ, 4 દિવસમાં 70થી વધુ લોકોને બચકા ભર્યા

હડકાયા કૂતરા બે દિવસમાં 60 લોકોને કરડ્યા નવસારીના પાંચ હાટડી, વ્હોરવાડ, ભેસતખાડા વિસ્તારમાં કૂતરાનો આતંક મ્યુનિના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે લોકોમાં અસંતોષ નવસારીઃ શહેરના પાંચ હાટડી, વ્હોરાવાડ, ભેસતખાડા તેમજ ઝવેરી સડક પૂર્ણિમા માતા મદિર વિસ્તારમાં હડકાયા કૂતરાના ભાયથી લોકો ભય અનુભવી રહ્યા છે. ઝવેરી સડક પૂર્ણા માતા મંદિર વિસ્તારમાં તો હડકાયા કૂતરાઓએ માત્ર બે દિવસમાં 60 […]

પુણેમાં ટેમ્પો અને વાન વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, નવ વ્યક્તિના મોત

પુણેઃ મહારાષ્ટ્રના પૂણે નજીક ટેમ્પો અને મીની ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દર્ઘટનામાં નવ વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં મૃત્યુઆંક હજુ વધે તેવી શકયતાઓ […]

દિલ્હીમાં આયુષ્માન ભારત સ્વાસ્થ્ય યોજના હાલ લાગુ નહીં થાય, સુપ્રીમ કોર્ટે ફરમાવ્યો સ્ટે

નવી દિલ્હીઃ આયુષ્માન ભારત સ્વાસ્થ્ય યોજના સમગ્ર દેશમાં કાર્યરત છે. આ યોજના દેશની રાજધાની દિલ્હીમાં કાર્યરત કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં આ યોજના લાગુ કરવાનો હાલ ઉપર સ્ટે ફરમાવ્યો છે. તેમજ આ અંગે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આદેશમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પીએમ આયુષ્માન ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code