મણિપુરમાં ભારે વરસાદને પગલે જીનજીવન ખોરવાયું, 19811 લોકોને અસર
ઇમ્ફાલઃ મણિપુરમાં નદીઓના પાણીના પ્રવાહ અને બંધ તૂટવાથી આવેલા પૂરથી 19000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસથી સતત મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરથી 3365 ઘરોને નુકસાન થયું છે અને 19811 લોકો પ્રભાવિત થયા છે. લોકોને ઘરો અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢીને 31 રાહત શિબિરોમાં લઈ જવામાં આવ્યા છે. […]


