1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી યથાવત, BSE 84478 ઉપર બંધ રહ્યો

મુંબઈ: ભારતીય શેરબજાર ગુરુવારે સામાન્ય તેજી સાથે બંધ થયું હતું. દિવસ દરમિયાન ઉતાર-ચઢાવ બાદ રોકાણકારો સાવચેત વલણ ધરાવતા જોવા મળ્યા હતા. બોંબે સ્ટોક એક્સચેન્જ (BSE)નો 30 શેરોનો સેન્સેક્સ 12.16 અંક (0.01%) વધીને 84,478.67 પર, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો 50 શેરોનો નિફ્ટી 3.35 અંક (0.01%)ની વૃદ્ધિ સાથે 25,879.15 પર બંધ રહ્યો હતો. વિશ્લેષકોના જણાવ્યા મુજબ, […]

પંજાબમાં આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ, 10 ISI એજન્ટોની ધરપકડ

લુધિયાણા: પંજાબ પોલીસે લુધિયાણામાં ISI સંચાલિત મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. DGPએ જણાવ્યું કે લુધિયાણા કમિશનરેટ પોલીસે ISI-પાકિસ્તાન સમર્થિત ગ્રેનેડ હુમલા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ સંદર્ભમાં, પોલીસે વિદેશી ઓપરેટરોના 10 મુખ્ય સાથીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ હેન્ડ ગ્રેનેડ ઉપાડવા અને પહોંચાડવા માટે મલેશિયા સ્થિત ત્રણ ઓપરેટિવ્સ દ્વારા પાકિસ્તાન સ્થિત […]

દિલ્હી બ્લાસ્ટ કેસઃ ફરિદાબાદની અલ-ફલાહ યુનિ. મામલે NAAC એ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ

નવી દિલ્હી: દિલ્હીના બ્લાસ્ટ કેસમાં નામ સામે આવ્યા બાદ ફરિદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી ફરી એક વાર ચર્ચામાં આવી ગઈ છે. પરંતુ આ વખતે કારણ આતંકી કનેક્શન નહીં, પણ ફેક માન્યતા બતાવવાનો ગંભીર આરોપ છે. રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ (NAAC) દ્વારા યુનિવર્સિટીને શો-કૉઝ નોટિસ મોકલવામાં આવી છે, જેમાં તેને ખોટી માહિતી આપવા અને જનતાને ગેરમાર્ગે […]

લાલ કિલ્લા નજીક બ્લાસ્ટ મામલે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ મુદ્દે કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે સવારે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠક તેમના નિવાસસ્થાને યોજાઈ હતી, જેમાં ગુપ્તચર એજન્સીઓ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં આંતકી હુમલાની તપાસની પ્રગતિ અને દેશભરની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં NIAના ડિરેક્ટર […]

“જૈશ”ના ફિદાયીન મોડીયૂલનો પર્દાફાશ : આતંકી ડોકટર્સ તુર્કીમાં આતંકવાદીને મળવા ગયા હતા

નવી દિલ્હી: ફરિદાબાદ–સહારનપુર આતંકી મોડીયૂલની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. તપાસ એજન્સીઓએ જણાવી છે કે જૈશ-એ-મોહમ્મદના ફિદાયીન મોડીયૂલના આરોપી ડૉ. મુજમ્મિલ અને ડૉ. ઉમર “Session” નામના એન્ક્રિપ્ટેડ મેસેન્જર એપ દ્વારા તેમના હેન્ડલરો સાથે વાતચીત કરતા હતા. આ એપની ખાસિયત એ છે કે એકાઉન્ટ બનાવવા માટે મોબાઇલ નંબરની જરૂર પડતી નથી અને તેમાં ચેટનું મેટાડેટા […]

શેખ હસીનાની મુશ્કેલીઓ વધી, કોર્ટ 17 નવેમ્બરે ચુકાદો આપશે; સેનાએ સંભાળ્યો ચાર્જ

નવી દિલ્હી: બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના માટે મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ (ICT) એ જાહેરાત કરી કે તે 17 નવેમ્બરના રોજ ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ પોતાનો ચુકાદો આપશે. શેખ હસીના પર ગયા જુલાઈમાં થયેલા વિદ્યાર્થી બળવા દરમિયાન સેંકડો લોકોની હત્યા અને માનવતા વિરુદ્ધના ગુનાઓનો આરોપ […]

પાકિસ્તાન પર આસીમ મુનીરનું સંપૂર્ણ નિયંત્રણ, સંસદમાં પસાર થયું ખાસ બિલ

નવી દિલ્હી: પાકિસ્તાનની સંસદે ભારે હોબાળા વચ્ચે 27મા બંધારણીય સુધારાને મંજૂરી આપી. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની સત્તાઓનું વિસ્તરણ કરતું 27મું બંધારણીય સુધારા બિલ બે તૃતીયાંશ બહુમતીથી પસાર થયું. હકીકતમાં, પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરને હવે સંરક્ષણ દળોના વડાના નવા પદ પર બઢતી આપવામાં આવશે અને તેઓ ઔપચારિક રીતે નૌકાદળ અને વાયુસેનાની કમાન પણ સંભાળશે. […]

મતદાર યાદી સુધારણાઃ કામકાજ/મજૂરી અર્થે વતનથી દૂર રહેતા સ્થળાંતરિત મતદારો માટે અગત્યના સમાચાર

સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત કામકાજ/મજૂરી અર્થે કામચલાઉ ધોરણે વતનથી દૂર રહેતા સ્થળાંતરિત મતદારોને તેમના કામના સ્થળે જ ગણતરી ફોર્મ ભરવાની સગવડ મળી રહે તે માટે વ્યવસ્થા કેમ્પ અરવલ્લી, 13 નવેમ્બર, 2025: Voter List Revision: migrant voters ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરવામાં આવેલો છે. […]

દિલ્હી બ્લાસ્ટ : ATSની ટીમે કાશ્મીરી ડૉ. આરિફની કરી અટકાયત, ડો. શાહીનના સતત સંપર્કમાં હતા

નવી દિલ્હી: દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ અને ફરીદાબાદના આતંકી મોડીયૂલની તપાસ દરમિયાન હવે કાનપુરના કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં MDની તૈયારી કરી રહેલા ડૉ. આરિફનું નામ સામે આવ્યું છે. ATSએ ડૉ. આરિફને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો છે, કારણ કે તે આતંકી ડૉ. શાહીનનો ખુબ નજીકનો સાથીદાર હોવાનું બહાર આવ્યું છે. ફરીદાબાદમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળ્યા બાદથી જ તપાસ […]

આતંકીઓ અયોધ્યામાં વિસ્ફોટ કરવા માગતા હતા, શાહીને સ્લીપર મોડ્યૂલ કર્યું હતું એક્ટિવ

લખનૌ: દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ સાબદી બની છે. આ દરમિયાન ધરપકડ કરાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. સૂત્રો અનુસાર, આ આતંકી મોડીયૂલનો ટારગેટ ઉત્તર પ્રદેશના મંદિરો અને ધાર્મિક સ્થળો હતા, જેમાં ખાસ કરીને અયોધ્યા અને વારાણસી તેમનો મુખ્ય ટાર્ગેટ હોવાનું જાણવા મળે છે. માહિતી પ્રમાણે, શાહીન નામની મહિલા આતંકવાદીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code