1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ચીનમાં ભારતીય નાગરિકની અટકાયત મામલે વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હીઃ નવી દિલ્હીએ જણાવ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે, અને ચીનના ઇનકારથી આ સત્ય બદલાશે નહીં-ચીનના વિદેશ મંત્રાલયના નિવેદનો અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યુ હતું. રણધીર જયસ્વાલે કહ્યું કે અરુણાચલ પ્રદેશના એક ભારતીય નાગરિકની અટકાયતનો મુદ્દો ચીની પક્ષ સમક્ષ મજબૂતીથી ઉઠાવવામાં આવ્યો છે. તેમણે […]

ભારત અને યુકેની સેનાએ રાજસ્થાનમાં અજેય વોરિયર યુદ્ધાભ્યાસ કર્યો

જયપુરઃ ભારત અને યુનાઇટેડ કિંગડમની સેનાઓ સંયુક્ત યુદ્ધાભ્યાસ ‘અજેય વોરિયર’ કરી રહી છે. આ દરમિયાન બંને સેનાઓએ આતંકવાદીઓ વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહીનો અભ્યાસ કર્યો છે. આ અભિયાનમાં ભારત અને યુકેના જવાનો હેલિકોપ્ટરની સહાયતાથી આતંકવાદીઓના ઠેકાણાઓ પર પહોંચ્યા, તેમના પર હુમલો કર્યો અને આતંકી ઠેકાણા નષ્ટ કરીને સુરક્ષિત પાછા નીકળી આવ્યા. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના મહાજન […]

સંચાર સાથી મારફતે અત્યાર સુધીથી ખોવાયેલા-ચોરાયેલા 7 લાખથી વધુ ફોન રિકવર કરાયાં

નવી દિલ્હીઃ દૂરસંચાર વિભાગની પહેલ સંચાર સાથીએ ઑક્ટોબર 2025માં 50,000થી વધુ ખોવાયેલા/ચોરી થયેલા મોબાઈલ હેન્ડસેટ રિકવર કરીને ડિજિટલ સુરક્ષામાં મોટી સફળતા મેળવી છે. કર્ણાટક અને તેલંગાણા ટોચના પરફોર્મર બન્યા છે અને કુલ રિકવરી આંકડો 7 લાખને પાર કરી ગયો છે, જે આ પ્લેટફોર્મની વધતી કાર્યક્ષમતા દર્શાવે છે. આ સ્વદેશી પ્લેટફોર્મ ઓટોમેટેડ ટ્રેસેબિલિટી દ્વારા ચોરી થયેલા […]

અમિત શાહ અને રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “આ ‘બંધારણ દિવસ’ પર, હું બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણ સભાના તમામ મહાન સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આ દિવસે દેશવાસીઓને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. વિશ્વની સૌથી મોટી લોકશાહી, ભારતનું બંધારણ, દરેક નાગરિકને સમાન તકો, ગૌરવપૂર્ણ […]

બંધારણ દરેક નાગરિકને સ્વપ્ન જોવા અને તેને પૂરા કરવાનો અધિકાર આપે છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસ (26 નવેમ્બર) નિમિત્તે દેશના નાગરિકોને પત્ર લખ્યો. તેમણે 1949માં બંધારણના ઐતિહાસિક સ્વીકારને યાદ કર્યો અને રાષ્ટ્રની પ્રગતિમાં તેની માર્ગદર્શક ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે સમજાવ્યું કે 2015માં, સરકારે આ પવિત્ર દસ્તાવેજને માન આપવા માટે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે બંધારણે સામાન્ય […]

તમારા નામ પર લેવાયેલા સિમથી થશે ફ્રોડ તો તમે પણ જવાબદાર! ટેલિકોમ વિભાગની ચેતવણી

ભારતમાં વધી રહેલા સાઇબર ફ્રોડને ધ્યાનમાં રાખીને દૂરસંચાર વિભાગ (DoT) એ ચેતવણી જાહેર કરી છે. હવે જો તમારા નામ પર લેવાયેલી સિમ કાર્ડનો ઉપયોગ કોઈ સાઇબર ક્રાઇમ અથવા ગેરકાયદે પ્રવૃત્તિમાં થાય છે, તો માત્ર ગુનેગાર જ નહીં, પણ મૂળ સિમ યુઝરને પણ જવાબદાર ગણાવી કાર્યવાહી થઈ શકે છે. DoTએ જણાવ્યું છે કે, IMEIથી છેડછાડ કરેલા […]

