1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

23 કરોડના છેતરપિંડીનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો, SI સસ્પેન્ડ

નવી દિલ્હી: હૈદરાબાદ શહેર પોલીસ કમિશનર વીસી સજ્જનરે સબ-ઇન્સ્પેક્ટર શ્રીકાંત ગૌડને સુરક્ષામાં મોટી ભૂલ બદલ સસ્પેન્ડ કર્યા છે જેના કારણે હાઇ-પ્રોફાઇલ નાણાકીય છેતરપિંડીનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો. આરોપ છે કે સબ-ઇન્સ્પેક્ટરે 2 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી અને આરોપીને ભાગી જવામાં મદદ કરી હતી. આ ઘટના 24 ઓક્ટોબરના રોજ બની હતી જ્યારે એક ટાસ્ક […]

ભૂપેન્દ્ર પટેલ નહીં પણ હર્ષ સંઘવી સુપર સીએમ છેઃ અરવિંદ કેજરિવાલનો આક્ષેપ

આમ આદમી પાર્ટીના ઉપક્રમે સાયલામાં ખેડૂત મહા પંચાયત યોજાઈ, કેજરિવાલ અને ભગવંત માને ભાજપ સરકાર પર કર્યા પ્રહારો, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા તો ભાજપની ઝાડા થઈ ગયા સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકાના વાંટાવચ્છ ગામમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરાયુ હતું. જેમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ તેમજ […]

રેવાડી-મહેન્દ્રગઢ રોડ પર કાર અને બાઇક વચ્ચે ટક્કર, ત્રણના મોત

રેવાડી: રેવાડી જિલ્લાના રેવાડી-મહેન્દ્રગઢ રોડ પર નાંગલમુંડી નજીક એક ઝડપી કાર મોટરસાઇકલ સાથે અથડાઈ. આ અકસ્માતમાં કાકા અને બે પિતરાઈ ભાઈઓનું કરુણ મૃત્યુ થયું. અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને કબજે લઈ કાર્યવાહી શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, બુડોલી ગામનો રહેવાસી ઓમપ્રકાશ તેના ભત્રીજાઓ સાહિલ, પ્રશાંત અને રોહિત સાથે બાઇક પર […]

સુરતમાં રન ફોર યુનિટીમાં લોકોએ નાસ્તાને પેકેટ અને પાણીની બોટલો રસ્તાઓ પર ફેંકી

રન ફોર યુનિટીમાં અનેક લોકોએ ઉત્સાહથી ભાગ લીધો, રન ફોર યુનિટીમાં દોડતા લોકોએ પાણીની ખાલી બોટલો રોડ પર ફેંકતા થઈ ગંદકી, ગંદકી જોઈને પોલીસ અધિકારીઓ અને તેમના પત્નીઓએ જાતે જ કચરો એકત્ર કરીને ડસ્ટબીનમાં નાંખ્યો સુરતઃ દેશભરમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સુરત પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું […]

મધ્યપ્રદેશ: નર્મદા પરિક્રમા પર યાત્રાળુઓને લઈ જતી બસ પલટી, એક મહિલાનું મોત અને 55 લોકો ઘાયલ

નવી દિલ્હી: મધ્યપ્રદેશના બરવાણી જિલ્લામાં ‘નર્મદા પરિક્રમા’ માટે યાત્રાળુઓને લઈ જતી બસ પલટી જતાં એક મહિલાનું મોત થયું હતું અને 55 અન્ય ઘાયલ થયા હતા, પોલીસે જણાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે, ઇન્દોર અને ધાર જિલ્લાના ૫૬ મુસાફરોને લઈને જતી બસ જિલ્લા મુખ્યાલયથી લગભગ 80 કિમી દૂર બૈગુર ગામ પાસે પલટી ગઈ. બરવાનીના પોલીસે જણાવ્યું […]

શિવસેના નેતા સંજય રાઉતની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી: શિવસેના (UBT) ના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ બે મહિના માટે જાહેર જીવનથી પણ દૂર રહેશે. સંજય રાઉતે પોતાના કાર્યકરોને ભાવનાત્મક પત્ર લખીને આ માહિતી આપી છે. સંજય રાઉતે કહ્યું, “જય મહારાષ્ટ્ર! બધા મિત્રો, પરિવાર અને કાર્યકરોને નમ્ર વિનંતી, તમે બધાએ હંમેશા મારામાં […]

ગિરનારની લીલી પરિક્રમા આખરે સ્થગિત કરાઈ, માવઠાથી પરિક્રમાના માર્ગો ધોવાઈ ગયા

કમોસમી વરસાદથી 36 કિમીના રૂટ પર ઠેર-ઠેર કાદવ-કીચડ થયો છે, માત્ર સાધુ-સંતો પ્રતિકાત્મક યાત્રા કરી શકશે, વહીવટી તંત્ર અને સાધુ સંતોની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય  જૂનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમાનું વિશેષ મહાત્મ્ય છે. કારતક સુદ અગિયારસને 2જી નવેમ્બરને રવિવારથી શરૂ થનારી લીલી પરિક્રમાને સ્થગિત કરવામાં આવી છે. વરસાદને લીધે પરિક્રમાનો 36 કીમીનો માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો […]

તેલંગાણામાં રેડ્ડી સરકારનો મોટો નિર્ણય, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મંત્રી બન્યા

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને તેલંગાણા સરકારના મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. મોહમ્મદ અઝહરુદ્દીને મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીના નેતૃત્વ હેઠળની તેલંગાણા સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા. તેલંગાણા રાજભવન ખાતે આયોજિત એક સમારોહમાં, રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ મુખ્યમંત્રી સહિત અનેક મહત્વપૂર્ણ નેતાઓની હાજરીમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનને શપથ […]

ધ્રાંગધ્રા અને પાટડી રણમાં કમોસમી વરસાદથી અગરિયાને ભારે નુકસાન

કચ્છના નાના રણમાં દર વર્ષે ૩૦ લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે, માવઠાને લીધે મીઠાના તૈયાર કરેલા પાટા તેમજ સોલાર પ્લેટને નુકસાન, અગરિયાઓને નુકસાનીનું વળતર આપવાની માંગ સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખતા જિલ્લાના ધ્રાંગધ્રા, પાટડી અને ખારાઘોડાના રણ વિસ્તારામાં હાલ અગરિયાઓ દ્વારા મીઠુ પકવવાની સીઝન ચાલી રહી છે, દિવાળી બાદ અગરિયાઓ મીઠુ પકવવા માટે […]

માવઠાને લીધે ધરોઈ ડેમ છલોછલ ભરાયો, સાબરમતી નદીમાં 3450 ક્યુસેક પાણી છોડાયું

પંચમહાલનો પાનમ ડેમની સપાટી પણ રૂલ લેવલ પર પહોંચી, પાનમ ડેમમાં ઉપરવાસમાંથી 4943 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ, ખેડૂતોને હવે ઉનાળાના અંત સુધી સિચાઈ માટેનું પાણી મળી શકશે અમદાવાદઃ ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. ત્યારે સાબરમતી નદીના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ધરોઈ ડેમ છલોછલ ભરાયો છે. ડેમમાં પાણીની આવક વધતા સાબરમતી નદીમાં 3450 ક્યુસેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code