1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારતીય પ્રતિનિધિમંડળે જાપાનમાં આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિનો પુનરોચ્ચાર

નવી દિલ્હીઃ JDU સાંસદ સંજય ઝાના નેતૃત્વમાં ભારતીય સાંસદોના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે જાપાનની રાજધાની ટોક્યોમાં ભારતીય દૂતાવાસ (ઇન્ડિયા હાઉસ) ખાતે જાપાનના રાજકીય, સરકારી અને શૈક્ષણિક વર્તુળોના વ્યક્તિઓને મળ્યા હતા. આ દરમિયાન, પ્રતિનિધિમંડળે સરહદ પારના આતંકવાદ સામે ભારતની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ વિશે માહિતી આપી અને ઓપરેશન સિંદૂરના મહત્વ પર પ્રકાશ પાડ્યો. આ મુલાકાત આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન પ્રાયોજિત […]

દિલ્હીમાં કોવિડના કેસ વધતા આરોગ્ય વિભાગ સાબદુ બન્યું, હોસ્પિટલોને સતર્ક રહેવા તાકીદ કરાઈ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોવિડ-૧૯ના કેસમાં થોડો વધારો થતાં સરકારે સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું છે. પરિસ્થિતિની સમીક્ષા કરતી વખતે, દિલ્હીના આરોગ્ય પ્રધાન પંકજ સિંહે જણાવ્યું હતું કે દિલ્હીમાં અત્યાર સુધીમાં 23 સક્રિય કોવિડ-19 કેસ નોંધાયા છે, જેની પુષ્ટિ ખાનગી લેબોરેટરીઓ દ્વારા કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે આ ચેપગ્રસ્ત લોકો દિલ્હીના રહેવાસી […]

છત્તીસગઢના બીજાપુરમાં 24 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

લખનૌઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલ વિરોધી કાર્યવાહીને મોટી સફળતા મળી છે. અહીં 24 નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે, જેમાં 20 નક્સલી એવા છે જેમના પર 87.50 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ આત્મસમર્પણ કરનારા નક્સલીઓએ હવે હિંસા છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે. આ માઓવાદીઓમાં PLGA કંપની નં.2 ડેપ્યુટી […]

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝને લઈને ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલને કેપ્ટન બનાવાયો

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. યુવા બેટ્સમેન શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરને ટીમમાં સ્થાન મળ્યું નથી. બીસીસીઆઈએ શુભમન ગિલને ટેસ્ટ ટીમની કમાન સોંપી છે. જ્યારે વિકેટકીપર […]

ગુજરાતઃ બનાસકાંઠા સરહદ ઉપર ઘુસણખોરીનો પ્રયાસ, બીએસએફએ એક શખ્સને ઠાર માર્યો

ડીસાઃ 23 મે 2025ના રોજ રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘુસણખોરને સતર્ક બીએસએફના જવાનોએ સફળતાપૂર્વક ઠાર કરી દીધો હતો. BSF જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા જોયો હતો. સૈનિકોએ તેને ચેતવણી આપી પણ તે આગળ વધતો રહ્યો હતો. પરિસ્થિતિ જોઈને BSF જવાનોએ ગોળીબાર […]

અમેરિકામાં ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યાં બાદ મોટી સંખ્યામાં અમેરિકન નાગરિકો છોડી રહ્યાં છે દેશ

દુનિયાભરને ચોંકાવી દીધા છે. બીજી તરફ ટ્રમ્પને જીતાડનારા અમેરિકન નાગરિકો હવે મોટી સંખ્યામાં દેશ છોડી રહ્યા છે. હવે રેકોર્ડ સંખ્યામાં અમેરિકન નાગરિકો બ્રિટિશ નાગરિકતા મેળવવાની રેસમાં છે. આ આંકડો છેલ્લા 21 વર્ષમાં સૌથી વધુ છે અને એટલું જ નહીં, હજારો અમેરિકનોએ અમેરિકન નાગરિકતા પણ છોડી દીધી છે. યુકે હોમ ઓફિસના તાજેતરના આંકડા દર્શાવે છે કે […]

સાયબર ઠગ અંગદ સિંહ ચાંડોકને સીબીઆઈ અમેરિકાથી ભારત લાવશે

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કુખ્યાત સાયબર ગુનેગાર અંગદ સિંહ ચાંડોકને અમેરિકાથી પ્રત્યાર્પણ કરીને મોટી સફળતા મેળવી છે. ચાંડોક પર મની લોન્ડરિંગ તેમજ અમેરિકન નાગરિકો પાસેથી કરોડો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીનો આરોપ છે. ચાંડોક પર શેલ કંપનીઓ બનાવવાનો અને તેનો ઉપયોગ કરીને અમેરિકનો પાસેથી ઠગેલા લાખો ડોલરને ઓનલાઈન ટેક સપોર્ટ સ્કીમ દ્વારા ટ્રાન્સફર […]

દક્ષિણ ભારતના કેરળમાં ચોમાસાની એન્ટ્રી, ધીમે-ધીમે દેશના અન્ય રાજ્યોમાં આગળ વધશે

બેંગ્લોરઃ દક્ષિણ ભારતના કેરળમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. તે નિર્ધારિત સમય કરતાં લગભગ એક અઠવાડિયા વહેલી છે. આ વર્ષે ચોમાસુ છેલ્લા 16 વર્ષમાં સૌથી વહેલું કેરળમાં પહોંચ્યું છે. રાજ્યમાં ચોમાસાના આગમન માટે બધી જ અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ છે. કેરળના ઘણા ભાગોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ નીચા દબાણવાળા ક્ષેત્ર અને […]

મ્યાનમારમાં ફરી ધરતી ધ્રુજી, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4ની નોંધાઈ

નવી દિલ્હીઃ મ્યાનમારમાં મોડી રાત્રે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી (NCS) ના અહેવાલ મુજબ, શનિવારે મ્યાનમારમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS અનુસાર, ભૂકંપ 00:28 કલાકે અક્ષાંશ 23.24 N અને રેખાંશ 93.92 E પર આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) […]

બિહારના બક્સરમાં ગોળીબારમાં 3 વ્યક્તિના મોત, બે ગંભીર રીતે ઘાયલ

પટનાઃ બિહારના બક્સર જિલ્લામાં રેતીના ધંધા અંગે ઘણા દિવસોથી ચાલી રહેલા સંઘર્ષે હિંસક વળાંક લીધો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ થયો હતો. અંધાધૂંધ ગોળીબારને કારણે 3 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે. આ ગોળીબારમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ગોળીબારમાં ગંભીર રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code