1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતમાં નગરપાલિકાઓને વિકાસ માટે મફતમાં સરકારી જમીન ફાળવાશેઃ મુખ્યમંત્રી

ગાંધીનગર, 26 જાન્યુઆરી 2026: શહેરી વિસ્તારોમાં વહીવટ વધુ પારદર્શક બને અને નાગરિકોને પાયાની સુવિધાઓ સમયસર મળી રહે તે માટે નગરપાલિકાઓને વિકાસકામો માટે હવે 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ વિકસાવવા માટે  વિના મૂલ્યે સરળતાએ જમીન ફાળવવામાં આવશે. વિકાસ કામો માટે અગાઉ સરકારી જમીન મેળવવા બજાર કિંમત અથવા જંત્રી દરના 25થી 50 ટકા સુધીની ભરવી પડતી  રકમમાંથી […]

ગૌતમ ગંભીરે માં કામાખ્યા ધામમાં માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ગુવાહાટીના પ્રખ્યાત માં કામાખ્યા ધામની મુલાકાત આવ્યા,જ્યાં તેમણે ધાર્મિક પૂજા કરી અને માં કામાખ્યાના આશીર્વાદ મેળવ્યા. ગૌતમ ગંભીર નીલાચલ પર્વત પર સ્થિત, આ શક્તિપીઠમાં પૂજા અર્ચના કરતા જોવા મળ્યા. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌત્તમ ગંભીર તથા અન્ય ખેલાડીઓેએ તાજેતરમાં જ સુપ્રસિદ્ધ ઉજ્જૈનમાં […]

પ્રજાસત્તાક દિવસ: અમેરિકા સહિતના દેશોએ ભારતને શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: યુનાઇટેડ સ્ટેટ્સે ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ પર ભારતને અભિનંદન આપ્યા અને બંને દેશો વચ્ચેના ઊંડા અને મજબૂત સંબંધોની નોંધ લીધી. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત એક ઐતિહાસિક અને મજબૂત બંધન ધરાવે છે, જે સમય જતાં વધુ વ્યાપક અને વધુ પ્રભાવશાળી બન્યો છે. તેમના […]

કોલકાતામાં TMC અને ભાજપ વચ્ચે અથડામણ, મંચને આગ ચાંપી

કોલકાતા, 26 જાન્યારી 2026: પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા અને વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. રાજ્યની રાજધાની કોલકાતાના બેહાલા વિસ્તારમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને વિપક્ષી દળ ભાજપના સમર્થકો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. આ હિંસક ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબની સભા માટે બનાવેલા હંગામી મંચને પણ આગ ચાંપી દેવામાં આવતા વિસ્તારમાં ભારે તણાવ ફેલાયો […]

ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો

દેહરાદૂન, 26 જાન્યુઆરી 2026: ઉત્તરાખંડના પ્રસિદ્ધ ચારધામ પૈકીના એક એવા ગંગોત્રી ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિની બેઠકમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ પ્રતિબંધ માત્ર ગંગોત્રી મંદિર પરિસર પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ માતા ગંગાના શીતકાલીન પ્રવાસ સ્થળ […]

પ્રજાસત્તાક દિવસઃ સેના પ્રમુખે શહીદોના બલિદાનને શ્રદ્ધાંજલિ પાઠવી

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 77મા પ્રજાસત્તાક દિવસ પર રાષ્ટ્રને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે આ પ્રસંગ લોકોને સર્વોચ્ચ બલિદાન આપનારા અને ફરજ બજાવતા અજોડ બહાદુરી દર્શાવનારા અમર નાયકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક પૂરી પાડે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, જનરલ દ્વિવેદીએ કહ્યું, “રાષ્ટ્રના 77મા […]

ગુજરાતના ટેબ્લોએ 77-મા પ્રજાસત્તાક પર્વમાં કર્તવ્ય પથ પર આકર્ષણ જમાવ્યું

નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી, 2026: પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયીતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ” ! ‘વંદે માતરમ’ ગીતની 150-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહ્યો હતો. […]

અંતરિક્ષમાં ઈતિહાસ રચનાર ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાને અશોક ચક્રથી સન્માનિત કરાયાં

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: 77માં પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે ભારતનું મસ્તક ગર્વથી વધુ ઊંચું થયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય વાયુસેનાના જાંબાઝ ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાને દેશના સર્વોચ્ચ શાંતિકાળ વીરતા પુરસ્કાર ‘અશોક ચક્ર’થી સન્માનિત કર્યા છે. રાજધાનીના કર્તવ્ય પથ પર આયોજિત ભવ્ય સમારોહમાં તેમને આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ […]

ફિલિપાઈન્સ: 300 મુસાફરો ભરેલી ફેરી દરિયામાં ડૂબી, 13ના મોત

દક્ષિણ ફિલિપાઈન્સમાં સોમવારે વહેલી સવારે એક મોટી દરિયાઈ દુર્ઘટના સર્જાઈ છે. બાસિલાન પ્રાંત નજીક દરિયામાં એક ઈન્ટર-આઈલેન્ડ ફેરી ડૂબી જતા દોડધામ મચી ગઈ હતી. આ ફેરીમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત 300થી વધુ લોકો સવાર હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં દરિયામાંથી 13 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે તટરક્ષક […]

77 પ્રજાસત્તાક પર્વે નારી શક્તિ અને હિમ યોદ્ધાઓનો દબદબો, યુરોપિયન મહેમાનો બન્યા સાક્ષી

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: ભારતે આજે પોતાનો 77મો ગણતંત્ર દિવસ પૂરી આન, બાન અને શાન સાથે ઉજવ્યો હતો. રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલા ભવ્ય સમારોહમાં દેશની સૈન્ય તાકાત, સાંસ્કૃતિક વિવિધતા અને વધતા જતા વૈશ્વિક પ્રભાવનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તિરંગો ફરકાવ્યો હતો, ત્યારબાદ રાષ્ટ્રગીત અને 21 તોપોની સલામી સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code