1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાજકોટમાં 38 બુટલેગરોના 55 જેટલાં ગેરકાયદે દબાણો તોડી પડાયા

શહેર પોલીસ અને આરએમસી દ્વારા ડિમોલિશન હાથ ધરાયું વીજ જાડોણો કાપવા પીજીવીસીએલના અધિકારીઓ પણ જોડાયા 2610 ચોરસ મીટર જગ્યા પર કરેલાં દબાણને દૂર કરાયા રાજકોટઃ શહેરમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 38 જેટલા બુટલેગરોના ગેરકાયદે દબાણો તોડી પાડવાની કાર્યવાહી આજે સવારથી હાથ ધરવામાં આવી હતી. શહેર પોલીસ દ્વારા મ્યુનિ.કોર્પોરેશન અને પીજીવીસીએલના અધિકારીઓને સાથે રાખીને 38 બુલેગરોના […]

પાકિસ્તાનઃ ખૈબર પખ્તુનખ્વામાં પાંચ મહિનામાં 284 આતંકવાદી હુમલા થયા

પાકિસ્તાનમાં હુમલા અને વિસ્ફોટ કોઈ નવી વાત નથી. જે દેશમાં આતંકવાદનો જન્મદાતા કહેવામાં આવે છે, ત્યાં બોમ્બ વિસ્ફોટ એક સામાન્ય ઘટના બની ગઈ છે. પરંતુ ખૈબર પખ્તુનખ્વામાં હવે જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેણે ઇસ્લામાબાદમાં સત્તાને હચમચાવી નાખી છે. કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) દ્વારા તાજેતરમાં જારી કરાયેલા એક રિપોર્ટમાં પાકિસ્તાનનો પર્દાફાશ થયો છે. આ રિપોર્ટે […]

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં પ્રચંડ વિસ્ફોટ, ચાર લોકોના મોત

પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં એક બજાર પાસે બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા હતા અને 20 અન્ય ઘાયલ થયા હતા. બલુચિસ્તાનના કિલ્લા અબ્દુલ્લા જિલ્લામાં જબ્બર માર્કેટ નજીક વિસ્ફોટ થયો હતો, જેના કારણે ઇમારતને ભારે નુકસાન થયું હતું અને વ્યાપક ગભરાટ ફેલાયો હતો. અહેવાલ અનુસાર, વિસ્ફોટ બાદ ઘણી દુકાનો ધરાશાયી થઈ ગઈ […]

ભારતીય સુરક્ષા એજન્સીઓની પાકિસ્તાન માટે જાસુસી કરતો વધુ એક જાસુસ નૂંહમાંથી ઝડપાયો

નવી દિલ્હીઃ હરિયાણા પોલીસ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓએ નુહ જિલ્લામાં પાકિસ્તાની જાસૂસી નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે અને તાવડુ સબ-ડિવિઝનના કાંગરકા ગામમાંથી તારીફ હનીફ નામના શખ્સની ધરપકડ કરી છે. જાસૂસીના આરોપસર બે દિવસ પહેલા રાજાકા ગામમાંથી અરમાનની ધરપકડ બાદ આ ધરપકડ કરવામાં આવી છે. તારિફ પર દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં તૈનાત બે કર્મચારીઓને […]

એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમ નહીં બને ભાગીદાર, BCCI નો નિર્ણય

નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી ખુલ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ વણસી ગયા છે. આ દરમિયાન, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મોટો નિર્ણય લીધો છે. બોર્ડે હાલમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના તમામ કાર્યક્રમોથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર, બીસીસીઆઈએ એસીસીને શ્રીલંકામાં આવતા મહિને યોજાનાર મહિલા […]

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકીઓના મદદ કરનારા બે શખ્સાસો ઝડપાયાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના ડીકે પોરા વિસ્તારમાંથી બે આતંકવાદી સાથીઓની ધરપકડ કરી છે. તેમના કબજામાંથી હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે.  અધિકારીઓએ આજે ​​સોમવારે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, સેનાની 34RR, શોપિયા પોલીસ અને CRPFની 178 બટાલિયને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. બંનેને ઇમામ સાહિબ પોલીસ […]

વિદેશ સચિવ ઓપરેશન સિંદૂર અંગે સંસદીય સમિતિને માહિતી આપશે

નવી દિલ્હીઃ ભારતની પાકિસ્તાન સાથેની હાલની સ્થિતિ કેવી છે, તે મુદ્દે વિદેશ સચિવ વિક્રમ મીસરી આજે સોમવારે સંસદીય સમિતિને જાણકારી આપશે. વર્તમાન વિદેશ નીતિ વિકાસ પર પણ બ્રીફિંગ આપવામાં આવશે. જેમાં 22 એપ્રિલના રોજ થયેલ પહલગામ આતંકી હુમલા બાદ 6 અને 7 મેની રાત્રે પાકિસ્તાન અને POKમાં રહેલા આતંકીઓના ઠેકાણાઓ પર કરવામાં આવેલા ઓપરેશન સિંદુરની […]

દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાવાઝોડા અને તોફાનનું એલર્ટ

નવી દિલ્હીઃ હવામાન વિભાગે 16 રાજ્યોમાં વાવાઝોડા અને તોફાનનું એલર્ટ જારી કર્યું છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે. શનિવારે રાજસ્થાનના 3 જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. શ્રીગંગાનગર, બિકાનેર, જેસલમેર અને ચુરુ સહિત ઘણા શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયો હતો. હવામાન વિભાગે રાજ્યના 5 જિલ્લામાં હીટવેવ અને […]

PM મોદીએ સોલાપુરમાં આગની દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું, સહાયની જાહેરાત કરાઈ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોલાપુર આગની ઘટનામાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા આઠ લોકોના મૃત્યુ થયા હતા. વડાપ્રધાન મોદીએ દરેક મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી છે. આ સંદર્ભમાં PMOએ X પર એક પોસ્ટ કરી છે. જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “મહારાષ્ટ્રના સોલાપુરમાં લાગેલી આગની ઘટનામાં થયેલી જાનહાનિથી હું દુઃખી છું. […]

IPL: લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આજે મુકાબલો

મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 61મી મેચ આજે સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદનો લખનઉ સુપર જાયન્ટ્સ સાથે મુકાબલો છે.  પ્લેઓફની દોડમાં ટકી રહેવા માટે LSGને કોઈપણ કિંમતે આ મેચમાં મોટી જીતની જરૂર પડશે. LSG હાલમાં 11 મેચોમાં 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે અને તેની નેટ રન રેટ -0.469 છે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે, લખનઉએ ફક્ત બાકીની ત્રણેય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code