1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વડોદરામાં મહિલાની છેડતીના મુદ્દે એક જ કોમના બે જુથો બાખડી પડ્યા

બે જુથ વચ્ચે સામસામો પથ્થરમારો થતાં અનેક લોકો ઘવાયા સામાન્ય બોલાચાલી બાદ બે જુથ આમને સામને આવી ગયા પોલીસે દોડી જઈને મામલો થોળે પાડ્યો વડોદરાઃ શહેરના બાપોદ વિસ્તારમાં મહિલાની છેડતી બાદ એક જ કોમના બે જુથો આમને-સામને આવી ગયા હતા. અને સામસામે પથ્થમારો થતાં સ્થિતિ તંગ બની ગઈ હતી. આ બનાવની પોલીસને જાણ થતાં પોલીસ […]

દ્વારકાના જગત મંદિરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી દર્શન બંધ

ભાવિકો માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ મંદિરની બહાર પોલીસનો સઘન સુરક્ષા બંદોબસ્ત દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધિશના મંદિરમાં રોજબરોજ અનેક યાત્રાળુઓ દર્શન માટે આવતા હોય છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીલીને લીધે રાતના સમયે બ્લેકઆઉટ જાહેર કરાતા રાતની સમયે દર્શન બંધ કરવામાં આવ્યા હતા. જોકે હવે બન્ને […]

કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં આવેલાને હોદ્દા અપાતા સાંસદ મનસુખ વસાવા નારાજ

ઝગડિયા અને વાલિયા તાલુકામાં પક્ષપલટુઓને હોદ્દાની લહાણી કરાઈ ભાજપના કાર્યકર્તાના કામને ધ્યાન અપાતુ નહી હોવાનો આક્ષેપ નવા જિલ્લા પ્રમુખની પણ વસાવાએ ઝાટણી કાઢી ભરૂચઃ ભાજપના આખાબોલા સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરીને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલાને હોદ્દા આપવા સામે વિરોધ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ કરી નારાજગી વ્યક્ત કરી છે. ઝઘડિયા અને વાલિયા […]

સુરેન્દ્રનગરના ગૌતમગઢ નજીક ભોગાવો નદીમાં નહાવા પડેલા બેના ડુબી જતા મોત

ગરમીથી રાહત મેળવવા બે ભાઈઓ નદીમાં નહાવા પડ્યા હતા ફાયર બ્રિગેડના જવાનોએ દોડી આવીને બન્ને મૃતદેહ બહાર કાઢ્યા એક જ પરિવારમાં બે યુવાનોના મોતથી ગનગીની વ્યાપી ગઈ સુરેન્દ્રનગરઃ  જિલ્લાના ગૌતમગઢ નજીક ભોગાવો નદીમાં નહાવા પડેલા બે ભાઈઓના ડૂબી જવાથી મોત પરિવારમાં ભરે ગમગીની વ્યાપી ગઈ છે. મૃતક બાળકોની ઓળખ કિશોરસિંહ અને અજયરાજસિંહ તરીકે થઈ છે. […]

ધોરણ 10 પછીના ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેની કાર્યવાહી 15મી મેથી શરૂ થશે

વિદ્યાર્થીઓએ તા. 15મી મેથી 23 જુન સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાશે MSUની પોલીટેક્નિકમાં ડિપ્લોમાની 737 બેઠકો માટે પ્રક્રિયા હાથ ધરાશે C T0 D એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરાઈ અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરાયા બાદ હવે ધોરણ 10 પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે 15 […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી ખાલી કરીને સફાઈ કામગીરીનો પ્રારંભ

વાસણા બેરેજના દરવાજાની પણ મરામત કરાશે નદીમાંથી કચરો અને કાંપ દૂર કરાશે આગામી 5મી જુન સુધી કામગીરી ચાલશે અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીમાં નર્મદાનું પાણી ભરીને રિવરફ્રન્ટનો વિકાસ કરવામાં આવ્યો છે, શહેરમાં સાબરમતી નદીમાં વાસણા બેરેજ સુધી નદી બેકાંઠા ભરાયેલી રહે છે. હવે નદીમાં સાફ સફાઈ કરવાની હોવાથી આજથી નદીમાંથી પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે. […]

ગુજરાતમાં વરસાદના હળવા ઝાપટા પડશે, મંગળવારથી ગરમીમાં વધારો થવાની શક્યતા

રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાં પડી શકે છે બે-ચાર દિવસમાં ફરી તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચશે વાદળછાયા વાતાવરણને લીધે ઉકળાટ વધ્યો અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો છે, આજે બપોર સુધી રાજ્યમાં કોઈપણ સ્થળોએ માવઠુ પડ્યાના વાવડ મળ્યા નથી. જ્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 29 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા […]

ડ્રોન આધારિત સિસ્ટમો માટે યોગ્ય ક્વોન્ટમ કી વિતરણ ટેકનોલોજી વિકસાવવા C-DOT અને સિનર્જી ક્વોન્ટમ વચ્ચે MoU

નવી દિલ્હીઃ ક્વોન્ટમ-સુરક્ષિત સંદેશાવ્યવહારમાં ભારતની ક્ષમતાઓને આગળ વધારવા માટે એક સ્વપ્નદ્રષ્ટા પહેલમાં, ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) હેઠળની પ્રીમિયર ટેલિકોમ R&D સંસ્થા, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ (C-DOT) એ ક્વોન્ટમ ટેકનોલોજીના ક્ષેત્રમાં કાર્યરત એક અત્યાધુનિક ડીપ-ટેક કંપની સિનર્જી ક્વોન્ટમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુનો ઉદ્દેશ્ય ટેકનોલોજી રેડીનેસ […]

ભુજ, કેશોદ, જામનગર અને રાજકોટના હીરાસર સહિત 8 એરપોર્ટ તાત્કાલિક અસરથી ખુલ્યા

ભારત-પાક. વચ્ચે યુદ્ધની સ્થિતિને લીધે બંધ કરાયા હતા 14મી મે સુધી એરપોર્ટ બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી હતી સ્થિતિ રાબેતા મુજબ થતાં આજથી એરપોર્ટ પ્રવાસીઓ માટે ખૂલ્લા મુકાયા  અમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓએ હુમલો કરતા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા સરહદી રાજ્ય ગુજરાતના રાજકોટ, જામનગર, ભૂજ અને કેશોદના એરપોર્ટ સલામતી માટે અને […]

ભારતઃ 32 એરપોર્ટ પર 15 મે સુધી ઉડાણ પર લગાવાયેલ પ્રતિબંધ હટાવાયો

નવી દિલ્હીઃ દેશના 32 એરપોર્ટ હવે ખોલવામાં આવ્યા છે. 5 દિવસ પછી, આ એરપોર્ટ પરથી ફરી ફ્લાઇટ્સ શરૂ થઈ ગઈ છે. એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે ૧૫ મે ૨૦૨૫ ના રોજ સાંજે ૦૫:૨૯ વાગ્યા સુધી ૩૨ એરપોર્ટને નાગરિક વિમાન સંચાલન માટે અસ્થાયી રૂપે બંધ કરવા માટે એક સંદર્ભ સૂચના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code