1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારતમાં વન વિસ્તારમાં વધારો, વિશ્વના ટોચના 10 દેશોમાં થયો સમાવેશ

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોમાં વન વિસ્તારમાં વધારો નોંધાયેલો વિશ્વના ટોચના 10 દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ગુરુવારે જાહેર કરાયેલા SBI સંશોધન અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. ૧૯૯૧ થી ૨૦૧૧ સુધી ભારતનું વન આવરણ સ્થિર રહ્યું, પરંતુ ત્યારબાદ તેમાં વધારો જોવા મળ્યો છે.SBIના અહેવાલ મુજબ, “શહેરીકરણ અને વન આવરણ વચ્ચેનો સંબંધ U-આકારનો છે… પ્રારંભિક તબક્કાનું […]

ગાંધીનગરમાં તિરંગા યાત્રામાં નગરજનો જોડાયા, ભારતિય સૈન્યના પરાક્રમને આપી સલામી

રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તિરંગા યાત્રામાં જોડાયા નાગરિકોએ ઓપરેશન સિંદૂરની કરી ઊજવણી તિરંગા યાત્રામાં ભાજપના ધારાસભ્ય અને પદાધિકારીઓ પણ જોડાયા ગાંધીનગરઃ  કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 જેટલા આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યા હતા. 100થી વધુ આતંકીઓને ખતમ કર્યા હતા. […]

ચિલોડાના ચંદ્રાલા નાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન પિસ્ટલ-બે તમંચા અને 26 કારતૂસ મળ્યા

કેરળનો શખસ લકઝરી બસમાં હથિયારો લાવતા પકડાયો હથિયારોની ડિલિવરી કોને કરવાની હતી તે અંગે પોલીસે હાથ ધરી તપાસ આરોપી પાસેથી બે પાસપોર્ટ પણ મળી આવ્યા ગાંધીનગરઃ જિલ્લામાં પોલીસ વડાની સુચનાથી વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દરમિયાન ચીલોડા પોલીસે ચંદ્રાલા ગામના નાકા નજીક હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. રાજસ્થાન તરફથી આવેલી […]

અમદાવાદમાં સાબરમતી નદી સ્વચ્છતા અભિયાનમાં મોટાભાગના કોર્પોરેટરો ન જોડાયા

એએમસીના કમિશનર, ધારાસભ્યો અને મેયર જોડાયા નદીમાંથી પ્લાસ્ટિકનો કચરો, ધજાઓ અને માળાઓ સહિત વસ્તુઓ બહાર કાઢાઈ કાંપ અને કચરો મોટાપ્રમાણમાં હોવાથી નદીની સાફસફાઈમાં સમય લાગશે અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીના કાઠે બન્ને સાઈડ રિવરફ્રન્ટ બનાવીને વાસણા બેરેજ સુધી નર્મદાનું પાણી ભરવામાં આવે છે. જેના લીધે સાબરમતી નદી બન્ને કાંઠે ભરાયેલી રહે છે. નદીમાં પાણી ભરાયેલું રહેતુ […]

અમદાવાદના રખિયાલમાં મેગા ડિમોલિશન, 20 કારખાના-દુકાનો પર બુડોઝર ફેરવાયું

કોમન પ્લોટ પર બાંધકામ કરીને નમાઝ માટે જગ્યા તોડી પડાઈ 350થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો વર્ષ 2008માં ગેરકાયદે બાંધકામો તોડાયા બાદ ફરી દબાણો કરી દેવાયા હતા અમદાવાદઃ શહેરના રખિયાલ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આજે સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ પર બૂલડોઝર ફેરવાયું છે. કોમન પ્લોટ […]

અમદાવાદમાં નારણપુરા અકસ્માત કેસમાં નાસી ગયેલો કારચાલક પકડાયો

મંગળવારે રાતે બાઈકને ટક્કર મારીને કારનો ચાલક નાસી ગયો હતો અકસ્માતમાં બાઈકસવારનું મોત નિપજ્યું હતું ધરપકડ કરાયેલો 19 વર્ષીય કારચાલક કોલેજનો વિદ્યાર્થી છે અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં મંગળવારની રાતે શહેરના નારણપુરા ચાર રસ્તા નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર એક યુવાનું મોત નિપજ્યું હતું. અને એક યુવાને […]

ભારતીય સેનાએ મ્યાનમાર સરહદ પર 10 આતંકવાદીઓને ઠાર માર્યા

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ભારત-મ્યાનમાર સરહદ પર 10 આતંકવાદીઓને ઠાર માર્યા છે. સેનાના પૂર્વીય કમાન્ડે X પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. ભારતની પૂર્વીય સરહદ પર આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે તાજેતરમાં ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. આ કાર્યવાહી બાદ ભારત અને પાકિસ્તાન […]

બલુચિસ્તાન હવે પાકિસ્તાનનો હિસ્સો ન હોવાનું બલોચ નેતાએ કર્યું એલાન

લાહોરઃ પાકિસ્તાની સરકાર અને સૈન્યના અત્યાચારોનો ભોગ બનેલા બલુચિસ્તાનને સ્થાનિક નેતાઓ અને જનતાએ સ્વતંત્ર જાહેર કરી દીધુ છે. આ ઉપરાંત પાક. સામેની આ લડાઇમાં ભારત ઉપરાંત વિશ્વભરના દેશોની મદદ પણ માગી છે. બલુચિસ્તાનના નેતા મીર યાર બલોચે બુધવારે સત્તાવાર રીતે બલુચિસ્તાનની આઝાદીની ઘોષણા કરી દીધી હતી. સાથે જ તેમણે પાક.ને ચેતવણી આપતા કહ્યું હતું કે […]

ઓપરેશન સિંદૂરઃ ભારતે પાકિસ્તાનનું મેડ ઈન ચાઈના એર ડિફેન્સ સિસ્ટમ જામ કર્યું હતું

નવી દિલ્હીઃ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને નવા આતંકવાદી અડ્ડાઓને નાશ કર્યા બાદ પાકિસ્તાન દ્વારા ભારત ઉપર ડ્રોન અને મીસાઈલ વડે હુમલો કર્યો હતો. જેનો ભારતે વળતો જવાબ આપીને કેટલાક એરબેઝને નુકશાન કર્યું હતું. ભારત સરકારે પાકિસ્તાન સ્થિત ચાઈનાએ આપેલા એર ડિફેન્સ સિસ્ટમને 23 મિનિટ સુધી જામ કર્યું હોવાનું જાણવા મળે છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 […]

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદને નાથવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન બે દિવસ પહેલા જ શોપિયામાં સુરક્ષાદળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. આજે સુરક્ષાદળોએ ત્રાસમાં વધારે 3 આતંકવાદીને એન્કાઊન્ટરમાં ઠાર માર્યાં છે. આમ સુરક્ષા દળોએ 48 કલાકની આંદરમાં જ 6 આતંકવાદીને મોતને ઘાટ ઉતાર્યાં છે. આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code