1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

આસામમાં પૂરથી 22 જિલ્લામાં જનજીવન ખોરવાયું, બ્રહ્મપુત્રા સહિત 15 નદીઓ ખતરાના નિશાનથી ઉપર

નવી દિલ્હીઃ આસામમાં સતત વરસાદને કારણે પૂરની સ્થિતિ ગંભીર બની છે. બ્રહ્મપુત્રા (નિમાટીઘાટ, તેઝપુર), સુબાનસિરી (બારાતીઘાટ), બુરીડીહિંગ, ધનસિરી (નુમાલીગઢ), કપિલી (કમપુર, ધરમતુલ), બરાક (છોટા બેકરા, ફુલર્ટલ, એપી ઘાટ, બીપી ઘાટ), રુકની (ધોલાઈ), ધલેશ્વરી (કટારાજી) અને કટારા (કુહાલ) (શ્રીભૂમિ) નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. 22 જિલ્લા પૂરથી પ્રભાવિત છે. આમાં લખીમપુર, નાગાંવ, કચર, દિબ્રુગઢ, […]

99 ટકા મુસ્લિમ વસતી ધરાવતા મોરોક્કોમાં બકરી ઈદ ઉપર કુરબાની આપવા ઉપર પ્રતિબંધ મુકાયો

ઈદ-અલ-અઝહા એટલે કે બકરી ઈદની આ મહિનાની 6 અને 7 તારીખે ઉજવવામાં આવશે. આ દિવસે ઈસ્લામના અનુયાયીઓ બકરી કે અન્ય કોઈ પશુની કુર્બાની આપે છે. જેના સંદર્ભમાં એક મોટા મુસ્લિમ દેશે મોટો નિર્ણય લીધો છે. 99 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ઈસ્લામિક દેશ મોરોક્કોએ બલિદાન અંગે કડક આદેશો આપ્યા છે કે કોઈ પણ નાગરિક ઈદ પર […]

કોમનવેલ્થ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં શૌર્યએ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા

બાલી ખાતે યોજાયેલી કોમનવેલ્થ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ – 2025માં 12 દેશોએ ભાગ લીધો, યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભારતે 83 ગોલ્ડ મેડલ જીત્યા, યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઇન્ડિયાએ અસાધારણ પ્રદર્શન ઘ ઈન્ડિયન યોગાસના સ્પોર્ટ્સ ફેડરેશન ઇન્ડિયન યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન ઇન્ડોનેશિયાના બાલીમાં ગઈ તા. 25મી મેના રોજ આયોજિત પહેલી કોમનવેલ્થ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ – 2025માં ભારતની ઐતિહાસિક જીતની […]

ભારતે પાકિસ્તાનમાં 20 નહીં પરંતુ 28 સ્થળ ઉપર હુમલો કર્યાનો પાકિસ્તાનના ડોઝિયરમાં ખુલાસો

નવી દિલ્હીઃ ભારતના ઓપરેશન સિંદૂરની સફળતાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સમય દરમિયાન, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. હવે પાકિસ્તાનના ડોઝિયરમાં ઓપરેશન સિંદૂર અંગે એક મોટો ખુલાસો થયો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય સેનાએ જે કહ્યું છે તેના કરતાં પાકિસ્તાનને વધુ […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે સંપર્ક ધરાવતા 3 સરકારી કર્મચારીઓ બરતરફ કરાયાં

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ મંગળવારે આતંકવાદ સાથે જોડાયેલા ત્રણ સરકારી કર્મચારીઓને બરતરફ કર્યા હતા. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ મંગળવારે લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને હિઝબુલ-મુજાહિદ્દીન (એચએમ) માટે કામ કરતા ત્રણ સરકારી કર્મચારીઓને બરતરફ કર્યા હતા. ઓગસ્ટ 2020 માં પદ સંભાળ્યા પછી, મનોજ સિન્હાએ સક્રિય આતંકવાદીઓ અને તેમના સહાયક નેટવર્ક, જેમાં ઓવરગ્રાઉન્ડ વર્કર્સ […]

