1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારને આપી શ્રદ્ધાંજલિ

ગાંધીનગર, 28 જાન્યુઆરી 2026: ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આજે તા.28 જાન્યુઆરીના રોજ મુંબઈ સ્થિત લોકભવનમાં આયોજિત શોકસભા દરમિયાન રાજ્યપાલએ બે મિનિટનું મૌન પાળી દિવંગત  અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે લોકભવનના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા […]

RBI ની નીતિ મુદ્દે SBIની ભલામણ, OMO રણનીતિ બદલવી જરૂરી

મુંબઈ, 28 જાન્યુઆરી 2026: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા નાણાકીય વર્ષ દરમિયાન અર્થતંત્રમાં તરલતા વધારવા માટે અનેક મોટા પગલાં લેવામાં આવ્યા છે, તેમ છતાં તેનું પરિણામ અપેક્ષા મુજબ જોવા મળ્યું નથી. એસબીઆઈ રિસર્ચ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવાયું છે કે, ઓપન માર્કેટ ઓપરેશન હેઠળ અંદાજે રૂ. 6.6 લાખ કરોડ બજારમાં નાખવા છતાં સરકારી […]

સુરતમાં ગજેરા પરિવારના લક્ષ્મી ડાયમન્ડ ગ્રુપ પર ઈન્કમ ટેક્સના દરોડા

સુરત, 28 જાન્યુઆરી 2026:  શહેરના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારની માલિકીના ‘લક્ષ્મી ગ્રુપ’ પર આજે વહેલી સવારથી ઈન્કમટેક્સના અધિકારીઓએ સર્ચની કાર્યવાહી હાથ ધરતા હીરાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરમાં ડાયમંડ, એજ્યુકેશન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા ગજેરા ગ્રુપના રાજ્યભરમાં આવેલા ઠેકાણાઓ પર 150થી વધુ અધિકારીઓની અલગ-અલગ ટીમોએ એકસાથે ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો […]

સાવરકૂંડલામાં રેશનિંગના ઘઉં અને ચોખાનો 1.29 લાખનો જથ્થો પકડાયો

અમરેલી, 28 જાન્યુઆરી 2026:  જિલ્લામાં રેશનિંગનો પુરવઠો કાળા બજારમાં વેચી દેવાતો હોવાની ફરિયાદો ઊઠી હતી. આથી જિલ્લા પુરવઠા વિભાગ એવર્ટ મોડમાં હતું દરમિયાન બાતમીને આધારે પુરવઠા વિભાગે સાવરકુંડલામાં રેડ પાડીને રેશનિંગનો 1.29 લાખનો જથ્થો પકડી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં અનધિકૃત રીતે સંગ્રહ કરવામાં આવેલો સસ્તા અનાજનો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. પુરવઠા વિભાગના સૂત્રોના […]

કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન, 152 જાતના વિવિધ પક્ષીઓનો કલરવ

સુરેન્દ્રનગર, 28 જાન્યુઆરી 2026:  જિલ્લાનો રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. આ રણ વિસ્તારમાં ભરાયેલા પાણીમાં વિદેશી પક્ષીઓનું આગમનથયુ છે. 152 જાતના પક્ષીઓના કલરવથી રણ વિસ્તાર ગુંજી ઊઠ્યો છે. કચ્છના નાના રણમાં સાનુકૂળ હવામાન, પૂરતો ખોરાક અને સલામત વસવાટના કારણે વિદેશીપક્ષીઓ ચાર મહિના જેટલો વસવાટ કરશે. શિયાળાની ઋતુ જામતા કચ્છના નાના રણ તેમજ ધ્રાંગધ્રાના […]

અજિત પવારના નિધન પર સચિન તેંડુલકર સહિતના ખેલાડીઓએ શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: ભારતીય રમત જગતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે, જેમનું આજે, 28 જાન્યુઆરી, 2026 ના રોજ બારામતી નજીક વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિઓની ચૂંટણીઓ વચ્ચે, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર એક જાહેર સભામાં હાજરી આપવા માટે મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા. […]

સુરતમાં મ્યુનિ સ્કૂલોમાં સત્ર પૂર્ણ થવાને 3 મહિના બાકી છે ત્યારે હવે સ્પોર્ટ્સ યુનિફોર્મ અપાશે

સુરત, 28 જાન્યુઆરી 2026: શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક સમિતિની સ્કૂલોમાં હવે સત્ર સમાપ્તિને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે પ્રાથમિક શાળાના બાળકોને સ્પોર્ટ્સ યુનિફોર્મ આપવાનો નિર્ણય લેવાતા વિવાદ ઊભો થયો છે. નજીકના દિવસોમાં ખેલ મહાકુંભ શરુ થઈ રહ્યો છે ત્યારે શિક્ષણ સમિતિએ સ્પોર્ટસ યુનિર્ફોમ માટે દોઢ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે […]

રાષ્ટ્રપતિનું સંબોધન વિકસિત ભારતનો માર્ગ મોકળો કરશેઃ PM મોદી

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: બુધવારથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંયુક્ત સદનને સંબોધન સાથે થયો છે. રાષ્ટ્રપતિના આ ભાષણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી સમયમાં દેશની વિકાસ યાત્રાનું ‘માર્ગદર્શક’ ગણાવ્યું છે. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સંબોધન એક મજબૂત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાની આપણી સહિયારી આકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રપતિના સંબોધન […]

વડોદરાની એમએસ યુનિ.માં હવે ત્રિ-સ્તરિય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે

વડોદરા, 28 જાન્યુઆરી 2026:  દેશની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમ એસ યુનિવર્સિટી અને કેમ્પસમાં હવે 1લી ફેબ્રુઆરીથી સુરક્ષા વ્યવસ્થા વધુ ટાઈટ કરીને ત્રિ-સ્તરિય વ્યવસ્થા ગોઠવવામાં આવશે.  યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ કરતા વિવાદોને કારણે વધુ ચર્ચામાં છે. કેમ્પસમાં ક્યારેક વિદ્યાર્થી જૂથો વચ્ચે ખુલ્લેઆમ મારામારી તો ક્યારેક વિદ્યાર્થિનીઓ સાથે છેડતી સહિત ગંભીર ઘટનાઓ બનતી હોવાથી યુનિવર્સિટી સામે […]

ભાવનગરમાં રવિવારે કોળી સમાજ દ્વારા ન્યાય સભા યોજાશે, સાંસદો-ધારાસભ્યો હાજર રહેશે

ભાવનગર, 28 જાન્યુઆરી 2026:  જિલ્લાના બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલામાં આરોપીઓને પકડવા કોળી સમાજે મોરચો માંડ્યો હતો. શરૂઆતમાં પોલીસે તપાસને આડા પાટે ચડાવી હતી. પણ કોળી સમાજના નેતાઓની મુખ્યમંત્રીને રજુઆત બાદ 5થી 7 આરોપીઓને પકડ્યા બાદ તટસ્થ તપાસ માટે સીટની રચના કર્યા બાદ લોક ડાયરા કલાકાર માયા આહીરના પુત્ર જયરાજ આહીર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code