1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતમાં ફાયર સહિત એજન્સીઓ લોકોને રેસ્ક્યુ કર્યાનો ચાર્જ માગી શકશે નહીં

ફાયર કર્મચારીએ મૃતદેહ કાઢવા માટે રૂપિયા માગતા વિવાદ સર્જાયો હતો. મુખ્યમંત્રીનો તમામ પાલિકાઓને રેસ્ક્યુના ચાર્જ વસૂલવા ઠરાવોને રદ કરવા આદેશ, ફાયર બ્રિગેડે મૃતકના સગા પાસેથી 8 હજાર રૂપિયા ચાર્જ વસૂલતા વિવાદ થયો હતો ગાંધીનગર: શહેર નજીક મહાનગરપાલિકા કે પાલિકાની હદ બહાર કોઈ અઘટિત બનાવ બને ત્યારે ફાયર વિભાગની મદદ લેવામાં આવતી હોય છે. ફાયર વિભાગે […]

ગાંધીનગરની સ્પોર્ટ્સ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ, 12 વિદ્યાર્થિનીઓને ઝાડા-ઊલટી

પનીરનું શાક ખાધા બાદ વિદ્યાર્થિનીઓની તબિયત લથડી, વિદ્યાર્થિનીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ, મ્યુનિના આરોગ્ય વિભાગે 200 વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ કર્યું ગાંધીનગરઃ ચોમાસાની ઋતુમાં ફુડ પોઈઝનિંગના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાટનગર ગાંધીનગરના સેક્ટર-7માં આવેલી ચૌધરી સ્કૂલની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. સ્કૂલની હોસ્ટેલમાં રહેતી 12 વિદ્યાર્થિનીઓને ભોજન લીધા બાદ ઝાડા-ઉલટી […]

વરસાદને લીધે આવક ઘટતા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો

શાકભાજીના ભાવ વધ્યા પણ લીંબુના ભાવમાં 56%નો ઘટાડો, શાકભાજીના ભાવમાં 50થી 250% સુધીનો વધારો, રીંગણાના મણનો ભાવ રૂ.300 હતો જે વધીને રૂ.1050 બોલાયો અમદાવાદઃ રાજ્યભરમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ સર્જાયો છે. મોટાભાગના વિસ્તારોમાં સમયાંતરે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. વરસાદને લીધે વાડી-ખેતરોમાં પાણી ભરાતા લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં તોતિંગ વધારો થયો છે. […]

સોનપ્રયાગ ભૂસ્ખલન વિસ્તારમાંથી કેદારનાથ ધામથી પરત ફરી રહેલા લગભગ 40 શ્રદ્ધાળુઓને બચાવ્યા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે, મોટા પાયે કાટમાળ અને પથ્થર પડતાં કેદારનાથ યાત્રા ફરી એકવાર ખોરવાઈ ગઈ છે. સલામતીને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે સોનપ્રયાગથી કેદારનાથ ધામ યાત્રાને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. રુદ્રપ્રયાગના મુંકટિયા સ્લાઇડિંગ ઝોનમાં ભૂસ્ખલન બાદ, પર્વત પરથી કાટમાળ અને પથ્થરો આખા રસ્તા પર આવી ગયા. રુદ્રપ્રયાગના મુંકટિયા સ્લાઇડિંગ ઝોનમાં ભૂસ્ખલન બાદ, પર્વત પરથી કાટમાળ […]

ભારતીય સેના, ડ્રોન અને 33 નવી ટેકનોલોજીથી સજ્જ હશે: લેફ્ટનન્ટ જનરલ દેવેન્દ્ર શર્મા

નવી દિલ્હીઃ ભારતીય સેના હવે ભવિષ્યના પડકારો અનુસાર પોતાનું આધુનિકીકરણ કરી રહી છે. યુદ્ધના બદલાતા સ્વભાવને ધ્યાનમાં રાખીને, આર્મી ટ્રેનિંગ કમાન્ડ (આરટ્રેક) વર્ષ 2027 સુધીમાં ડ્રોન સહિત 33 નવી ટેકનોલોજીમાં સૈનિકોને તાલીમ આપશે. આ માહિતી આર્મી ટ્રેનિંગ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (જીઓસી-ઇન-સી), લેફ્ટનન્ટ જનરલ દેવેન્દ્ર શર્મા, પીવીએસએમ, એવીએસએમ, એસએમ દ્વારા ગુરુવારે શિમલામાં આયોજિત આરટ્રેક ઇન્વેસ્ટિચર સેરેમની […]

