1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પોલીસની ભરતીમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે ફુલપ્રુફ વ્યવસ્થાઃ નીરજા ગોટરૂ

અમદાવાદ, 30 જાન્યુઆરી 2026:  ગુજરાતના લાખો યુવાનોના ‘ખાખી’ પહેરવાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરની કુલ ૧૩,૫૯૧ જગ્યાઓ માટે સંપૂર્ણ પારદર્શકતા સાથે ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના ૧૫ નિર્ધારીત શહેરો અને SRP તાલીમ કેન્દ્રો ખાતે અંદાજે ૧૦ લાખથી વધુ ઉમેદવારો પોતાની શારીરિક ક્ષમતા સાબિત કરી રહ્યા […]

સૌરાષ્ટ્રમાં ફરી હવામાનમાં પલટો, સવારે ધૂમ્મસભર્યુ વાતાવરણ, બપોરે ગરમીનો અહેસાસ

રાજકોટ, 30 જાન્યુઆરી 2026: શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે સૌરાષ્ટ્રમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારે ધૂમ્મસભર્યુ વાતાવરણ સર્જાયુ હતું. પણ બપોરના ટાણે તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થતાં ઠંડી ગાયબ થઇ ગઇ હતી. આમ લોકોએ બે ઋતુનો અનુભવ કર્યો હતો. રાજકોટમાં આજે વહેલી સવારે ધૂમ્મસ બાદ હવામાં ભેજ 79 ટકા સાથે લઘુતમ […]

કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદ, 30 જાન્યુઆરી 2026: કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો મેસેજ મળતા સુરક્ષાના કારણોસર પાયલોટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક સાધ્યો હતો. અને અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર  ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફલાઈટમાં તમામ પ્રવાસીઓને ઉતારીને પ્રવાસીઓને લગેજને બહાર કાઢીને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ઝીણવટભર્યું […]

સુરેન્દ્રનગરના મુળી-થાન રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો, એકને ગંભીર ઈજા

સુરેન્દ્રનગર, 30 જાન્યુઆરી 2026: જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે મુળી-થાન રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. આજે સવારના સમયે મૂળી-થાન રોડ પર વગડીયા ગામ પાસે બે  કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, […]

વડોદરા હાઈવે પર લોખંડની એન્ગલ ભરેલું ટ્રેલર દીવાલ તોડી દૂકાનમાં ઘૂંસ્યુ

વડોદરા, 30 જાન્યુઆરી 2026: નેશનલ હાઈવે-48 પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર નંદેસરી નજીક ખેડા તરફથી તમિલનાડુ જઈ રહેલું લોખંડની એંગલ્સ ભરેલું ટ્રેલર સાંકરદા બ્રિજ પાસે રોંગ સાઈડમાં આવતું હતું. ત્યારે ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેલર દુર્ગા એસ્ટેટના ગેટ પાસે આવેલી ડ્રાયફ્રૂટની દુકાન પાસે ધડાકાભેર ટકરાઈ ગયું હતું. ટ્રેલરની ટક્કરથી દુકાનની […]

સુરતમાં વેસ્ટેજ કાપડના ગોદામમાં લાગી ભીષણ આગ, દુર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા

સુરત, 30 જાન્યુઆરી 2026: શહેર નજીક એકલેરા ચોકડી પાસે ગત મોડી રાત્રે વેસ્ટેજ કાપડ (ચીંદી)ના ગોડાઉનોમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયરનો કાફલો દોડી આવ્યો હતો. છેલ્લા 6 કલાકથી પાણીનો સતત મારો છતાંયે આગ પર કાબુ મેળવી શકાયો નહતો. આગ એટલી વિકરાળ હતી કે તેના […]

વડોદરાના કરજણ પાસે હાઈવે પર ટ્રક પાછળ બસ અથડાતા બેનાં મોત

વડોદરા, 30 જાન્યુઆરી 2026: રાજ્યમાં હાઈવે પર અકસ્માતના વધુ એક બનાવમાં બેના મોત નિપજ્યા હતા. વડોદરાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર આજે વહેલી સવારે જય ખોડિયાર ટ્રાવેલ્સની બસ હાઈવે સાઈડ પર પાર્ક કરેલી ટ્રક પાછળ અથડાતા બેના પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. જ્યારે 10 પ્રવાસીઓને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતના […]

ગોંડલ-આટકોટ હાઈવે પર કાર પુલ નીચે ખબક્યા બાદ આગ લાગતા ત્રણનાં મોત

રાજકોટ, 30 જાન્યુઆરી 2026: રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માત ગોંડલ-આટકોટ હાઈવે પર સર્જાયો હતો. ગોંડલ-આટકોટ હાઈવે આજે વહેલી સવારે મોટા માંડવા અને મોટા દડવા ગામની વચ્ચે પૂરફાટ ઝડપે કાર પુલ નીચે ખાબક્યા બાદ આગ લાગતા બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ જીવતા ભુંજાયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે […]

અમદાવાદમાં ‘આદિવાસી હસ્તકલા કૃતિ, આહાર, વનૌષધિય વેચાણ-પ્રદર્શનનો પ્રારંભ

અમદાવાદ, 30 જાન્યુઆરી 2026: આદિજાતિ વિકાસ મંત્રી  નરેશભાઈ પટેલના હસ્તે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળા’નું ઉદ્ઘાટન સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા આયોજિત આ વેચાણ અને પ્રદર્શન મેળો આગામી તા. 03 ફેબ્રુઆરી સુધી યોજાશે. આ મેળામાં તમામ આદિવાસી ભાઈ-બહેનોને […]

કેદારનાથ : મંદિર પરિસરમાં મોબાઈલ વાપર્યો તો ખેર નથી! પ્રતિબંધ ફરમાવાશે

ઋષિકેશ, 30 જાન્યુઆરી 2026: આગામી કેદારનાથ યાત્રાને લઈને વહીવટી તંત્ર આ વખતે અત્યંત કડક માર્ગદર્શિકા લાવવાની તૈયારી કરી રહ્યું છે. પ્રસ્તાવિત વ્યવસ્થા મુજબ, કેદારનાથ ધામના મંદિર પરિસરમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. એટલું જ નહીં, જો કોઈ શ્રદ્ધાળુ નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે, તો તેની પાસેથી ભારે દંડ વસૂલવાની પણ શક્યતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code