1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અલંગમાં 75 ટકા પ્લોટ્સ ખાલી છે, છતાં વધુ 50 પ્લોટ્સ વિક્સાવવા કરોડોનો ખર્ચ

અલંગમાં છેલ્લા ત્રણ વર્ષથી મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યો છે, હાલ માત્ર 25 ટકા પ્લોટમાં શિપ બ્રેકિંગની કામગીરી ચાલી રહી છે, સરકાર મથાવડાના દરિયાકાંઠે 50 પ્લોટ્સ વિકસાવવા કરોડોનો ખર્ચ કરી રહી છે ભાવનગરઃ જિલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં છેલ્લા ત્રણ વર્ષથી મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યો છે. વિદેશથી ભંગાવવા માટે આવતા જહાજોમાં ઘટાડો થયો છે. […]

રાજકોટ-અમદાવાદ હાઈવે પર હીરાસર નજીક કારે રિક્ષાને અડફેટે લેતા બાળકનું મોત

ભીમ અગિયારસ કરવા રિક્ષામાં પિયર જતી મહિલાને અકસ્માત નડ્યો, માતાની નજર સામે 13 મહિનાના બાળકનું મોત, મહિલાને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાઈ રાજકોટઃ રાષ્ટ્રીય ઘોરી માર્ગો પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર હીરાસર એરપોર્ટ ચાર રસ્તા પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે જતી કારે રિક્ષાને અડફેટે લેતા […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની વેબસાઈટ પર સાયબર એટેક, ડેટા ચોરાયાની આશંકા

સાયબર સિક્યોરિટીની અલગ-અલગ 3 ટીમે તપાસ આદરી, ​​​​​​​400 જીબીથી વધુ ડેટા ચોરાયાની શક્યતા, ઓપરેશન સિંદૂરના દિવસે સર્વરમાં શંકાસ્પદ જોડાણ ધ્યાનમાં આવ્યું હતું રાજકોટઃ કાશમીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો જવાબ આપવા ભારત સરકારે ઓપરેશન સિંદૂર હાથ ધર્યાના દિવસે જ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની જીઆઇએસ વેબસાઇટ સાયબર એટેકનો ભોગ બની હતી. આ સાયબર એટેકમાં મ્યુનિની શાળાઓ, તમામ […]

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા 11મી જુને યોજાશે

બેન્ડવાજા સાથે શોભાયાત્રા સ્વરૂપે નદીમાંથી જળ લાવી ભગવાનનો જળાભિષેક કરાશે, જળયાત્રા બાદ ભગવાન જગદીશ, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી સરસપુર મામાના ઘરે જશે, ભગવાનની ત્રણેય રથોને રંગરોગાન કરાયા અમદાવાદઃ  શહેરમાં ઐતિહાસિક ગણાતી અને પરંપરાગત નીકળતી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભગવાન જગન્નાથજી, બલરામજી અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી […]

સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર્વે ગંગા અવતરણ પૂજા, મહા આરતી કરાશે

શિવજીની વિધિવત પૂજા કરી અભિષેક કરાશે, ગંગા લહેરી સ્તોત્રના પઠન સાથે શિવજીની જટા પર ગંગાજળ અભિષેક કરાશે, ભક્તોએ ત્રિવેણી માતાની મહાઆરતી કરી જળ સ્થાપત્યની સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેશે, સોમનાથઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન માટે રોજબરોજ અનેક યાત્રાળુઓ આવે છે. સોમનાથ મંદિર ટસ્ટ્ર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે […]

મધ્યપ્રદેશના ઝાબુઆમાં ગમખ્વાર અકસ્માતમાં 9 વ્યક્તિના મોત, બે ઘાયલ

ભોપાલઃ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. થાંડલા-ઝાબુઆ રોડ પર એક ટ્રોલી ઇકો કાર પર પલટી જતાં બે પરિવારના નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં ચાર બાળકો, ત્રણ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા અને એક છોકરી ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેને ગંભીર […]

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ‘એગ્રો ફોરેસ્ટ્રી’ યોજના હેઠળ 45.939 હેકટરમાં વાવેતર

પર્યાવરણ જતનમાં ગુજરાતની અનોખી પહેલ, ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત કુલ 17.48 કરોડથી વધુ રોપાઓનું વાવેતર, રાજ્યમાં કુલ 23 વિવિધ ‘સાંસ્કૃતિક વન’નું નિર્માણ કરાયુ ગાંધીનગરઃ દેશભરમાં પર્યાવરણના સંવર્ધન,સંરક્ષણ અને વિકાસ માટે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં  અનેકવિધ નવા પર્યાવરણલક્ષી પ્રક્લ્પો તેમજ યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેનું ઉત્તમ ઉદાહરણ છે ‘એક પેડ માં કે નામ’. […]

ભારતમાં મે મહિનામાં કંપનીઓ અને LLPની નોંધણીમાં 37 ટકાનો વધારો

નવી દિલ્હીઃ GDPમાં ઝડપી વૃદ્ધિને કારણે, દેશમાં મે મહિનામાં કંપનીઓ અને LLPની નોંધણીમાં 37 ટકાનો વધારો થયો છે. સરકારી માહિતી અનુસાર, મે મહિનામાં વાર્ષિક ધોરણે કંપનીઓની નોંધણીમાં 29 ટકા અને મર્યાદિત જવાબદારી ભાગીદારીમાં 37 ટકાનો વધારો થયો છે. મે મહિનામાં 20,720 કંપનીઓ નોંધાઈ હતી, જેમાં વિદેશી એકમોનો સમાવેશ થાય છે, જે એક વર્ષ પહેલાના સમાન […]

ઈરાનમાં અપહરણ કરાયેલા ત્રણેય ભારતીયોનો છુટકારો, પોલીસે ઓપરેશન હાથ ધરી કરાવ્યા મુક્ત

ત્રણેયને ઓસ્ટ્રેલિયાના બહાને ઈરાન લઈ જવાયાં હતા એજન્ટોએ તેમને ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી હતી તેહરાન પોલીસે એક ઓપરેશન દરમિયાન તેમને બચાવ્યા હતા તેહરાન: ઈરાનમાં અપહરણ કરાયેલા ત્રણ ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. ભારતમાં ઈરાની દૂતાવાસે પણ X પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી છે. ત્રણેય ભારતીયો પંજાબના રહેવાસી હતા, જેમને એજન્ટ દ્વારા ઓસ્ટ્રેલિયા […]

વાવેતર અભિયાન હેઠળ ગુજરાતે 17.48 કરોડ રોપા વાવી દેશમાં બીજું સ્થાન હાંસલ કર્યું

ગાંધીનગરઃ વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન, 2025 ગુરૂવારે “એક પેડ માં કે નામ 2.0” અંતર્ગત ગાંધીનગરમાં નવા સચિવાલય પ્રાંગણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માતૃવન – વન કવચમાં વૃક્ષારોપણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૃથ્વીમાતાને હરિયાળા વૃક્ષોથી આચ્છાદિત કરીને પર્યાવરણ જાળવણી અને આપણી જીવનદાત્રી માતાની સ્મૃતિ જોડવાની પ્રેરણા સાથે “એક પેડ માં કે નામ” વૃક્ષારોપણ અભિયાનની દેશવ્યાપી શરૂઆત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code