તાપી નદીનો જન્મોત્સવ મનાવાયો, 1300 મીટર લાંબી ચૂંદડી નદીમાતાને અર્પણ

સુરતઃ નદીને લોક માતાનું સ્થાન આપવામાં આવેલું છે. માતા જેમ બાળકોનું પાલન પોષણ કરે તે રીતે નદીઓ પણ લાખો જીવોની જીવાદોરી સમાન હોય છે. સુરતમાં દર વર્ષેની જેમ આ વર્ષે તાપી નદીનો જન્મોત્સવ ઊજવવામાં આવ્યો હતો. તાપી નદીના જુદા જુદા ઘાટો ઉપર વિશેષ આરતી અને પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. તાપી મૈયાના જન્મોત્સવના પાવન અવસરે […]

બેગલેસ ડેની જાહેરાત પણ ચિત્ર, સંગીત, વ્યાયામ સહિત શિક્ષકોની 40 હજાર જગ્યાઓ ખાલી

રાજ્યમાં 6.921 શાળાઓ પાસે મેદાનો જ નથી, વિધાર્થીઓ વધારાની પ્રવૃતિઓ કેવી રીતે કરી શકશે, કોંગ્રેસે સરકાર સામે ઉઠાવ્યા સવાલો અમદાવાદઃ રાજ્યમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડેની જાહેરાત કરવામાં આવી છે, એટલે શનિવારે બાળકો સ્કૂલબેગ વિના જ શાળામાં આવીને રમત-ગમત,સહિત ઈતર પ્રવૃતિમાં ભાગ લેશે. આ અંગે સરકારે નોટિફિકેશન […]

અમદાવાદમાં શાહીબાગના હીટ એન્ડ રનના કેસમાં પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ

બાઈકને ટક્કર મારીને કારચાલક નાસી ગયો હતો, ઈજાગ્રસ્ત બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને નાસી ગયેલા કારચાલકને ઝડપી લીધો  અમદાવાદઃ શહેરના શાહીબાગમાં આવેલા શિલાલેખ પાસે થોડા દિવસ પહેલા હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં પૂરફાટ ઝડપે આવેલી કારે બાઈકને ટક્કર મારીને કાર સાથે ચાલક નાસી ગયો હતો. આ અકસ્માતના પગલે […]

તારાપુર હાઈવે પર હોટલ ‘ન્યુ માયા’માં જમવામાં ગરોળી નિકળતા પરવાનો રદ કરાયો

ઉપલેટા-કવાંટ રૂટની બસ ન્યુ માયા હોટલ પર હોલ્ટ કરવામાં આવી હતી, એસટી બસ ડ્રાયવરનાં જમવામાં ગરોળી મળી આવી હતી, એસટી નિગમ દ્વારા હોટલનો પરવાનો રદ કરાયો અમદાવાદઃ એસ.ટી નિગમના નડિયાદ વિભાગનાં તાબા હેઠળની તારાપુર ચોકડી નજીક અધિકૃત કરવામાં આવેલ હાઈવે હોટલ “ન્યુ માયા’ પર જૂનાગઢ વિભાગની ઉપલેટા ડેપો દ્વારા સંચાલિત ઉપલેટા-કવાંટ રૂટની બસ આ હોટલ ખાતે […]

બેદરકારીથી વાહન હંકારનાર મૃતક ચાલકના પરિવારને વીમા કંપની વળતર નહીં ચુકવે!

નવી દિલ્હીઃ જો કોઈ વ્યક્તિનું બેદરકારીપૂર્વક વાહન ચલાવવાથી મૃત્યુ થાય છે, તો વીમા કંપનીઓની તેના પરિવારને વળતર આપવાની જવાબદારી રહેતી નથી. તેમજ એક અરજીની સુનાવણીમાં સુપ્રીમકોર્ટે નિર્દેશ કર્યો હતો. જસ્ટિસ પીએસ નરસિંહા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે મૃતકના પરિવારની 80 લાખ રૂપિયાના વળતરની માંગણી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code