1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

UPSCના નવા અધ્યક્ષ તરીકે ભૂતપૂર્વ સંરક્ષણ સચિવની નિમણૂંક

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ને હવે એક નવું નેતૃત્વ મળ્યું છે. કેન્દ્ર સરકારે દેશના ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ અજય કુમારને UPSCના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. 29 એપ્રિલે પ્રીતિ સુદાનનો કાર્યકાળ પૂરો થતાં આ પદ ખાલી પડ્યું હતું. હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી બાદ અજય કુમાર આ મહત્વપૂર્ણ પદનો કાર્યભાર સંભાળશે. અજય કુમાર એક […]

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 95 ટકા કામગીરી પેપરલેસ

15 લાખ વિદ્યાર્થીની માર્કશીટ અને ડિગ્રી ‘ડિજિલોકર’માં અપલોડ VNSGU ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની યુનિનો વહિવટ ઓનલાઇન ડેશબોર્ડ અને ઈ-ફાઇલ પદ્ધતિ દ્વારા સંચાલિત થાય છે સુરતઃ આજના કોમ્પ્યુટરની યુગમાં નવિન ટેકનોલોજી અપનાવીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની છે. યુનિની 95 ટકા વહિવટી કામગીરી ડિજિટલ કરવામાં આવી છે. જેમાં 15 લાખ […]

અમદાવાદમાં અંકુર ચાર રસ્તા પરના ઓવરબ્રિજનું રવિવારે લોકાર્પણ કરાશે

925 મીટર લાંબો ઓવરબ્રિજ 116 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 18મી મેએ લોકાર્પણ કરાશે ઓવરબ્રિજની બન્ને સાઈડ લાઈટના 99 પોલ ઊભા કરાયા અમદાવાદઃ શહેરના 132 ફુટ રિંગ રોડ પરના અંકુર ચાર રસ્તા પર 116 કરોડથી વધુના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઓવરબ્રિજ તૈયાર થઈ જતા આગામી 18મી મેને રવિવારના […]

અમદાવાદના નરોડામાં બુટલેગરના ગેરકાયદે મકાનને તોડી પડાયું

અમદાવાદ મ્યુનિ.એ પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી આરોપી સરકારી જગ્યામાં ભોંયરૂ બનાવીને દારૂનું વેચાણ કરતો હતો મકાન તોડવા અગાઉ એએમસીએ નોટિસ આપી હતી અમદાવાદઃ રાજ્યમાં બુટલેટરો, અસામાજિક તત્વો સામે પોલીસ અને વહિવટી તંત્ર દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યુ છે. જેમાં બુટલેગરો અને માથાભારે અને ગુનાઈત પ્રવૃતિઓમાં સંડાવાયેલા સામે પોલીસ દ્વારા પાસાનું […]

પાકિસ્તાન સાથેના સિઝફાયર બાદ રાજનાથ સિંહ ભુજ એરબેઝની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ આગામી શુક્રવારે અને શનિવારે ગુજરાતના ભુજ એરબેઝની મુલાકાત લઈ શકે છે. આ દરમિયાન સંરક્ષણ પ્રધાન સૈનિકોને મળશે. તેમની મુલાકાત દરમિયાન, રાજનાથ સિંહ આ ક્ષેત્રમાં ભારતીય સશસ્ત્ર દળોની તૈયારીઓનું મૂલ્યાંકન કરશે અને મજબૂત સુરક્ષા પગલાંની અસરકારકતાની તપાસ કરશે. લશ્કરી તણાવ વચ્ચે, પાકિસ્તાની સેનાએ ડ્રોન દ્વારા ભૂજને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો […]

ઉપરાષ્ટ્રપતિ 15 મેના રોજ રાજસ્થાનના જયપુરની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખર અને ડૉ. (શ્રીમતી) સુદેશ ધનખર રાજસ્થાનના જયપુરની એક દિવસની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન ધનખર ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિની પુણ્યતિથિ નિમિત્તે જયપુરમાં ભૈરોં સિંહ શેખાવત મેમોરિયલ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરશે. ભૈરોં સિંહ શેખાવતે 19 ઓગસ્ટ 2002 થી 21 જુલાઈ 2007 સુધી ભારતના 11માં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ તરીકે સેવા આપી […]

ત્રણેય સેનાના વડા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યાં, ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપી

નવી દિલ્હીઃ દેશના ટોચના લશ્કરી નેતૃત્વએ બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આતંકવાદી છાવણીઓને નિશાન બનાવીને ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. જ્યાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ એ.પી. સિંહ અને નેવી ચીફ […]

જમ્મુ-કાશ્મીરઃ શોપિયામાં ઠાર મરાયેલા આતંકવાદીઓ પાસેથી મળ્યાં આધુનિક હથિયારો

નવી દિલ્હીઃ દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના કેલરના શુકરુ જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા લશ્કર-એ-તૈયબા (LeT) ના ત્રણ આતંકવાદીઓ પાસેથી શસ્ત્રો અને દારૂગોળોનો મોટો જથ્થો મળી આવ્યો છે. મંગળવારે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના કેલરના શુકરુ જંગલ વિસ્તારમાં એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબા (LeT) ના ત્રણ આતંકવાદીઓ […]

ભારત સામે આંગળી ચીંધનારના અંતિમ સંસ્કારમાં રડનાર પણ કોઈ નહીં હોયઃ CM યોગી

લખનૌ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, એ વાત ચોક્કસ છે કે જે કોઈ ભારત તરફ આંગળી ચીંધશે અને આપણી બહેનો અને દીકરીઓના સન્માન વિરુદ્ધ કામ કરશે અને સુરક્ષા તોડશે, તો તેના અંતિમ સંસ્કારમાં રડનાર કોઈ નહીં હોય. રાજ્યની રાજધાની લખનૌમાં ભારત શૌર્ય તિરંગા યાત્રાના સંદર્ભમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે, “આપણા સૈનિકોના […]

પાકિસ્તાનમાં ભૂલથી જતા રહેલા BSF જવાન સાહૂની 21 દિવસ બાદ અંતે મુક્તિ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે. દરમિયાન ભૂલથી પાકિસ્તાનની સરહદમાં પ્રવેશી ગયેલા પૂર્ણમ કુમાર સાહૂની વતન વાપસી થઈ છે. બીએસએફ જવાન સાહૂ 23મી એપ્રિલના રોજ ભૂલથી પાકિસ્તાનની સીમામાં જતો રહ્યો હતો. જે બાદ પાકિસ્તાની સેનાની તેની ધરપકડ કરી હતી. પીકે સાહૂને 21 દિવસ બાદ મુક્ત કરવામાં આવ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code