ભારતનું અસલી સુપરફૂડ એટલે દેશી ઘી, તેના અદભૂત ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો

દેશી ઘીને ભારતનો અસલી સુપરફૂડ ગણાવવામાં આવ્યો છે, જે સદીઓથી તાકાત અને લાંબી ઉંમરનું પ્રતીક છે. તેમાં રહેલા ઓમેગા-3 અને વિટામિન K2 જેવા પોષક તત્વો તેને સંપૂર્ણ ઔષધિ બનાવે છે, જે પાચન સુધારે છે, મગજને પોષણ આપે છે અને સાંધાને મજબૂત કરે છે. આયુર્વેદ તેને ‘યોગવાહી’, ‘રસાયણ’ અને ત્રણેય દોષોને સંતુલિત કરનારું શ્રેષ્ઠ સ્નિગ્ધ તત્વ […]

ગુજરાતઃ યુનિટી માર્ચ અંતર્ગત યોજાનારી રાષ્ટ્રીય પદયાત્રાની સાક્ષી બનશે 5 નદી

અમદાવાદઃ યુનિટી માર્ચ અંતર્ગત યોજાનારી “રાષ્ટ્રીય પદયાત્રા” એકતા અને અખંડિતતાનું પ્રતિબિંબ તો બનશે સાથે જ આ ઐતિહાસિક રાષ્ટ્રીય પદયાત્રાની સાક્ષી રાજ્યના ઇતિહાસ અને સંસ્કૃતિની ધરોહર સમાન પાંચ સરિતાઓ પણ બનશે. કરમસદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી યોજાનારી આ રાષ્ટ્રીય પદયાત્રા આણંદ, વડોદરા અને નર્મદા એમ ત્રણ જિલ્લામાંથી પસાર થશે, ત્યારે ગુજરાતની પાંચ પવિત્ર અને સાંસ્કૃતિક રીતે મહત્ત્વની […]

નૌસેનાના તમામ જહાજો ભારતીય શિપયાર્ડ્સમાં જ તૈયાર થાય છે: રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે ભારતીય નૌસેનાના તમામ નિર્માણાધીન જહાજો ભારતીય શિપયાર્ડ્સમાં સ્વદેશી રીતે તૈયાર થઈ રહ્યા છે, જે ‘આત્મનિર્ભર ભારત’ વિઝનનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે નૌસેનાની 262 ડિઝાઇન પરિયોજનાઓ અદ્યતન તબક્કે છે, અને ભારતીય શિપયાર્ડ્સ આ દાયકામાં 100% સ્વદેશી સામગ્રીના ઉપયોગ તરફ આગળ વધી રહ્યા છે. તેમણે ભારતની સમુદ્રી […]

સગાઈના ફોટા-વીડિયો ડિલીટ કર્યા બાદ ચર્ચામાં સ્મૃતિ મંધાના: પલાશ મુચ્છલ સાથેના લગ્ન ટળ્યાં

મુંબઈઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપકપ્તાન અને લોકપ્રિય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કમ્પોઝર તથા ફિલ્મમેકર પલાશ મુચ્છલ 23 નવેમ્બરે લગ્નગ્રંથિથી જોડાવવાના હતા. બંનેની પ્રી-વેડિંગ સેરેમની ધામધૂમથી ચાલી રહી હતી. પરંતુ સંગીત નાઇટ દરમિયાન સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાને હાર્ટ એટેક આવતા લગ્નને તાત્કાલિક મુલતવી રાખવામાં આવ્યા હતા. હાલમાં પલાશની બહેન અને જાણીતી સિંગર પલક મુચ્છલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code