1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન 20 હજાર પોલીસ અને પેરા મિલિટરી ફોર્સનો બંદોબસ્ત રહેશે

રથયાત્રાના રૂટ પર 5 સ્થળે એન્ટી-ડ્રોન સિસ્ટમ, 75થી વધુ ડ્રોનથી મોનિટરિંગ કરાશે, લોકોમાં ભાગદોડ ના થાય એ માટે AIનો ઉપયોગ કરાશે અમદાવાદઃ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિને યોજાતી રથયાત્રાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે રથયાત્રા માટે આખરી તૈયારીઓ ચાલી રહી છે. શહેરમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા 27 જૂનના રોજ યોજાશે. દર વર્ષની […]

ગુજરાતમાં આજે રવિવારે બપોર સુધીમાં 118 તાલુકામાં વરસાદ, અમીરગઢમાં 5 ઈંચ

બનાસકાંઠા, પાટણ, મહીસાગર, સાબરકાંઠામાં રેડ એલર્ટ, 24 કલાકમાં વડાલીમાં 12 ઇંચ અને ખેડબ્રહ્મામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો, પાવી જેતપુરમાં ડાયવર્ઝન ધોવાતા NH-56 બંધ  અમદાવાદઃ ગુજરાતમાં આજે  બપોરે 2 વાગ્યા સુધીમાં 118 તાલુકામાં વરાસદ પડ્યો હતોય જેમાં બનાસકાંઠાના અમીરગઢમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. આજે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે બપોર સુધીમાં […]

ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો વકરે તે પહેલા જ તકેદારી માટે હેલ્થ વિભાગની બેઠક મળી

મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સામે કામગીરી અસરકારક બનાવાશે, બાંધકામ સાઈટ્સ પર મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા પગલાં લેવાશે, શાળાઓના કેમ્પસમાં ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ સમયાંતરે કરાશે ગાંધીનગરઃ  કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2030માં મેલેરિયા નિર્મૂલનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં ‘વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ’ હેઠળ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરીને વધુ […]

વિમાન દૂર્ઘટનાઃ કુલ 247 મૃતકોના DNA સેમ્પલ મેચ, 232 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

15 પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ ઝડપથી સોંપાશે, 247 મૃતકોમાં 175 ભારતના નાગરિક, 60 વિદેશના તેમજ 12 નોન પેસેન્જરનો સમાવેશ, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ આપી માહિતી અમદાવાદઃ વિમાન દુર્ઘટનામાં 247 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 232 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું. વધુ વિગતો […]

ભારતીય ટેનિસ ખેલાડી માયા રાજેશ્વરને મહિલા સિંગલનો ખિતાબ જીત્યો

ભારતીય ટેનિસ ખેલાડી માયા રાજેશ્વરને જર્મનીમાં ITF જુનિયર 200 ગ્રેડ ગ્લેડબેક ટેનિસ સ્પર્ધાનો મહિલા સિંગલનો ખિતાબ જીતી લીધો છે. 16 વર્ષીય આ ખેલાડીએ ફાઇનલમાં સ્વિટ્ઝર્લૅન્ડની નોએલિયા મનતાને 6-2, 6-4થી હરાવી હતી. માયાએ અત્યાર સુધીમાં સાત ITF જુનિયર ખિતાબ જીત્યા છે.  

મિઝોરમમાં, આસામ રાઇફલ્સ અને અન્ય એજન્સીઓએ 11 કરોડથી વધુ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યુ

મિઝોરમમાં, આસામ રાઇફલ્સ અને અન્ય એજન્સીઓએ 11 કરોડથી વધુ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યુ છે અને બે મહિલાઓ સહિત પાંચ ડ્રગ પેડલર્સની ધરપકડ કરી છે. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વાસેઇકાઇથી લુંગલેઇ સુધી ડ્રગ્સની હિલચાલ અંગે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, આ નશાકારક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા. એક શંકાસ્પદ વાહનને અટકાવીને તેની તપાસ કરતાં તેમાંથી […]

ગુજરાતમાં સલામતીની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે આજે સવારથી  ગ્રામ પંચાયતો માટેની ચૂટણીનું મતદાન શરૂ

ગુજરાતમાં ગ્રામપંચાયતોની યોજાઇ છે. સવારે સાત વાગ્યાથી અંદાજે ત્રણ હજાર પાંચસો કરતા વધુ ગ્રામ પંચાયતો માટે મતદાન શરૂ થઇ ગયું છે. બલેટે પેપરથી થઇ રહેલા મતદાન માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરાઇ છે. સાડા ત્રણ હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતો માટે 81 લાખ જેટલા મતદારો સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણી માટે પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. ત્રણ […]

ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલા, ઇરાને શાંતિનો માર્ગ અપનાવો જ પડશે: ટ્રમ્પ

ઈરાન પરના હુમલામાં અમેરિકા રીતે ઇઝરાયલ સાથે જોડાયું છે અને ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે.સોશિયલ મીડિયા સંદેશમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર ખૂબ જ સફળતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકાએ ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાનમાં ઈરાની પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે અને […]

ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાંથી એક હજાર 117 ભારતીય નાગરિકોને સલામત રીતે સ્વદેશ પરત લવાયા

ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાંથી એક હજાર 117 ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે, મશહદથી એક ખાસ ફ્લાઇટ દ્વારા 290 ભારતીય નાગરિકો ઈરાનથી સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે. મશહદથી બીજી એક ફ્લાઇટ ગઈકાલે સાંજે ઈરાનથી 310 ભારતીય નાગરિકો સાથે નવી દિલ્હી પહોંચી હતી.દરમિયાન નેપાળ અને શ્રીલંકાએ ઓપરેશન સિંધુ […]

ભારત પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ ક્યારેય પુનઃસ્થાપિત કરશે નહીં: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ ક્યારેય પુનઃસ્થાપિત કરશે નહીં. તેમણે કહ્યું કે, સરકાર પાકિસ્તાનમાં વહેતા વધારાના પાણીને રાજસ્થાન સુધી લઈ જવા માટે એક નહેર બનાવશે. એક અંગ્રેજી દૈનિક સાથેની મુલાકાતમાં, ગૃહમંત્રીએ કહ્યું કે, આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની સરકારની નીતિ અકબંધ છે. શાહે કહ્યું કે, સરકાર કાશ્મીર , […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code