પાકિસ્તાનમાં વધુ એક કુખ્યાત આતંકવાદી અબ્દુલ અઝીઝ એસારનું ભેદી સંજોગોમાં મોત

પંજાબના બહાવલપુર વિસ્તારમાંથી ખૂંખાર આતંકવાદી અબ્દુલ અઝીઝ એસારનો ભેદી સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો છે. તેનું મૃત્યુ કેવી રીતે થયું તે હજુ સ્પષ્ટ નથી. અબ્દુલ અઝીઝ ગયા મહિને ભારત વિરોધી રેલીમાં સામેલ થયો હતો અને તેણે USSRની જેમ ભારતને ટુકડાઓમાં વિભાજીત કરવાની વાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેના સાથીને વહેલી સવારે તેનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળી […]

માલી: ટિમ્બક્ટુમાં 14 આતંકવાદીઓને સુરક્ષા જવાનોએ ઠાર માર્યાં

બમાકોઃ ઉત્તરી માલી શહેર ટિમ્બક્ટુમાં લશ્કરી છાવણીમાં આતંકવાદીઓએ ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જો કે, જવાનોએ 14 જેટલા આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઘૂસણખોરીનો પ્રયાસ સ્થાનિક સમય મુજબ સવારે 10 વાગ્યાની આસપાસ થયો હતો અને “માલી સશસ્ત્ર દળો (FAMA) ના ઝડપી પ્રતિભાવ દ્વારા આતંકવાદીઓને તાત્કાલિક ભગાડવામાં આવ્યા હતા.” “પ્રારંભિક માહિતી […]

ગૌરવ ગોગોઈએ આસામ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો

ગુવાહાટીઃ લોકસભા સભ્ય ગૌરવ ગોગોઈએ મંગળવારે આસામ કોંગ્રેસના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો અને આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કરવા માટે તૈયારીઓ શરૂ કરી છે. રાજ્ય કોંગ્રેસના મુખ્યાલયમાં તેમને રાજ્યના મુખ્ય વિપક્ષી પક્ષના વિદાયમાન અધ્યક્ષ ભૂપેન કુમાર બોરા દ્વારા કમાન સોંપવામાં આવી હતી, જેમણે ત્રણ વર્ષથી વધુ સમય સુધી રાજ્યના મુખ્ય વિપક્ષી પક્ષનું નેતૃત્વ […]

રાજસ્થાનઃ જાસૂસી આરોપસર જેસલમેર રોજગાર કાર્યાલયના સહાયક વહીવટી અધિકારીની ધરપકડ

જયપુર: રાજસ્થાન ગુપ્તચર એજન્સીએ મોટી કાર્યવાહી કરીને જાસૂસીના આરોપસર જેસલમેરના રોજગાર કાર્યાલયમાં કાર્યરત સહાયક વહીવટી અધિકારી શકુર ખાનની ધરપકડ કરી છે. પોલીસ મહાનિરીક્ષક (CID સુરક્ષા) વિષ્ણુકાંત ગુપ્તાએ જણાવ્યું હતું કે શકુર ખાનની પ્રવૃત્તિઓ લાંબા સમયથી શંકાસ્પદ જણાઈ રહી હતી. આ કારણે, સુરક્ષા એજન્સીઓ દ્વારા તેના પર નજીકથી નજર રાખવામાં આવી રહી હતી. દેખરેખ દરમિયાન, એવું […]

દક્ષિણ કોરિયાને આજે નવા રાષ્ટ્રપતિ મળશે

દક્ષિણ કોરિયાના લોકો આજે તેમના નવા રાષ્ટ્રપતિની પસંદગી કરશે. રાષ્ટ્રપતિ પેટાચૂંટણી માટે મંગળવારે સવારે 6 વાગ્યાથી દેશભરના 14,295 મતદાન મથકો પર મતદાન શરૂ થયું. બંધારણીય અદાલતે ગયા વર્ષના અંતમાં માર્શલ લો જાહેર કરવા બદલ એપ્રિલમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યુન સુક યોલને પદ પરથી દૂર કર્યાના 60 દિવસ પછી આ પેટાચૂંટણી થઈ રહી છે. ધ કોરિયા ટાઇમ્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code