1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

શેરબજારમાં કડાકો,સોના-ચાંદીમાં તેજી યથાવત

મુંબઈ, 23 જાન્યુઆરી 2026: ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના છેલ્લા દિવસે ભારે વેચવાલી જોવા મળી છે, જેના કારણે મુખ્ય સૂચકાંકોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારોની નકારાત્મક અસર અને સ્થાનિક સ્તરે પ્રોફિટ બુકિંગને કારણે રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થયું છે. ભારતીય શેરબજારમાં ભારે વેચવાળી જોવા મળી છે,જેને કારણે મુખ્ય સૂચકાંકોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.BSE સેન્સેક્સ 769 આંકડાના […]

ભારત હંમેશા જ્ઞાનયોગના માર્ગ પ્રત્યે સમર્પિત રહ્યું છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 23 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ દરમિયાન પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ અવસર પર બોલતા મોદીએ રેખાંકિત કર્યું હતું કે આજે સૌ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના વિશેષ પ્રસંગના સાક્ષી બની રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ દ્વિશતાબ્દીની ઉજવણી એ દરેક […]

થાનગઢમાં સરકારી જમીન પરના વર્ષો જૂના 260 દબાણો હટાવાયા

સુરેન્દ્રનગર,  23 જાન્યુઆરી 2026: થાનગઢમાં સરકારી જમીનો પર વર્ષોથી દબાણો થયેલા છે. અગાઉ નોટિસ આપવા છતાંયે દબાણો હટાવાયા નહોતા. આથી ચોટિલાના નાયબ કલેકટર એચ.ટી મકવાણાના નેતૃત્વમાં મુળી મામલતદાર સહિતની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. રાત્રે 1 વાગ્યાથી શરૂ થયેલી આ મેગા ડિમોલિશન ઝુંબેશમાં અંદાજે 210 કરોડથી વધુની બજાર કિંમત ધરાવતી […]

અડાલજ નજીક કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાતાં કેમેરામેનનું મોત

ગાંધીનગર, 23 જાન્યુઆરી 2026: રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ અડાલજ નજીક મહેસાણા હાઈવે પર સર્જાયો હતો. અડાલજ નજીક શ્રીનાથ પેટ્રોલ પંપ પાસે પૂરફાટ ઝડપે કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાતા કારચાલકને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન કારચાલકનું […]

જાન માટે એસટી બસનું એક મહિનાનું વેઈટિંગ, લોકોને ખાનગી બસો બુક કરાવવી પડે છે

રાજકોટ, 23 જાન્યુઆરી 2026: સૌરાષ્ટ્રભરમાં હાલ લગ્નગાળાની સીઝન ચાલી રહી છે. લગ્નો માટે લોકોએ અગાઉથી પાર્ટીપ્લોટ્સ, ડીજે, કેટરિંગ સહિત બુક કરાવી દીધા છે. ત્યારે જાન લઈ જવા માટે એસટી બસોનું પણ બુકિંગ કરાવી દીધુ છે. ખાનગી ટ્રાવેલ્સ મોંધી પડતી હોવાથી લોકો લગ્નો માટે એસટી બસના બુકિંગનો આગ્રહ રાખતા હોય છે. પણ પણ મોટાભાગના ડેપોમાં માત્ર […]

શિમલા અને મનાલીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા, પ્રવાસીઓમાં ખુશી

નવી દિલ્હી, 23 જાન્યુઆરી 2026: હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળો શિમલા અને મનાલીમાં શુક્રવારે આ સિઝનની પ્રથમ હિમવર્ષા થતા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હિમવર્ષાને કારણે રસ્તાઓ, વૃક્ષો અને પહાડો સંપૂર્ણપણે સફેદ ચાદરમાં ઢંકાઈ ગયા છે, જેના કારણે પ્રકૃતિનો નજારો અદભૂત બની ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શિમલા અને તેની આસપાસના વિસ્તારોમાં […]

જામનગર એરપોર્ટને કસ્ટમર સેટિસ્ફેક્શનમાં દેશભરમાં મળ્યું ચોથુ સ્થાન

જામનગર, 23 જાન્યુઆરી 2026: શહેરના એરપોર્ટને પ્રવાસીઓની સુવિધામાં ગુણવત્તલક્ષી કામગીરીને લીધે દેશભરમાં ચોથુ સ્થાન મળ્યુ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત જામનગર એરપોર્ટ એ કસ્ટમર સેટિસ્ફેક્શન ઇન્ડેક્સ (સીએસઆઈ) સર્વે રાઉન્ડ-2,2025 માં 5માંથી 4.96 નો ઉત્તમ સ્કોર પ્રાપ્ત કરીને દેશભરના 63 એરપોર્ટ્સમાં 4થો ક્રમ મેળવ્યો છે. સાથે જ, જામનગર એરપોર્ટને ગુજરાત રાજ્યના એરપોર્ટ્સમાં પણ દ્વિતીય […]

ગુજરાતમાં વાઘના આગમન બાદ તેના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ સજ્જ

ગાંધીનગર,23 જાન્યુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતાં હતું કે, ગુજરાતમાં વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે સરકાર કટિબદ્ધ છે. રાજ્યના મહત્વના સિંહ અભયારણ્ય, પક્ષી અભયારણ્ય, ઘુડખર અભયારણ્ય તથા રીંછ અભયારણ્ય જેવા વન્યજીવ કેન્દ્રોના વિકાસ અને વન્ય […]

વડોદરામાં અકોટા બ્રિજ નજીક બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઈકચાલકનું મોત

વડોદરા, 23 જાન્યુઆરી 2026: શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ગઈ મોડી રાતે અકોટા બ્રિજ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. શહેરના અકોટા બ્રિજથી નર્સિંગ હોમ ચાર રસ્તા તરફ જતા રોડ પર પૂર ઝડપે આવેલા બાઈક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા બાઈકચાલકનું માથું ફાટી જતા તેનું ઘટનાસ્થળે જ […]

અમદાવાદની બન્ને આરટીઓ કચેરીમાં હવે AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાશે

અમદાવાદ, 23 જાન્યુઆરી 2026: શહેરમાં સુભાષબ્રિજ અને વસ્ત્રાલની આરટીઓ કચેરીમાં હવે એઆઈ આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવશે. જેમાં પરફેક્ટ ડ્રાઈવિંગ આવડતું હશે. એવા અરજદારો જ ઉતિર્ણ થઈ શકશે. શહેરની બન્ને આરટીઓ કચેરીમાં 10થી 15 દિવસમાં એઆઇ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરી દેવાશે. સૌપ્રથમ વસ્ત્રાલ આરટીઓમાં અને ત્યારબાદ સુભાષબ્રિજ આરટીઓમા એઆઈ ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ કરાશે. અમદાવાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code