1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પ્રજાસત્તાક દિવસઃ સેના પ્રમુખે શહીદોના બલિદાનને શ્રદ્ધાંજલિ પાઠવી

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 77મા પ્રજાસત્તાક દિવસ પર રાષ્ટ્રને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે આ પ્રસંગ લોકોને સર્વોચ્ચ બલિદાન આપનારા અને ફરજ બજાવતા અજોડ બહાદુરી દર્શાવનારા અમર નાયકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક પૂરી પાડે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, જનરલ દ્વિવેદીએ કહ્યું, “રાષ્ટ્રના 77મા […]

ગુજરાતના ટેબ્લોએ 77-મા પ્રજાસત્તાક પર્વમાં કર્તવ્ય પથ પર આકર્ષણ જમાવ્યું

નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી, 2026: પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયીતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ” ! ‘વંદે માતરમ’ ગીતની 150-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહ્યો હતો. […]

અંતરિક્ષમાં ઈતિહાસ રચનાર ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાને અશોક ચક્રથી સન્માનિત કરાયાં

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: 77માં પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે ભારતનું મસ્તક ગર્વથી વધુ ઊંચું થયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય વાયુસેનાના જાંબાઝ ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાને દેશના સર્વોચ્ચ શાંતિકાળ વીરતા પુરસ્કાર ‘અશોક ચક્ર’થી સન્માનિત કર્યા છે. રાજધાનીના કર્તવ્ય પથ પર આયોજિત ભવ્ય સમારોહમાં તેમને આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ […]

ફિલિપાઈન્સ: 300 મુસાફરો ભરેલી ફેરી દરિયામાં ડૂબી, 13ના મોત

દક્ષિણ ફિલિપાઈન્સમાં સોમવારે વહેલી સવારે એક મોટી દરિયાઈ દુર્ઘટના સર્જાઈ છે. બાસિલાન પ્રાંત નજીક દરિયામાં એક ઈન્ટર-આઈલેન્ડ ફેરી ડૂબી જતા દોડધામ મચી ગઈ હતી. આ ફેરીમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત 300થી વધુ લોકો સવાર હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં દરિયામાંથી 13 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે તટરક્ષક […]

77 પ્રજાસત્તાક પર્વે નારી શક્તિ અને હિમ યોદ્ધાઓનો દબદબો, યુરોપિયન મહેમાનો બન્યા સાક્ષી

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: ભારતે આજે પોતાનો 77મો ગણતંત્ર દિવસ પૂરી આન, બાન અને શાન સાથે ઉજવ્યો હતો. રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલા ભવ્ય સમારોહમાં દેશની સૈન્ય તાકાત, સાંસ્કૃતિક વિવિધતા અને વધતા જતા વૈશ્વિક પ્રભાવનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તિરંગો ફરકાવ્યો હતો, ત્યારબાદ રાષ્ટ્રગીત અને 21 તોપોની સલામી સાથે […]

કઠુઆમાં પાકિસ્તાની ડ્રોન દેખાયું, પ્રજાસત્તાક દિવસે હાઈ એલર્ટ

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: આજે જ્યારે સમગ્ર દેશ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ડૂબેલો છે, ત્યારે સરહદ પારથી પાકિસ્તાને ફરી એકવાર પોતાની નાપાક હરકત કરવાનો પ્રયાસ કર્યો છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆ સેક્ટરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જોવા મળતા સુરક્ષા એજન્સીઓ સાબદી બની ગઈ છે. પ્રજાસત્તાક દિવસના સંવેદનશીલ અવસરને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળો પહેલાથી […]

નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બધા દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સંદેશ પોસ્ટ કર્યો. તેમણે કહ્યું કે આ ભવ્ય તહેવાર ભારતના ગૌરવ અને ગૌરવનું પ્રતીક છે. તે દરેકના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે. પ્રજાસત્તાક દિવસ સ્વતંત્રતા, બંધારણ અને લોકશાહી મૂલ્યોનું શક્તિશાળી પ્રતીક છે. પ્રધાનમંત્રી મોદીએ […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

દૈનિક પંચાંગ તારીખ: ૨૬ જાન્યુઆરી ૨૦૨૬, સોમવાર (ચંદ્ર અને ભગવાન શિવને સમર્પિત) સ્થળ: અમદાવાદ, ગુજરાત તિથિ અને સમય તિથિ: માઘ શુક્લ અષ્ટમી (બપોરે ૩:૪૮ વાગ્યા સુધી), પછી નવમી સૂર્યોદય: સવારે ૦૬:૫૧ | સૂર્યાસ્ત: સાંજે ૦૫:૫૧ સૂર્ય રાશિ: મકર સૂર્ય નક્ષત્ર: શ્રાવણ ચંદ્ર ઉદય: સવારે ૦૬:૩૦ | ચંદ્ર અસ્ત: સાંજે ૭:૦૩ ચંદ્ર રાશિ: મેષ નક્ષત્ર: અશ્વિની […]

હાજી રમકડું, ધાર્મિક પંડ્યા, અરવિંદ વૈદ અને રતિલાલ બોરીસાગર સહિત 5 ગુજરાતીને પદ્મશ્રી

અમદાવાદ, 25 જાન્યુઆરી 2026:  દેશમાં 77 માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આજે કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી  ગુજરાતમાં કલા, સમાજસેવા, શિક્ષણ, અને ચિકિત્સા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપનારા 5 ને પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ચિકિત્સા ક્ષેત્રે અંગદાનની પ્રવૃતિના પ્રણેતા એવા સુરતના નિલેશ માંડલેવાલા તથા  ઢોલકના કારણે હાજી રમકડુંના […]

લોકશાહીની ભાવનાને ઉજાગર કરવા યુવાનો ચૂંટણીમાં સહભાગી થઈ પ્રેરણારૂપ બનેઃ રાજ્યપાલ

ગાંધીનગર, 25 જાન્યુઆરી 2026:  16માં રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતના ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા એટલે કે, 25મી જાન્યુઆરી ,1950ના દિવસે ભારતના ચૂંટણી પંચની રચના થઇ તે તારીખથી ચૂંટણીની આ વ્યવસ્થિત પ્રક્રિયાનો પ્રારંભ થયો અને આજે ભારત વિશ્વમાં સૌથી મોટું લોકશાહી તંત્ર છે. તેમા ચૂંટણી પ્રક્રિયામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code