1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સાઉદી અરબ બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભારતીયોના અંતિમ સંસ્કાર મક્કા–મદીના નજીક થશે

બેંગ્લોરઃ સાઉદી અરબમાં સર્જાયેલી ભયાનક બસ અકસ્માતમાં મોત પામેલા ભારતીય યાત્રિકોના અંતિમ સંસ્કારની તૈયારી શરૂ થઈ ગઈ છે. સાઉદી અરબ સરકાર જ તમામ મૃતકોના અંતિમ સંસ્કારનું આયોજન કરશે અને તે મક્કા–મદીના નજીક ઇસ્લામિક પરંપરા મુજબ ગુરુવારે કરવામાં આવશે. તેલંગાણા સરકારની વિનંતી પર સાઉદીએ પરિવારના સભ્યોની હાજરીમાં અંતિમ સંસ્કાર થવાની મંજૂરી આપી છે. ભારતમાંથી પરિવારજનોને બોલાવવામાં […]

છત્તીસગઢમાં સોશિયલ મીડિયા મારફતે સગીરોને આતંકી બનાવવાના રેકેટનો પર્દાફાશ

નવી દિલ્હીઃ છત્તીસગઢના રાયપુરમાં આતંકવાદ વિરોધી દળ (ATS)એ મોટી કાર્યવાહી કરીને આઈએસઆઈએસ (ISIS) માટે કાર્યરત બે સગીરને પકડી પાડ્યા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બંને સગીરોને સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાન સ્થિત ISIS મોડ્યુલ દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં ધકેલવામાં આવી રહ્યા હતા. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે પાકિસ્તાન સ્થિત ISISનો મોડ્યુલ ફેક અને બોગસ ઓળખવાળા સોશિયલ […]

અંગદાન મુદ્દે સમગ્ર દેશમાં એકસરખા નિયમો બનાવો, સુપ્રીમ કોર્ટનો સરકારને નિર્દેશ

નવી દિલ્હીઃ ભારતમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારોનું દ્વાર ખુલ્યું છે. સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને મહત્વપૂર્ણ સૂચનો આપતાં કહ્યું કે, દેશભરમાં અંગદાન માટે એકસરખી નીતિ અને એકસરખા નિયમો લાગુ કરવા સમય આવી ગયો છે. મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવાઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે આદેશ ભારતીય સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનની જાહેર હિત અરજીની […]

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ વેપાર, ટેકનોલોજી અને રોકાણ પર ઉચ્ચ સ્તરીય વાટાઘાટો માટે ઇઝરાયલની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, ઇઝરાયલના અર્થતંત્ર અને ઉદ્યોગ મંત્રી નીર બરકતના આમંત્રણ પર 20-22 નવેમ્બર, 2025 દરમિયાન ઇઝરાયલની સત્તાવાર મુલાકાત લેશે. આ મુલાકાત ભારત અને ઇઝરાયલ વચ્ચે વધતા વ્યૂહાત્મક અને આર્થિક સંબંધો પર ભાર મૂકે છે અને વેપાર, ટેકનોલોજી, નવીનતા અને રોકાણના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે બંને […]

આપણે આપણી સ્થાનિક અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી જોઈએ: પ્રધાનમંત્રી

હૈદરાબાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો હતો. પ્રધાનમંત્રીએ “સાંઈ રામ”થી પોતાના ભાષણની શરૂઆત કરી અને કહ્યું કે પુટ્ટપર્થીની પવિત્ર ભૂમિ પર દરેકની વચ્ચે હાજર રહેવું એ એક ભાવનાત્મક અને આધ્યાત્મિક અનુભવ હતો. તેમણે યાદ કર્યું કે તેમને તાજેતરમાં બાબાની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરવાની […]

આંધ્રપ્રદેશ પોલીસે સાત માઓવાદીઓ ઠાર માર્યા, 50 ની ધરપકડ કરી

નવી દિલ્હી: આંધ્રપ્રદેશ પોલીસે માઓવાદીઓ વિરુદ્ધ એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસ અને માઓવાદીઓ વચ્ચે થયેલા ગોળીબારમાં સાત માઓવાદીઓ માર્યા ગયા છે. આંધ્રપ્રદેશ પોલીસે કૃષ્ણા, એલુરુ, એનટીઆર વિજયવાડા, કાકીનાડા અને ડૉ. બીઆર આંબેડકર કોનસીમા જિલ્લામાંથી 50 સીપીઆઈ (માઓવાદી) કાર્યકરોની ધરપકડ કરી છે, જેનાથી સંગઠનના દક્ષિણ બસ્તર અને દંડકારણ્ય નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. આંધ્રપ્રદેશ […]

છત્તીસગઢના કોંડાગાંવમાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત

નવી દિલ્હી: છત્તીસગઢના કોંડાગાંવમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બધા થિયેટરમાં ફિલ્મ જોઈને ઘરે પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેમની કાર રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ ગઈ. આ ટક્કર એટલી ભયાનક હતી કે […]

ઈન્ટરનેશનલ ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ ભારત લાવવામાં આવ્યો, પ્રથમ તસવીર આવી સામે

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ગેંગસ્ટર અને લોરેન્સ બિશ્નોઈના સૌથી મોટા રાજદાર અનમોલ બિશ્નોઈને ભારત લાવવામાં આવ્યો છે. તેને ભારત પહોંચતાં જ લાંબી કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. સૌથી પહેલા એનઆઈએ (NIA) તેની કસ્ટડી લેશે, કારણ કે એજન્સીએ તેના પર 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરેલું અને તે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટ કેસમાં વોન્ટેડ છે. NIAની કસ્ટડી પૂર્ણ […]

ભારતમાં ભાંગફોડ માટે જૈશ-એ-મોહમ્મદ આત્મઘાતી ટીમ તૈયાર કરી રહ્યું છે, તપાસમાં ખુલાસો

નવી દિલ્હીઃ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ભારતમાં ફિદાયીની ટીમ તૈયાર કરવા માટે મોટા પાયે ફંડ ઉઘરાવી રહ્યાનું જાણવા મળે જૈશ-એ-મોહમ્મદના ડિજીટલ હવાલાના સરળ બનાવવા માટે પાકિસ્તાનના ડિજીટલ એપ સદાપે જેવા વોલેટના મારફતે ડોનેશન લેવા અને પોતાની આતંકી પ્રવૃતિ માટે ફંડ એકત્ર કરવાની જાહેરાત કરી છે. જૈશ એ મોહમ્મદએ તુહફત ઉલ મોમિનાત નામનો એક ઓનલાઈન કોર્સ શરૂ […]

બિહારઃ JDU ના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ પોતાના નેતા તરીકે નીતિશ કુમારની કરી પસંદગી

પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ એનડીએ દ્વારા સરકાર રચવા માટે કવાયત તેજ બનાવી છે. દરમિયાન આજે જેડીયુના ધારાસભ્ય દળની બેઠકમાં નીતિશ કુમારને પોતાના નેતા તરીકે પસંદ કર્યાં છે. જ્યારે ભાજપાની બેઠકમાં ધારાસભ્યોએ સમ્રાટ ચૌધરીની પસંદગી કરી છે. બિહારની રાજનીતિમાં આજે મોટા ફેરફારની ગૂંજ સાંભળવા મળી છે. જનતા દલ યુનાઇટેડ (જેડીયૂ)ના નવા ચૂંટાયેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code