1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભાવનગર નજીક ફુલસરમાં PM આવાસ યોજનામાં ચેકિંગ, 104 મકાનોમાં અન્ય લોકોનો વસવાટ

યોજનામાં ગેરકાયદે રહેતા લોકો 3 દિવસમાં મકાન ખાલી નહીં કરે તો સીલ મરાશે ઘણા લાભાર્થીઓએ મકાન લઈને બારોબાર અન્યને વેચી દીધા ઘણા લાભાર્થીઓએ મકાનો લઈને ભાડે આપી દીધા ભાવનગરઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના ઘર વિહોણા પરિવારોને રાહત દરે પીએમ આવાસ યોજના અને સીએમ આવાસ યોજના હેઠળ મકાનો ફાળવવામાં આવ્યા છે. જેમાં […]

રાજકોટમાં યોજાયેલી ઓલ ઈન્ડિયા પોલીસ હોકી ટૂર્નામેન્ટ ચેમ્પિયનશીપમાં પંજાબે બાજી મારી

ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ સામેની ફાઈનલ મેચમાં પંજાબ પોલીસનો વિજય, ગુજરાતના પોલીસ વડાની હાજરીમાં ક્લોઝિંગ સેરેમની યોજાઈ ટૂર્નામેન્ટમાં પોલીસ અને પેરા મિલ્ટ્રી ફોર્સની 32 જેટલી મેન -વુમન ટિમોએ ભાગ લીધો રાજકોટઃ શહેરમાં 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટ યોજાતા પોલીસ વિભાગની દેશભરની ટીમોએ ભાગ લીધો હતો. રવિવારને 14 ડિસેમ્બરે ટૂર્નામેન્ટનો અંતિમ દિવસ હતો. જેમાં […]

રાજકોટમાં 4 કિલો ગાંજા સાથે રિક્ષાચાલક અને મહિલાની પોલીસે કરી ધરપકડ

એસઓજી ટીમે બાતમીને આધારે કોઠારિયા ચોકડી પાસે વોચ ગોઠવી હતી રિક્ષાને અટકાવતા 4 કિલો ગાંજો મળી આવ્યો મહિલા અગાઉ પણ NDPS એક્ટ હેઠળના ગુનામાં પકડાઈ હતી રાજકોટઃ શહેરમાં ગાંજા સહિત ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. ત્યારે પોલીસ દ્વારા ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના […]

અમદાવાદમાં મેમ્કો ચાર રસ્તા પાસે લૂખ્ખાગીરી, 5 શખસોએ ટ્રાવેલ્સની ઓફિસમાં કરી તોડફોડ

જાહેર રોડ પર કેક કાપતા શખસોને બસનાચાલકે સાઈડમાં જવાનું કહેતા થઈ માથાકૂટ ટ્રાવેલર્સને મારમારીને છરી કાઢી ધમકી આપી શહેર કોટડા પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના મેમ્કો ચાર રસ્તા પાસે જાહેરમાં 5 જેટલા યુવાનો કેક કાપીને બર્થ ડે ઊજવી રહ્યા હતા.જેના કારણે ટ્રાફિક અવરોધાયો હતો. દરમિયાન ખાનગી લકઝરી બસનાચાલકે સાઈડમાં ખસવાનું […]

નવેમ્બરમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો થયો, જથ્થાબંધ ફુગાવો -0.32 ટકા

નવી દિલ્હીઃ નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવાનો દર -0.32 ટકા હતો. ખાદ્ય ઉત્પાદનો, ખનિજ તેલ, ક્રૂડ પેટ્રોલિયમ, કુદરતી ગેસ, ઉત્પાદિત મૂળભૂત ધાતુઓ અને વીજળીના ભાવમાં ઘટાડો થવાને કારણે નકારાત્મક વલણ જોવા મળ્યું. સોમવારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રાથમિક વસ્તુઓ માટે જથ્થાબંધ ફુગાવાનો દર વાર્ષિક ધોરણે -2.93 ટકા […]

આંકલાવ નજીક હાઈવે પર પિકઅપ વાન અને ટ્રક ટકરાયા બાદ આગ લાગતા બે જીવતા ભૂંજાયા

વાસદ-બગોદરા હાઈવે પર અંબાવ ટોલ પ્લાઝા નજીક બન્યો બનાવ પીકઅપ વાનમાં જલદ પ્રવાહી કેમિકલ ભરેલું હતું મહિલા અને પુરૂષ બળીને ખાક થતા મૃતદેહ ઓળખી શકાયા નહીં આણંદઃ ગુજરાતમાં નોશનલ હાઈવે પર રોડ અતસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વાસદ-બગોદરા હાઈવે પર આંકલાવ નજીક અંબાવ ટોલ પ્લાઝા પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને જલદ […]

સોજીત્રાના પલોલ ગામે રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું

રાજ્યપાલએ ખેડૂતના ઘરે રાત્રી ભોજન લઈ સામાજિક સમરસતા આપ્યો દાખલો ગ્રામજનો સાથે પ્રાકૃતિક ખેતીથી થતા લાભો અંગે રાજ્યપાલે સમજણ આપી પલોલ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાજ્યપાલએ કર્યો રાત્રી વિશ્રામ આણંદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામની મુલાકાત લઈ ગ્રામીણ સંસ્કૃતિને માણી હતી. રાજ્યપાલએ પલોલ ગામના ખેડૂતો, પશુપાલકોની મુલાકાત લઈ સ્વચ્છતા,પશુપાલન અને […]

અમીરોના કર્મોની કિંમત ગરીબોએ ચૂકવવી પડે છે, પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટની આકરી ટીપ્પણી

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં ગંભીર વાયુ પ્રદૂષણ સંબંધિત એક કેસ ફરી એકવાર સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. આ મામલે એમિકસ ક્યુરી અપરાજિતા સિન્હાએ કોર્ટને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારો કોર્ટના નિર્દેશોનું ત્યાં સુધી સંપૂર્ણ પાલન કરતી નથી, જ્યાં સુધી કોર્ટ કડકાઈથી તેમને લાગુ કરવાનો આદેશ ન આપે. એક ઉદાહરણ આપતાં તેમણે કોર્ટને જણાવ્યું કે, […]

યુવાનોના અચાનક મૃત્યુ પાછળ કોવિડ વેક્સિન નહીં, પણ હૃદય રોગ જવાબદારઃ AIIMSનો દાવો

નવી દિલ્હી: છેલ્લાં કેટલાંક વર્ષોમાં યુવાનોના અચાનક થતાં મૃત્યુના કિસ્સાઓમાં જે ઝડપી વધારો જોવા મળ્યો છે, તેને કોરોના વેક્સિન સાથે જોડતી અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાયો છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS), દિલ્હીએ એક વર્ષ સુધી ચાલેલી વિસ્તૃત સ્ટડીમાં મોટો ખુલાસો કર્યો છે કે, યુવાનોના આ ‘અચાનક મૃત્યુ’નો કોરોના વેક્સિન સાથે કોઈ સીધો […]

રામ મંદિર આંદોલનના મુખ્ય સ્તંભ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું નિધન

અયોધ્યા: રામ જન્મભૂમિ આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનારા અને અયોધ્યાના પૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું નિધન થયું છે. મધ્યપ્રદેશના રીવા ખાતે એક કથા મહોત્સવ દરમિયાન અચાનક તેમની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ 77 વર્ષના હતા. મંદિર આંદોલનમાં ડૉ. વેદાંતીનું યોગદાન અત્યંત મહત્ત્વનું રહ્યું છે. 90ના દાયકામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code