1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સુરતમાં બે ડેરી પર SOGનો દરોડો, 143 કિલો ભેળસેળયુક્ત ગણાતો માખણનો જથ્થો જપ્ત

સુરતના પૂણેગામ અને વરાછામાં બાતમીને આધારે એસઓજીએ રેડ પાડી માખણના સેમ્પલ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા માખણ ભેળસેળયુક્ત કે અખાદ્ય હોવાનું સાબિત થશે તો કાર્યવાહી કરાશે સુરતઃ શહેરમાં નકલી પનીરનો જથ્થો પકડાયા બાદ શહેરની એસઓજી પોલીસે મ્યુનિના ફુડ વિભાગના અધિકારીઓને સાથે રાખીને શહેરના પૂણાગામ અને વરાછા વિસ્તારની બે ડેરી પર રેડ પાડીને કુલ 143 કિલોગ્રામ […]

અમદાવાદના વસ્ત્રાપુર તળાવને 10 કરોડના ખર્ચે રિ-ડેવલોપ કરાયુ, રવિવારે લોકાર્પણ કરાશે

લેકના એન્ટ્રીમાં આકર્ષક ફુવારા, તળાવને નિહાળવા 3 વ્યુઈંગ ગેલેરી બનાવાઈ બાળકોના મનોરંજન માટે ચિલ્ડ્રન એરિયા બનાવાયો વસ્ત્રાપુર લેકમાં મુલાકાતીઓએ રૂપિયા 10 એન્ટ્રી ફી આપવી પડશે અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર તળાવને રૂપિયા 10 કરોડના ખર્ચે રિ-ડેવલપ કરવામાં આવ્યું છે. તળાવની આજુબાજુમાં મુલાકાતીઓને મોહી લે એવા આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે. જેમાં બાળકોના મનોરંજન માટે ચિલ્ડ્રન એરિયા સાથે […]

અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ નજીક BMW બાઈક રેલિંગ સાથે અથડાતા બાઈકચાલકનું મોત

પૂરફાટ ઝડપે BMW બાઈક રેલિંગ સાથે અથડાયુ, અકસ્માતમાં બાઈકચાલકનો હાથ શરીરથી અલગ પડી ગયો, ઇન્ટીરિયર ડિઝાઇનર યુવાનના મોતથી પરિવારનું હૈયાફાટ રૂદન અમદાવાદઃ શહેરમાં અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે 132 ફુટ રિંગ રોડ પર જીઆઈડીસી નજીક પૂરફાટ ઝડપે બીએસડબલ્યુ બાઈક રેલિંગ સાથે ધડાકાભેર અથડાતા બાઈકચાલક યુવાનનું મોત નિપજ્યુ હતું. આ અકસ્માતમાં યુવકનો એક હાથ શરીરથી […]

રાજભવન બાદ પીએમ કાર્યાલય પણ હવે નવા નામથી ઓળખાશે

પ્રધાનમંત્રી કાર્યાલય હવે સેવા તીર્થ તરીકે ઓળખાશે રાજભવન હવે લોકભવન તરીકે ઓળખાશે પીએમ આવાસનું નામ પહેલા જ લોક કલ્યાણ માર્ગ કરવામાં આવ્યું હતું નવી દિલ્હીઃ વડાપ્રધાન કાર્યાલયનું નામ બદલાયું છે. હવે તેને સેવા તીર્થ નામથી ઓળખવામાં આવશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બની રહેવા નવા પીએમ કાર્યાલયનું નામ હવે સેવા તીર્થ રાખવામાં આવ્યું છે. આ એવુ […]

વાવાઝોડાના સંકટનો સામનો કરતા શ્રીલંકાને પાકિસ્તાને સહાયના નામે એક્સપાયરી વસ્તુઓ મોકલી

સાયક્લોન દિત્વાહથી ભારે નુકસાન વેઠી રહેલા શ્રીલંકામાં માનવીય સંકટ વધુ ગંભીર બન્યું છે. આ વચ્ચે પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલી રાહત સામગ્રી પર મોટો રાજકીય વિવાદ ઉભો થયો છે. સ્થાનિક રાજકીય પક્ષો અને સોશિયલ મીડિયા યુઝર્સે આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાન દ્વારા મોકલાયેલી માનવીય મદદમાં મોટા પ્રમાણમાં એક્સપાયરી માલ સામેલ હતું. શ્રીલંકાના વિરોધ પક્ષો અને સ્થાનિક […]

દિલ્હી બ્લાસ્ટઃ આતંકીઓ હમાસની જેમ ડ્રોન હુમલાની ફિરાકમાં હતા, તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

નવી દિલ્હીઃ દિલ્હીમાં 10 નવેમ્બર 2025ના રોજ લાલ કિલ્લા પાસે કારમાં થયેલા વિસ્ફોટ બાદ તપાસ ઝડપથી આગળ વધી રહી છે. આ હુમલામાં 15 લોકોના મોત થયા હતા અને 20થી વધુ ઘાયલ થયા હતા. હવે NIAને તપાસ દરમિયાન એક મોટો પુરાવો હાથ લાગ્યો છે. મુખ્ય આરોપી જસીર બિલાલ ઉર્ફે દાનિશના ફોનમાંથી ડિલિટ હિસ્ટ્રી રિકવર કરતા અનેક […]

ઓડિશામાં બાંગ્લાદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી બનાવાઈ વધુ તેજ, 49ને ડિપોર્ટ કરાયા

પુરીઃ દેશમાં હાલ ઘુસણખોરીનો મુદ્દો ફરી ગરમાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જાહેર મંચ પરથી આ મુદ્દાને રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ગણાવ્યો છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ ઓડિશા સરકારે પણ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી વધુ કડક કરી છે. મે મહિનાથી અત્યાર સુધી રાજ્યમાંથી 49 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આ કાર્ય માટે ખાસ […]

બલૂચિસ્તાનઃ ફ્રન્ટિયર કૉરના કેમ્પ પર BLA દ્વારા પ્રથમવાર મહિલા આત્મઘાતીનો ઉપયોગ કરાયો

બલૂચિસ્તાનના ચગાઈ જિલ્લામાં રવિવારે સાંજે ફ્રન્ટિયર કોર (FC)ના સુરક્ષિત કમ્પાઉન્ડ પર બલૂચ લિબરેશન ફ્રન્ટ (BLF)એ જીવલેણ હુમલો કર્યો હતો. આ કમ્પાઉન્ડ ચાઇના દ્વારા સંચાલિત કોપર અને ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે. આ હુમલામાં 6 પાકિસ્તાની જવાનોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે. દરમિયાન BLFએ દાવો કર્યો છે કે, ઇતિહાસમાં પહેલીવાર તેમણે મહિલા આત્મઘાતી હુમલાખોરનો ઉપયોગ […]

સંચાર સાથી એપ ફરજિયાત નથી, તેને ડિલીટ કરી શકાશે: જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ સંચાર સાથી મોબાઇલ એપ ફરજિયાત નથી અને તેને ડિલીટ કરી શકાય છે, એમ કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે (2 ડિસેમ્બર) ગોપનીયતા વિવાદ વચ્ચે જણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા સિંધિયાએ જણાવ્યું હતું કે, એપ્લિકેશન રાખવી એ વ્યક્તિ પર નિર્ભર છે, અને તેને સ્માર્ટફોનમાંથી ડિલીટ કરી શકાય છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code