1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

છત્તીસગઢ નવા ફોજદારી કાયદાઓ ટૂંક સમયમાં લાગુ કરીને એક આદર્શ રાજ્ય બનવું જોઈએઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાંઈ સાથે રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા બેઠક યોજી હતી. આ ચર્ચામાં પોલીસ, જેલો, અદાલતો, કાર્યવાહી અને ફોરેન્સિક સેવાઓ સાથે સંબંધિત મુખ્ય જોગવાઈઓની પ્રગતિ અને વર્તમાન સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. […]

ભારત સાઉદી અરેબિયા સાથેના તેના લાંબા ગાળાના અને ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપે છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ હું સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર બે દિવસની રાજકીય મુલાકતે જઈ રહ્યો છું. ભારત સાઉદી અરેબિયા સાથેના તેના લાંબા ગાળાના અને ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપે છે, જેણે તાજેતરના વર્ષોમાં વ્યૂહાત્મક ઊંડાણ અને ગતિ મેળવી છે. સાથે મળીને, અમે સંરક્ષણ, વેપાર, રોકાણ, ઊર્જા […]

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પરિવાર સાથે અક્ષરધામ મંદિરની લીધી મુલાકાત

નવી દિલ્હીઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સોમવારે તેમના પરિવાર સાથે ભારતની મુલાકાતે દિલ્હી પહોંચ્યા. મુલાકાતના પહેલા દિવસે તેમણે નવી દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી. તેમની સાથે તેમની પત્ની અને ત્રણ બાળકો – ઇવાન, વિવેક અને મીરાબેલ પણ હતા. વાન્સ પરિવારે મંદિરની ભવ્યતા, કલા અને સુંદર સ્થાપત્યની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે મંદિરમાં તેમને ભારતની ઊંડી […]

ભારત સરકારે ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસના અવસાનને કારણે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી

નવી દિલ્હીઃ ભારત સરકારે ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસના અવસાનને કારણે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે, પોપ ફ્રાન્સિસનું ગઇકાલે અવસાન થયું હતું. આજે અને આવતીકાલે બે દિવસના રાજકીય શોક પાળવામાં આવશે. અંતિમ સંસ્કારના દિવસે એક દિવસનો રાજકીય શોક મનાવવામાં આવશે. રાજ્ય શોકના સમયગાળા દરમિયાન, જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે ત્યાં અડધી કાઠીએ ધ્વજ ફરકાવાશે […]

રામબન ભૂસ્ખલન: જમ્મુ-શ્રીનગર હાઇવેને પુનઃસ્થાપિત કરવામાં વધુ પાંચ દિવસ લાગશે

નવી દિલ્હીઃ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સતત ત્રીજા દિવસે મંગળવારે બંધ રહ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે, હાઇવેને પુનઃસ્થાપિત કરવામાં વધુ પાંચ દિવસ લાગશે. જ્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના એન્જિનિયરોનું કહેવું છે કે, હાઇવેને 22 જગ્યાએ નુકસાન થયું છે અને સમારકામનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. લગભગ 4 થી 5 કિલોમીટરનો ભાગ સંપૂર્ણપણે […]

PM મોદી અને US VP જેડી વેન્સે દ્વિપક્ષીય સંબંધોની કરી સમિક્ષા

નવી દિલ્હીઃ અમેરિકાના નાયબ પ્રમુખ જેમ્સ ડેવિડ (જે.ડી.) વેન્સ ચાર દિવસના ભારત પ્રવાસે છે. વેન્સ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થઇ હતી. બેઠકમાં તમામ મોટા મુદ્દા અંગે વિસ્તારપુર્વક ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓએ આર્થિક ક્ષેત્રના અનેક મોરચે સધાયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. પારસ્પરિક લાભકારી ભારત- અમેરિકા વેપાર સમજૂતી માટે ચાલી રહેલી વાટાઘાટોમાં સધાયેલી […]

વિશ્વ પૃથ્વી દિવસઃ રાજકીય મહાનુભાવો સહિતના આગેવાનોએ પર્યાવરણની જાળવણી માટે કરી અપીલ

પૃથ્વીના સંરક્ષણ અને પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદેશ્ય સાથે ઉજવાય છે. વિશ્વભરમાં જાગૃતિ લાવવા, પર્યાવરણીય સંરક્ષણ માટે સંવેદનશીલતા વધારવા અને જીવન ચક્રની સુરક્ષા માટે પ્રેરિત કરવા માટે ઉજવણી.. દર વર્ષે 22 એપ્રિલના દિવસને વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ પર્યાવરણ સંરક્ષણ તરફ ધ્યાન દોરવાનો છે. વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે, નેતાઓએ […]

IPL : ગુજરાતે કોલકાતાને 39 રનથી હરાવ્ચું, પોઈન્ટ ટેબલ ઉપર ગુજરાત ટોપ ઉપર

કોલકાતાઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની સોમવારે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 39 રનથી હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચેની આ મેચ કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટોસ જીત્યા બાદ, KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતમાંથી ગિલના 90 અને સાઈ સુદર્શનના શાનદાર […]

કે.એલ.રાહુલને ટેટૂના કારણે માતા-પિતાની નારજગીનો સામનો કરવો પડ્યો હતો

ભારતીય ક્રિકેટ ટીમનો મહત્વનો ખેલાડી અને હાલ આઈપીએલમાં દિલ્હી તરફથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો કે.એલ.રાહુલ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. કે.એલ.રાહુલે પ્રથમવાર જ્યારે પોતાના શરીર ઉપર ટેટુ કરાવ્યું ત્યારે તેને માતા-પિતાની ભારે નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. કેએલ રાહુલ દિલ્હી કેપિટલ્સનો એક મજબૂત ખેલાડી છે. તેણે IPLમાં ઘણી વખત પોતાનો જાદુ બતાવ્યો છે. રાહુલ IPL […]

250 વખત રિજેક્ટ થયા બાદ આ અભિનેતાનું કિસ્મત ચમક્યું, અનેક મહત્વના પ્રોજેક્ટમાં કર્યું કામ

સપનાના શહેર મુંબઈમાં દરેક વ્યક્તિ માટે અભિનેતા બનવું મુશ્કેલ છે. આવા ઘણા સ્ટાર્સ અહીં આવ્યા છે. કેટલાક સખત મહેનત કરીને રાજા બન્યા, જ્યારે કેટલાક અસ્વીકારનું દુઃખ સહન કરીને ગુમનામ બની ગયા. પરંતુ આ અભિનેતા 250 વાર રિજેક્ટ થયા પછી પણ તેણે અભિનેતાએ હાર ન માની. આજે આ અભિનેતા મહત્વના પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે. આજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code