1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારતીય સુરક્ષાદળોના કવાયતનું લાઈવ પ્રસારણ હવે નહીં થઈ શકે

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે આતંકવાદ મુદ્દે પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરી છે. જે બાદ બંને દેશ વચ્ચે તણાવ વધ્યો છે. બીજી તરફ સરહદ ઉપર બંને દેશ દ્વારા સુરક્ષા દળોને તૈનાત કરી દેવામાં આવ્યાં છે. દરમિયાન કેન્દ્ર સરકારે શનિવારે દેશના મીડિયા ચેનલોને સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની હિલચાલનું લાઇવ પ્રસારણ ટાળવાની સલાહ […]

પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પી

નવી દિલ્હીઃ વેટિકન સિટીમાં આજે પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું, પોપ ફ્રાન્સિસની સમાજ પ્રત્યેની સેવાને દુનિયા હંમેશા યાદ રાખશે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની ભૂતપૂર્વ પોસ્ટ ફરીથી પોસ્ટ કરીને આ સંદેશ શેર કર્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વેટિકન સિટીના સેન્ટ પીટર બેસિલિકામાં પોપ ફ્રાન્સિસના પાર્થિવ દેહ પર ફૂલો ચઢાવીને તેમને શ્રદ્ધાંજલિ […]

માર્ચમાં 1.45 કરોડ લોકોએ ડોમેસ્ટિક એરલાઇન્સમાં મુસાફરી કરી, DGCAનો દાવો

નવી દિલ્હી : માર્ચ મહિનામાં, દેશમાં 1.45 કરોડ લોકોએ સ્થાનિક એરલાઇન્સ દ્વારા મુસાફરી કરી હતી. આ એક વર્ષ પહેલાના સમાન સમયગાળા કરતા 8.79 ટકા વધુ છે. શનિવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડામાં આ માહિતી આપવામાં આવી હતી. ગયા વર્ષે માર્ચમાં ભારતીય એરલાઇન્સ દ્વારા કુલ 1.33 કરોડ લોકોએ મુસાફરી કરી હતી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તેના […]

મેન્યુફેક્ચરિંગ મિશન દેશભરના લાખો MSME અને નાના ઉદ્યોગસાહસિકોને ટેકો આપશે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું હતું અને આજે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને 51,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે ભારત સરકારનાં વિવિધ વિભાગોમાં આ યુવાનો માટે નવી જવાબદારીઓની શરૂઆત થઈ રહી છે. તેમણે નોંધ્યું હતું […]

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ચીને પાકિસ્તાનને આપ્યા હથિયાર

નવી દિલ્હીઃ પહેલગામ હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાનને ચીન તરફથી 100 થી વધુ PL-15 લોંગ રેન્જ એર-ટુ-એર મિસાઇલો (VLRAAM) મળી છે, જે એક સંદેશ છે કે આ તણાવ ગમે ત્યારે મોટા યુદ્ધમાં ફેરવાઈ શકે છે. આ મિસાઇલોની મહત્તમ રેન્જ 200 કિલોમીટર હોવાનું કહેવાય છે. જે અગાઉના PL-12 કરતા ઘણું વધારે છે, […]

દિલ્હીથી બધા પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલવામાં આવશે: રેખા ગુપ્તા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આના જવાબમાં, કેન્દ્ર સરકારે એક મોટો અને કડક નિર્ણય લીધો છે અને કહ્યું છે કે ભારતમાં રહેતા તમામ પાકિસ્તાની નાગરિકોને દેશમાંથી હાંકી કાઢવામાં આવશે અને હવે કોઈ નવા વિઝા આપવામાં આવશે નહીં. સરકારે સ્પષ્ટતા કરી […]

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર સફાઈ કરેલા કર્મચારીઓને પિકઅપ વાહને લીધા અડફેટે, છના મોત

નવી દિલ્હીઃ હરિયાણાના મેવાત જિલ્લામાં સ્થિત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર શનિવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. આ દુ:ખદ ઘટના ફિરોઝપુર ઝીરકા પોલીસ સ્ટેશન હદ હેઠળના ઇબ્રાહિમબાસ ગામ પાસે બની હતી, જ્યારે લગભગ 11 કર્મચારીઓ એક્સપ્રેસ-વેની સફાઈ કરી રહ્યા હતા. સવારે લગભગ 10 વાગ્યે, એક ઝડપી પિકઅપ વાહન અચાનક આવ્યું અને સફાઈ કામદારોને ટક્કર મારી, જેમાં 6 […]

પાકિસ્તાનનો લુલો બચાવ, પહેલગામ હુમલાની આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનની ગભરાટ વધી ગઈ છે. આતંકવાદને સમર્થન આપવા બદલ ચારે બાજુથી પાકિસ્તાનની ટીકા થઈ રહી છે. પહેલગામ આતંકવાદી હુમલાને લઈને પાકિસ્તાન ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયું છે અને હવે તેણે એક નવી રણનીતિ અપનાવી છે. તેમજ પાકિસ્તાને પહેલગામ હુમલાની આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી છે. અહેવાલ મુજબ, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા […]

મણિપુરમાં પ્રતિબંધિત સંગઠનના ચાર સભ્યોની સુરક્ષાદળોએ કરી ધરપકડ

નવી દિલ્હીઃ મણિપુરમાં પોલીસે બે પ્રતિબંધિત સંગઠનો સાથે સંકળાયેલા ચાર લોકોની ધરપકડ કરી છે. આ ધરપકડો ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લામાંથી કરવામાં આવી છે. પોલીસને આરોપી વિશે ગુપ્ત માહિતી મળી હતી. માહિતીના આધારે, પોલીસે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના સેઝાંગ માયેઇ અને ટેલ્લો મામાંગ લેઇકેઇ વિસ્તારોમાં દરોડા પાડ્યા અને પ્રતિબંધિત સંગઠન PREPAK સાથે જોડાયેલા બે લોકોની ધરપકડ કરી […]

દેવબંદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયો બ્લોસ્ટ, 3ના મોત

લખનૌઃ દેવબંદમાં ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે સવારે જોરદાર વિસ્ફોટ થયા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિસ્ફોટ સમયે ફેક્ટરીની અંદર ઘણા લોકો હાજર હતા, આ દૂર્ઘટનામાં ત્રણ યુવાનોના મોત થયા હોવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનામાં રાહુલ રામકુમાર (ઉ.વ. 24), વિશાલ સંદીપકુમાર (ઉ.વ. 25) અને વિકાસ રાજબલનું મૃત્યું થયું છે. આ દૂર્ઘટનાને પગલે રોષે ભરાયેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code