1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

દિલ્હીમાં ગુનાખોરી વધી, સીલમપુરમાં યુવાનની ગોળી મારીને હત્યા કરાઈ

રાજધાની દિલ્હીમાં મૃત્યુનો સિલસિલો ચાલુ છે. સીલમપુરમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. સીલમપુરના કે બ્લોકમાં મોડી રાત્રે એક યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ આ કેસની તપાસમાં જોડાઈ ગઈ છે. ગુનો કર્યા પછી આરોપી ભાગી ગયો હતો. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. તાજેતરમાં, દિલ્હીના ન્યુ સીલમપુરના જે બ્લોકમાં […]

જમ્મુ-કાશ્મીરઃ પહેલગામ હુમલા મામલે પોલીસે ડોડામાં અનેક સ્થળો ઉપર દરોડા પાડ્યાં

નવી દિલ્હીઃ પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ આજે સોમવારે સવારથી જ જમ્મુ-કાશ્મીર પોલીસે ડોડા જિલ્લામાં 13 સ્થળો ઉપર એક સાથે દરોડા પાડ્યાં હતા. આ કામગીરીનો ઉદ્દેશ્ય આતંકવાદીઓના ઠેકાણાઓનો પર્દાફાશ કરવાનો અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને ન્યાયના કઠેડામાં લાવવાનો છે. 22 એપ્રિલના રોજ, પહેલગામના બૈસરનમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં એક નેપાળી નાગરિકનો […]

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત-અફઘાનિસ્તાન વચ્ચે બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. પહેલગામ હુમલા પછી, બંને દેશોએ ઘણા મોટા નિર્ણયો લીધા છે. દરમિયાન, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મિત્રતા વધતી જતી હોય તેવું લાગે છે. આ પાકિસ્તાન માટે આઘાતજનક સમાચાર હોઈ શકે છે. અફઘાનિસ્તાન બાબતોના નિષ્ણાત આનંદ પ્રકાશે તાજેતરમાં કાબુલમાં તાલિબાનના કાર્યકારી વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીને મળ્યા હતા. […]

કેરલમાં સીએમ આવાસ અને મુખ્યમંત્રી કાર્યાલવને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

બેંગ્લોરઃ કેરલમાં મુખ્યમંત્રી કાર્યાલય અને સત્તાવાર નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. તેમજ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની મદદથી સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. જો કે, પોલીસની તપાસ દરમિયાન કંઈ વાંધાજનક મળી નહીં આવ્યાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર, કેરળમાં મુખ્યમંત્રી […]

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ દરમિયાન PM શરીફે પૂર્વ PM નવાઝ શરીફ સાથે કરી વાતચીત

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) ના પ્રમુખ નવાઝ શરીફને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (એનએસસી) ની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી. ભારતે સિંધુ જળ સંધિ (IWT) સસ્પેન્ડ કર્યા બાદ આ બેઠક બોલાવવામાં આવી હતી. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે આ કડક પગલું ભર્યું હતું. શાહબાઝ શરીફે તેમની મુલાકાત દરમિયાન નવાઝ શરીફને કહ્યું […]

ભારતની કાર્યવાહીથી પાકિસ્તાને હવે તુર્કીય પાસે માંગી મદદ, તુર્કીનું લશ્કરી પરિવહન વિમાન પાકિસ્તાન પહોંચ્યું

પહેલગામ હત્યાકાંડ પછી, ભારતીય હુમલાના ડરથી, પાકિસ્તાને ચીન અને રશિયા બાદ મિત્ર દેશ તુર્કી પાસેથી મદદ માંગી છે. ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ અનુસાર, તુર્કીનું એક C-130 લશ્કરી પરિવહન વિમાન પાકિસ્તાન પહોંચી ગયું છે. એવું માનવામાં આવે છે કે તુર્કીએ આ વિમાન દ્વારા પાકિસ્તાનને દારૂગોળો મોકલ્યો છે કારણ કે પાકિસ્તાની સેના દારૂગોળો અને ઇંધણની ભારે અછતનો સામનો […]

ભારતના આકરા વલણ વચ્ચે પાક આર્મીના ચીફ અસીમ મુનીર બાદ હવે બિલાવલ ભુટ્ટોના પરિવારે પાકિસ્તાન છોડ્યું

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની સાથે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા મોટા પગલાં લઈને કાર્યવાહી કરી છે. આ અંગે પાડોશી દેશમાં ગભરાટનો માહોલ છે અને લોકો ભયના છાયામાં જીવી રહ્યા છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લોકો દેશ છોડીને ભાગવા લાગ્યા છે. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ […]

મધ્યપ્રદેશ: મની લોન્ડરિંગ કેસમાં EDએ  ભોપાલ અને ઇન્દોર સહિત 11 સ્થળોએ દરોડા પાડ્યાં

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2015-16 અને 2017-18 વચ્ચે દારૂના વેપારમાં આશરે 50 કરોડ રૂપિયાની કથિત અનિયમિતતાઓ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગ રૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સોમવારે મધ્યપ્રદેશમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ભોપાલ, ઇન્દોર અને મંદસૌરમાં વિવિધ દારૂના ઠેકેદારો સાથે જોડાયેલા ઓછામાં ઓછા 11 પરિસર પર મની […]

જમ્મુ-કાશ્મીર વિધાનસભાએ પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાએ સોમવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોને શ્રદ્ધાંજલિ પાઠવીને મૌન પાળ્યું હતું. ગૃહનું ખાસ સત્ર શરૂ થતાં જ, વિધાનસભાના અધ્યક્ષ અબ્દુલ રહીમ રાથેરે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં દેશના વિવિધ ભાગોના નિર્દોષ પ્રવાસીઓની હત્યાની નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “અમે માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને […]

ઈરાન: બંદર વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 40 ઉપર પહોંચ્યો, 100 થી વધુ ઘાયલ

તેહરાનઃ ઈરાનના દક્ષિણ પ્રાંત હોર્મોઝગનમાં શાહિદ રાજાઈ બંદર પર શનિવારે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 40 ઉપર પહોંચ્યો છે અને સરકારે રાષ્ટ્રીય શોકનો દિવસ જાહેર કર્યો છે. ઈરાનની IRIB ન્યૂઝ એજન્સીએ હોર્મોઝગનના ગવર્નર મોહમ્મદ આશૌરી તાઝિયાનીને ટાંકીને જણાવ્યું હતું કે વિસ્ફોટ અને ત્યારબાદ લાગેલી આગમાં 1,000 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી 197 લોકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code