1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાકિસ્તાનના કરાચીમાં રણવીર સિંહ અને અક્ષય ખન્ના વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ કરતી અરજી કોર્ટમાં કરાઈ

નવી દિલ્હીઃ ભારતીય ફિલ્મ “ધુરંધર” સામે કરાચી કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ફિલ્મમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોના ફોટોગ્રાફ્સ, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના ધ્વજ અને પાર્ટી રેલીઓના ફૂટેજનો પરવાનગી વિના ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે PPPને આતંકવાદી પાર્ટી તરીકે […]

ભારતીય રેલવેઃ દેશમાં 99 ટકાથી વધુ રેલ લાઈનનું વીજળીકરણ કરાયું

નવી દિલ્હીઃ ભારતીય રેલવે તેનું લગભગ સંપૂર્ણ બ્રોડ-ગેજ નેટવર્કનું ઇલેક્ટ્રિફિકેશન પૂર્ણ કરવાની નજીક છે, જેમાં 99%થી વધુ પહેલેથી જ ઇલેક્ટ્રિફાઇડ થઈ ગયું છે અને બાકીના વિસ્તારો ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. તાજેતરના વર્ષોમાં કાર્યની ગતિ અસાધારણ રહી છે. 2019 અને 2025 ની વચ્ચે, ભારતીય રેલવેએ દરરોજ 15 રૂટ કિલોમીટરથી વધુની સરેરાશ ઝડપે 33,000 થી […]

વેગન ડાયટમાં સામેલ કરો આ પ્લાન્ટ બેઝ્ડ આ પાંચ ફૂડ, પ્રોટીનની ઊણપ નહીં રહે

નોન-વેજને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ આજના સમયમાં શાકાહાર અપનાવનારા લોકોની સંખ્યા વધી રહી છે, સાથે જ વીગન ડાયટ ફોલો કરનારા લોકોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. જોકે, ઘણા લોકોને લાગે છે કે વીગન ડાયટમાં પ્રોટીનની પૂર્તિ કરવી એક મોટો પડકાર છે. શાકાહારીઓ ડેરી ઉત્પાદનો દ્વારા પ્રોટીન મેળવી શકે છે, પરંતુ વીગન […]

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય કાર્યક્રમમાં 4.5 કરોડ બાળકોએ લાભ લીધો

શાળા આરોગ્ય કાર્યક્રમમાં 3 વર્ષમાં 17,5 હજાર બાળકોને હૃદય સંબંધિત સારવાર અપાઈ, 4,149 કીડનીની સારવાર, 2336 કલબફૂટ,  તેમજ 692 બાળકોને કેન્સરની સારવાર અપાઈ, દર વર્ષે અંદાજિત સરેરાશ કુલ 1 કરોડ 89 લાખથી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી કરી સ્થળ પર સારવાર કરવામાં આવે છે  ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન […]

સરદાર પટેલ યુનિવર્સિટીના 68મા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને રાજ્યપાલે આપી શીખ

પદવીધારકો પોતાના જ્ઞાનનો ઉપયોગ વિશ્વના કલ્યાણ અને ભલાઈ માટે કરે: રાજ્યપાલ, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે અમૂલ મોડલ કરશે, ડો. મિનેશ સરદાર પટેલ યુનિના 16963 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ આણંદઃ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ નવ પદવીધારકોને પોતાના જ્ઞાનનો ઉપયોગ વિશ્વના કલ્યાણ અને ભલાઈ માટે કરવા અનુરોધ કર્યો હતો. અજ્ઞાન, અભાવ અને અન્યાયથી મુક્ત […]

ગુજસેટ સંદર્ભે મહત્ત્વની જાહેરાતઃ જાણો શું કહ્યું શિક્ષણ વિભાગે?

ગાંધીનગર, 15 ડિસેમ્બર, 2025 GUJSAT: ગુજસેટ માટે ઓનલાઈન આવેદન કરવાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે એક પરિપત્ર જારી કરીને જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા HSCE વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ, ગ્રુપ-બી તથા ગ્રુપ-એબીના ઉમેદવારો માટે લેવાનાર ગુજરાત […]

ગ્રાન્ટેડ શાળાઓમાં કલાર્ક, પટ્ટાવાળાની ભરતી અને FRCના મુદ્દે શાળા સંચાલકો લડત આપશે

શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠકમાં નિર્ણય લેવાયો સરકારે વિનંતીઓને ગ્રાહ્ય ના રાખતા કોર્ટમાં જવાનો ઠરાવ કરાયો કલાર્ક અને પટ્ટાવાળાનું કામ શિક્ષકોએ કરવું પડે છે અમદાવાદઃ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં કલાર્ક અને પટ્ટાવાળાની ખાલી જગ્યાઓ ભરાતી નથી તેમજ ફીના ધારાધોરણ અંગે શાળા સંચાલકોએ અગાઉ સરાકારને વખતોવખત રજુઆતો કરી હોવા છતાંયે વણઉકલ્યા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. તાજેતરમાં […]

રવિ સીઝનમાં ઘઉંના ઊભાપાકમાં રોગચાળો, જીવાંત અટકાવવા કૃષિ વિભાગની જાહેર કરી માર્ગદર્શિકા

ખેડૂતોએ વધુ જાણકારી માટે ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે, ઘઉંના પાકમાં મોલોનો ઉપદ્રવથી ખેડૂતો પરેશાન, લીલી ઈયળના નિયંત્રણ માટે ખેતર નીંદણ મુક્ત રાખવા ભલામણ ગાંધીનગરઃ રાજ્યમાં શિયાળુ એટલે કે રવિ સીઝન મોટા પ્રણામમાં ખેડૂતો દ્વારા ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં ઘઉંના પાકમાં મોલાનો ઉપદ્રવ સહિત રોગચાળાને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. […]

પોરબંદર યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું આગમન, ખેડૂતને કેટલો ભાવ મળ્યો ? જાણો

હનુમાનગઢ ગામના બગીચામાં આંબાઓ પર કેસર કેરીઓ લટકી રહી છે પ્રથમ 10 કિલો કેસર કેરીનું બોક્સ હરાજી માટે યાર્ડમાં લવાયું 10 કિલો કેસર કેરીના બોક્સના 12510 રૂપિયા ભાવે હરાજી થઈ પોરબંદરઃ ફળોમાં રાજા ગણાતી કેસર કેરી એ ગ્રીષ્મઋતુનું ફળ છે. એટલે ઉનાળાની સીઝનમાં કેસર કેરીનું આગમન થતું હોય છે. પણ પોરબંદર પંથકમાં હનુમાનગઢના બગીચામાં ભરશિયાળે […]

અમદાવાદના 16 બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાનો નિર્ણય કેમ સ્થગિત કરાયો ? જાણો

AMCના સત્તાધિશો હવે એક્સપર્ટના અભિપ્રાય બાદ જ નિર્ણય લેશે, મોટાભાગના બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધથી વધુ મુશ્કેલીઓ પડી શકે તેમ છે, બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાથી AMTS, BRTS અને ફાયરના વાહનોને પણ રોક લાગી જાત અમદાવાદઃ શહેરમાં સરદાર બ્રિજ પર તિરાડો જોવા મળ્યા બાદ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. એએમસી દ્વારા તમામ બ્રિજની ચકાસણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code